શું આપ માનસો કે ભારતીય બ્રાહ્મણોએ કરબલાના યુદ્ધમાં ઇમામ હુસૈનનાં પક્ષે ભાગ લીધો હતો ? એક દંત કથા પ્રમાણે ઇમામ હુસૈન એક ભારતીય રાજાના માસીયાઈ ભાઈ થતા હતા ? આપ જાણો છો કે આજે પણ 21 બ્રાહ્મણોના નામ કરબલાના મ્યુઝિયમમાં અંકિત છે ? શું આપ જાણો છો કે શ્રી સંજય દત્ત હસૈની બ્રાહ્મણ છે ? તેમના પિતાશ્રી અને ભારતીય અભિનેતા સુનીલ દત્તે લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં દાન આપતી વખતે કરબલા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા નોંધી હતી અને કહ્યું હતું:
“મારા પૂર્વજોની જેમ, લાહોર માટે પણ, હું લોહીનો પ્રત્યેક ટીપું રેડીશ અને જે દાન માંગ્યું તે આપીશ, જેમ મારા પૂર્વજોએ હઝરત ઇમામ હુસેન માટે કરબલામાં પોતાનું જીવન આપ્યું ત્યારે કર્યું હતું.”
કહેવાની જરૂર નથી કે સુનિલ દત્ત અમૃતસરના સાંસ્કૃતિક લેન્ડસ્કેપ સાથે પણ ભાવનાત્મક રીતે જોડાયેલા હતા.
જયારે હિન્દૂ અને મુસ્લિમ કોમ વચ્ચેની રેખા દિવસે દિવસે વધુ ગહેરી થતી જાય છે ત્યારે ઉપખંડમાં ઘણી વહેંચાયેલ અને ઉદાર સર્વગ્રાહી સાંસ્કૃતિક પદ્ધતિઓ અને જગ્યાઓ ભૂલી ગયા છે. લોકોની યાદો અને ઇતિહાસમાંથી ધીમે ધીમે અમુક વાર્તાઓ ભૂંસી નાખવામાં આવી રહી છે.
મુહરમ મહિનામાં, મેં આશુરાના દિવસે, હુસેની બ્રાહ્મણો – જે દત્ત / દત્ત / દત્તા બ્રાહ્મણો તરીકે પણ ઓળખાય છે – અને અમૃતસર શહેરમાં તાજીયા શોભાયાત્રા સાથેનો તેમનો પ્રગાઢ સુબંદ બાબતે આપ સાથે વાત કરવું જરૂરી લાગે છે, અહીં ભાગલા પૂર્વેના દિવસોમાં તાજીયા જુલુસ, હુસેની બ્રાહ્મણોની ભવ્ય જાહેર સ્મૃતિ સચવાયેલી છે, હુસેની બ્રાહ્મણોની હાજરી અને ભાગીદારી વિના તાજિયાના જુલુસનો પ્રારંભ થતો નહીં. આપણે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે બ્રાહ્મણ અને તે હુસૈની બ્રાહ્મણ ? તાજિયાને અને બ્રાહ્મણોને વળી શું લેવાદેવા ? વાત લગભગ ઇસ.680ની સાલની છે. જયારે મહોમ્મદ પેગમ્બરના દીકરીના પુત્ર ઇમામ હુસૈને યઝદીની ખલીફટ સ્વીકારવાની ના પાડી ત્યારે યઝદીએ તેમને અને તેમના પરિવારને રંજાડવાનું ચાલુ કર્યું અને તેમની કત્લ કરવાના ફરમાન બહાર પડ્યા આથી એવું કહેવાય છે કે તે સંજોગોમાં ઇમામ હુસૈને તેમના માસીયાઈ ભાઈ વિક્રમાદિત્યને મદદ માટે પત્ર લખ્યો હતો તેથી વિક્રમાદિત્યએ સેના બ્રાહ્મણ નાયકને ઇમામ હુસૈનની મદદ માટે જવા આદેશ કર્યો અને ભારતથી ઇમામ હુસૈનને મદદ કરવા માટે અહીંથી દત્ત બ્રાહ્મણનું સૈન્ય કરબલા પહોંચ્યું ત્યારે ઇમામ હુસૈનની શહાદત થઇ ગઈ હતી આમ છતાં કહેવાય છે કે તેમને યુદ્ધમાં તેમના સાત (7) પુત્રોએ શહાદત વહોરી હતી. સમુદાયના મૂળ અંગે વિવિધ મંતવ્યો છે, પરંતુ પૃષ્ઠભૂમિ ઇતિહાસ તરીકે, નીચેની માહિતી મૂલ્યવાન છે;
શાહ ખોસરો -2 એ ખોસરો પરવીઝ (570-628) તરીકે પણ ઓળખાય છે, તે ઈરાનના છેલ્લા પર્શિયન સાસાનીયન રાજામાંથી એક હતો. તેનો પુત્ર રાજકુમાર શહેરીયાર હતો, જેના પુત્ર યઝડિગાર્ડ -3 (624-651) તેનો પૌત્ર હતો. યાઝદેગરડ III ની પત્ની પર્સિયન નામ માહ તલાત હતી (હિન્દી નામ ચંદ્ર લેખ, તે સિંધી રાય વંશના રાજપૂત રાજકુમારીની પુત્રી હતી (489–632). તેના નામ પર સિંધમાં બદલી નજીક હજી એક શહેર મટલી અસ્તિત્વમાં છે. માહ તલાટનું ક્ષતિપૂર્ણ સ્વરૂપ.આ સિંધી રાજકુમારીથી, યઝ્ડિગર્ડે ત્રણ પુત્રીઓ હતી, જેમ કે શહરબાનુ, મહેરાબનુ અને ગૈન બાનુ.શહરબાનુ પાછળથી હઝરત ઇમામ હુસેન ઇબ્ને અલીની પત્નીઓમાંની એક બની હતી.મહરબાનુ પાછળથી મુહમ્મદ બિન અબુની પત્નીઓમાંની એક બની હતી. -બક્ર સિદ્દિક રા.ગૈન બાનુએ એક સ્થાનિક સિંધી રાજપૂત રાજા સાથે લગ્ન કર્યા હતા.કારબલાની ઘટના બની ત્યારે, ગયાન બાનુના પતિએ હઝરત ઇમામ હુસેન કુફા પહોંચે ત્યારે મદદ કરી શકે તે માટે સૈનિકોની એક નાની ટુકડી (મુખ્યત્વે બ્રાહ્મણ) મોકલ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ,હઝરત ઇમામ હુસૈન કરબલામાં શહીદ થઈ ગયા હતા અને તે સૈનિકો પાછા ભારત પાછા ફર્યા હતા.પરંતુ જ્યારે આમિર મુખ્તરે શુહાદા અને કરબલાનો બદલો લીધો, ત્યારે આમાંના કેટલાક બ્રાહ્મણો / હિન્દુઓએ ઇસ. 685 માં ઉમયાયદો સામેની લડાઇમાં ભાગ લીધો. તે ટુકડીનો નેતા રહાબ-દત્તા હતો કે જે એક મોહિયાલ બ્રાહ્મણ હતો; તે જયારે પરત ભારત આવ્યા ત્યારે આજના પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ સ્થિર થયા હતા અને તે સૈનિકોના વંશજ હુસૈની બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. હુસૈની બ્રાહ્મણ આજે પણ હિન્દૂ ધર્મ પાળે છે. તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર નથી કર્યો પણ તાજીયાના ઝુલુસ નીકળે ત્યારે ( મહુરમ ) તે પણ ભાગ લે છે . પ્રતિષ્ઠિત ઇતિહાસકાર મોહમ્મદ મુજીબ લખે છે, “તેઓ [હુસેની બ્રાહ્મણો] ખરેખર ઇસ્લામ ધર્મમાં ન હતા, પરંતુ તેઓએ આવી ઇસ્લામિક માન્યતાઓ અને રીત-વ્યવહાર અપનાવ્યા હતા, જેને હિન્દુ ધર્મની વિરુદ્ધ માનવામાં આવતા ન હતા.” કૌટુંબિક કથાઓ દર્શાવે છે કે ઇમામ હુસૈનનું નામ યુવાન દત્ત બ્રાહ્મણ છોકરાઓના મુંડન દરમિયાન બોલાવવામાં આવતું હતું, અને લગ્નમાં બડે (ઇમામ હુસેન) ના નામે હલવો રાંધવામાં આવતો હતો. 1947 માં ભાગલા થાય ત્યાં સુધી, ધૂટ્સ સામાન્ય રીતે ઉપખંડના જુદા જુદા ભાગોમાં સુલ્તાન તરીકે ઓળખાતા. એક સમુદાય કે જેને historતિહાસિક રીતે “અડધો હિન્દુ” અને “અડધો મુસ્લિમ” માનવામાં આવતો હતો, હુસેની બ્રાહ્મણો પરંપરાગત રીતે બે સંસ્કૃતિને સાથે લાવ્યા. ઘણી વાર ક્યાં તો શિયા બ્રાહ્મણો અથવા હુસેની બ્રાહ્મણો તરીકે ઓળખાય છે, લોકવાયકામાં . “વહ દત્ત સુલતાન, હિન્દુ કા ધર્મ, મુસલમાન કા ઇમાન ‘જેવા શબ્દસમૂહો; અને ‘દત્ત સુલતાન ના હિન્દુ ના મુસલમાન’ તરીકે ઓળખાતા હતા.
એક માન્યતા એવી પણ છે કે હુસેની બ્રાહ્મણોના વંશાવળી નકશામાં ઇરાકના કુફામાં ધંધાર્થે સ્થિર થયા હતા. ઐતિહાસિક યુદ્ધ કરબલા (680 એ.ડી.) ના સમયની આસપાસ અને પછી બાલખ, બોખરા, સિંધ, કંદહાર, કાબુલ અને પંજાબમાં તેમની વસાહતો હતી. તેમની લશ્કરી પરંપરાઓ અને વ્યાપારીક સંબંધો અને લગ્નના નેટવર્ક તેમને 17 મી અને 18 મી સદી દરમિયાન પ્રાદેશિક જુદા જુદા રાજ્યો સાથે જોડતા હતા અને તેઓ મોટે ભાગે ગુજરાત, સિંધ, પંજાબ અને વાયવ્ય ફ્રંટિયરમાં જોવા મળતા હતા.
જોકે, બ્રિટિશ નૃવંશવિજ્ઞાની ડેન્ઝિલ ઇબેટસન દ્વારા રેખાંકિત. 1911 માં ટી. પી. રસેલ સ્ટ્રેસી એક આકર્ષક પહેલું દર્શાવે છે:
ઇતિહાસમાં સૌથી વધુ યાદ રાખવામાં આવે છે તે ઇરાકના કરબલા સાથે હુસેની બ્રાહ્મણોની ઐતિહાસિક કડી છે, જેમ કે “કુળના ઇતિહાસ માંથી , સ્પષ્ટ થાય છે કે દત્તના પૂર્વજો એક સમયે અરબમાં હતા. તેઓએ હઝરત અલી અને અમીર મુવીયાના પુત્ર યઝીદ સુલતાનના અનુયાયીઓ અને ઇમામ હુસૈનનાં અનુયાયીઓ વચ્ચે કરબલા યુદ્ધમાં ભાગ લીધો. તેઓ પ્રોફેટનાં શહીદ પૌત્ર હસન અને હુસેનનાં મિત્રો હતા, આ ઘટનાઓ જેની સાથે જોડાયેલી છે, જે દરેક મુહર્રમમાં શિયાઓની મહુરમમાં યાદ તાજી કરે છે.
જ્યારે આ રાજકુમારો પડ્યા, ત્યારે રાહીબ નામના દત્તોના બહાદુર યોદ્ધાએ નિશ્ચિતપણે પરંતુ અસફળ રીતે બચી ગયેલા લોકોનો બચાવ કર્યો. જોકે, તેના લશ્કરના સાથીઓની કતલના પગલે તેમને અને નાના બચી ગયેલ લોકોને પર્સિયા અને કંદહારથી ભારત પાછા ફરવા ફરજ પડી હતી. “
દંતકથા છે કે અરેબિયાથી પરત ફરતા, રહિબ દત્ત તેની સાથે મહંમદ પયગંબરના વાળ લાવ્યા હતા, જે કાશ્મીરના હઝરતબલમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક ભાષાકીય ઇતિહાસ, મૌખિક કથાઓ અને બ્રિટીશ એથનોગ્રાફી સાહિત્યમાં નોંધાયેલા નોહસ અને કવિટ્સ હુસેની બ્રાહ્મણોમાં કરબલા અને મુહરમની ભવ્ય અપીલને સમર્થન આપે છે:
કવિશ્રી તુષાર શુક્લ એ દિકરી માટે ખૂબ સુંદર પંક્તિ લખી છે. તેમ કહું તે કરતાં એક પિતાએ દિકરી ઉપર સુંદર મજાની પંક્તિ લખી છે તેમ કહું તે વધારે યથાર્થ લાગે છે.
આમતો આ શબ્દો તુષાર ભાઈના છે પણ મને લાગે છે કે આ લાગણી કોઈ પણ પિતાના ભાવ જગતમાં અનુભવાતીજ હશે, એમાં મને કોઈ શંકા નથી.દિકરી નામના અત્તરનો પમરાટ જે ના પામી શક્યું હોય તેના કરતાં વધારે દુખીયરો માણસ આ જનમારામાં કોઈ નહીં હોય ! દિકરીએ તો વહાલનો દરિયો ! સાચું કહું , પરમકૃપાથી મળે છે જીવવા દિકરી નામે અવસર ! હા આ સોનેરો, મોઘેરો અવસર અમને પણ મળ્યો છે, એટલુજ નહીં અનુભવ્યો છે,મારા રોમે રોમથી ! માણ્યો છે, પૂરા દિલથી અને આ વ્યાપ્યો છે શ્વાસોશ્વાસમાં !
મનોજ ખંદેરિયાએ લખ્યું છે-
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ..
ફૂલો એ બીજું કઈ નથી પગલાં વસંતના..
1988 ના જૂન માહિનામાં અમારા આંગણે વસંત બેઠી , જેને અમે નામ આપ્યું ધારા ! અને લાડથી કહેતા નીકી ! નીકીના જન્મ સમયે અમે કેટલા નામ વિચાર્યા હતા જેમાંનું એક નામ હતું ફોરમ ! ફોરમ એટ્લે સુગંધ ! ફૂલની મહેક એટ્લે ફોરમ ! હા એ અમારી મહેક છે, અમારા કુટુંબની મહેક છે , અમારા સંસ્કારોની મહેક છે અમારા લાગણીની મહેક છે અને હું ઇરછું છુકે ધારા, તું આપણાં કુટુંબના સંસ્કારની ધારામાં તારા કુટુંબ ને તરબોળ કરજે, લથબથ..કરજે , લાગણીથી, પ્રેમથી અને વહાલથી પણ.
અમારું આ મધમધતું અત્તર હવે તેના પમરાટનો વ્યાપ વધારવા જઈ રહયું છે , એક ઘરથી બીજે ઘર..એક કુટુંબથી બીજે કુટુંબ.. એક મનો જગતથી બીજે મનો જગત…એક ફલકથી બીજી ફલક … એક આકાશથી બીજે આકાશ… આકાશ એટ્લે તો અવકાશ, અને અવકાશ એટ્લે અપોર્ચ્યુનિટી ! અને લગ્ન સંસ્કાર એટ્લે અપોર્ચ્યુનિટી ને પોસ્સિબિલિટી માં કન્વર્ટ કરવાની સોનેરી તક !!
લગ્નપ્રસંગ, બે પરિવારો માટે એક અનેરો ઉત્સવ છે. બે પરિવારો સુખ અને દુખ માં સાથે રહેવાના કોલ દે છે. લગ્ન એટ્લે બે હિલોળાતા હૈયાનું જીવન સંગીત ! ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલેકે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે. અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે
કોઈ એ સાચું કહ્યું છે કે
માતા પિતાના દિલના કોડિયામાં
સંસ્કારોના તેલ વડે ,
વાત્સલ્યની દિવાસળી થકી
ઘર અને સમાજને
ઉજાગર કરનારી દિવેટ એટ્લે દિકરી..
હે લાડલી
તારી સામે અમાપ અવકાશ છે , અપોર્ચ્યુનિટી છે, સુંદર મજાની આ તક છે , બે જીવન ને એકરસ કરવાની, બે શરીર અને એક આત્મા ! બે કુટુંબ વરચેની જગ્યાને લાગણીના પુલથી જોડવાની , ભરવાની; જીવનની મધુરતાના ઘૂંટ ઉપર ઘૂંટ પીવાની, તારા સ્વપ્નને હકીકતના રંગોથી રંગવાની , તારી પાંખો પ્રસારવાની અને ઊંચા આકાશે આંબવાની, સુંદર મજાની સોનેરી તક છે. એક સરસ મજાની તક છે ટિફિનમાં કેવલને પણ ખબર ન પડે તેમ લંચની સાથે થોડી સફળતા પણ મૂકી આપવાની અને એમ સ્ત્રીમાથી અર્ધાંગિનીમાં પરિવર્તિત થવાની ! .આવનાર પેઢીના લંચ બોક્સમાં નાસ્તાની સાથે થોડા સ્વપ્ન પણ મૂકી આપવાની અને એમ અર્ધાંગિનીમાથી, માં મા પરિવર્તિત થવાની અને સ્ત્રીનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવાની. અને આની પૂર્વ શર્ત છે..
મહાન ભારત નો ગૌરવવંતો ઇતિહાસ આપણને ખબર નહોય એવું બને ? બહુ ઓછા દેશ એવા હશે જ્યાં જે તે દેશના વતનીથી સાચો ઇતિહાસ છુપાવામાં આવે ! હા એવું બની શકે કે જેનો ભૂતકાળ ખરાબ હોય અને એવું લાગેકે આવનારી પેઢી આ જાણશે તો તે તેમની આગળની પેઢીને માફ નહીં કરી શકે અને તેવા સમયે જો ઇતિહાસ છૂપાવવામાં આવે તો કદાચ લેખે લાગે જોકે હું તો માનું છુ કે સાચો ઇતિહાસ જાણશે તો તેમને ભૂતકાળની ભૂલોમાથી શીખવાનું મળશે ! પરતું જ્યારે આપણો ઇતિહાસ ભવ્ય હોય ત્યારે છુપાવાનું કોઈ કારણ ? આપણાં દુર્ભાગ્યે આપણી સાથે આવુજ કઈક થયું છે..કદાચ પ્રવર્તમાન સરકાર કઈક કરે અને આપણને સાચો ઇતિહાસ જાણવા મળે !
ઇતિહાસની એક ઘટના મને હજુયે સમજાતી નથી કે કઈ રીતે કેટલાક લોકો આવીને ભર મધ્યેથી , સોમનાથ મંદિર ઉપર ૧૮ -૧૮ વખત આક્રમણ કરીને બહારથીકોઈ આવી ને આપણી માન્યતા ના પ્રતિક , આપણાં સર્વસ્વ એવા ભગવાન શંકરના મંદિર લૂંટીજાય ! શું કોઈ માયનો લાલ નહીં હોય જેને તેમને પડકારીયા હોય ? જો આ સત્ય હોય તો આપણે આજે પણ એજ છીએ ? શું આપણાં પૂર્વજો નમાલા, માઈકાંગલા કે શૌર્યવિહીન હતા ? શું આપણું ધર્મ જનૂન મારી પરવારયું હતું ? કે આપણાં ઉપર અહિંસાવાદ નું ભૂત એટલી હદે સવાર હતું કે આપણે આપણાં દુશ્મનો સામે પણ લડવું અયોગ્ય લાગ્યું ? ભારતના નાગરિક તરીકે શું આપણી ફરજ નથી કે આપણે સત્યને જાણવાની કોશિશ કરીયે ? ક્યાં કારણો એ આપણાં પૂર્વજો ને તેમનો સામનો કરતાં રોક્યા હતા ? શું આપણાં દુશ્મનો ખૂબ શશક્ત હતા ? શું તેઓ પાસે અત્યંધુનિક શસ્ત્રો હતા ? કે આપણે યુદ્ધ કૌશલ્ય ઘુમાવી બેઠા હતા ? આપણી પાસે પૌરાણિક સાધનો હતા ? બૌદ્ધ અને જૈન ધર્મ માં રહેલી અહિંસાના પ્રચારની અસર હેઠળ આપણે કિલિંગ ઈન્સ્ટિક્ટ ઘુમાવી દીધી હતી ? આં ઘુમરાતા પ્રશ્નો નો જવાબ મેળવવોજ રહ્યો અને જ્યારે આપણી પાડોશના દેશોના(પાકિસ્તાનના) પ્રબુદ્ધ વતની શ્રી તારેક ફતેહ જ્યારે કહેતા હોય કે મને ગર્વ છે કે હું અશોકનો વંશજ છુ. અને જ્યારે મહમદ ઘોરી ને અને બિન કસીમ ને લુટારા ગણતાં હોય ત્યારે આપણે આપણો ગૌરવવંતો અજાણ્યો ઇતિહાસ ખંખોળવો રહ્યો !!
મારી આપ સૌને નમ્ર વિનંતી છેકે આપ પણ મને સાથ આપશો આપણાં ગૌરવંત ઇતિહાસ સુધી પહોચવામાં ,
” ગર ફ઼િર્દૌસ બર રુએ જ઼મીન અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત.” પ્રથમ વખત મોગલ સમ્રાટ ,જહાંગિર જ્યારે કાશ્મીર ની મુલાકાત લીધી ત્યારે તેમના મુખ માંથી નીકળેલા ઉદગાર ! જો આ ધરતી પર સ્વર્ગ ક્યાય છે તો તે અહિયાં છે !અહિયાં છે ! આજે પણ એટલાજ સાચા છે. હરી ભરી વાદીયો, ઉન્નત મસ્તકે ઉભેલા ધવલ શિખરો અને ખળ ખળ વહેતા નીર સાથે ઉછળકૂદ કરતી ને વહેતી જેલમ નદી ! હવા માં પ્રસરેલી કેસરની મીઠી સુગંધ , અને તામ્રવર્ણી ચિનાર ના પર્ણોની નજાકત આહ લાદક નજારો પ્રસ્તુત કરે છે ! લીલા, પીળા અને લાલઘૂમ સફરજનોથી લચેલા વૃક્ષોની તો વાત નિરાલી છે ! ઊંચી, ગોરી,ભૂરી આંખો વાળી કાશ્મીરી સ્ત્રી! સાચેજ કશ્મીરની કળી ! સૌંદર્યનું કેટલુય રસપાન કરો પણ મન ક્યારેય ધરાય નહીં ! અરે મન ભરીને પીવો છતાય મન ભરાયનહી ! તેનું નામ કાશ્મીર ! ભારતનું સરતાજ એટ્લે કાશ્મીર ! ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીર. પ્રાચીન કાળના ઋષિઓથી માંડીને આધુનિક સમયના અનેક સાહિત્યકારોને ઉત્તમ વિચારો માટેની પવિત્ર ઊર્જા પૂરી પાડનારી સ્વપ્નભૂમિ એટલે કાશ્મીર. કાશ્મીર અંગે સાંભળેલી અને વાંચેલી આવી અનેક કથાઓના મીઠા સંસ્મરણને યાદ કરીને અમે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન સપરિવાર મિત્રવૃન્દ સાથે કાશ્મીરને માણવાનો લાહવો લેવાનું નક્કી કરી ને પહોચી ગયા જન્નતે નૂર “કાશ્મીર”!
આવો આપણે આજે સાથે મળી કાશ્મીરના શબ્દદેહ ને જાણવાની, માણવાની અને કશ્મીરના સૌંદર્યે ને કેમેરાની આંખે જોવાની પણ લિજ્જત માણીએ !
કેસરના ફૂલ
જમ્મુથી શ્રીનગરનો રસ્તો ૩૦૦ કિલોમીટરની આસપાસ પણ પહોંચતા પહોંચતા ત્રણ નદી (ચેનાલ, લવી, જેલમ) અને બરફથી ઘેરાયેલા પહાડો અને હરિયાળીવાળી ખીણો તમારી આંખો ચકાચૌંધ કરી દે છે. શ્રીનગરથી ૧૦૦ કિલોમીટરની પેરિફેરિમાં ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, ટંગમર્ગ, યુસમર્ગ જેવાં સ્થળો આવેલાં છે.
ભારતીય ઉપખંડ ના ઉત્તર છેડે આવેલો પ્રદેશ છે. ભારતના જમ્મુ અને કશ્મીર રાજ્ય ને ત્રણ ભાગ માં ઓળખવામાં આવે છે. જમ્મુ , કાશ્મીર ખીણ અને લદાખ . આમ કાશ્મીર ખીણ ભારતનો જમ્મૂ કાશ્મીર રાજ્યનો એક ભાગ છે. તેની ઉત્તરે પાકિસ્તાન, અફગાનિસ્તાન તથા ચીન, પશ્ચિમે પાકિસ્તાન, પૂર્વ માં લડાખ પ્રદેશ તથા દક્ષિણમાં જમ્મુ આવેલાં છે. રાજનૈતિક વિવાદોને કારણે ઘણીવાર આખા જમ્મુ કાશ્મીર રાજ્યને લોકો (ખાસ કરીને વિદેશમાં) કાશ્મીર કહે છે. કાશ્મીરનો મુખ્યભાગ કાશ્મીર ખીણ છે. તે ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો છે. કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે, અને કાશ્મીર તેના કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં જાણીતું છે. કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે.
કાશ્મીર ભારતીય ઉપમહાદ્વીપ નો એક ભાગ છે જેના અલગ-અલગ ભાગોં પર ભારત તથા પાકિસ્તાન નુ અધિપત્ય છે. ભારતીય કાશ્મીર જમ્મૂ અને કાશ્મીર પ્રદેશનો એક ખંડ છે. પાકિસ્તાન તેના પર ભારતનો અધિકાર નથી માનતુ તેને પોતાનુ બનાવી લેવા માગે છે. કાશ્મીર એક મુસ્લિમ બહુલ પ્રદેશ છે. આજે તે આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો છે. તેની મુખ્ય ભાષા કાશ્મીરી છે. જમ્મુ અને કાશ્મીર ના બાકી બે ખંડ છે જમ્મૂ અને લદ્દાખ઼ પાકિસ્તાન શાસિત રાજ્યના બે બીજા ખંડ છે : શુમાલી પ્રદેશ અને કહેવાતુ આઝાદ કાશ્મીર. ચીનના શાસન નીચે લદાખનો અક્સાઈ ચિન પ્રદેશ આવે છે.
આ સુંદર ભૂભાગ(ભુમી) મુખ્યત્વે ઝેલમ નદીના ઘાટીમાં આવેલો છે. ભારતીય કાશ્મીર ઘાટીમાં ૬ જિલ્લા છે: શ્રીનગર, બડ઼ગ઼ામ, અનંતનાગ, પુલવામા, બારામુલા અને કુપવાડ઼ા કાશ્મીર હિમાલયના પર્વતીય ક્ષેત્રનો ભાગ છે. જમ્મુ ખંડથી અને પાકિસ્તાનથી તેને પીર-પાંજાલ પર્વત-શ્રેણી અલગ કરે છે. અહીં ઘણા સુંદર સરોવર છે, જેમ કે દાલ, વુલર અને નગીન. અહીંનુ હવામાન ગરમીમાં ખુશનૂમા અને ઠંડીમાં બર્ફીલુ હોય છે. આ પ્રદેશને ધરતીનુ સ્વર્ગ કહેવાય છે.
શ્રીનગર, જમ્મૂ અને કાશ્મીર રાજ્ય ની ગ્રીષ્મકાલીન રાજધાની છે. આ શહેર અને તેના આસ-પાસ ના ક્ષેત્ર એક જ઼માના મા દુનિયા ના સૌથી ખ઼ૂબસૂરત પર્યટન સ્થળ તરીકે જાણીતા હતા — જેમકે દાલ સરોવર, શાલિમાર અને નિશાત બાગ઼, ગુલમર્ગ, પહલગ઼ામ, ચશ્માશાહી, આદિ. અહી હિન્દી સિનેમા ની ઘણી ફ઼િલ્મોંનુ શૂટિંગ થતુ હતુ. એવુ માનવામાં આવેછે કે શ્રીનગરની હજ઼રત બલ મસ્જિદ માં હજરત મુહમ્મદ સાહેબ પયગંબરની દાઢ઼ી નો એક વાળ રાખવામાં આવ્યો છે . શ્રીનગર માં શંકરાચાર્ય પર્વત છે. જ્યાં હિંદુ ધર્મસુધારક અને અદ્વૈત વેદાંત ના પ્રતિપાદક આદિ શંકરાચાર્ય સર્વજ્ઞાનપીઠ ના આસન પર વિરાજમાન થયા હતા. દાલ સરોવર અને ઝેલમ નદી (સંસ્કૃત : વિતસ્તા, કશ્મીરી : વ્યથ) માં પરીવહન માટે, ફરવા તેમજ ખરીદારી કરવા માટે શિકારા નામની ખાસ હોડીઓ વપરાય છે. કમળના ફૂલોથી સુશોભીત આ દાલ સરોવર પર હોડીઓમાં બનાવેલા ખાસ ઘર હોય છે જે હાઉસબોટ કહેવાય છે. ઇતિહાસકાર માને છે કે શ્રીનગરને મૌર્ય સમ્રાટ અશોક દ્વારા વસાવાયુ હતુ.
દાલ ઝીલમાં શિકારારાઈડ
શ્રીનગર થી નજીક મા એક પ્રાચિન માર્તણ્ડ (સૂર્ય) મંદિર છે.અને કુઔર અનેર અનંતનાગ જ઼િલ્લામાં શિવને સમર્પીત અમરનાથ ની ગુફા છે. જ્યાં હજારો તીથયાત્રીઓ જાયછે. શ્રીનગર થી ૩૦ કિલોમીટર દૂર મુસ્લિમ સૂફ઼ી સંત શેખ઼ નૂરુદ્દિન વલી ની દરગાહ ચરાર-એ-શરીફ઼ છે. જેને કેટલાક વર્ષ પહેલા ઇસ્લામી આતંકવાદિયોં એ સળગાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ તેનુ સમારકામ કરવામાં આવ્યુ છે.
પહેલગામ:
Pahalgamની આબોહવા
મહિનો
જાન્યુ
ફેબ્રુ
માર્ચ
એપ્રિલ
મે
જૂન
જુલાઇ
ઓગ
સપ્ટે
ઑક્ટ
નવે
ડિસે
વર્ષ
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે)
૭
૮.૨
૧૪.૧
૨૦.૫
૨૪.૫
૨૯.૬
૩૦.૧
૨૯.૬
૨૭.૪
૨૨.૪
૧૫.૧
૮.૨
૧૯.૭૩
સરેરાશ લઘુતમ °સે (°ફે)
-૨
-.૭
૩.૪
૭.૯
૧૦.૮
૧૪.૯
૧૮.૧
૧૭.૫
૧૨.૧
૫.૮
૦.૯
-૧.૫
૭.૩
Precipitation mm (inches)
૪૮
(૧.૮૯)
૬૮
(૨.૬૮)
૧૨૧
(૪.૭૬)
૮૫
(૩.૩૫)
૬૮
(૨.૬૮)
૩૯
(૧.૫૪)
૬૨
(૨.૪૪)
૭૬
(૨.૯૯)
૨૮
(૧.૧)
૩૩
પહેલગામ (ભરવાડોનું ગામ ) ખૂબ સુંદર પ્રાકૃતિક દ્રશ્યો ધરાવે છે. અહીં પ્રવાસી કોઈ હોટેલમાં માત્ર આરામ કરી શકે છે અથવા આસપાસની ઘણી પહાડીઓમાં કોઈ એક પર આરોહણ કરી શકે છે જેમાં લીદ્દેરવાત, કોલોહોઈ હિમનદી કે સોમાંગ શામિલ છે. અહીં શિયાળાના સમય દરમ્યાન સ્નો સ્કીઈંગ કરી શકાય છે (ડિસેમ્બરથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી)પહેલગામની પોતાની એક નજાકત છે ! પોતાની સુંદરતા છે !પોતાની અનેરી આહલાદકતા છે ! એકદમ ખડકાળ, ઊંચું અને રફ. ત્યાંનાં સ્થળોમાં ખીણો મુખ્ય છે, બેતાબ વેલી, પહેલગામ વેલી અદભૂત છે.
ગુલમર્ગ :
ગુલમર્ગ શ્રીનગર થી 52 કિ.મી. સ્થિત થયેલ છે.તે 2.690 મીટર (8,825 ફૂટ) ની સરેરાશ ઊંચાઇ પર આવેલ છે.
ગુલર્મગનો અર્થ છે, ફૂલોની ભૂમી. જમ્મૂ કાશ્મિરના બારમૂલા જિલ્લામાં લગભગ 2730 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુલમર્ગની શોધ 1927માં અંગ્રેજોએ કરી હતી. આ પહેલા ગૌરીમર્ગના નામથી તે આળખાતું હતું. જે ભગવાન શિવની પત્ની ગૌરીના નામથી છે. પછી કાશ્મિરના છેલ્લા રાજા, રાજ યુસૂફ શાહ ચકે આ સ્થાનની સુંદરતા અને શાંત વાતાવરણમાં મગ્ન થઇને તેનું નામ ગૌરીમર્ગથી ગુલમર્ગ રાખી દીધું. 20 મી સદીના શરૂઆત ના સમયગાળા માં પ્રસિદ્ધ એશિયન સેન્ટ્રલ સંશોધક સર માર્ક ઔરેલ સ્ટેઇન ( 1862-1943 ) , અહીં પોતાના અભિયાનનું દરમ્યાન તંબુમાં પોતાનું ઘર બનાવ્યું હતું . ભારત ખાતે કાર્યરત બ્રિટિશરો માટે ઉનાળામાં રજાઓ માણવાનું સૌથી પ્રિય સ્થળ હતું. આતકવાદી પ્રવૃતિ મંદપડ્યા બાદ ગુલમર્ગમાં સૌથી વધુ મૂલકાતીઓ આવી રહ્યા છે. અંકુશ રેખા થી ઘણું નજીક આવેલ છે અને અતિ લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. શિયાળામાં સૌથી વધુ બરફ વર્ષા અહી થાય છે.
ગુલમર્ગનું સોહામણું હવામાન, શાનદાર પરિદ્રશ્ય, ફૂલના ખીલેલા બગીચા, દેવદારના ઝાડ, સુંદર સરોવર પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ગુલમર્ગ પોતાની હરિયાળી અને સૌમ્ય વાતાવરણના કારણે આજે એક પિકનિક અને કેમ્પિંગ સ્પોટ બની ગયું છે. નિંગલી નલ્લાહ, વરિનગ અને ફિરોજપુર નલ્લાહ અહીના કેટલા પ્રમુખ નલ્લાહે છે. કહેવામાં આવે છે કે વરિનગ નલ્લાહના પાણીમાં કેટલાક ઔષધીય ગુણ હયાત છે. જેના કારણે અહી ઘણા પ્રવાસીઓ આવે છે. બાયોસ્પીયર રિઝર્વ પણ ગુલમર્ગનું પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે.
ડ્રંગ, જેની શોધ તાજેતરમાં જ કરવામાં આવી છે. ગુલમર્ગનું સૌથી મોટુ પિકનિક સ્પોટ છે. પર્યટકો અહીની સુંદરતાની સાથે માછલી પકડવાનો લુત્ફ પણ ઉઠાવી શકે છે. લિંમર્ગ ગુલમર્ગનું અન્ય એક પર્યટક સ્થળ છે, જે પોતાની પ્રાકૃતિક સૌંદર્યતા માટે પ્રસિદ્ધ છે. દેવદારના ઝાડો અને સુંદર ફૂલોથી ઢંકાયેલો આ પ્રદેશ કેમ્પિંગ અને પર્યટક માટે ઉત્તમ સ્થળ છે. અલપાથર ઝીલ ગુલમર્ગથી 13 કિમી દૂર છે અને આ ગુલમર્ગનું પર્યટક સ્થળ પણ છે. આ સરોવરની ખાસિયત એ છે કે જૂન સુધી તેમાં બરફ જમા રહે છે અને ગરમીઓમાં તેનુ પાણી બરફના ટૂકડા સાથે નિંગલી નલ્લાહમાં વહેવા લાગે છે. આ સરોવરની આસપાસ બરફથી ઢંકાયેલા પર્વતો તેને વધુ આકર્ષક બનાવી દે છે.
ગુલમર્ગમાં ગજબ ટાઢ ! સંધ્યાકાળે સુરજ આથમવા સાથે ને ઠંડીનું સામ્રાજ્ય શરૂ થઈ જાય. રાત્રે આઠ વાગ્યામાં તો થરમૉમિટરનો પારો છેક શૂન્ય ડિગ્રીથી પણ નીચે ઊતરી જાય. રૂમ માં રૂમ હીટર લગભગ આખો દિવસ ચાલુ રાખવું પડે છતાં આહલાદક કાશ્મીરના ગુલમર્ગ નું સૌંદર્ય આંખમાં સમાતું નથી . એક વખત જોયું હોય તે તેના સૌંદર્યથી અભિભૂત થયા વગર રહેતો નથી !
ગુલમર્ગના હવામાન ની માહિતી
મહિના
જાન્યુ
ફેબ્રુ
માર્ચ
એપ્રિલ
મે
જૂન
જૂલાઈ
ઔગ
સપ્ટે
ઓક્ટો
નવેમ્
ડિસેમ
સરેરાશ
સરેરાશ ઊંચું °C (°F)
0
(32)
4
(39)
13
(55)
19
(66)
20
(68)
22
(72)
25
(77)
24
(75)
18
(64)
13
(55)
7
(45)
2
(36)
13.9
(57)
સરેરાશ નીચું °C (°F)
−9
(16)
−3
(27)
0
(32)
6
(43)
10
(50)
11
(52)
12
(54)
10
(50)
7
(45)
5
(41)
0
(32)
−2
(28)
3.9
(39.2)
વરસાદ મી.મી. (ઇંચ)
74
(2.91)
71
(2.8)
91
(3.58)
94
(3.7)
61
(2.4)
36
(1.42)
58
(2.28)
61
(2.4)
38
(1.5)
30
(1.18)
10
(0.39)
33
(1.3)
657
(25.86)
સોનમર્ગ એટલે કે ‘સોનાનું મેદાન’ એના નામની જેમ જ એકદમ પ્રકાશિત, ચળકતું છે. ગગનગીરથી આગળ કાર ન જતી હોઈ ૧૧ કિલોમીટરનું અંતર ચાલીને કાપીએ તો તમને દરેક રાજ્યના લોકો સામે મળે! મોટેભાગે પ્રવાસીઓ તેને સોનમર્ગ કહે છે પરંતુ તેનું અસલ નામ સોનામર્ગ છે. આ જગ્યાના પથ્થરોમાં નકરું સોનું છે, જો કે આ પથ્થરોને સોનામાં રૂપાંતરિત કરવાના રસાયણની શોધ હજી થઈ નથી ! સોનમર્ગની સુંદરતા શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલજ નહીં પરતું ના મુમકિન છે. બરફથી ઘેરાયેલા પાઈન-ચિનાર-દેવદારનાં વૃક્ષો અનન્ય છે! બરફ ઓગળી તેમાથી રેલતા ઝરણામાથી પ્રગટતું સંગીત અલૌકિકજ નહીં પરંતુ શાતા આપનારું પણ છે. કુદરતે વેરેલું અફાટ સૌદર્યમાથી કયા દશ્યને હું કેમેરામાં કેદ કરું, કયા દશ્યને હું મારી સાથે લઈ જાઉં ? – મારી આંખો અનિમેષપણે આ કુદરતી સોંદર્યને ધરાઈ ધરાઈને નીરખ્યા. ક્યારેક તો મારી જાતને પ્રકૃતિના ખોળે નહિ પણ પરમાત્માના ખોળામાં હોવાની અનુભૂતિ થતી હતી. જાણે કે હું સમગ્ર સંસારથી અલિપ્ત થઈ ગયો હતો ! માર મનમાં અન્ય કોઈ જ વાત આવી રહી નહોતી. મારું મન સંપૂર્ણ ધ્યાન મગ્ન હતું….. શું આજ તપની કોઈ અવસ્થા હશે ? કલાકો સુધી હું આ પરિસ્થિતિમાં રહ્યો અને પછી જ્યારે હું પૂર્વવત્ થયો ત્યારે અમે સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યા હતા. સોનમર્ગની આ મુલાકાત મારા જીવનનું યાદગાર સંભારણું બની ગઈ. સોનમર્ગ નું વાતાવરણ આહલાદક પરંતુ કઈક અંશે તણાવ વાળું પણ છે. એકે ૪૭ લઈ ચારે બાજુ સુરક્ષામાં તહેનાત સૈનિકો, સતત વહેતો કાતિલ ઠંડો પવન,બરફના થર અને પહાડી રસ્તાઓ દિલો દિમાગ પર છવાઈ જાય. જ્યારે ખૂબ બરફ પડે ત્યારે કારના વ્હિલ્સ પર સાંકળ બાંધી ચલાવવામાં આવે જેથી એ બરફ પર લસરી ના જાય.
કાશ્મીરનો ઇતિહાસ :
કેટલીક ફિલ્મો કે જેનુ શુટિંગ કાશ્મીરમાં / ગુલમર્ગમાં થયુ હતુ
પ્રાચીનકાળમાં કાશ્મીર પર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો વિશેષ પ્રભાવ પડેલ છે. એવુ માનવામા આવેછે કે અહીં ભગવાન શિવની પત્ની દેવી સતી નિવાસ કરતી હતી, અને તે સમયે આ ખીણ પાણીથી ઢંકાયેલી હતી, અહીં એક રાક્ષસ નાગ પણ રહેતો હતો, જેને વૈદીક ઋષિ કશ્યપ અને દેવી સતીએ મળીને હરાવ્યો હતો તથા મોટાભાગનુ પાણી ઝેલમ નદી ના રસ્તે વહાવી દીધુ હતુ. આ પ્રમાણે આ જગ્યા નુ નામ સતીસર થી કાશ્મીર પડ્યુ. આનાથી તર્કસંગત પ્રસંગ એ પણ છે કે આનુ વાસ્તવિક નામ કશ્યપમર (અથવા કાચબાનુ સરોવર) હતુ. આથી કાશ્મીર નામ પડ્યુ.
કાશ્મીર નો સરસ પ્રાચીન ઇતિહાસ કલ્હણ (અને ત્યાર બાદ ના અન્ય લેખકોં) ના ગ્રંથ રાજતરંગિણી થી મળેછે. પ્રાચીન કાળમા અહીં હિંદુ આર્ય રાજાઓં નુ રાજ હતુ. મૌર્ય સમ્રાટ અશોક અને કુષાણ સમ્રાટ કનિષ્ક ના સમયમાં કાશ્મીર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિ નુ મુખ્ય કેન્દ્ર બની ગયુ. પૂર્વ-મધ્યયુગ મા અહીંના ચક્રવર્તી સમ્રાટ લલિતાદિત્ય એ એક વિશાલ સામ્રાજ્ય ક઼ાયમ કરી લીધુ હતુ. કાશ્મીર સંસ્કૃત વિદ્યા નુ વિખ્યાત કેન્દ્ર હતુ.
કાશ્મીર શૈવદર્શન પણ અહીં જન્મ્યા અને મોટા થયા. અહીંના મહાન મનીષીયોં માં પતાંજલી, દૃઢબલ, વસુગુપ્ત, આનન્દવર્ધન, અભિનવગુપ્ત, કલ્હણ, ક્ષેમરાજ વગેરે છે. એવી ધારણા છે કે વિષ્ણુધર્મોત્તર પુરાણ તથા યોગ વાસિષ્ઠ અહીં લખાયેલ.
મધ્યયુગ માં મુસ્લિમ હુમલાખોર કાશ્મીર પર હાવી થઇ ગયા. કેટલાક મુસલમાન શાહ અને રાજ્યપાલ (જેવાકે શાહ જ઼ૈન-ઉલ-અબિદીન) હિન્દુઓં સાથે સારો વ્યવહાર કરતા હતા. પરંતુ કેટલાક (જેવાકે સુલ્તાન સિકંદર બુતશિકન) એ અહીંના મૂળ કાશ્મીરી હિન્દુઓં ને મુસલમાન બનવા, અથવા રાજ્ય છોડ઼વા કે મરવા માટે મજબૂર કર દિધા. થોડીક સદીઓમા કાશ્મીર ઘાટીમા મુસ્લિમ બહુમત થઇ ગયુ. મુસલમાન શાહોમા શાસનવાર્ંવાર અફ઼ગ઼ાન, કાશ્મીરી મુસલમાન, મુગ઼લ આદિ વંશોં પાસે ગયુ. મુગ઼લ સલ્તનતના પતન પછી શીખ મહારાજા રણજીત સિંહ ના રાજ્યમા ભળી થઇ ગયા. થોડા સમય બાદ જમ્મૂના હિંદુ ડોગરા રાજા ગુલાબ સિંહ ડોગરા એ બ્રિટિશ લોકો સાથે સંધિ કરીને જમ્મૂ ની સાથે સાથે કાશ્મીર પર પણ અધિકાર કરી લીધો (જેને એવુ પણ કહેવાયકે કાશ્મીર ને ખ઼રીદી લીધુ )
કાશ્મીરી લોકો ભારતની આઝાદીના સમયે કાશ્મીરી ઘાટીમા લગભગ ૧૫% લોકો હિંદુ હતા અને બાકી ના મુસલમાન હતા. આતંકવાદ શરુ થયા પછી હાલમા કાશ્મીર માં ફક્ત ૪% હિંદુ હયાત છે, એટલેકે ઘાટીમા ૯૬% મુસ્લિમ બહુમત છે. મોટાભાગે અહીં ના મુસલમાનો અને હિંદુઓ હળીમળીને રહેછે. કાશ્મીરીના લોકો દેખાવમા ખ઼ૂબસૂરત હોય છે : લાંબુ કદ, ગોરી ત્વચા અને ભૂરી આઁખો. કાશ્મીરીના લોકો અતિથિ ના આદર સત્કાર માટે મશહૂર છે.
અહિયાં સૂફી પરંપરામાં માનનારા લોકો વસે છે જે કાશ્મીરી ઇસ્લામ ને પરંપરાગત શિયા અને સુન્ની ઇસ્લામથી થોડા અલગ પાડી દે છે જે થી તેઓ બીજાની સરખામણી માં વધુ સહિષ્ણુ બનાવે છે . કશ્મીરના હિન્દુઓ કાશ્મીરી પંડિત તરીકે ઓળખાય છે. બધાજ કાશ્મીરીઓને કાશ્મીરીયત પર નાજ છે . કશ્મીરનો ખીણ પ્રદેશ કાશ્મીરી સફરજન, ચિનાર ના વૃક્ષો , કેસર, પશમીની ઉન અને શાલ પરના ભરતકામ, કાશ્મીરી કાહવાં અને ગલીચા માટે મશહૂર છે. અહીના સંતૂર પણ ખૂબ વખણાય છે . આતકવાદથી કશ્મીરની વાદીની ખુશી હણાય ગઈ છે.
ભારત ની સ્વતન્ત્રતા ના સમયે હિંદુ રાજા હરિ સિંહ અહિં ના શાસક હતા. શેખ઼ અબ્દુલ્લા ના નેતૃત્વમા મુસ્લિમ કોન્ફરન્સ(ત્યારબાદ નેશનલ કોન્ફરન્સ) એ સમયે કશ્મીર ની મુખ્ય રાજનૈતિક પાર્ટી હતી. કશ્મીરી પંડિત, શેખ઼ અબ્દુલ્લા અને રાજ્ય ના વધુ મુસલમાન કશ્મીરને ભારતમાજ વિલય થાય તેમ ઇચ્છતા હતા પણ પાકિસ્તાનથી તે સહન ના થયુ કે કોઈ મુસ્લિમબહુમતી વાળો પ્રાન્ત ભારત મા રહે કેમકે આથી તેમના દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંતનો અર્થ રહેતો નહતો આથી ૧૯૪૭ -૪૮ માં પાકિસ્તાને કબાઈલિ ને આગળ કરી અને તેમની સાથે તેમના લશ્કરને છુપા વેશે મોકલી ,આક્રમણ કરી ભારતના સરતાજ સં કાશ્મીરનો ઘણો ભાગ પડાવી લીધો આ માટે રાજા હરિસિંહ પણ એટલાજ જવાબદાર હતા .તેમના અડિયલ રવૈયાને કારણે ભારતે તેનો મુગટ નો ઘણો હિસ્સો ઘુમાવ્યો, ત્યારના સમયના તત્કાલિન પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ એ મોહમ્મદ અલી જિન્ના ને વિવાદ જનમત-સંગ્રહ કરી સુલતાવવાની દરખાસ્ત કરી જેને જિન્ના તે સમયે ઠુકરાવી દીધી કેમકે તેમને હતું કે તે લશ્કરી કાર્યવાહીથી કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેશે. આખરે મહારાજા હરિ સિંહ ને જ્ઞાન લાધ્યું કે ભારત સાથે નહીં જોડાય તો ગોળો અને ગોફણ બંને ખોશે ! આખરે મહારાજા એ શેખ઼ અબ્દુલ્લાની સહમતિ લઈ કેટલીક શરતો ને આધીન ભારતમાં વિલય કર્યો. સરદાર વલ્લભભાઇ પટેલની સુઝબૂઝ અને ત્વરિત નિર્ણય શક્તિ ને પ્રતાપે મહારાજા હરિસિંહ ભારતીય સંઘ માં જોડાવા તૈયાર થયા અને ભારત સાથે જોડવાના કરાર પર સહી કરી આપી . તુરતજ જડપી પગલાં લઈને ભારતીય સેના ને શ્રીનગર હવાઈ અડ્ડા ઉપર ઉતારવામાં આવ્યું અને રાજ્ય નો મોટો હિસ્સો પાકિસ્તાન હેઠળ જતાં બચાવી લીધો. શ્રી જવાહરલાલ નેહરૂ આ વિવાદને સંયુક્ત રાષ્ટ્રસંઘ માં લઈ ગયા સંયુક્તરાષ્ટ્ર મહાસભા સંકલ્પ પારિત કર્યો કે ” પાકિસ્તાન તેના તબ હેઠળનું કાશ્મીર ખાલી કરે અને શાંતિ પ્રસ્થાપિત થાય ત્યાર બાદ બંને દેશ કાશ્મીર ના ભવિષ્યનું નિર્માણ ત્યાની જનતાની ઇરછા મુજબ જનમત સંગ્રહ દ્વારા કરે” દુર્ભાગ્યે બંનેમાથી એકપણ સંકલ્પ નું પાલન થયું નહીં અને તેના માઠા પરિણામ આજે આપણે ભોગવીએ છીએ .
જોકે ૧૯૫૭ માં જમ્મુ અને કશ્મીરની નિર્વાચિત સંવિધાન સભાએ એકમતે રાજા હરિસિંહ ના ભારતમાં વિલયના નિર્ણયને માન્યતા આપી એટલુજ નહીં ત્યાર પછી થયેલ કેટલીય ચૂંટણીમાં કાશ્મીરી જનતાએ સહર્ષ ભાગ લઈ ભારત ને સાથ આપ્યો હતો જે પણ હોય, કાશ્મીરી જનતા આજે પણ પાકિસ્તાન દ્વારા ચલાવી રહેલ ભયાનક આતંકવાદ સામે ઝઝુમી રહી છે. ભારતીય ફ઼ૌજ દ્વારા ચાલી રહેલ આતંકવાદ-વિરોધી અભિયાને પણ કાશ્મીરિયોં ને ઇનામ મા કેટલાક માનવાધિકાર હનન પણ આપ્યા છે. (ભારતીય ફ઼ૌજ આ માટે પોતાની મજબૂરી બતાવતા કહેછે કે આતંકવાદ વિરોધી કાર્યવાહી મા શહેરની જનતા ક્યારેક પિસાઇ જાય છે ). સન ૨૦૦૨ બાદ ઘાટી મા લોકતાંત્રિક રીતે ચુંટણી થઇ રહી છે, પરિસ્થિતી ધીરે ધીરે બદલાઈ રહી છે ! ૨૦૧૪ માં આવનારી નવી સરકાર શુ કરી શકેછે એતો આવનારો સમયજ બતાવશે.
શાલીમાર બાગ માં ભવ્ય 400 વર્ષથી અડીખમ ચિનારના વૃક્ષ ના છાયામાં !
કલધરાની વાત એક રોમાંચક,વિચિત્ર અને પ્રેરણાદાયક કથા છે.પશ્ચિમ રાજસ્થાનમાં, જૈસલમેરથી પશ્ચિમે લગભગ 15 કિ.મી.દૂર કુલધરા નામે એક ગામ કે જે ખંડેર હાલતમાં આવેલું છે.ખંડેર જોઈ ને કહી શકીએ કે ઇમારત કેટલી બુલંદ હતી ! ખૂબ સુંદર આયોજનબદ્ધ નગર રચના હશે તેમ લાગે છે. સીધા અને પહોળા રસ્તા ઉપર ઘરના દરવાજા ખૂલે છે. નગર રચનામાં ઉપયોગિતાજ નહીં પરંતુ સૌંદર્ય અને વાસ્તુશાસ્ત્રને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. બળદ ગાડા ને છોડવાની અને મૂકવાની જગ્યાનું પણ ધ્યાન રાખેલું હોય તેમ જણાય છે. વાવ , મંદિર વિગેરેનું નિયોજન સૂચવે છે કે તે વખતનું આયોજન કેટલું તર્કબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.
કુલધરાએ ૮૪ ગામોના સમુદાયમાં સૌથી મોટુ ગામ હતું. આ ગામની ૧૨૯૧માં પાલિવાલ બ્રાહ્મણો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને આ સમુદાયની સમૃદ્ધિ નું મૂળભૂત કારણ શુષ્ક રણમાં બમ્પર પાક ઉગાડવાની તેમની ક્ષમતા હતી. એ જાણવું વધુ રસપ્રદ હશે કે ખૂબ સમૃદ્ધ પાલિવાલ બ્રાહ્મણો તેમના બિઝનેસ કુશળતા અને કૃષિ જ્ઞાનની નિપૂર્ણતા માટે આટલો જાણીતો સમુદાય હોવા છતાં એકજ રાતમાં ઇસ॰૧૮૨૫માં કુલધરાના તમામ લોકો અને નજીકના ૮૩ ગામો અંધારામાં અદ્રશ્ય કેમ થઈ ગયા ? જે જગ્યા એ ગ્રામજનોનોં ૭ સદીઓ કે તેથી વધુ સમયથી વસવાટ હતો તેમ છતાં રાતો રાત અલોપ કેમ થઈ જવું પડ્યું ?
દુષ્ટમંત્રી કે દિવાનની નજર ગામનાં મુખીની યુવાન પુત્રી પર બગડી હતી. તેમણે તેને પરણવા જીદ પકડી અને તેમની પુત્રીના લગ્ન માટે ગામ મુખ્યાને ફરજ પાડી હતી.રાજ્યમંત્રી એ ધમકી આપી હતી કે જો તેઓ તેમની દીકરી ને પોતાની સાથે નહીં પરણાવેતો, તેઓ ગામ માં લાવા લશ્કર સાથે દાખલ થઈ બળપૂર્વક યુવા સ્ત્રીને ઉઠાવી જશે. ૮૪ ગામોના તમામ વડાઓ એક રાત્રે મળ્યા અને ગર્વ અને સન્માન માટે રાત્રે અંધારામાં ગામોમાં છોડી જવાનો નિર્ણય કર્યો.
કોઇ કરતાં કોઈ નથી જાણતું કે તેઓ ક્યાં ચાલ્યા ગયા પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ જોધપુર નજીક પશ્ચિમી રાજસ્થાનનાં બીજા શહેર સ્થાયી થયા હશે.
નાં ખુલેલા બારણાં દાનમાં દીધા
જા તને સંભારણાઑ દાનમાં દીધા
વાયરાએ પાનખર ને હાંક પાડી તો
ડાળખીએ પાંદડાઓ દાનમાં દીધાં
કમનસીબી એટ્લે શું ? તેમ પૂછયું ત્યાં,
એમણે આ ઝાંઝવાઓ દાનમાં દીધાં
બીજુતો પાસે હતું શું આપવા જેવું ?
દીકરીએ ડૂસકાંઑ દાનમાં દીધાં
– દિનેશ કાનાણી
જો કે કોઇપણ ચોક્કસ રૂપે નથી કહી શકતા કે એક રાતમાં ૮૪ ગામોની તમામ વસ્તી કેવી રીતે અદ્રશ્ય થઈ ગઈ ? કોઈએ તેમને જતાં આવતા જોયા નથી તો તે બધા સંપૂર્ણપણે એકજ રાત્રમાં કેવી રીતે અદ્રશ્ય થઇ ગયા?. એવું માનવામાં આવે છે કે તેઓ ગામ છોડતી વખતે શ્રાપ આપતા ગયા કે જે આ ભૂમિ પર વસવાટ કરવાનો પ્રયાસ કરશે તેઓનું મૃત્યુ થશે ! કદાચ આજ કારણથી લોકો શાપ ભૂમિ પર વસવાટ કરવાનો પ્રયાસ કરતાં નથી. સંભવિત છે કે આજ કારણસર પ્રાચીન મોટા ગામ હજુ પણ શા માટે યથાવત પરિસ્થિતીમાં (ભંગાર હાલત ) છે! હાલમાં ક્ષીણ ઈંટો અને માળખાં નોં ભંગાર તમામ દિશાઓમાં વિખરાયેલ જોવા મળે છે અને દરેક વિખરાયેલ, તૂટેલ ઘરોના કાટમાળ સ્મશાનવત શાંતિ સાથે યથા સ્થિતિ માં જોવા મળે છે. હજુ પણ કેટલાક બે માળના ઘરો અખંડ છે જે આવેલ પ્રવાસીયો સમક્ષ કુલધરના લોકોની જીવનશૈલી આબાદ રીતે પ્રગટ કરે છે.આજે પણ આ ગામોનોં ખંડેર હજુ પશ્ચિમી રાજસ્થાન જોઇ શકાય છે અને હવે સરકારે પ્રવાસીઓ માટે આ સાઇટ્સ ને હેરિટેજ સાઇટ ઘોષિત કરેલ છે અને તેને હેરિટેજ સાઇટ તરીકે જાળવી રાખે છે. જો આપ જેસલમેર ની મુલાકાત લેવાનું પ્રયોજન કરતાં હોવ તો થોડા કલાક જરૂરથી આ માટે ફાળવજો અને ઈતિહાસના પાને દફન થઈ ગયેલ એક મહાન વિરાસતની અનુભૂતિ કરવાનું ચુકતા નહીં !! આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આની નોધ લેવાનું ચૂકી નથી .. સૈફ અલીખન પટોડી ની એજેંટ વિનોદનું કેટલુક શૂટિંગ આ જગ્યા ની પૂષ્ટભૂમિ પર થયેલ છે
मेरा कुछ सामान तुम्हारे पास पडाहे सावन के कुछ भीगे भीगे दिन रख्खे हे और मेरे एक ख़त में लिपटी रात पड़ी हे वोह रात लौटादो ..मेरा वोह सामान लौटा दो एक्सोह सोलह चाँद की रातें और तुम्हारे कंधे का तिल भीनी महेकी सी खुशबु जुठमुथ के शिकवे कुछ जुथ्मुथ के वादे भी सब याद दिलादो वोह रात लौतादो , मेरा सामन लौतादो . एक अकेली छतरी में जब आधे आधे भीग रहेथे आधे भीगे आधे सूखे , सुखा तो मई ले आई हूँ गिला मन शायद बिस्तर के पास पड़ा हे वोह भिजवादो , मेरा वोह सामान लौटा दो … श्री गुलज़ार
કોહ સમુઈ અધભૂત દ્વીપ! અદભૂત સૌન્દર્ય ! અદભૂત રંગોનો નજારો ! જાણે ઈશ્વરે મનગમતા કલરના દાબડાને અહિજ ઠાલવી ના દીધા હોય ! શાંત સ્વરોની વચ્ચે લહેરતા પવનને માણવો છે ? પામ અને નાળિયેરીના વૃક્ષોના પર્ણો વચ્ચે ઘૂમરાતા પવનના સંગીત ને માણવું છે ? ક્યાક ધૂમિલને ક્યાક લીલી લીલી ધૂપછાવ પ્રસરાવતા ઉન્નત શિખરે ઉભેલા પર્વતોના પગ પખાળતા શાંત, સૌમિલ સમુદ્ર ઉપરથી આંખ હટાવનું ભૂલી જવાયતો ના નહીં ! ધ્યાનસ્થ મુદ્રામાં સ્થિર થયેલ ભૂરા ભૂરા નીરવ નીરની ગમગીન ખામોશીને પીવી છે ? નિરંતર વિસ્તરતા જતાં આકાશને પોતાની બાહોમાં લઈ, તેના રંગે રંગાઈ , પ્યાર મગ્ન થઈ, નૃત્ય કરતાં સમુદ્રના તટ પર તમારી ગમગીની, દુખ-દર્દ ને વિસામો આપવો છે ? રેશમ દોરે બંધાયેલ નાજુક સંબંધોએ જોયેલ સ્વપ્નો ને મૂર્ત સ્વરૂપ આપવું છે ? ઊભરતા સંબંધોની કુપળને જળ સિંચી એને મજબૂત વટવૃક્ષ બનાવવું હોય કે સમય અને સંજોગોની થપાટો વાગવાથી જીર્ણ-શીર્ણ થઈ રહેલા સંબંધોમાં નવા ઉમંગોના રંગો ભરવા હોય , તો આનાથી રૂડું કોઈ સ્થળ ન હોય !
સમુઈ પાસે બધ્ધુજ છે
દેશનો સૌથી સુંદર ટાપુ છે, ચાંદીની જેમ ચળકતી રેતવાળા દરિયાકિનારા, ભાત ભાતના મનલોભાવક પરવાળા, અદભૂત નજારો વિખેરતા સરોવરો, આહલાદક મનોહર ધોધ, આકાશને આંબતા નારિયેળના વૃક્ષો, સ્ફટિકજેવું પારદર્શક જળ. ચમકતા અને દમકતા ભવ્ય રિસોર્ટ્સની શૃંખલા,આંખોને આંજી દેતી રોશની અને પગ ને થીરકવા મજબૂર કરતું ધમાલ મદહોશ કરી દે છે.
કોહ નો અર્થ : આઇલેંડ, ટાપુ
સમુઈ નો અર્થ : સમુઈ નો અર્થ રહસ્યમય છે.સમુઈ નામ , ઘણા એવું માને છે કે મૂઇ નામના વ્રુક્ષના નામ પરથી પડ્યું હોવું જોઇએ ,બીજો એક મત એવો છે કે સબોએ નામના એક ચાઇનીઝ શબ્દનું અપબ્રંશ થઈ સમુઈ થયું હોવું જોઈએ. સબોએ નો અર્થ સલામત સ્વર્ગ થાય છે.
આઇલેંડ નું કદ : આશરે 247 km²
ક્યાં આવેલ છે ? : દક્ષિણ પૂર્વ થાઈલેન્ડ , થાઈલેન્ડ ના અખાતમાં
બેંગકોક થી દૂરી : આશરે 700 km
કુલ વસ્તી : આશરે 500000
મુખ્ય મથક : નાથન
સ્થાન : આ એરપોર્ટ ચેવાંગ બીચ એરિયા થી લગભગ 2 કી.મી જેટલું દૂર છે.
સંપર્ક : ફોન: +૬૬ (૦ ) ૭૭ ૨૪૫૬૦૧ / ૦૭૭ ૪૨૫૪૦૧
વિમાન દ્વારા
કોહ સમુઈ એરપોર્ટ (USM) એક ખાનગી એરપોર્ટ છે અને મૂળ બેંગકોક એરવેઝ દ્વારા બાંધવામાં આવેલ છે. જે હજુ પણ સમુઈ એરપોર્ટના મુખ્ય ઓપરેટર છે. લગભગ દર કલાકે બેંગકોકથી સમુઈની ફ્લાઇટ પ્રસ્થાન કરતી હોય છે જોકે ફ્લાઇટની ટિકિટ ખૂબ મોંઘી છે, અગાઉથી બૂક કરોતો લગભગ 3000-4500 બાહ્ટ વન વે બુકિંગ થાય છે પણ જો વોક ઇન બુકિંગ કરાવો તો બમણી કિમત લાગે છે.
બેંગકોક એર ઉપરાંત, થાઈ એરવેઝની પણ બેંગકોકથી ડાઇરેક્ટ ફ્લાઇટ છે .આ ઉપરાંત કુઆલાલમપુરથી બરજાયા એર દ્વારા દિવસની બે ઉડાન હોય છે
આ ઉપરાંત બેંગકોકના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપરથી સુરત થાની એરપોર્ટ (યુઆરટી) દ્વારા પણ સમુઈ જઇ શકાય છે. નોક એર અંને એર એશિયાની ફ્લાઇટ મળી રહે છે જે પ્રમાણ માં ખૂબ સસ્તી હોય છે. સુરત થાનીથી કુઆલાલમપુરની ડાઇરેક્ટ ફ્લાઇટ પણ લઈ શકો છો .
રેલવે દ્વારા: બેંગકોક રેલ્વે સ્ટેશનથી સુરત થાની માટે ટ્રેન ઉપલબ્ધ છે એટલુજ નહીં કોહ સમુઈ જવા માટે સંયુક્ત / બસ ફેરી સેવા પણ ઉપલબ્ધ છે
ટ્રેન દ્વારા સુરત થાની પહોચતા લગભગ 13 કલાકનો સમય લાગે છે બેંગકોકના હુઆ લમ્ફોંગ રેલ્વે સ્ટેશનથી દિવસની 10 ટ્રેન બપોરના ૧૨.૦૦ થી રાત્રિના ૧૦.૫૦ દરમ્યાન. વધુ વિગતો માટે, 1690, 2223 0 7010, 2223 0 7020 કૉલ અથવા કૃપા કરીને મુલાકાત લો http://www.railway.co.th/home/Default.asp?lenguage=Eng
સુરત થાની રેલવે સ્ટેશનથી કોહ સમુઈ જવા માટે બસ અને ફેરી સેવા ઉપલબ્ધ છે.
લગભગ ૫૦૦ થી ૬૦૦ થાઈ બાથ માં સુરત થાની એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનથી કોહ સમુઈ જવા માટે બસ અને હાઇ સ્પીડફેરીની સંયુક્ત ટિકિટ મળે છે. સુરત થાની એરપોર્ટથી ડોનસક પિયેર ફેરી ટેર્મિનલ જતાં લગભગ ૧.૫ કલાકનો સમય લાગે છે જ્યારે રેલ્વે સ્ટેશન થી ૧ કલાકનો સમય લાગે છે.ડોનસક પિયેર થી નાથન પિયેર જવા માટે લોમપ્રયાહ ફેરી નીચે મુજબના સમય પર મળી રહે છે. ઓન લાઇન બૂક કરવા માટે નીચેની વેબસાઇટ દ્વારા થઈ શકે છે
સુરત થાની (ડોનસક પિયેર ) ટુ:કોહ સમુઈ (નાથન પિયેર )
No. Departure Arrival Normal (THB)
1 10:10:00 AM 10:55:00 AM 350
2 4:30:00 PM 5:20:00 PM 350
કોહ સમુઈ (નાથન પિયેર) ટુ સુરત થાની એરપોર્ટ / રેલ્વે સ્ટેશન
No. Departure Arrival Normal (THB)
1 8:00:00 AM 10:30:00 AM 600
2 12:45:00 PM 4:00:00 PM 600
આ ઉપરાંત સિત્રાન ફેરી ડોનસક ટુ કોહ સમુઈ જવા માટે સવારે ૦૬.૦૦ કલાકથી સાંજે ૭.૦૦ કલાક વચ્ચે દર કલાકે ફેરી ઉપડે છે તેજ રીતે સમુઈથી ડોનસક આવવાં માટે સવારે ૫.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક વચ્ચે દર કલાકે ફેરી મળી રહે છે.
કાર રેન્ટલ: અવિસ , હર્ટ્ઝ વિગેરે કંપની ટોયોટા કાર અને સ્થાનિક કાર ભાડા કંપનીઓ એરપોર્ટ પર ભાડે આપે છે.
સુવિધાઓ: ત્યાં દુકાનો, રેસ્ટોરાં, બેન્કો અને મની એક્ષચેન્જની સુવિધા પણ છે. પોસ્ટ ઓફિસ, ફાર્મસી, પ્રવાસન માહિતી અને હોટેલ આરક્ષણ કિઓસ્ક જેવી અન્ય સુવિધાઓ સમાવેશ થાય છે.
પાર્કિંગ: આ ટર્મિનલની ઇમારતો સામે વિશાળ પાર્કિંગ લોટ છે.
ચેવાંગ બીચએ સૌથી વધુ પ્રચલિત અને જાણીતો વિસ્તાર છે. આ લગભગ ૬ કિમી લાંબો દરિયા કિનારો છે પાણી સ્ફટિક જેવુ ક્લિયર છે અને અહિયાં હોટેલ અને રિસોર્ટની ભરમાળ છે. અસંખ્ય રેસ્ટોરન્ટસ , બાર , પબ, સ્પા, ડિસ્કોથેક, શોપિંગ એરિયા થી ભરપૂર છે. સૌથી મહત્વનુ તો એ છે કે આ વિસ્તાર નાઇટ લાઇફ માટે સૌથી વધુ જાણીતો છે. આ દરિયા કાંઠો છીછરો છે તેથી વોટર સ્પોર્ટ્સ માટે પણ ખૂબ અનુકૂળ છે.અને નાના બાળકો વાળા કુટુંબ માટે ખૂબ અનુકૂળ છે.
કોરલ કોવ :
ચેવાંગ બીચ અને લામાઈ બીચની વચ્ચે નાનકડો બીચ આવેલ છે . આ એરિયા સ્નોર્કેલીંગ માટે ખુબજ પ્રસિદ્ધ છે અહિયાં પર્વત ઉપર કેટલાક રિસોર્ટ આવેલ છે જ્યથી ચેવાંગ બીચ નું આહ્લાદક દ્રશ્ય દેખાય છે
લામાઈ :
લામાઈ એ ચેવાંગ પછી સૌથી વધારે પ્રચલિત બીચ છે અને લગભગ ૪કિમી માં પ્રસરેલ છે. આ બીચ ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર રોક માટે સૌથી વધુ વિખ્યાત છે આ વિસ્તાર પણ હોટેલ, રેસ્ટોરન્ટ , પબ, સ્પા, બાર અને નાઇટ લાઇફ થી ભરપૂર છે.
હુઆ થાનોન :
લામાઈથી દક્ષિણે લગભગ 10મિનિટના ડ્રાઇવ પર આવેલ છે. સમુઈ અકવેરિયમ અને બટરફ્લાઇ ગાર્ડન પણ અહી આવેલ છે .
આ ખુબજ શાંત અને આહલાદક જગ્યા છે. અહીથી નજીક માં આવેલ નાના નાના આઇલેંડ જેવાકે કોહ ટન અને કોહ મત્સુમ નો અદભૂત નજારો માણવા મળે છે . આ જગ્યા પર સુંદર મજાનાં રેસોર્ટ્સ અને હોટેલ્સ આવેલા છે. અહી નાઇટ લાઇફ નો સમૂળગો અભાવ છે પરંતુ જેને કુદરત તેના અનોખા રંગ માં માણવી હોય તો આ શ્રેષ્ટ જગ્યા છે
અભાવ છે પરંતુ જેને કુદરત તેના અનોખા રંગ માં માણવી હોય તો આ શ્રેષ્ટ જગ્યા છે
બંગ કાઓ :
આ પણ કોહ સમુઈની દક્ષિણ દિશામાં આવેલ છે. સીધી હરોળમાં જાણે નાના નાના ટપકાની હાર કરી હોય તેવું મનલોભવન દ્રશ્ય ખડું થાય છે. અહિયાં સુપ્રસિદ્ધ લેમ સોર છેડી (પેગોડા) ભગવાન બુદ્ધ નું મંદિર આવેલ છે . આ ઉપરાંત પ્રાઇવેટ વિલા અને ખુબજ સુંદર રેસોર્ટ્સ, શાંત અને પવિત્ર વાતાવરણને માણવા અને મનની શાંતિની અનુભૂતિ કરવા આ શ્રેસ્ટ સ્થળ છે. સમુઈ બટરફ્લાઇ ગાર્ડન અને સમુઈ અક્વૈરિઅમ (માછલી ઘર ) ખુબજ નજીક છે અને લામાઈ ના શોપિંગ એરિયા અને નાઇટ લાઇફ લગભગ 15 મિનિટ ના અંતરે આવેલ છે
તલિંગ નગમ:
સમુઈના દક્ષિણ-પૂર્વ કાંઠા તરફ આવેલ છે. આ બીચ તેના નૈસર્ગિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. અહીથી નજીક આવેલ આઇલેંડના ભવ્ય નજરાના દર્શન થાય છે
સ્નોર્ક્લિંગ કરવા વાળા માટે જાણે પરવાળાના ટાપુ સ્વર્ગ સમાન છે અને તે ખૂબ નજીક આવેલ છે. અહિયાં પણ જમવા માટે રેસ્ટોરન્ટની ભરમાળ છે અહીથી નાથન લગભગ 20 મિનિટના અંતરે આવેલ છે. જ્યારે લામાઈ અને ચેવાંગ બીચ લગભગ 30 મિનટના અંતરે આવેલ છે
લીપા નોઇ :
આ બીચ સનસેટ બીચ તરીકે પણ પ્રખ્યાત છે. અત્યંત શાંત અને નૈસર્ગિક બીચ પિયેરથી લગભગ 5 મિનિટ ના અંતરે આવેલ છે . જેમને ભીડથી દૂર અને શાંતિ નો અહેસાસ કરવો હોય અને કુદરતે ને નૈસર્ગિક સ્વરૂપમાં માણવી હોય તથા સૂર્યાસ્ત ના દ્રશ્ય ને માનભિરી ને પીવું હોય તો આ શ્રેસ્ટ સ્થાન છે.
નાથોન:
નાથોન આ કોહ સમુઈ નું મુખ્ય મથક છે. અહી બૅન્ક, પોસ્ટ ઓફિસ , રેસ્ટોરન્ટ, દુકાનો અને શોપિંગ એરિયા આવેલ છે. ફેરી નું મુખ્ય મથક હોવાથી અહી ચહલ પહલ ઘણી રહે છે થાઈલેન્ડથી સમાનની હેરફેર પણ અહીથીજ થાય છે . સુરત થાની, કોહ તાઓ, કોહ ફાંગન અને અન્થોંગ નેશનલ મરીન પાર્ક જવા
માટેની ફેરી પણ અહીથીજ મળે છે।
આ ઉપરાંત અહિયાં બંગ પો , માએ નામ , બિગ બુદ્ધ, બો ફૂટ અને ચોએંગ મોન જેવા પ્રખ્યાત બીચ અહી આવેલ છે . માએ નામ તેના સુંદર બીચ માટે પ્રખ્યાત છે. આ જગ્યા નાના બાળકો વાળા કુટુંબો માટે આદર્શ સ્થળ છે કેમકે અહી દરિયા કિનારો શાંત અને છીછરો હોવાથી સ્નાન કરવાની અનુકૂળતા વધારે રહે છે . કોહ તાઓ માટે સ્પીડ બોટ અહીથી દરરોજ ઉપડે છે
બિગ બુદ્ધ બીચ ઉપર આવેલ 12 મીટર ઊંચા બુદ્ધની મુર્તિ મનોહર દેખાય છે. આ બીચ ઉપર બધુજ ઉપલબ્ધ છે જેમકે શોપિંગ,રેસ્ટોરન્ટ, રેસોર્ટ્સ,દરેક બજેટને અનુરૂપ હોટેલ્સ થી લઈને ઇંડિયન રેસ્ટોરન્ટ અહી મળી રહે
સવાર નો સમય હતો , ખુશનુમા ભર્યું વાતાવરણ હતું , વસંત પુર બહાર માં ખીલેલી હતી …કોમલ હૃદય નો પિતા તેને ઉગાડેલ , સિંચેલ અને કળી સી કોમળ, દીકરીને લઇને છેલા શ્વાસ લઇ રહ્યો હોય તેવા પૂલ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેને તેની લાડલી ને કહ્યું “બેટા તું મારો હાથ બરોબર પકડીલે જેથી તું આ વહેતી નદીમાં પડી ના જાય” . તેની લાડ્લીયે પ્રેમથી ના કહેતા તેના વહાલા પપ્પા ને કહ્યું ના એમ નહિ ! તમે મારો હાથ પકડીલો..બેટા બંને એકજ છેને હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડે ! દીકરી એ કહું “ના મારા વહાલા પપ્પા એમાં ઘણો મોટો ફરક છે ” મેં આપનો હાથ પકડ્યો હોય અને કદાચ જો મને કઈ થઇ જાય તો શક્ય છે કે હું તમારો હાથ છોડી દઉં પણ મને ખાતરી છે કે જો તમે મારો હાથ પકડ્યો હશે તો હું વિશ્વાસ સાથે કહી શકું કે આપ ગમે તેવી પરિસ્થિતિ માં પણ કદીયે મારો હાથ નહિ છોડો ”
જીવન ને શ્રેષ્ટ રીતે માણવાનો એક સરળ ઉપાય એ છે કે જેને ચાહતા હોવ તેને ભરપુર હુંફ આપજો અને વિશ્વાસ આપજો કે સદા તમે તેની સાથે છો.
શ્રદ્ધા,વિશ્વાસ અને હુંફની સુગંધ વગરના સંબંધો વિલાયતી ગુલાબના ફૂલ જેવા હશે જે દેખાશે તો ખુબસુરત પણ તેમાં તેની જાણીતી સુગંધ નહિ હોય. સંબંધ એ બંધન નથી પણ બે હૃદય નું એક મેક માં ઓતપ્રેત થઇ જવું છે
આમ તો હતા વર્ષાઋતુના દિવસો ને અમને આશ હતી છત્રી તળેય ભીંજાવાની…ગોરંભાએલ આકાશે પહેલા વરસાદને માણવાની…અમને આશ હતી કે આજતો…એ બારે મેઘ ખાંગાં થઈ ને વરસશે ..આજ આશ હતી કે અમારા રોમે રોમ વરસાદી વાતાવરણ ને માણશે પણ તેને ક્યાં આપણું માનવાની ટેવ છે એતો એમના મન નો રાજા છે વર્ષે ત્યારે મન ભરી ને અને ભીંજવે પણ મન ભરી ને! અને ના વર્ષે ત્યારે … ત્યારે.. બસ આમજ …હવે તો કોણ જાણે ક્યારે વસંત બેસશે મારા આંગણે …હવે કોયલ ના કુંજન તો સ્વપ્ન ? આમતો એમનું હ્રદય કોરું નહતું ! ભીનું ભીનું ..અરે વર્ષાદી ઉન્માદ જેવું. આમતો તે પણ લાગણીભીના ને નીતરતા હતા પણ આજ દીસતા હતા ઓલા સુકા સરોવર જેવા ! કોણ જાણે કયા સૂર્યએ એમને આમ સૂકવી નાખ્યા હશે ! રખે સમજતા કે તેઓ સુકાઈ ગયા હતા ! ના તેતો હતા ભીના પણ આજ તેમના હ્રદય મંદિર ની ઘંટડીયો રણકતી નહતી..આજ તેમના નયનો માં તરસ નહતી ..આજ તેમના નયનો ભીના હતા પણ લીલા નહતા . આજ તેમનું અસ્તિત્વ હમેશની જેમ…મલ્હાર નહોતું ગાતું, આજ મારૂ અસ્તિત્વ છોલતું હતું ..ચારેકોરથી અંદરથી અને બહારથી .. કયાં કલ્પ્યું હતું ઊગતા પ્રભાતે આમ અચાનક અંધકાર છવાઈ જશે ! એમણે તો એમના સર્વસ્વ ને મારાથી એક ઝાટકે અલગ કરી દીધું…મારૂ અસ્તિત્વ નંદવાઇ ગયું. હું કપાયો, છોલયો , મારા ભીતર થી.
આજ કોઈ કારણ હતું ? ના કદાચ ન હતું ! એક કારણ આપવા નું પણ મુનાસીબ ન માન્યું ? અરે કહેવા નું પણ મુનાસીબ ના લાગ્યું ? તું ઈશ્વર તો નથી કે મારી એક ભૂલ પણ ના માફ કરી શકે ? બસ હજુ તો હમણાજ મારા હૃદય મંદિરે ટહુક્યા હતા ! હું સમજી નથી શકતો કે આપનું આવવાનું પ્રયોજન શું હતું ? જો જવુજ હતું તો આવ્યા શું કામ ? લે ચલા જાન મેંરી રૂઠ કે જાના તેરા
મને યાદ આવી ગઈ ગુલઝાર સાહેબની કવિતા ની કડી:
एक अकेली छत्री में जब आधे आधे भीग रहेथे
आधे भीगे आधे सूखे , सुखा तो मै ले आई हूँ
गिला मन शायद बिस्तर के पास पड़ा हे
वोह भिजवादो , मेरा वोह सामान लौटादो …श्री गुलज़ार
યાદ છે તમને ? તમે તો મને ઓલી મનોજ્ઞા ની કવિતા સંભાળવતા ને પૂછતા
મારા વરસાદ ને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે ?
પાછો દેતા રાખી લઉં થોડો
તો કેટલો લીધો કેમ માપશે ?
ને તે દી મે તમને કહ્યું તું કે
છોડ તારો વરસાદ ને મારો વરસાદ
ચાલ ભીંજાઇ યે સાથ સાથ..માં
ને તે દી તમે વર્ષી ગયા સાવ અચાનક મુશળધારે , ધોધમાર ને નવલખ ધારે ..ધરા ની તરસ ને બુઝાવાં જેમ વાદળ વર્ષે તેમ! મારૂ અસ્તિત્વ પૂછી ઊઠતું કે આ વાદળ વર્ષે કે તું ? ને આપણાં હ્રદય ગાઈ ઉઠતાં મલ્હાર
ત્યારે તમારું અસ્તિત્વ મારા વહાલે ભીંજાઇ ને તુષાર શુક્લા ના ગીતડાં ગાતું કે
ઓરડામાં વહાલાં ને આકાશે વાદળ
હું કેમ કરી ને કોરપ ને જાળવું ?
અંદર હું જવું કે ઉંબરે ભીંજાઉ
મારે કોના કોના થી સંભાળવું ?
અને બસ આમ અચાનક અંત આવશે આપણાં સંબંધો ! કલ્પના પણ ના હતી પણ હવે જમીની હકીકત છે ! સાચું કહું ! મનડું તો સઘળું ભૂલવા તૈયાર નથી પળે પળે યાદ કરાવે છે ! અરે ભુલેછેજ ક્યાં ! મન સ્વીકારવા તૈયાર નથી ! ક્યાંથી હોય ! પણ હકીકત ને કોણ બદલી શકે ! ના હવે બદલવું પણ નથી, જરા પણ નહિ, અહ્ન ના, ના , જરાય પણ નહિ. એટલે નહિ કે મારો ઈગો ઘવાયો છે.. ના જરાય નહિ !એવું પણ નથી કે મારા આત્મસન્માન ને ઠેસ નથી પહોંચી, પહોચી છે, ગહેરી ચોંટ પહોચી છે , ઘાતક ચોંટ પહોચી છે , જબરજસ્ત અસર થઇ છે ! પણ આમ છતાં એક બીજું પણ કારણ છે અને તે એ કે તમે ખુશ છો, બહુજ ખુશ છો . હું ખુશ છું તમને ખુશ જોઈ ને ! પ્રમાણિકતા થી કહું તો ખુશ રહેવાનો મારો ભરપુર પ્રયાસ છે !મને આશા છે કે આ સુખ ને હું લંબાવી શકીશ …ના હવે હું મને હેરાન નહિ કરું , ના તમને પણ નહિ ! કેમ કે હું ખુશ રહેવા નો પ્રયત્ન કરી રહ્યો છું ! આમ જુઓ તો મારી પાસે ઘણું ભાતું છે આ જીવન ખુશ રહેવા માટે ! આપની સાથે ગાળેલી એક એક પળ મારી ભાવી ખુશી નો આધાર બની રહેવાની છે, કેટલા મધુર દિવસો હતા ! આપણાં સહવાસ ના ! અને એ મધુરતા મારી શક્તિ બની રહેશે ! આ જિંદગી સુધી .. મારી ખુશી ! જવાદો મારી ખુશી ની વાત ! એતો બિચારી એનું મન માનવી લેશે , મનાવું પડશે . ઉપાયજ ક્યાં છે ! કયાંક વાતાવરણ માં ગુંજતી આબિદા પરવીન ના ઘૂંટાયેલા ભીના ભીના કંઠે દિલથી ગાયેલી અને જન નિસાર અખ્તરે લખેલ ગઝલ મારા દિલ ની વાત કહી રહી હોય એવું લાગે છે …
આહટ સી કોઈ આયે તો લગતા હે કી તુમ હો …
સાયા કોઈ લેહરાય તો લગતા હે કી તુમ હો
જબ સાખ કોઈ હાથ લગાતે હી ચમન સે
શરમાય , લચક જાયે તો લગતા હે કી તુમ હો ….
રસ્તેકે ધુન્ધાલકે મેં કિસ મોડ પે કુછ દુર…..
એકલોસી ચમક જાયે તો લગતા હે કી તુમ હો
સંધાલ સી મહેકતી હુઈ ફૂરકેફ હવા કા
ઝોકા ટકરાયે તો લગતા હે કી તુમ હો
ઓઢે હુએ તારોકી ચમકતી હુઈ ચાદર
નદિયા કોઈ બલખાયે તો લગતા હે કી તુમ હો
જબ રાત ગયે કોઈ કિરણ મેરે બરાબર
ચુપચાપ સે સો જાયે તો લગતા હે કી તુમ હો
પ્રેમ દરેક માનવીનું જીવનરક્ત છે. તે વિના માનવ જીવન પૃથ્વી પર અથવા બ્રહ્માંડમાં અશક્ય છે. તે અન્ય માનવીઓના સંદર્ભે લાગણીનું મજબૂત હકારાત્મક બંધન છે.
તેથી પ્રેમ શું છે?
સેન્ટ ઓગસ્ટિન કહે છે, “પ્રેમ કામચલાઉ ગાંડપણ છે. તે ભૂકંપની જેમ ફાટી નીકળી અને પછી શાંત પડી જાય છે.. અને જ્યારે તે શાંત થઈ જાય છે ત્યારે તમારે નિર્ણય પર આવવું પડશે , શું તમે ખરેખર એકબીજામાં ભળી ગયા છો ? એકરૂપ થઈ ગયા છો ? અને જ્યારે તમે પણ એક ભાગ છો તે માનવું પણ અકલ્પ્ય થઈ જાયતો માનજો કે આ તો પ્રેમ છે ! પ્રેમ. શ્વાસ નથી, તે ઉત્તેજના નથી, તે શાશ્વત ઉત્કૃસ્ટ વચનોની ઘોષણા નથી. એ તો માત્ર “પ્રેમ” છે અને ત્યારે કોઈ પણ સહમત થશે કે હા પોતાને પ્રેમ છે ! જ્યારે આપણું પ્રેમમાં હોવું ભસ્મીભૂત થઈ જાય અને જે હવે બાકી બચે , તે પ્રેમ છે ! અને આ કળા અને નસીબદાર અકસ્માતનો સૂભગ સમન્વય છે. ”
કેટલાક લોકો પ્રેમ વિશે અલગ મત ધરાવે છે. તેઓ માને છે કે પ્રેમએ ફક્ત કોઈ પણ જાતના લાભની કે લોભની અપેક્ષા વગરનું બીજી વ્યક્તિ તરફ વધારાનું વાંછીત કે આપણાં તરફનું સામેનાનું સમર્પણ માત્ર છે. તેઓ માને છે કે પ્રેમએ આગ પર સુયોજિત મિત્રતા છે.
જ્હોન તરરાન્ત, પેસિફિક ઝેન ઇન્સ્ટિટ્યુટ, ફોનિક્સ માં સિનિયર ફેકલ્ટી નિયામક અને ડેઝર્ટ લોટસ ઝેન સંઘમાં સિનિયર શિક્ષક છે, તે પણ આ સાથે સહમત છે અને કહે છે, “ધ્યાન એ પ્રેમનું મૂળભૂત સ્વરૂપ છે; તે મારફતે આપણે સુખી અને સંપન્ન છીએ. ”
નિકોલસ સ્પાર્ક્સ સમજાવે છે કે “પ્રેમ એ શયન સમયે બોલાતા ત્રણ શબ્દોથી કઇંક વિશેષ છે. પ્રેમએ આપણે દરરોજ એકબીજા માટે નિષ્ઠા, સમર્પણ અને પ્રતિબદ્ધતાપૂર્વક કરતાં કર્મોં દ્વારા વિકસે અને પલપે છે”
પરંતુ દરેક ઉપ્લબ્ધ માહિતી અને જાણકારી જોઈ ગયા પછી લાગે છે કે , માનવ અસ્તિત્વ પાછળ નું સૌથી મહત્વનું, માત્રને માત્ર જો કોઈ સ્વીકાર્ય અને સંતોષજનક પરિબળ હોય તો તે પ્રેમ છે. પ્રેમ એ શાશ્વતતાનું પ્રતિક છે , પ્રેમ એ અમર છે.સમય ભાનને પણ મિટાવી દે છે. તે શરૂઆતની યાદો ને મમળવતો પણ નથી. એટલુજ નહી, પણ અંતના બધાજ ભયનો સંપૂર્ણ વિનાશ કરે છે…
ભારત ના ભાગલા , ભારત નું વિભાજન …અતિ દુઃખ દાયક ઘટના …વિભાજન શબ્દ સંભાળતાજ ખિન્નતા , દુઃખ , દર્દ , ક્ષોભ , અસંતોષ અને ક્રોધની ભાવના પ્રજવળી ઉઠે છે.. આજે પણ ભારતના સામાન્ય નાગરિકથી લઇ નેતા ગણ સુધી કોઈને પણ સ્વીકાર્ય નથી છતાં વરવી હકીકત એ છે કે એ સ્વીકારવા પડ્યા છે , સ્વીકારવા પડશે , ઉપાયજ ક્યાં છે ? પણ એક યક્ષ પ્રશ્ન હજુ પણ અનુત્તર છે અને તે કે આ વિભાજન માટે કોણ જવાબદાર છે ? કોઈ એક વ્યક્તિ ?, કોઈ એક નેતા ? મહા નેતા ? રાષ્ટ્ર નેતા ? રાષ્ટ્ર પિતા ? વિદેશીઓ ? સમાજ ? કોણ ? કોણ છે આ માટે જવાબદાર ? આ પ્રશ્ન નો એક જવાબ ના કોઈ આપી શક્યું છે ના કોઈ આપી શકશે ! ૬૪ વર્ષ પછી પણ આ પ્રશ્ન અનુત્તર છે ! ચાલો આજ આપણે આ પ્રશ્ન નો જવાબ મેળવવા સહિયારો પ્રયત્ન કરીએ ! કદાચ એ જવાબ મળી જાય ! કદાચ એ જવાબ થી ઘણા નજીક આપણે પહોચી શકીએ ! કદાચ આ પ્રશ્ન નો જવાબ ના પણ મળે ? પ્રયત્ન કરી શકીએ ! હા એક મિનીટ જરૂરથી આપી શકીએ ! દેશ માટે ? દેશાભિમાન માટે ? આપણા સંતોષ માટે ! આપણી તસ્સલી માટે ! આવો જોડવ એક સહિયારા પ્રયાસમાં , આજેજ , અત્યારેજ , હમણાજ એક મિનીટ ! ફક્ત એક મિનીટ!
માફ કરજો મને આપની સાથે વાત કરે ઘણો સમય થઇ ગયો પણ ચાલો ભગવાનનો આભાર કે આજે આપને ફરી મળી શક્યા છીએ. જુઓને આમતો મારે ઘડીની નવરાશ નહી ને પાઈ ની પેદાશ નહી તેવી વાત છે ! તમારી ઢગલાબંધ, ગણી ગણાય નહી ને તોય મારા આભલા માં માય નહી તેટલી અરજો ,સંદેશાઓ ઈશ્વર પાસે લઇ જાવ છું પણ એક ઝાટકે તે બધી કચરા ટોપલી માં નાખી દે છે. માંડ ક્યારેક એકાદ વાચતા હોય તો ! ઘણી વખત હું પરમાત્માને કહું કે તમે આમ ને આમ જો બધી અરજો કચરા પેટી માં નાખતા રહેશો તો એક દિવસ તમે બનાવેલા તમને બનાવી દેશે ! આ સાંભળી ત્રિલોકના નાથ અટહાસ્ય કરતા કરતા બોલ્યા તું સાચી છે તેમને પ્રયત્નો આદરી દીધા છે ! મારા બેટા મને માત કરવાની કોશિશમાં લાગી ગયા છે ! તને ખબર છે ! તેમને મારા સર્જન ની પ્રતિકૃતિ પણ બનાવી દીધી છે ! પણ હજુ તેવો , ઘણી બાબત એવી છે, તે હજુ નથી સમજી શકતા ! મેં તેમની વાતમાં સુર પુરાવતા તેમને યાદ કરાવ્યું કે ૧૬મી સદીમાં તમારા નામે યુરોપમાં પાદરીઓ પૈસા લઇ સ્વર્ગમાં પ્રવેશનું પ્રવેશ પત્ર આપતા હતા ! અને આજે પણ ભારતમાં કહેવાતા સાધુ સંતો સંસાર અસાર છે ની વાતો કરતા જાય છે અને સંસારના લાભો ભોગવતા જાય છે અને પેલી વાર્તા ના વાંદરાની જેમ લોકો ને તમારા નામે લડાવતા જાય છે અને બને બાજુથી લાભ લેતા જાય છે ! આવા લંપટ ને ઉઘાડા શામાટે પાડતા નથી ? એતો ઉઘાડાજ છે, તકલીફ એ છે કે બીજા બધાની આંખો બંધ છે ! મારા ચેતવ્યાય ચેતતા નથી ! મેં પુનઃ મૂળ વાત પર આવતા કહ્યું કે “સાચી વાત છે. મેં પૂછ્યું ” શું તમને આ વિજ્ઞાનીકો ની ઈર્ષા થાય છે ? ” મારા પ્રાણેશ્વરએ સ્પષ્ટતા કરતા કહું કે “ના એવું નથી , મારા બધા વિસર્જનમાં પણ સર્જન રહેલું હોય છે અને તેમના ઘણા સર્જનમાં પણ વિસર્જન રહેલું હોય છે” આ લોકો સમજ વગર આડેધડ સર્જન કરે છે એને મારે સમતોલ કરવા વિસર્જન કરવું પડે છે અથવાતો નવસર્જન કરવું પડે છે ! મેં પ્રશ્નોનો મારો ચલાવતા પૂછ્યું , તમે શા માટે મહાપ્રલયો રોકતા નથી ? શા માટે મોટી મોટી દુર્ઘટના થવા દો છો ? શ્રી હરી સ્પષ્ટતા કરતા અંતર ધ્યાન થઇને બોલ્યા “આ દુર્ઘટના ટાળવા મેં યથાર્થ પ્રયત્ન કર્યાં છે” આ ના છૂટકે લીધેલું પગલું છે ! કદાચ મોડું થાત તો વધારે હાની સર્જાઈ હોત !
વાત નો દોર પૂનઃ હાથ માં લેતા મેં ફરી યાદ કરાવી ને પૂછ્યું ” હવે પ્રભુ એતો કહો કે તમને કેવા સંદેશ ગમે ?” અવિનાશે કહ્યું “એક પણ એવી અરજ નથી કે જે ખરા હૃદયથી પોકારી હોય અને મેં ન સાંભળી હોય ! પણ તેમની અરજ માં , તેમની પ્રાર્થના માં , શું માંગે છે ખબર છે ? તેમને સુખ નથી જોયતું તેમને ફલાણા કરતા વધારે સુખ જોયે છીએ ! તેમને પડોશીની નવી ને નવી ગાડી ને અકસ્માત કરાવી દેવો છે ! તેમને બીજાની પત્ની ને પોતાની કરવી છે ! તેમને પોતાની કંપની ને નફો કરતી કરવા કરતા બીજાની કંપની ને નુકશાન કરવામાં વધારે રસ છે ! શું સાંભળું ? કોનું સાંભળું ?”
આમ આપ લોકો પ્રાર્થનાના નામ પર આપની વાસના પૂર્તિ ઈચ્છો છો અને ફરિયાદ કરો છો કે અમારી પ્રાર્થના મહાદેવ સાંભળતા નથી ! પણ ક્યાંથી સાંભળે ? સાંભળવા જેવું કંઈ હોય છે ખરું ? બીજી એક તકલીફ એ છે કે આપને સુખમાં પરમેશ્વર યાદ આવતા નથી અને દુખમાં ભૂલાતા નથી ! સંત કબીરે સાચેજ કહ્યુંછે કે
सुखमे सुमिरन न किया दुखमे किया याद
कह कबीर ता दास की, कौन सुने फरियाद !
લાખો અને કરોડો લોકો મારા દ્વારા દરરોજ આદિપુરુષને પોતાનો સંદેશ પહોચાડે છે પરંતુ આમાંથી થોડાજ નસીબદાર લોકો હોય છે કે જેમનો સંદેશ ભગવાન સાંભળે છે ! આ સમજવું ઘણું જરૂરી છે લાખો અને કરોડો લોકોમાંથી ફક્ત થોડા નસીબદાર કેમ સફળ થાય છે ? શું કારણ છે કે બાકીનાની અરજ કચરા ટોપલીમાં જાય છે ? કારણ એ છે કે લોકો ખોટી મનો દશામાં મહાપ્રભુ ને યાદ કરેછે .જયારે સુખી હોય ત્યારે ભગવાન યાદ નથી આવતા પણ જયારે દુખી હોય ત્યારે પરબ્ર્હમ યાદ આવે છે .આજ કારણ છે કે તેમની ફરિયાદ નો યોગ્ય પ્રતિસાદ મળતો નથી . દુખ નો સ્વભાવ પરમાત્માના સ્વભાવથી ઉલટો હોય છે
ઈશ્વરએ પરમ આનંદ છે, સચિદાનંદ છે. જયારે દુખ નો મતલબ છે કે ઈશ્વરની તરફ પીઠ કરીને ઈશ્વર ને શોધવા ! આમ જુઓંતો તમે દુખમાં છો તેનું કારણ એજ છે કે તમે ઈશ્વર તરફ પીઠ કરી લીધી છે ! ઈશ્વર તરફ પીઠ રાખીને શોધવાના બધાજ પ્રયત્ન વ્યર્થ છે . ગમે તેટલા પ્રયત્ન કરો ગમેતેટલી શ્રદ્ધાથી, ગમેતેટલા વિશ્વાસથી , ગમેતેટલા ખંતથી પ્રયત્ન કર્યા હોય પણ જ્યાં સુધી ઈશ્વર તરફ પીઠ રાખીને શોધશો ત્યાં સુધી તેમને શોધવા અસંભવ છે . આતો એવી વાત છે કે તમારે અમદાવાદ જવું છે અમદાવાદ જવાના રસ્તાનો નકશો આપની પાસે છે પરંતુ નકશા ઉપર વડોદરા ને બદલે અમદાવાદ લખેલ છે હવે તમે ગમે તેટલા પ્રયત્ન કરો , ગમે તેટલી ધીરજ રાખો , ગમે તેટલું પોજીટીવ વલણ હોય પણ તમે પહોચશો તો વડોદરા કેમકે કહેવતો અમદાવાદનો નકશો હકીકતમાં વડોદરાનો છે દુઃખમાં તમાર બધાજ પ્રયત્નો ઈશ્વર સુધી પહોચવાના વ્યર્થ છે કેમકે દુખ માં તમે ઈશ્વરને યાદતો કરો છો કે જેથી તમારા દુખ દુર થાય આમ જુઓં તો આ યાદ નથી પણ દૂખ દુર કરવાનો કે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે જયારે તમે દુખ માં ઈશ્વરને યાદ કરો છો તે ઈશ્વરની યાદ નથી પણ સુખની યાદ છે, સુખ મેળવવા ભગવાન ને યાદ કરો છો અને જયારે સુખ મળીજાય છે ત્યારે યાદ નથી આવતા કેમકે સુખ છે એટલે કસાય ની જરૂરત ક્યાં રહી ? આપણે દુ:ખ ની વ્યર્થતાની તો ખબર છે પણ સુખની વ્યર્થતા જે સમજી જાય છે તે સન્યાસી થઇ શકે છે. દુ:ખ બધા છોડવા ઈચ્છતા હોય છે પણ સુખ છોડવાની તત્પરતા વાળાની પ્રાર્થના ઈશ્વર સાંભળે છે કેમકે આ પ્રાર્થનામાં રુદન નહી હોય , આ પ્રાર્થનામાં આંસુ નહી હોય, આ પ્રાર્થના માં સુખની માંગ નહી હોય , આ પ્રાર્થના ભિખારીની નહી હોય પણ આ પ્રાર્થના સમ્રાટ ની હશે કેમકે જેને સુખની ખેવના ના હોય તે સાચેજ સમ્રાટ છે. આમતો બધા સંત પુરુષો કહી ગયા છે કે કોઈ પણ જાતની અપેક્ષા ના રાખો. પ્રાર્થના દ્વારા માંગશો પણ નહી .ઈશ્વરમાં શ્રદ્ધા રાખો જે મળવાનું છે તે માળશેજ . આપણે માંગીને ઘુમાંવીયે છીએ. જેટલું વધારે માંગીએ તેટલું ઈશ્વર ઓછું આપે છે અને જેટલું ઓછું મળે તેટલી આપણી મેળવવાની ઇરછા વધતી જાય છે . અને જેટલી મેળવવાની ઇરછા વધતી જાય છે તેટલી મળવાની સંભાવના ઘટતી જાય છે . આનાથી ઉલટું છે જેટલું તમે ઓછું માંગો અથવા ના માંગો તો સામેથી મળે છે . કહેવત છે કે ના માંગ્યું દોડતું આવે !અને જયારે આપણને આ સમાજ માં આવી જાય ત્યારે પ્રર્થાનામાંથી માંગણ વૃતિ નીકળી જાય છે
પણ યક્ષ પ્રશ્ન એ છે કે જયારે કોઈ દુ:ખી હોય ત્યારે માંગ્યા વગર પ્રાર્થના કેવી રીતે કરી શકે ? દુઃખનો સ્વભાવ સંકોચાવાનો છે જયારે આપણે દુ:ખી હોયે ત્યારે આપણે સંકોચાતા હોયે છીએ અને અલિપ્ત રહેવા ઇરછીએ છીએ સમાજથી દુર જઈ સંતાવા માંગીએ છીએ જેથી કરીને કોઈ આપણી સાથે વાત ના કરે કે આપણ ને મળે નહિ. આપણે દુ:ખ માં છીએ તે બતાવવા નથી માંગતા અને સંતાઈ જઈએ છીએ. આજ કારણ છે કે દુઃખમાં લોકો આપઘાત કરવાનું વિચારે છે કે જેથી ફરી કોઈ મળીન શકે કે ન કોઈ જોઈ શકે. આમ દુ:ખ સંકોચે છે , દુ:ખ દ્વાર બંધ કરે છે, દુ:ખ ઇરછે છે કે તમે અંધારામાં બેસો. ના કોઈને હળો મળો. ના કોઈ સાથે વાત કરો. ટૂંક માં દુ:ખ આત્માહત્યા શીખવે છે
જયારે ઈશ્વર મધુર સુગંધ ની જેમ ચારે તરફ પ્રસરેલા છે . .. પરમાત્મા અનંત તરફ ફેલાયેલ છે …કોઈ સીમા નથી માટે.તેમને તમે કોઈ એક સીમા માં કેદ ન કરી શકો . પૃથ્વી ની દરેક વસ્તુ સ્થિતિ માં ભગવાન મોજુદ છે છતાં સીમા પામવી મુશ્કેલ છે .ટૂંકમાં પરમાત્મા નો સ્વભાવ વિસ્તાર છે . હિંદુ ધર્મ માં ઈશ્વર માટે એક શબ્દ છે બ્રહ્મ . બ્રહ્મ નો અર્થજ વિસ્તરી શકે તેવો થાય છે .જયારે દુ:ખ માં સંકોચાઈ જઈએ છીએ માટે દુ:ખ માં ઈશ્વર થી તદ્દન વિરુદ્ધા દિશા માં હોઈએ છીએ .હવે તમેજ કહો દુ:ખ માં ઈશ્વર ને કેવીરીતે પામી શકીએ ? સુખનો એક અર્થ છે ફેલાવવું સુખમાં આપણને પ્રસરવું ગમે છે સુખમાં આપણે સહુને મળવા માંગીએ છીએ સુખમાં આપણે સગા સંબંધી , સ્નેહીજનો , મિત્રો સાથે નિકટતા કેળવવા ઇચ્છીએ છીએ . સુખમાં આપણને બધા સાથે હળવું મળવું , સંગીત માનવું , વાતો કરવી ગમે છે .સુખી વ્યક્તિ સુખ વહેચવા ઈચ્છે છે કેમકે સુખ એકલા માણી શકાતું નથી કે સુખ એકલા અનુભવી શકાતું નથી જુયારે દુ:ખ વહેચી શકાતું નથી, એકલાજ ભોગવવું પડે છે કેમકે તે અંગત બાબત છે ..આમ સુખ એ વિસ્તાર દર્શાવે છે , પ્રસાર દર્શાવે છે. આપણે આપણી આસપાસ ના લોકોમાં આપણા સુખનું પ્રતિબિંબ જોવા ઇચ્છીએ છીએ . ટૂંકમાં સુખ હમેશા વહેચવાથી અનુભવી શકાય છે .સુખમાં આપણે હમેશા ફેલાવાનું પસંદ કરીએ છીએ છે .અને ફેલાવાની ક્રિયા પ્રાર્થના બની શકે કેમકે હવે આપણે સુક્ષ્મ અર્થમાં પરમાત્મા જેવા છીએ ઈશ્વર સાગર છે , તો આપણે એક માત્ર બુંદ છીએ પણ તેનો અંશ છીએ તે નક્કી કેમકે તમે પણ ઈશ્વર ની જેમ ફેલાવ પસંદ કરો છો હવે આપ ઈશ્વરની સાથે એક ડગલું ભરી શકો છો અને એક ડગલું તેમની સાથે ચાલી લીધું તો તમે ક્યારેય પરત ફરવાનું વિચારી પણ નહી શકો કેમ કે એક ડગલું તેમની સાથે ચાલવાથી જે અસીમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે , જે સુખની લબ્ધી પ્રાપ્ત થાય છે , જે અનુભૂતિ મહેસુસ થાય છે તે એટલી માતબર હોય છે કે તમે પાછા ફરી શકતા નથી , વિચારી પણ શકતા નથી એક પગલું તેમની તરફ ભરી લીધું, ઈશ્વર સાથે , આ પગલું ભરવુંજ અગત્યનું હતું . એક વખત જેની જીભે સ્વાદ લાગી ગયો તે જાણી શકે કે પ્રાથના શું છે ! સુખમાં એક કદમ ઈશ્વર સાથે ચાલી શકાય છે પણ દુઃખમાં નહી ! દુઃખમાં આપણે સંકોચવા માંગીએ છીએ .દુઃખમાં આપણે ચાલવાજ સમર્થ નથી હોતા . દુઃખમાં આપણે પક્ષઘાત થયો હોય જેવી સ્થિતિ માં હોયે છીએ તેથી ચાલવા માટે અસમર્થ હોયે છીએ . જયારે આપણે ચાલી શકીએ તે સ્થિતિ માં હોયે છીએ , જયારે આપણે નાચી શકીએ છીએ , જયારે આપણે શક્તિ થી ભરેલા હોયે છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ સમય શ્રેષ્ટ સમય છે ઈશ્વર તરફ જવાનો .પણ ખાટલે મોટી મોકાણ એ છે કે સુખમાં ઈશ્વર યાદજ નથી આવતા ફક્ત દુઃખમાં યાદ આવે છે અને એટલે ઈશ્વર આપણને પ્રાપ્ત થતા નથી .
આકાશમાં પૂર્ણિમાનો ખીલેલો ચંદ્ર હોય અને તેનું પ્રતિબિંબ સરોવર શાંત જળ માં દિશે તેવું આનંદનું છે .આ આકાશ આનંદ થી ભર્યું ભર્યું છે અને આપણા મનના તરંગોના સરોવર માં તેનું પ્રતિબિંબ દેખાયએ, તે સુખ છે. અને જયારે આ પ્રતિબિંબ ખોવાઈ જાય ત્યારે એ દુખ છે. જયારે પ્રતિબિંબ દેખાતું હોય ત્યારે આ પ્રતિબિંબ ના સહારે હકીકત ના ચંદ્ર ને શોધવો સરળ છે , શોધી શકાય છે , શક્યતા છે કેમકે ત્યારે તમારી અને હકીકત ના ચંદ્ર ની વરચે થોડો સંબંધ છે ભલે પ્રતિબિંબનોજ કેમ ન હોય પણ છે ! આ સંબંધ સ્વપ્નીલ હોય છે જો કોઈ શાંત જળને હલાવી દેતો પ્રતિબિંબ નહી દેખાય , સુખ નહી દેખાય ! પરંતુ સરોવર ના જળ શાંત હશેતો પ્રતિબિંબ ના સહારે હકીકત ના ચંદ્ર ને શોધી શકીશું !
સુખ સંસારમાં પરમાત્મા ની ઝલક માત્ર છે જયારે ઝલક દેખાય ત્યારેજ પ્રાર્થના કરી દેવી કારણકે ત્યારે તે તમારથી ઘણાય નજીક છે. ઝલક ખોટી હોય છે પણ જેની ઝલક છે તે તદ્દન સાચા છે માટે જયારે ઝલક થી ભરેલા હોવ ત્યારે બદ્ધું છોડીને પ્રાર્થનામાં લીન થઇ જાવ પણ મોટી તકલીફ એ છે કે સુખમાં એની જરૂરત નથી જણાતી .એક સાંજે માં એ તેના પુત્રને કહ્યું કે તે આજે ઈશ્વર ને ધન્યવાદ નથી આપ્યા , તે પાડ નથી માન્યો , તારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, તારે પ્રાર્થના કરવી જોઈએ કેમકે આપણા ગામ માં એવા કેટલાય બાળકો છે કે તેમને બે ટંક જમવાનું પણ નસીબ નથી થતું. તે ચીથરેહાલ દિશે છે જયારે ઈશ્વરે તને બદ્ધુંજ આપ્યું છે. આ સાંભળી બાળકે ભોળાભાવે તેની માં ને કહ્યું ” માં મને એ સમજાતું નથી કે જેની પાસે નથી તેને પ્રાર્થના કરવી જોયે કે જેની પાસે છે તેને ?” “તને નથી લાગતું કે પ્રાર્થના તો તેને કરવી જોઈએ કે જેની પાસે નથી ! ” શું આપને નથી લાગતું કે આપણા બધાની મન:સ્થિતિ આ બાળક જેવી છે ! જયારે આપણે સુખી હોયે છીએ ત્યારે પ્રાર્થના નથી યાદ આવતી પણ જેવું દુ:ખ આવે કે પ્રાર્થના તુરંત યાદ આવી જાય છે !
જયારે દરિયામાં મોજા ઉછળતા હોય , જયારે આંધી ફુંકાઈ હોય , જયારે હવા પ્રતિકુળ હોય , જયારે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે તમારી નાની એવી નાવ લઈને દરિયા માં ઝંપલાવશો તો ડૂબી જાવાની પૂરી શક્યતા છે ! જયારે મોકો હોયછે નાવ લઇ દરિયો ખેડવાનો , જયારે અનુકુળ વાતાવરણ હોય ત્યારે હલેશા પણ નહી મારવા પડે , મંદ મંદ લહેરો પર સવાર થઇ ને તમે આગળ વધી શકશો પણ ત્યારે યાદ નથી આવતું ઈશ્વર તરફ જવાનુ, ત્યારે યાદ આવે છે મધુશાલા ! ત્યારે યાદ આવે છે શબાબ અને કબાબ ! ત્યારે યાદ આવે છે રંગીન રાતો, મિજબાની ! આમ જયારે આપણે સ્વસ્થ હોયે છીએ ત્યારે સમયની કમી લાગે છે અને દોડીએ છીએ મધુશાલા તરફ પણ જયારે પગ ચાલતા નથી , પથારી વશ હોઈએ , અપંગતા મહેસુસ કરીએ , અને બીજું કઈ સુજે નહી ત્યારે પ્રાર્થના યાદ આવે છે ! ત્યારે મને યાદ કરો છો ! તમે કોને મુર્ખ બનાવો છો ?
પ્રાર્થના જયારે તમારી પ્રથમ પસંદગી હશે , જયારે પ્રાર્થના તમારા હૃદયના ઊંડાણ માંથી નીકળશે , જયારે તમારું અસ્તિત્વ પ્રાર્થના ગાવા લાગશે ત્યારે તે ઈશ્વરના દરબારમાં ધ્યાનમાં લેવમાં આવશે , ત્યારે એ ઈશ્વરના કાનમાં સંભાળશે ! અસ્વસ્થ દશા અને દિશામાં પ્રાર્થના ઈશ્વર સુધી પહોચતી નથી !
આતો એવું છે વૃક્ષને પાણીન આપો, સુખી જમીન હોય, અસહનીય ગરમી અનુભવાતી હોય, વૃક્ષ સુકાઈ ગયેલ હોય અને વૃક્ષ ઈચ્છે કે તેના પર ફૂલ આવે ! સંભવ છે ? જરાય શક્યતા લાગે છે ? ફૂલ તો વૃક્ષના સ્વાસ્થયમાંથી ઉત્પન થાય છે. ફૂલ તો વૃક્ષના આનંદ નું દાન છે ! વૃક્ષ જયારે આનંદથી ભરાઈ જાય છે, ઉર્જાથી એટલા લથબથ થઇ ગયા છે કે તે હવે આપવા ઈચ્છે છે , તે વહેચવા ઈચ્છે છે , તે મધુર સુગંધથી પોતાને ચોતરફ પ્રસરવા ઈચ્છે છે, વૃક્ષ ઈચ્છે છે કે તેના અસ્તિત્વ નો અહેસાસ બધા કરે ત્યારે તે મધ મધતા ફૂલ આપે છે !
જેમ વૃક્ષમાં ફૂલ હોય છે તેજ રીતે જીવન માં પ્રાર્થના હોય છે જયારે તમે ભરેલા હોવ , સંપૂર્ણ છલોછલ હોવ , જયારે તમારી ચારેય તરફ ઉર્જા પ્રવર્તમાન હોય, જયારે તમે યુવાન ની જેમ થનગનતા હોવ, ત્યારેજ જીવન માં ફૂલ , ત્યારેજ પ્રાર્થના રૂપી ફૂલ શક્ય છે, ત્યારેજ પ્રાર્થનાના ફૂલ ઉદભવે છે !
જયારે જીવનની બધી દિશાઓ ને પ્રાર્થનાની દિશામાં ડુબાડી દેશો, જયારે પ્રર્થાનાજ તમારો પ્રેમ , જયારે પ્રાર્થનાજ તમારું ધન, જયારે પ્રાર્થનાજ તમારું પદ, જયારે પ્રાર્થનાજ તમારી પ્રતિષ્ઠા બની જાય , જયારે પ્રાર્થનાજ તમારું સર્વસ્વ બની જાય, જયારે તમે સંપૂર્ણ મારા મઇ થઇ જાવ , ત્યારેજ ઈશ્વર, ખુદા,ગોડ, તીર્થંકર, બુદ્ધ તમારી પ્રાર્થના સાંભળશે, ત્યારેજ તમારી પ્રાર્થનાનો ઉત્તર વાળશે !
લ્યો ઘણો સત્સંગ કર્યો , કદાચ તમને હવે સમજ પડી ગઈ હશે કે તમારે ક્યારે , ક્યાં અને કેવી રીતે પરમાત્માને અરજ પહોચાડવી મારા દ્વારા , પ્રાર્થના દ્વારા. તો હવે હું રજા લઉં?
ફોટોગ્રાફી એ એક કળા છે. ખુબ ઓછા લોકો હશે કે જેમને જિંદગી માં ક્યારેય ફોટો ન પડાવ્યો હોય . અને ઘણાય એવા હશે કે ફોતોગ્રફ્ય નો શોખ હશે પણ તકનીકી જાણકારી ન હોય . આમ જુઓં તો ફોટોગ્રાફી એ કળા અને વિજ્ઞાન નો સંગમ છે અને આજ આપણે બંને વિષે ફોટોગ્રાફી ના સિદ્ધહસ્ત એવા શ્રી શકીલભાઇ ના લેન્ડસ્કેપ ફોટોગ્રાફીના બ્લોગ દ્વારા તદ્દન સરળ અને એપણ ગુજરાતી ભાષામાં સમજવાની કોશિશ કરીએ ! જોજો હવે જયારે પણ ફરવા જાવ ત્યારે લેન્ડ સ્કેપ ફોટોગ્રાફી કરો ત્યારે આ જરૂર થી ધ્યાન રાખશો અને દિલખુશ ફોટોગ્રાફી કરી શકીલભાઇ ને યાદ કરજો !! કરો ક્લિક લેન્ડસ્કેપ ફોટોગ્રાફી. લીંક ને પહોચી જાવ શકીલભાઇ ના બ્લોગ પર !!!
સ્થળ : બાલી
બાલી..અધભૂત દ્વીપ ! અનુપમ સૌન્દર્ય ! ખળ ખળ વહેતા ઝરણા નો દ્વીપ ! જાણે લીલો નાઘેર ! કુદરતે અખૂટ સૌન્દર્ય છૂટે હાથે વેર્યું છે ! ઉછળતા મોજા નું લયબદ્ધ સંગીત, મનના બધાજ ઉદ્વેગો ભુલાવી એક ધ્યાને સાંભળવા મજબુર કરે ! મન તો હવાથી પણ હળવું બની પતંગિયાની જેમ આમ તેમ ઉડવા માંડે ! રંગબેરંગી રંગોની છોળોના ઘૂઘવતા સાગરમાં મનભરી સ્નાન કરી તનના રોમે રોમ આનંદનો ઉત્સવ મનાવતા નાચી ઉઠે ! રંગ બદલતા આકાશને મનભરીને માણવાનો પુરતો અવકાશ પણ ! હરિયાળી પર્વતમાળા અને જીવંત જ્વાળામુખીમાંથી નીકળતી ધુમ્રસેર આહ! લાદક સૌન્દર્ય સર્જે છે ! આ જોઈને મન તો ઝૂમી ઉઠે અને ઉમંગો ના તાર પણ ઝણઝણી ઉઠે અને હા કલા- વૈભવ ની તો વાત કેમ ભૂલાય ! ચાહે કાસ્ટ કલા હોય કે બાટિક હોય કે અવનવા ઉમંગો ને મૂર્તસ્વરૂપ આપતા કલારસિક મનાવ સમુદાય હોય બદ્ધુજ છે આ નાનકડા બાલી પાસે ! કદાચ ભારત બહાર આ જ એક દ્વીપ એવો છે કે જેમાં ૮૮% થી વધુ હિંદુ વસ્તી હોય ! ખાસ કરીને ઇન્ડોનેશિયા માં ૨૦૦૯ માં થયેલ વસ્તી ગણતરી મુજબ જાવા, સુમાત્રા, કાલીમંતન અને સુલાવેશી ટાપુઓમાં હિંદુઓંની સંખ્યા માં ત્રણ ઘણો વધારો થયો હતો . આજે પણ બાલીમાં સૌથી વધારે હિન્દુઓં (૧૦.૧૪ લાખ ) વસે છે !
પ્રાચીન બાલીમાં કુલ નવ હિન્દૂ સંપ્રદાયો અસ્તિત્વમાં છે, નામ અનુસાર પસુપતા , ભૈરવા , શિવા શિદનતા , વૈષ્ણવ , બોધ , બ્રહ્મા, રેસી, સોરા અને ગનાપત્ય . દરેક સંપ્રદાયના તેમના અંગત દેવ તરીકે ચોક્કસ દેવ ને આરાધે છે.બાલીનીઝ સંસ્કૃતિ ભારતીય અને ચિની, અને ખાસ કરીને હિન્દૂ સંસ્કૃતિ દ્વારા ખૂબ પ્રભાવિત છે , ૧લી સદીની આસપાસ થી ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થવાની શરૂઆત થઇ હતી . બાલી દ્વીપ (“બાલી ટાપુ”) નામ ઇસ.૯૧૪ માં મળી આવેલ બ્લાન્જોંગ શીલાલેખ શ્રીકેસરી વાર્માંદેવા દ્વારા લખવામાં આવેલ અને તેમાં “વાલીદ્વીપા ” નામ નોધાયેલ છે આ ઉપરાંત વિવિધ શિલાલેખો માં બાલી નામ મળી આવે છે, આ ઉપરાંત એવું કહેવાય છે કે ચોખા નો પાક લેવા માટે સિંચાઈ પદ્ધતિ ‘સુબાક’ (સુબાક એં બાલી ટાપુ પર ડાંગર ના ખેતર માટે પાણીની સિંચાઈ વ્યવસ્થાપન પધ્ધતિનું નામ છે.) ઉપર પણ ભારતીય પરંપરાની અસર છે .કેટલીક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા હજુ પણ અસ્તિત્વમાં છે . પૂર્વ જાવામાં પર હિન્દૂ મજાપહિત સામ્રાજ્ય (ઇસ ૧૨૯૩ -ઇસ ૧૫૨૦ ) ૧૩૪૩ માં બાલીનીઝ કોલોની સ્થાપના કરી હતી. જ્યારે સામ્રાજ્ય નો વિનાશ થયો ત્યારે બૌદ્ધિકો, કલાકારો, સંતો , સંગીતકારોએ ૧૫મી સદીમાં જાવાથી બાલી હિજરત કરી હતી.
શ્રી કેસરી વાર્માંદેવા બાલીના પ્રથમ રાજા હતા જેમણે શિલાલેખ તૈયાર કર્યો હતો જે સંસ્કૃત અને લોકલ બાલીની ભાષા માં બનાવામાં આવ્યો હતો . તેમણે દક્ષિણ સનુર માં ૯૧૪ સીઇ માં મુકાવ્યો હતો .બેલાન્જોંગ આધારસ્તંભ (“પ્રસસ્તી બ્લાન્જોંગ “) બે લીપી નો ઉપયોગ કરી ને બનાવામાં આવ્યો હતો , જે નાગરી લીપી અને જૂની બાલીનીઝ લીપીનો (કે જે બંનેબાલીનીઝ અને સંસ્કૃત લખવા માટે વપરાય છે) નો ઉપયોગ થયો હતો. આ શિલાલેખ ઉપરથી ફલિત થાય છે કે તેઓ સંજય વંશ કે જે તેસમયે સેન્ટ્રલ જવા માં રાજ્ય કરતો હતો સાથે એક ય બીજી રીતે જોડાયેલ હતા એટલુજ નહિ પરંતુ તેઓ ભારતીય શક કેલેન્ડર નો ઉપયોગ કરતા હતા અને શિલાલેખમાંપણ શક કેલેન્ડર અનુસાર તારીખ છે. શ્રી કેસરી એ એક મજબૂત રાજ્યની નીવ નાખી હતી
પાસપોર્ટ / વિઝા નોંધ: મોટા ભાગની રાષ્ટ્રીયતા ના લોકો ઇન્ડોનેશિયામાં પ્રવેશવા માટે આગમન સમયે 30-દિવસ ના વિઝા મેળવવા માટે નીચેની શરતો નું પાલન કરતા હોવા જોઈએ
(i) તેઓ મુખ્ય ઇન્ડોનેશિયન એરપોર્ટ પર આવે ત્યારે ; (ર) તેમના પાસપોર્ટ માંઓછામાં ઓછું એક વિઝા પેજ , વિઝા માટે કોરું હોવું જોઈએ . (III) તેઓ પાસે આગળ જવા માટે રીટર્ન ટિકિટો હોવી જોઈએ અને તેમના આગામી લક્ષ્ય માટે જરૂરી મુસાફરી દસ્તાવેજ હોવા જરૂરી છે અને (iv) તેઓ પાસે ઇન્ડોનેશિયમાં રહેવા માટે પુરતું ભંડોળ હોવા ના પુરાવા બતાવવા માટે (ઓછામાં ઓછા ૧ ,૦૦૦ ડોલર અથવા માન્ય ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ ) વિઝા ફી ૨૫ ડોલર છે. વધુમાં વધુ ૩૦ દિવસ નું વિઝા એક્સટેન્શન શક્ય છે .મુલાકાતીઓએ સ્થાનિક પોલીસ ઓફિસમાં જાણ કરવી જ જોઈએ.નોંધ કરો કે પીળા તાવ રસીકરણ પ્રમાણપત્ર જરૂરી છે, જો છોડીને અથવા ચેપ વિસ્તાર દ્વારા transiting છ દિવસની અંદર ઇન્ડોનેશિયા પહોંચ્યા. નોંધ: એ ખૂબ અગત્ય નું છે કે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા છ મહિના પુરતો માન્ય હોવો જોઈએ જોકે ઇમીગ્રેશન અધિકારીઓ ઘણી વખત ટ્રાવેલ એજન્ટ અને સત્તાવાર સ્ત્રોત દ્વારા જતા લોકો માટે અલગ નિયમો લાગુ પડે છે.
સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ + ૨.૫ કલાક { ઇન્ડોનેશિયા ત્રણ ટાઈમ ઝોનમાં છે . જીએમટી (વેસ્ટ, જાવા અને સુમાત્રા સહિત) +૭ , +૮ જીએમટી (સેન્ટ્રલ, બાલી, સુલાવેસી અને લોમ્બોક સહિત), +9 જીએમટી (પૂર્વ, ઈરિયન જયા સહિત).}
ચલણ : રૂપિયારૂપિઆ (IDR) સત્તાવાર ચલણ છે અને 100 સેન વિભાજિત. વિદેશી ચલણ સરળતાથી બેન્કો હોટલ, મુખ્ય પ્રવાસન સ્થળો અને નાણાં ચેન્જેર્સ ખાતે આદાનપ્રદાન કરી શકાય છે; U.S. ડોલર સૌથી વધુ સ્વીકાર્ય ચલણ છે. કેશ (રોકડ )નો વિનિમય દર ટ્રાવેલર ચેક કરતા સારો મળવાની શક્યતા છે . આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે ટ્રાવેલર ચેક દરેક જગ્યાએ ના પણ સ્વીકારે . આમ છતાં જો ટ્રાવેલર ચેક લેવા હોય તો U.S. ડોલર માં લેવા જોઈએ . મોટા ભાગની હોટલ રેસ્ટોરન્ટ, સ્ટોર્સ અને પ્રવાસી વેપાર ખાધ્યપ્રબંધના ખાતે ક્રેડિટ કાર્ડ સ્વીકારવામાં આવે છે. એટીએમ મોટા ભાગ ના મુખ્ય કેન્દ્રો ઉપર ઉપલબ્ધ છે. બસ ભાડા ,મંદિર દાન અને ઠંડા પીણાં જેવા વસ્તુઓ માટે નાના સિક્કા અને ઓછી કીમત ની નોટ રાખવી જરૂરી છે
ભાષા : બહાસા ઇન્ડોનેશિયા સત્તાવાર ભાષા છે, પરંતુ ઘણી બોલી બોલાય છે. બાલી, જકાર્તા અને પ્રવાસન રીસોર્ટ માં ઈંગ્લીશ પણ સારી રીતે બધા સમજી શકે છે
સલામતી: ઓક્ટોબર 2005 માં બાલી માં બોમ્બ ધડાકા બાદ, ત્યાં આતંકવાદના ઊંચા જોખમ વાળા દેશમાં સમાવેશ થાય છે અને અહેવાલો સૂચવે છે કે આતંકવાદીઓ પશ્ચિમી અને પશ્ચિમી હિતો પર હુમલા નું વધુ આયોજન કરવા પ્રયત્ન કરતા હોય છે જાહેર સ્થળોએ ચોક્કસ સાવધાની રાખવી જોઈએ . ખાસ કરીને પરિવહન ટર્મિનલ, શોપિંગ મોલ્સ અને જાહેર ઇમારતો, રેસ્ટોરાં, હોટલ, અને પ્રવાસન વિસ્તારોમાં મનોરંજન સ્થળોની સહિતના જાહેર સ્થળોએ ખાસ સાવધાની રાખવાની સલાહ છે. પૂર અને ભૂસ્ખલન ડિસેમ્બર અને માર્ચ વચ્ચે વરસાદી ઋતુ દરમ્યાન વારંવાર થાય છે. ઇન્ડોનેશિયન એરલાઈન્સમાં( ગરૂડા એરલાઈન્સ) મુસાફરી કરવી સલાહ ભર્યું નથી
રીત રીવાજ : ઇન્ડોનેશિયન લોકો સામાન્ય રીતે મૈત્રીપૂર્ણ અને વિવેકી છે તેઓ સમજે છે કે પશ્ચિમી સંસ્કૃતિ પોતાના કરતા અલગ છે, જો તમે તેમના રિવાજોનો આદર કરશો તો તેમને ગમશે . ધાર્મિક રિવાજો ખાસ કરીને રમાદાન( રમઝાન ) મહિનામાં ખાસ કરીને સન્માન કરવું જોઇએ, રમઝાન મહિના માં ખાવા પીવા અને ધૂમ્રપાન પર ડેલાઇટ ના સમય દરમિયાન વર્જિત છે કારણ કે તે મુસ્લિમ સંસ્કૃતિ દ્વારા પ્રતિબંધ છે .વપરાશકર્તાઓ એ હંમેશા વિવેકી વર્તન કરવું જોઈએ . શક્ય હોય ત્યાં સુધી લાગણીનું જાહેર પ્રદર્શન ટાળવું જોઈએ . વસ્તુ ની આપ લે માટે ડાબા હાથનો ઉપયોગ અસભ્ય માનવામાં આવે છે. સ્ત્રીઓએં હમેશા પૂજા ના સ્થળે અને મુસ્લિમ વિસ્તારોમાં પહેરવેશબાબત માં ખાસ કાળજી લેવી, ખભા અને ખાસ કરીને પગ ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ ( બાલી માં ૮૦ % હિંદુ વસ્તી હોવાથી અહી જરૂર નથી પણ બાલી સિવાય ઇન્ડોનેશિયા માં ક્યાય પણ જવું હોયતો ખ્યાલ માં રાખવું ) અહી જુગાર ગેરકાયદેસર છે.
સ્થાન: આ એરપોર્ટ આઠ (૧૩ કી મી ) માઇલ દેનપસાર દક્ષિણ પશ્ચિમ અને એક અને અડધા (૨ .૫ કિમી ) માઇલ, કુતા દક્ષિણ આવેલું છે.
સંપર્ક: ફોન: +૬૨ (૦ ) ૭૫૧ ૩૬૧ ૦૧૧ .
ટર્મિનલ વચ્ચે પરિવહન છે: ટર્મિનલ એકબીજા સાથે સરળ વૉકિંગ અંતર થી જોડાયેલ છે.
શહેરના મેળવી: બસ સેવાઓ દેનપસારથી શહેર કેન્દ્ર અને કુતા સહિત મુખ્ય હોલીડે રીસોર્ટ માટે નિયમિત મળી રહે છે . આ ઉપરાંત મીટરવાળી ટેક્સીઓ ઉપલબ્ધ છે
કાર રેન્ટલ: અવિસ , હર્ટ્ઝ વિગેરે કંપની ટોયોટા કાર અને સ્થાનિક કાર ભાડા કંપનીઓ એરપોર્ટ પર ભાડે આપે છે.
સુવિધાઓ: ત્યાં દુકાનો, રેસ્ટોરાં, બેન્કો અને મની એક્ષચેન્જ ની સુવિધા પણ છે. પોસ્ટ ઓફિસ, ફાર્મસી, પ્રવાસન માહિતી અને હોટેલ આરક્ષણ કિઓસ્ક જેવી અન્ય સુવિધાઓ સમાવેશ થાય છે.
પાર્કિંગ: આ ટર્મિનલની ઇમારતો સામે વિશાળ પાર્કિંગ લોટ છે.
સૂર્યાસ્ત સમયે તનાહ લોટ
તનાહ લોટ
તનાહ લોટ અર્થ ‘સમુદ્ર મધ્ય જમીન’ થાય છે . એક ઉત્કૃષ્ટ દરિયાઈ બાલી ટાપુના બોલ રોક રચના ઉપર મંદિર બંધાયેલ છે. આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને સુંદર ફોટાગ્રાફી માટે એક મહત્વ નું સ્થાન છે તનાહ લોટ ઝેરી દરિયાઇ સાપ તથા ખડકાળ ટાપુ નું દુષ્ટ આત્માઓ અને ઘૂંસણખોરો મંદિર રક્ષણ કરતુ હોવાનું માનવામાં આવે . આ મંદિર ૧૬ મી સદીમાંબનાવવામાં આવ્યું હતું
તનાહ લોટ સનસેટ ટુર (રોજે ૧૪ .૩૦ કલાકે સમય – ૭ કલાક) 2 વ્યક્તિઓ
એક બપોરે પ્રવાસ તનાહ લોટ માં ઉષ્ણકટિબંધીય સનસેટ જોવા માટે , મેન્ગ્વી માં
પુરનું બેસાકીહ
પુરનું બેસાકીહ
સ્થાનિક રીતે બાલી ના માતા મંદિર તરીકે ઓળખાય છે, પુરનું બેસાકીહ, માઉન્ટ અગુંગના ઢોળાવ પર આવેલું છે અને સૌથી વધુ પ્રચલિત છે અને બધા બાલીનીઝ મંદિરો પવિત્ર છે. આ લગભગ ૧૪ મી સદી માં બંધાયા હતા . આ ત્રણ મુખ્ય મંદિરો શિવ બ્રહ્મા, અને વિષ્ણુ સમર્પિત છે, અને અન્ય આસપાસ ૧૮ અલગ અલગ અભ્યારણ રેગેન્ચીએસ અને જાતિ સમૂદાય સાથે સંકળાયેલા છે
કીન્તામાની અને બેસકીહ (દરરોજ ઉપડે છે ૦૮ .૩૦ સમય અવધી ૮ કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ
સોના અને બાલીનીઝ પેઇન્ટિંગ માટે , ચાંદી ઉપર કારીગીરી , બતુંઅન , લાકડા ઉપર કોતરકામ, તો બપોરના માટે ૧૧ મી સદી બેદુલું ગામ, કીન્તામાની માં એલિફન્ટ કેવ, પૂર્વમાં ડ્રાઈવ બાલી બેસકીહ મંદિર, કેર્તાગોસા બધી મંદિર માતા મંદિર મુલાકાત માટે Mas માટે Batubulan, Celuk માં બરોંગ નૃત્ય વોચીંગ જૂના હોલ ન્યાય.
ઉલુવાતું સનસેટ ( દરરોજ ઉપડે છે ૧૭ .૦૦ સમય અવધી ૪ કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ
સુંદર ઉલુવાતું ક્લિફ મંદિર મુલાકાત જ્યારે ઉષ્ણકટિબંધીય સૂર્યાસ્ત માણી. સ્થાનિક રેસ્ટોરાં પર ડિનર.
સંપૂર્ણ માટે બેદુગુલ લેક બેરાતન , ગીતગીત ધોધ, બંજર ગામ, લોવીના બીચ જ્યાં બપોરના સ્થાનિક રેસ્ટોરાં પર સેવા થશે હોટ વસંત મુલાકાત ટ્રીપ. ચોખા ઢોળાવ માટે પાછા રીતે પર પુપુઅન મુલાકાત લો
જ્વાળામુખી કીન્તામાની ( દરરોજ ઉપડે છે ૦૮ .૩૦ સમય અવધી ૮ કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ
ઉબુદ
દેનપસાર ની પહાડી ની ઉત્તરે ઉબુદ આવેલ છે . ઉબુદ બાલીનું સાંસ્કૃતિક કેન્દ્ર છે તથા બાલી અને તેની આસપાસના ગામોમાં મુખ્ય આકર્ષણ કલા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી છે, ખાસ કરીને નેકા મ્યુઝિયમ છે, પરંપરાગત અને આધુનિક બાલીનીઝ ચિત્રોનો વિશાળ સંગ્રહ ધરાવે છે. બાલીનીઝ કલા અને હસ્તકલથી શેરીઓ અને બજાર ઉભરાય છે. પરંપરાગત નૃત્ય અને સંગીતના તાલ માં ઝૂમતા લોકો ને જોવાનો એક લાહવો છે આ ઉપરાંત આ ટાપુ ઉપર શ્રેષ્ઠ જમવાનું પીરસતી રેસ્ટોરાં પણ અહી આવેલી છે
શું જવું છે બાલી ? લો આ રહી માર્ગ – નિર્દેશિકા …લો ..કરો તૈયારી !!
શું આપને યાદ છે કે આપને કે આપના કુટુંબીજનો ને ઈતિહાસ ના અભ્યાસક્રમ માં ભણાવવામાં આવ્યું હોય કે ભારતીય રાજા નું શાસન કમ્બોડિયા , જાવા- સુમાત્ર , ઇન્ડોનેશિયા કે મલેશિયામાં માં પ્રવર્તમાન હતું ? શા માટે આપણાથી આપણો ગૌરવપ્રદ ઈતિહાસ છુપવામાં આવી રહ્યો છે ? છે કોઈ કારણ ? ઇસ. પહેલી સદીથી લઇ ને છેક ૧૪ મી સદી સુધી પરાક્રમી રાજાઓ ના રાજ્ય ની ધજાઓ છેક દક્ષીણ -પૂર્વ એશિયા સુધી ફરકતી હતી ! પરંતુ આપણી નમાલી સરકારો ને અને બની બેઠેલા બુદ્ધીવાદીયો ને ભારત ના ગૌરવપ્રદ ઈતિહાસ ને લોકો સમક્ષ જણાવતા શરમ આવે છે ! કદાચ એમને ડર હશે કે કદાચ કોઈ આપણને વિસ્તારવાદી કહી દેશે તો ? દક્ષીણ-પૂર્વ માં ચાલતા દરિયાય વ્યાપાર પર ભારત નું ઘણું પ્રભુત્વ હતું ! કમાલ ની વાત તો એ છેકે ઉપરોક્ત દેશો અને ટાપુઓં તેમના ઈતિહાસમાં ગૌરવ પૂર્વક જણાવે છે કે તેમની ઉપર ભારતીય રાજા એ રાજ કર્યું હતું ! એટલુજ નહિ પણ પણ આજે પણ જે તે રાજા ના વારસદાર ને રાજા નું સન્માન આપે છે ( મલેશિયા ) ! આજે પણ થાઇલેન્ડના રાજા, રામ ના નામ થી ઓળખાય છે ! આજે પણ ત્યાં અયોધ્યા નામની નગરી આવેલી છે અને બેંક નું નામ પણ અયોધ્યા છે ! આજે પણ બેંગકોક ના આંતરાષ્ટ્રીય હવાઈમથક નું નામ સુવર્ણભૂમિ છે ! આવો કમ્બોડિયામાં સ્થપાયેલ આવા એક ભવ્ય શાસન અને તેમના દ્વારા નિર્મિત મંદિર શ્રુંખલા ની જાંખી કરીએ !
દેશ : કમ્બોડિયા
કમ્બોડિયા માં હિંદુ રાજ્ય નો ઈતિહાસ
હિન્દુત્વ નો પ્રસાર કોને અને ક્યારે કામ્બોડીયા માં કર્યો તેનો સ્પષ્ટ ઈતિહાસ ક્યાય થી મળતો નથી પરંતુ લગભગ ઇસ.૫૦ માં કમ્બોડિયા માં એક ભાવપૂર કરીને શહેર હતું અને ત્યાં ભાવવર્મન પહેલા નું ચક્રવર્તી રાજ હતું તેવું ઈતિહાસ માં નાધાયેલું છે. એવું કહેવાય છે કે તે સમય ભારત સાથે ના વ્યાપાર ને કારણે ભારતીય વ્યાપારીઓ એ હિન્દુત્વ ની જ્યોત આ બાજુ પ્રગટાવી હતી અને ભારતીયોની સમૃદ્ધી જોઈ ત્યાના લોકોએ હિંદુ ધર્મ માં દિલચસ્પી લીધી હશે અને તેને પ્રસારવા નું કામ બાકી રહેલ કામ એક પછી એક આવેલા હિંદુ રાજા એ ખુભી પૂર્વક કર્યું હશે. સૌથી મહત્વ ની વાત એ છે કે હિંદુ ધર્મ ના પ્રસાર માટે ના તો લાલચ આપવામાં આવી હતી કે ના કોઈ જોર અજમાવામાં આવ્યું હતું . ઈતિહાસ માં આવા કોઈ પ્રમાણ મળ્યા નથી .ભાવવર્મન પ્રથમ પછી ત્યાં આગળ તેનો ભાઈ મહેન્દ્રવર્મન ગાદી ઉપર આવ્યો હતો તેને તથા તેના પુત્ર ઈસાનવર્મન પહેલા એ ઉતરોતર પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને ખેમર સામ્રાજ્ય ના પાયા ને મજબૂત કર્યો હતો .આજ સમય માં પૂર્વ કામ્બોડીયા માં બેંગકોક થી નજીક દ્વારવતી કરીને પણ એક રાજ્ય ઇસ .૬૨૮ માં હતું તેનો રાજા ભાવ વર્મન બીજો હતો કે જે ઈસાનવર્મન પ્રથમ નો પુત્ર હતો. ભાવ વર્મન બીજા એ લગભગ ઇસ.૬૫૪ સુધી રાજ કર્યું અને ત્યારપછી તેની પુત્રી જયાદેવી એ રાજ કર્યું . આમ પેઢી દર પેઢી રાજ ચાલતું રહ્યું અને ઇસ.૭૯૦ માં જ્યવર્મન બીજા એ પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને તેને વ્યાધપુરા (દક્ષીણ-પૂર્વ કામ્બોડીયા ) ,સંભુપુર,ઉત્તર માં વાટ ફું સુધી પ્રસાર કર્યો અને પૂર્વ માં અનીન્દીતાપુરા સુધી પોતાનું રાજ્ય નો ફેલાવ કર્યો અને પોતાને ઇસ.૮૦૨ માં વિશ્વ ના રાજા તરીકે ઘોષિત કર્યો. તેને આમરણાંત ઇસ.૮૩૫ સુધી રાજ કર્યું . ઇસ.૭૯૦ થી લઇ ને ઇસ. ૧૩૨૭ સુધી ની તવારીખ નીચે મુજબ છે :
રાજા રાજ્ય નો સમય ગાળો
જ્યવર્મન બીજા ૭૯૦ – ૮૩૫
જ્યવર્મન ત્રીજા ૮૩૫ – ૮૭૭
ઇન્દ્ર વર્મન પહેલા ૮૭૭ – ૮૮૬
યશોવર્મન પહેલા ૮૮૯ – ૯૧૫
હર્ષ વર્મન પહેલા ૯૧૫ – ૯૨૩
ઇસના વર્મન બીજા ૯૨૩ – ૯૨૮
જ્યવર્મન ચોથા ૯૨૮ – ૯૪૧
હર્ષવર્મન બીજા ૯૪૧ – ૯૪૪
રાજેન્દ્ર વર્મન ૯૪૪ – ૯૬૮
જ્યવર્મન પાંચમાં ૯૬૮ – ૧૦૦૦
ઉદયદીત્યવર્મન ૧૦૦૦ – ૧૦૦૨
જયવીર વર્મન ૧૦૦૨ – ૧૦૧૦
સૂર્યવર્મન ૧૦૧૦ – ૧૦૪૯
ઉદયદીત્ય વર્મન પ્રથમ ૧૦૫૦ – ૧૦૬૬
હર્ષવર્મન ત્રીજા ૧૦૬૭ – ૧૦૮૦
જ્યવર્મન છઠા ૧૦૮૦ – ૧૧૦૭
ધારનિંદ્રા વર્મન ૧૧૦૭ – ૧૧૧૨
સૂર્ય વર્મન બીજા ૧૧૧૩ – ૧૧૫૦
યશોવર્મન બીજા ૧૧૫૦ – ૧૧૬૫
ત્રિભુવન આદિત્ય વર્મન ૧૧૬૫ – ૧૧૭૭
જ્યવર્મન સાતમાં ૧૧૮૧ – ૧૨૨૦
ઇન્દ્ર વર્મન બીજા ૧૨૨૦ – ૧૨૪૩
જ્યવર્મન આન્થમાં ૧૨૪૩ – ૧૨૯૫
શ્રીઇન્દ્ર વર્મન ૧૨૯૫ – ૧૩૦૭
શ્રીઇન્દ્રજ્ય વર્મન ૧૩૦૭ – ૧૩૨૭
જ્યવર્મન પરમેશ્વર ૧૩૨૭-
સ્થળ : સીઅમરેંપ
સીઅમરેંપ નો અર્થ થાય છે કે ‘થાઇ ને હરાવ્યા’ ભાગ્યેજ જોવા મળે તેવું ચતુરાઈપૂર્વક રાખેલ નામ થાઇલેન્ડ નજીક ના એક મુખ્ય શહેર માટે અર્થપૂર્ણ નામ ! અંગકોર ના આ સામ્રાજ્ય નો એકવાર ના આધુનિક થાઇલેન્ડ નો ભાગ બની ચુક્યું છે . થાઇલેન્ડ છેવટે કંબોડિયા ને હરાવી અને સીઅમરેંપ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું ૧૭૯૪ થી ૧૯૦૭ સુધી પોતાના તાબા હેઠળ અંગકોર સામ્રાજ્ય ને રાખ્યું હતું .
જયારે ૧૯૦૭ માં ફ્રેંચ લોકોએ કંબોડિયા પર પ્રભુત્વ મેળવ્યું ત્યારથી સીઅમરેંપ ના વિકાસ ના દ્વાર ખૂલ્યા. ફ્રેંચ સ્થપતિ શ્રી એકોલે ફ્રન્કૈસે ના અથાગ પ્રયાસથી અંગકોર આજ આપણી સમક્ષ દ્રશ્યમાન થઈ શક્યું છે .
પાસપોર્ટ / વિઝા નોંધ : બધા મુલાકાતીઓ પાસે પૂરતુ ફંડ્સ હોવું જોઈએ. ઈ વિઝાઑનલાઇન (એક પ્રવેશ પ્રવાસી વિઝા) કરી શકાય છે કે જે 30 દિવસ રહેવા માટે પરવાનગી આપે છે. વધુ જાણકારી માટે www.mfaic.gov.kh જુઓ. નહિંતર, આગમન પર વિઝા 30 દિવસ માટે અદા કરી શકાય છે. એક પાસપોર્ટ ફોટો તથા ૨૦ U.S. $ પ્રવાસી વિઝામાટે સાથે જરૂરી છે.
બેંગકોક (થાઇલેન્ડ) અને ફ્નોમ પેન્હ (કામ્બોડિયા ) વર્ચ્ચે ચાલતી ટ્રૈન કંબોડિયા માં યુદ્ધ ચાલતું હતું ત્યારથી માત્ર થાઈ-કાંબૉડિયન સરહદ ના થાઈ બાજુ પર આવેલ અરન્યપ્રત્હેત વચ્ચે ચાલી રહેલ છે, અને અરન્યપ્રત્હેત (થાઇલેન્ડ) અને બત્તામ્બંગ(કામ્બોડિયા) વચ્ચે સરહદ તરફ ટ્રેન સેવા કેટલાકવર્ષોથી સસ્પેન્ડ છે. ફ્નોમ પેન્હ અને બત્તામ્બંગ વચ્ચે ટ્રેન સેવા પણ કેટલાક વર્ષોથી સસ્પેન્ડ છે.
ફેરી : થાઇલેન્ડ થી કંબોડિયા વચ્ચે કોઈ ફેરી સેવાઓ છે નહિ .જોકે, પગે ચાલીને થાઇલેન્ડ ના કોહ કોંગ સરહદ ક્રોસ કરી ત્યાંથી ૧૫ મિનિટ ની શેર ટેક્સી અથવા (મોટરબાઈક ટેક્સી) મોટોડોપ રાઈડ લઇ અને પછી ત્યાંથી સિહનઔક્વિલ્લે જઈ ત્યાંથી ફેરી દ્વારા જઈ શકાય છે
બેંગકોક થી સીએમરીપ પહોચતા લગભગ 6-9 કલાક લાગે છે અંદાજે ૪૬૫ કી.મી છે, 6-9 કલાક ટ્રિપછે. સામાન્ય રીતે ૪-૫ કલાક ના પ્રવાસ બસ દ્વારા બેંગકોક થી અરન્યપ્રત્હેત (‘અરણ ‘ ) નામ ના ટાઉન પહોચતા થાય છે , જે થાઈ બાજુ ની સરહદપર નું છેલ્લું ટાઉન છે, પછી ટુક -ટુક દ્વારા સરહદ ક્રોસિંગ કરી કમ્બોડિયા ની સરહદ પોઈપેટ નામ નું ટાઉન આવેલ છે કે જે ફક્ત ૬ કિ.મી. દુર છે .પોઈપેટ થી સીએમ રીપ નો માર્ગ હવે ખુબ સરસ થઇ ગયેલ છે અને લગભગ ૩ કલાક માં સીએમ રીપ પહોંચવા માટે લાગે છે .જમીનમાર્ગે પ્રવાસ આયોજન બે વિકલ્પો છે: (1) બેંગકોક થી પેકેજ ટિકિટ ખરીદી; (2) અથવા ટીકીટ લઇ જાતે આયોજન કરવું
વીજળી: 220 વોલ્ટ, 50Hz. મુસાફરો ખાસ ધ્યાન રાખો કે પાવર કટ વારંવાર થતો હોય છે અને મહાનગર બહાર, વીજળી સામાન્ય રીતે માત્ર સાંજે ઉપલબ્ધ હોય છે
અંગકોર ના મંદિર : એવું કહેવાય છે કે જો આપ કમ્બોડિયા ફરવા માટે ગયા હોય અને જો આપ અંગકોર વાટ ના ઐતિહાસિક મંદિર, પ્રાચીન ખ્મેર સામ્રાજ્યની મુલાકાત ન લીધી હોય તો આપ ની એ મુલાકાત અધુરી રહી ગણાય , ૯ અને ૧૩ મી સદીમાં વચ્ચે બંધાયેલ , ૧૦૦ કરતાં વધુ મંદિરો શોધી કાઢવામાં આવ્યા છે એટલુજ નહિ આ પ્રાચીન સભ્યતા , પ્રાચીન સંસ્કૃતિ અને તેના સમયના સૌથી મોટા શહેરો માંના એક ગણાય છે . અંગકોર વાટ અત્યાર સુધીમાં બંધાયેલા સૌથી મોટું ધાર્મિક સ્મારક છે , એક પ્રભાવશાળી હિન્દૂ મંદિર શ્રુંખલા છે કે જે ની ચારે તરફ ઊંડી કેનાલ બનાવી મંદિર ને સુરક્ષિત રાખવા નો પ્રયાસ કરેલ છે .આ એક વિશ્વની અજાયબીઓની તરીકે જાણતા છે. અંગકોર થોમ આ કોટ રોયલ સિટી બયોન મંદિર અને તેના વિશાળ પથ્થરના ચહેરાઓ લગતા મંદિર , નું એક અનન્ય આકર્ષણ છે.
સરનામું: સીએમ બહાર ૩ માઇલ (૫ કિમી ) ; પ્રવેશ: U.સ.$ ૨૦ . એક દિવસ માટે
કંબોડિયા લેન્ડમાઈન્સ મ્યુઝિયમ
અકિરા’સ લેન્ડમાઈન્ મ્યુઝિયમ
અંગકોરવાટ લેન્ડમાઈન્ મ્યુઝિયમ પ્રાચીન ખ્મેર ભવ્યતા ઉપર કલંક સમાન છે. આ લેન્ડમાઈન્ કંબોડિયા ના ભયાનક રાજકીય અને સામાજિક ચહેરા ને ઉજાગર કરે છે . અકિરા નામ ના ભૂતપૂર્વ ખ્મેર રગ બાળ સૈનિક દ્વારા સ્થપાયેલ આ સંગ્રહાલય, મુશ્કેલીગ્રસ્ત સમય તરફ સ્પષ્ટ રીતે ધ્યાન ખેંચે છે. આજે પણ હજારો માનવી ઓં જમીન માં દટાયેલી સુરંગો નો ભોગ બને છે . હજુ પણ સુરંગો ને શોધવાનું અને તેને નકામી કરવાના પ્રયત્ન હોવા છતાં, અંદાજ છે કે અડધા કરતાં ઓછી સાફ કરવામાં આવી છે. અકિ રા એ પોતે રા 50,000 ઉપર ને નિષ્ક્રિય કરી છે, તેની પોતાની પહેલ પર ઘણી જમીની સુરંગો અને ઘણા અન્ય શસ્ત્રો આ સંગ્રહાલય સમાવાયા છે.
નેશનલ મ્યુઝિયમ અંગકોર નેશનલ મ્યુઝિયમ
અંગકોર ના મંદિર ની મુલાકાતએ જવાના માર્ગ ઉપર આ આ સંગ્રહાલય બનવા માં આવ્યું છે કે જેથી મુલાકાતીઓ ખેમર સંસ્કૃતિ ની ઊંડાણપૂર્વક સમજ કેળવી શકે અને મુલાકાતીઓ ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને અન્ય કથાઓ થી રૂબરૂ થઇ શકે કેમ કે મોટે ભાગે જ્યારે માર્ગદર્શિકા વગર અંગકોર મંદિરો જોવા જાય ત્યારે તેનાથી અજાણ રહી જાય છે . આ સંગ્રહાલય મલ્ટીમીડિયા શો દર્શાવે છે અને વિવિધ માનવસર્જીત વસ્તુઓ દ્વારા ખ્મેર સંસ્કૃતિ સુવર્ણ સમય ને ઉજાગર કરે છે. આ ઇમારત પોતે અત્યંત આધુનિક વાતાનુકૂલિત , ભવ્ય અને પ્રચંડ ૨૦ ,૦૦૦ પર ચોરસ મીટર જગ્યા માં આવેલ છે.
સરનામું: નો .૯૬૮ , વિથેઈ ચાર્લ્સ ડી ગૌલ, ફોઉંમ સલાકાન્સેંગ , ખોમ સ્વય્દાન્ગુમ , સિઅમરેપ ; ઇ મેલ: info@the-anm.com; વેબસાઈટ: http://www.angkornationalmuseum.com; ખુલવાનો સમય: 1 30 સપ્ટેમ્બર દરરોજ સવારે ૮ .૩૦ થી સાંજે ૬ સુધી ખુલ્લું હોય છે; 1 ઓક્ટોબર 30 એપ્રિલ: દરરોજ સવારે ૮.30 થી સાંજે ૬ ૩૦ છે; પ્રવેશ: બિન-કમ્બોડિયનો માટે પ્રવેશ $ 12 ફોટોગ્રાફી માટે વધારાના $ 3 છે
ઓઍન્ગ તોન્લે સાપ (તોન્લે સાપ તળાવ) એશિયા નું એક સૌથી મોટું તાજા પાણી નું તળાવ છે, અને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇકો સિસ્ટમ આના પર નભે છે. આ તોન્લે સાપ બાયોસ્ફિયર રિઝર્વ માં ના આ પ્રેક તોઅલ પક્ષી અભયારણ્ય માં રહેવાસી પક્ષીઓ જેવા કે બાજ, સ્ટોર્ક , પેલિકન અને માછલી ઈગલ્સ નો સમાવેશ થાય છે આ ઉપરાંત માછલી, મગરો, કાચબા, મુહ્કાક ( લાંબા મોઢા વાળું અને છાતી ઉપર ખોરાક રાખવા ની કોથળી વાળું વાંદરું ) અને ઓત્તેર , તેમજ પાણી માં સ્તંભ ઉપર ટકેલા અથવા ફ્લોટિંગ ઘરો માં રહેતા ગ્રામજનો સમાવેશ થાય છે. આ શ્રેષ્ઠ પક્ષીઓ જોવા નો સમય ઉનાળાની સુકી ઋતુ છે. આ ઉપરાંત સીએમરેપ માં તોન્લે સાપ નું પ્રદશન પણ છે કે જે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને પર્યાવરણ ના પ્રદર્શન દ્વારા ખ્મેર વારસા ની તાકાતનું પ્રદર્શન કરે છે .
સરનામું: આ તળાવ સિઅમ રેપ ની દક્ષિણે લગભગ ૯ માઈલ (૧૫ કિમી) દુર આવેલ છે ; ટેલીફોન: તોન્લે સાપ (૦ ) પ્રદર્શન ૯૬૪ ૬૩ ૬૯૪ ; ફેરી ફ્નોમ પેન્હ અને સીએમ રેપ વચ્ચે ની ફેરી ચોંગ ખ્નેઅસ નામ ના ગામ ખાતે તળાવ અને બંદરગાહ વચ્ચેથી પસાર થાય છે . આ તોન્લે સાપ પ્રદર્શન અંગકોર વાટ માટે ના માર્ગ પર જયવર્મન સાતમા હોસ્પિટલ પછી તરત છે, ખુલવાનો સમય:. બધા આકર્ષણો દરરોજ સવારે ખુલે છે જોકે પ્રદર્શન બપોરે ૧૨ થી ૨ વચ્ચે બંધ રહે છે; પ્રવેશ: ચોંગ ખ્નેઅસ ફ્લોટિંગ ગામ બોટ પ્રવાસ: U.S. $ 6 ; પ્રેક તોઅલ પક્ષી અભયારણ્ય પ્રવેશ: U.S. $ 5, $ પ્રવાસ 15-25 U.S.; તોન્લે સાપ પ્રદર્શન: મફત છે.
બેંગ એઅલેઅ મંદિર
આ મંદિર સેન્ડ સ્ટોન માંથી બનેલ છે .અને સીએમ રેંપ થીપહોચતા લગભગ ૫ કલાક લાગે છે . આ મંદિર જંગલ માં આવેલા હોવા થી અને તેની મુલાકાત સાર્થક લાગે છે આ મંદિર સંકુલ અંગકોર વાટ ના સમાન સ્કેલ પર છે અંદાજે બારમી સદી માં બંધાવ્યા હતા. પરંતુ ઘણા સમય થી ત્યજી દીધેલ હોય તેવું પ્રતીત થાય છે . અહી થી લુટારાઓ પૌરાણિક મહત્વ ધરાવતી પ્રતિમાઓ ઉઠાવી ગયા છે .પરંતુ અન્ય રીતે આ માળખું તેના ઐતિહાસિક ધરોહર અને ગુણવત્તા કારણે મુલાકાતીઓ આવતા રહે છે ભલે ઓછા પ્રમાણ માં આવતા હોય , પણ આવે છે જરૂર
સરનામું: સીએમરેંપ થી ૪૫ માઇલ (૭૦ કિમી ) પ્રવેશ ફી : $ ૫
ઇંડિયન રેસ્ટોરેંટસ
ચૂસસ્કા રેસ્ટોરેંટ:
ઇંડિયન વેજિટેરિયન રેસ્ટોરેંટ
ઓલ્ડ માર્કેટ ઍરિયા, સ્ટ્રીટ 7,
વન બ્લૉક નોર્થ ઓફ પબ સ્ટ્રીટ
ટેલ: ૦૧૨ -૨૧૨૧૩૮
કરી વૉલા રેસ્ટોરેંટ :
#805, સીવાતા બ્લ્વડ.
રોડ તો અંગકોર નાઇટ માર્કેટ
ઇંડિયા ગેટરેસ્ટોરેંટ:
ટેલ: 063-૯૬૫૪૫૧
સ્ટ્રીટ ૯ , ઓલ્ડ માર્કેટ ઍરિયા
ટેલ: ૦૯૩ -૪૦૦૧૪૮
ધી ઇંડિયન રેસ્ટોરેંટ
ઓલ્ડ માર્કેટ ઍરિયા, ઑપોસિટ તે પ્રોવિન્ષિયલ હોસ્પિટલ
લંકાવી : પુલઉં લંકાવી એ ૯૯ દ્વીપ સમૂહ માના ચાર મુખ્ય દ્વીપ નો સમૂહ છે કે જ્યાં માનવ જીવન ખુબસરસ રીતે વિકસિત થયું છે . અહીંથી શિખર ઉપરથી થાઈલેન્ડ ના કેટલાક દ્વીપ દ્રશ્યમાન થાય છે
આઈ એસ ડી કોડ : ૦૦૬૦-૪
સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ + ૨.૫ કલાક
ચલણ : મલેશિયન રીંગટ (MYR)
વિનિમય દર : ૧ રીંગટ = ૧૬.૪૪ રૂપિયા www.xe.com
ભાષા : તમિલ , ભાષા મલય , કેન્તોનીસ, મેન્ડારીન અને ઈંગ્લીશ
કેવી રીતે જવાય :
હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર માટે ફ્લાઈટ છે
હું પ્રાર્થના ….ઈશ્વર ની સૌથી મનપસંદ …ઈશ્વર અને માનવ વરચે સેતુ .. હજારો વર્ષથી હું આપ સૌની .. લાગણી, જરૂરિયાત, તકલીફ , આજીજી , પ્રેમ અને મુશ્કેલી ઈશ્વર સુધી પહોચાડવા નો પ્રયત્ન કરતી રહી છું … આપ સૌ એ વ્યક્ત કરેલી ભાવનાઓ ભલે તે શબ્દ સ્વરૂપે હોય, મૌન ના રૂપ માં હોય , ધ્યાન ના માધ્યમથી હોય , સુફિયાના અંદાજ માં હોય કે પછી ભજન દ્વારા વ્યક્ત થયેલી હોય મેં હમેશા યથા યોગ્ય ઈશ્વર કે ગુરુ સુધી પહોચાડી છે પણ હું દુખ સાથે કહું છુકે આમાંથી મોટા ભાગની ‘પ્રાથના’ઓ વાસનાથી ભરેલી મળી છે, જેના તરફ ઈશ્વર એક નજરે જોવા પણ રાજી નથી ! હું ક્ષુબ્ધ છું ! લાચાર છું , વ્યથિત છું , દુખી છું ..કંટાળી છું …ઉબકાઈ ગઈ છું ..આજ મારે તમને મારી કહાની કહેવી છે , આજ મારે તમને અવગત કરાવવા છે , મારી અંદર ચાલતા ભીસણ દ્વંદથી , મારે વહેચવું છે મારું દુખ .. જોડવા છે મારા આંતર કલહ થી તમને આજે અને અત્યારે …હું ઈચ્છું છું કે તમે હવે મારા દ્વારા સંદેશ પહોચાડો તો એ અમીસભર હોય, લાગણી થી છલકતો હોય, કોઈ ના કલ્યાણ માટે હોય , કોઈ ના સુખ માં ભાગીદાર થવા માટે હોય ..આનંદ નો ઉત્સવ હોય કેમકે જે તમે ઈશ્વર ને મોકલશો તેમાં તે વધારો કરીને પાછું આપશે ! બોલો શું સંદેશ આપવો છે તમારા પ્રિય ભગવાન ને , ઈશ્વર ને કે અલ્લાહ ને ?
તમે માનશો, આ માનવ જીવન ની શરૂઆત ની સાથે મારું અસ્તિત્વ સ્વીકારાયેલું છે. જેમ જેમ માનવ જીવન નો વિકાસ થતો ગયો તેમ તેમ મારી ઉપયોગીતા સમયાંતરે બદલાતી રહી પણ મારું સ્વરૂપ તો એનું એજ રહું ! આદિકાળથી માનવ અને હું એક સાથે આગળ વધતા રહ્યા ! વન્યજીવન છોડી માનવ જયારે વસાહત બનાવી ને રહેવા લાગ્યો ત્યારથી મારી ઉપયોગીતા વધતી ગઈ .
હું સાક્ષી છું આદિકાળની જયારે માનવે અસ્તિત્વ માટે સખત સંઘર્ષ કરેલો. હું એવા કેટલાય હુમલાની સાક્ષી છું કે જેમાં આખે આખી માનવ વસાહત નાશ પામી હોય.. જંગલમાંથી રાની પશુના અવિરત હુમલા થતા રહેતા , જંગલી ટોળીયો ના હુમલા પણ સતત ચાલુ રહેતા , નદી ના વહેણ અચાનક બદલાઈ જાય , સતત વરસાદ થી નદી માં ઘોડા પુર આવતા અને ધરતીકંપ પણ વારંવાર અનુભવાતો અને આવા કારણોસર આખે આખી માનવ વસાહત ઉજ્ડી જતી ..આવી વિષમ પરિસ્થિતિ ને કારણે સતત સંઘર્ષમય જીવન જીવતા , સતત અસ્તિત્વ ની લડાઈ લડવી પડતી અને તેમાં વિજય થનાર નેજ જીવનનો હક્ક રહેતો . સુરક્ષા ના સાધનો ખુબજ નહીવત હતા અથવા તો અલભ્ય હતા .. આ સતત સંઘર્ષમય જીવન માં એકજ સહારો હતો એને તે ઈશ્વર , ભગવાન કે દેવ જે તમે કહેતા હોય તે ! અને તેમના સુધી પહોચવાનો , તેમની સાથે સંપર્ક સ્થાપવાનો , કે તેમને પોતાનો તકલીફ માં મદદ કરવા સંદેશ પહોચાડવા નું એક માત્ર સશક્ત માધ્યમ જો હોય તો તે હું !એટલેકે તમે જેને પ્રાર્થના તરીકે ઓળખો છો તે ! આ સમયે તે કાળના માનવી એ મારા ઉપયોગ ની શરૂઆત કરેલી .. તે મારા દ્વારા ઈશ્વર ને સંદેશ પહોચાડતા અને આશા રાખતા કે મારા દ્વારા તેમને પહોચાડેલ સંદેશ ઉપર ઈશ્વર જરૂર થી તેમને સહાય કરે અને આવી પાડનાર મુશ્કેલીઓ માંથી તેમને ઉગારે !
તમને થતું હશે કે મારું નામ પ્રાર્થના કેવી રીતે પડ્યું ? મારા નામ નો કઈ અર્થ છે કે એમજ પાડી દીધેલું ? અને કોને પાડ્યું ? મારા ફોઈ કોણ હશે ? સાચું કહું ! મારું નામ કોણે પાડ્યું તે તો હવે મને પણ યાદ નથી પણ હા કેવી રીતે પડ્યું એ તો મને આજે પણ યાદ છે ! આમ તો એવું કહેવાય છે કે મારા નામ નો ઉદભવ સંસ્કૃત ભાષા માં થયો હતો ! પ્રા + ધના પ્રા એટલે વિશિષ્ટ રીતે માંગવું અને ધના એટલે કે સુખ કે સંપતિ ! ધન એ ધાન્ય સાથે ખુબ નજીક થી જોડાયેલ છે. ધાન્ય એટલે કે અનાજ ! પ્રાચીન સમય માં અનાજ ને ખુબજ મહત્વ ની સંપતિ માનવા માં આવતી હતી !
બીજી માન્યતા મુજબ મારું નામ બે શબ્દો થી બનેલ છે પ્રા + અર્થ + ના જેમાં પ્રા નો મતલબ થાય છે કે સ્ત્રોત અર્થ એટલેકે સંપતિ અને ના એ બોલતી વખતે અંદર થી નીકળતો અવાજ છકે જે શરીર નો નાદ છે ! મારા દ્વારા એટલે કે પ્રાથના દ્વારામાનવી બધીજ પ્રકાર ની સંપતિ ના મૂળ સુધી પહોચી શકે છે એટલ કે ઈશ્વર સુધી પહોચી શકે છે !!!
ત્રીજો અર્થ થાય છે કે દુ:ખ દુર કરવાની વિનંતી ! પ્રા એટલે લાગણી વ્યક્ત કરવી અને અર્થા એટલે દુખ, ભય ,શોક, અશાંતિ ,આફત અને અનિશ્ચિતતા અને ના એ અવાજ છે જે લાગણી વ્યક્ત કરતો ઉત્પન થાય છે અવાઝ દ્વારા દુખી પાના ની લાગણી વ્યક્ત કરવી અને અને તેમાંથી માર્ગ કડી આપવાની વિનંતી કરવા ને પ્રાથના કહે છે.
ટૂંકમાં પૌરાણિક સમયમાં અવાજ કે અવાજના કંપન દ્વારા ઈશ્વર સાથે કોમ્યુંનીકેસન કરવામાં આવતું હતું .જુદા જુદાસમયે ઈશ્વર , ભગવાન, દેવતા સાથે સંપર્ક સાધવા માટે હું એટલેકે પ્રાર્થના એ એક મહત્વનું સાધન છું. મને ગૌરવ છે કે હું કોઈપણ વ્યક્તિને પોતાને અનુરૂપ લાગે તેવી રીતે ઈશ્વર સુધી પોતાની લાગણી , વ્યથા , ઇરછા , આશા પહોચાડી શકવાનું માધ્યમ બની શકી છું.
જુદા જુદા આરોહ અવરોહ વાળા ઉચ્ચારણો થી બનેલા મંત્ર દ્વારા પણ મારા થકી ઈશ્વર ને સંદેશ પહોચાડવાનું ઘણા પંડિતો અને ઋષિમુનીઓ કાર્ય કરતા આવ્યા છે . તેઓ એ જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિ ને અનુરૂપ અને વિવિધ જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને મંત્રો બનાવ્યા છે કે જયારે રાજા યુદ્ધ પર જવાના હોય , લગ્ન પ્રસંગ હોય, બાળકોનો જન્મ પ્રસંગ હોય ,રહેઠાણ બદલે અથવા નવા રહેઠાણ પર રહેવા જાય ત્યારે અથવાતો નવી સંપતિ મેળવે ત્યારે પણ ઈશ્વર નો આભાર માનવા અથવાતો આશીર્વાદ મેળવવા પણ મારો ઉપયોગ આદિકાળ થી આજસુધી થઇ રહ્યો છે .
આપ સૌ જાણો છો કે વૈદિકકાળ થી લોકો સારો પાક મેળવવા , રક્ષણ મેળવવા અને યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તેમાટે મારા દ્વારા ભગવાન ને વિનંતી કરે છે .ટુકમાં સુખ, સંપતિ, શાંતિ , સદભાવ અને પોતાના પાલ્ય ના શ્ર્યાર્થે ઈશ્વર ના આશીર્વાદ મેળવવા મારો ખુબ ખુબ ઉપયોગ કરેછે . આજે પણ લોકો માને છે કે મારા દ્વારા પાપ કર્મો ધોઈ શકાય છે ,દુશ્મન ને દુર રાખી શકાય, રોગચાળો થી દુર રહી શકાય અને માનવીય જીવન સુખમય બનાવવા માટે હું શ્રેષ્ટ વિકલ્પ છું . સાચું કહેજો મારા શિવાય વિકલ્પ છે ખરો ?
આમ જુઓ તો હું ઈશ્વરનું સાનિધ્ય માણવા માટેની એક માત્ર રાહબર છું મારા દ્વારા આપ પ્રશ્નો પૂછી શકો છો , આપની લાગણી વ્યક્ત કરીશકો છો , આપની તકલીફો વર્ણવી શકો છો અને તે અંગે ઈશ્વર સાથે ચર્ચા પણ કરી શકો છો . આજ નાસતત તાણ ભર્યા જીવન માં તાણ મુક્ત થવા માટે હું એક મહત્વની સાથીદાર છું આ ઉપરાંત કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ ના સમૂહ પ્રત્યે કુદરત સમક્ષ સહાનુભતિ દર્શાવવા પણ મદદરૂપ થાઉં છું . હું એક એવું શશક્ત માધ્યમ છું કે મારા દ્વારા આપ આપની લાગણી વ્યક્ત કરી શકો , આપના હૃદય ની વાત ને ઈશ્વર સમક્ષ રાખી શકો અથવા તો આપના આત્મા ના આવાજ ને પણ ઈશ્વર સમક્ષ પ્રદર્શિત કરી શકો છો . મારા દ્વારા આપ ઈશ્વર પ્રત્યે ની આસ્થા, પ્રેમ, શ્રદ્ધા ને વિનંતી વ્યક્ત કરી શકો છો એટલુજ નહિ પણ આપની લાચારી દર્શાવી પોતાની જવાબદારી ઈશ્વર ને ભળાવી શકો છો અને તેમના દ્વારા આપની ઇરછા પુરતી પણ કરી શકો છો . ઈતિહાસમાં આવા અસંખ્ય દાખલાઓ છે કે જેમકે નરસૈયા એ દીકરી નું આણું વળાવવા ની જવાબદારી શ્રીકૃષ્ણ પાસે પૂરી કરાવી હતી આ ઉપરાંત હિંદુ પુરાણ , રામાયણ તથા મહાભારત જેવા મહાગ્રંથો આવા એનેક કિસ્સાઓ દર્જ થયેલા છે કે જેમાં ઈશ્વરે તેમની પ્રત્યે આસ્થાવાન લોકો ની વહારે દોડી આવી અને તેમને ઉગાર્યા હોય ! જયારે પુણ્યાત્માઓ એ ખરા હૃદય થી ઈશ્વર ને પોકાર્યા હોય અને જયારે ભગવાન ને લાગે કે હવે મારા ભક્તો ના કલ્યાણ માટે જન્મ લેવાની જરૂર છે ત્યારે ખુદ ધરતી પર દોડી આવી ને પાપાત્માઓનો નાશ કર્યો છે અને સતયુગ ની સ્થાપના કરી છે.
વિશ્વ ની દરેક સંસ્કૃતિમાં તથા દરેક ધર્મ માં મારું મહત્વ સ્વીકારાયેલું છે . મુસ્લિમો મને સલાહ્ તરીખે ઓળખે છે , ખ્રિસ્તી મને પ્રેયર કહે છે , બુદ્ધ ધર્મ અને જૈન ધર્મ માંપણ મારું મહત્વ એટલુજ છે .
સતત મંત્રોચાર , અખંડ જાપ , સુમધુર ભજન ગાયન દ્વારા પણ ઈશ્વર સુધી પહોચવાનો વિશિષ્ટ રસ્તો લોકો અખત્યાર કરતા હોય છે .વાલ્મીકી, સંત તુકારામ , પાનબાઈ, મીરાં વિગરે આના ઉદાહરણ છે . વળી ઇસ.૧૩૯૮ માં જન્મેલ સંત કબીરે ઈશ્વર ને બહાર શોધવાની બદલે પોતાની અંદર શોધવાની વાત તેમને નીચે ના દોહા દ્વારા કહી :
मो कहा धुन्धो बन्दे , में तो तेरे पास में
ना में बकरी , ना में भेंडी , ना में छुरीगंदास में
नहीं खाल, नहीं पोंछ में, ना हड्डी , ना मॉस में
ना में देवल , ना में मस्जिद , ना काबेकैलाश में
ना तो कौनो क्रिया कर्म में , नहीं जोग बैराग में
खोजी होय तो तुरतै मिलिहो,पल भर की तलाश में
ઉપરોક્ત પંક્તિ માં કબીર કહે છે કે ઈશ્વર ને શોધવા હોય તો બહાર ફાફા મારવાની જરૂર નથી .તે આપની અંદર છે અને જો ખરેખર આપની અંદર શોધીએ તો તુરત મળી જાય ! ઈશ્વર ને પામવાનો સૌ નો અધિકાર છે . આપને ઈશ્વર ને ખોઈ દીધા હશે તો ક્યારે પામી નહિ શકીએ પણ આપણે ખોયા નથી માટે મળવાની સંભાવના છે ! લાખ રૂપિયા નો પ્રશ્ન એ છે કે જો ખોયાજ ના હોય તો શોધવા કેવી રીતે ? માટે ઈશ્વર એક પહેલી બની ગયા છે . વિયોગ થયો નથી તો યોગ નો પ્રશ્નજ ઉપસ્થિત થતો નથી ! ખરેખર જરૂર છે આંખો ખોલી ને જોવાની ! બીજું કે જે અંદર છે તેને પામવું મુશ્કેલ થઇ જાય છે કેમ કે બધીજ ઇન્દ્રિયો બહારની તરફ જુએ છે ..આંખ બહાર જુએ છે, હાથ બહાર સ્પર્શે છે , નાક બહારથી ગંધ લે છે આમ આપણી પાંચેય ઇન્દ્રિયો બહાર તરફ જુએ છે અને ઈશ્વર અંદર છે. ઇન્દ્રિયો પ્રકૃતિ નો હિસ્સો છે ..પ્રકૃતિ બહાર છે અને ઈશ્વર કે જે ને આપણે અંતરાત્મા કહીએ છીએ તે અંદર છે. પ્રકૃતિ સાથે જોડવા માટે ઇન્દ્રિયો ની જરૂર છે અને ઇન્દ્રિયો વગર પ્રકૃતિ સાથે નાતો બનાવી રાખવો સંભવ નથી .અને જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે ત્યાં સુધી ઈશ્વર સાથે નાતો સંભવી શક્તો નથી. અંદર તરફ ની યાત્રા અતીન્દ્રિય છે .જ્યાં ઇન્દ્રિયો ને છોડી ને જવું પડશે..જયારે તમારી દ્રષ્ટિ આંખ ને છોડી દેશે ત્યારે તે અંદર તરફ જોશે !
અહી સમજવાની જરૂર છે આંખ અને દ્રષ્ટી બે ભિન્ન બાબત છે .. કહ્રેખર આંખ જોતી નથી પણ આંખની પાછળ રહેલી દ્રષ્ટી જુએ છે જેમ કે તમે કોઈ કામ માં ખુબ મશગુલ થઇ ગયા હોવ ત્યારે આસ પાસ થતી હિલચાલ આપણને ધય્ન માં આવતી નથી ..આપણી આંખ સમક્ષ કોઈ આવી ને જતું રહે છતાં આપણે એ નોધ લેતા નથી કેમ ? આંખો એ તો તેમને જોયા હોય છે પણ તમારી દ્રષ્ટી એના પર નથી પડી માટે આપણે એમને જોઈ શકયા નહિ .. બીજું ઉદાહરણ લઈએ કે માનો કે આપણી આસ પાસ બોમ્બ બ્લાસ્ટ થાય છે આપણે ભાગીયે છીએ જીવ બચવા માટે તે સમય કોઈ આપણને સાદ દે છે , પણ આપણે સાંભળવા છતાં રોકાતા નથી ..કેમ ? તેવુજ આપણી અંદર રહેલા ઈશ્વર નું છે આપણી દ્રષ્ટી નથી માટે આપણને દેખાતા નથી માટે કબીર કહે છે કે શોધો તો તરત મળે પલભર ની તલાશ માં …
આધુનિક સમય માં મારો સૌથી વધુ મહિમા વધાર્યો હોય તો તે મહાત્માગાંધી એ ! તેઓ એ એક નવું પરિમાણ દાખલ કર્યું તેમને કોઈ પણ જાત ની આશા રાખ્યા વગર અથવાતો કોઈ પણ અપેક્ષા વગર મારા દ્વારા ઈશ્વર ને દરરોજ નિશ્ચિત સમયે યાદ કરવાનું લોકો ને આહ્વાન કર્યું એટલુજ નહિ પણ તેનો અમલ પણ એટલીજ ધ્રડતા થી કર્યો . તેમને મારા વિષે નો ખ્યાલ ને ખુબ સુંદર રીતે રજુ કરતા જણાવ્યું કે “આત્માસુદ્ધી ને સારું નિરંતર ઈશ્વર સ્તવન કરવું તેનું નામ પ્રાથના ” ”પ્રાથના એટલે ઈશ્વર પાસે સંસારી સુખ કે બીજા સ્વાર્થ સાધવાની માગવી એ નહિ . પ્રાથના એ કલેશ પામેલા આત્માનો ગંભીર નાદ છે અને તેની અસર જગત ઉપર થયા વગર રહેતી નથી અને તે પ્રાથના ઈશ્વર ના દરબાર માં સંભળાયા વિના રહેતી નથી. વ્યક્તિ અથવા તો પ્રજા જયારે મોટા સંકટથી પીડાય છે ત્યારે પીડા નું શુદ્ધ જ્ઞાન એજ પ્રાથના “
રોજ લાખો અને કરોડો લોકો મારા દ્વારા ઈશ્વર ને પોતાનો સંદેશ પહોચાડવાની કોશિશ કરે છે પરંતુ મને કહેતા દુખ થાય છે કે એ “પ્રાથના” કરતા વાસના વધારે હોય છે અને એટલે તે પ્રાથના તમારી ઈશ્વર સુધી પહોચતી નથી ..
આજ ઘણો સમય થઇ ગયો છે હવે ફરી વખત મળીયે ત્યારે હું તમને જણાવીશ કે ઈશ્વરને કેવી રીતે મારા દ્વારા સંદેશ પહોચાડી શકાય અને ઈશ્વર ને કેવા સંદેશ ગમશે ! તો ફરી મળીયે….
સખી , આંઠ આંઠ માસ ના અમને ઝુરાપા
શેની જુએ છે વાટ ,સખી વરસી જાને મુશળધાર !
અષાઢી રાત્રે વાદળ બની કેમ ના આવે મળવા દોડી ?
તું સમજે ના કોઈ સાન માં , આજ ભીંજાવું તારા વાહલ માં !
નયનો વહાવે યાદ ને સખી કેમ ના વહાવે વહાલ !
ચલ આજ ના છોડીયે લાહવો, એક બીજા થી ભીંજાવાનો ,
ભીંજાવાનું ને ભીંજવાનું ચાલ કરીએ સહિયારું
ના ન કહેતા તમને મારા સમ , જો હોય મન મળવાનું !
સખી આજ હું ગાવું મલ્હાર ને તું કેમ ના વરસે અનરાધાર !
શેની જુએ છે વાટ ,સખી વરસી જાને મુશળધાર !
જીવન સંગીત પ્રગટે છે જીવન માધુર્યમાંથી . જીવન માધુર્ય ફેલાય છે સુમધૂર સંબંધોમાંથી .સુમધૂર સંબંધોની આધારશીલા છે ભાવસભર લાગણીઓનું ખળ ખળ વહેતુ ઝરણુ . ભીની ભીની લાગણીઓની છાલકો ની આહલાદકતા નો જે અનુભવ કરાવી શકે છે તેજ અસ્તિત્વ નો ઉત્સવ ઉજવી શકે છે. પરંતુ આજ આપણે ઊંધા માર્ગે છીએ, માર્ગ થી ભટકી ગયા છીએ, માર્ગની ખબર જ નથી. કદાચ ઉતાવળા થયા છીએ, બેબાકળા થયા છીએ , અસ્તિત્વનો ઉત્સવ ઉજવવા માટે , પણ ઉજવી શકતા નથી . અસ્તિત્વના ઉત્સવની પૂર્વશર્ત ને આપણે મરોડી નાખી છે . ભીની ભીની લાગણીઓથી ભીંજાવું તો છે પણ ભીંજવવાનો પ્રયત્ન કરવો નથી. સુમધૂર સંબંધોની વાંસળીમાંથી રેલાતા સુરો માં લીન તો થવું છે પણ જવાબદારી નથી લેવી .અહં ..ના.. ના જરા.. પણ.. નહિ. થોડી અમથી પણ નહી.શ્વાસ પણ નથી લેવો . એક મિનીટ રોકાવું પણ નથી .મોકો પણ ચૂકવો નથી . તુરત ઘા કરી દેવો છે , સામા પક્ષે . સુમધૂર સંબંધોના દરિયામાંથી ઉછળતા મોજામાંથી ઉઠતી છોળો માં ભીંજાવું હોય તો એક અને માત્ર એક શર્ત છે સ્વીકાર. સંપૂર્ણ સ્વીકાર. સામા પક્ષ નો પણ અને જવાબદારી નો પણ. અહિયાં પ્રશ્ન એ પણ ઉઠે છેકે સંપૂર્ણ સ્વીકાર એટલે શું ? કોઈ પણ વ્યક્તિ નો તેના ગુણ અને અવગુણ સાથે સ્વીકાર !જયારે આપને કોઈ ના પ્રેમમાં હોઈએ ત્યારે આપણે તે જ જોવા ની કોશિશ કરીએ છીએ કે જેનાથી આપણી તેના પ્રત્યે ની પ્રેમ ની લાગણી ને પુષ્ટિ મળે . અહી આપણે સિલેક્ટિવ બનીએ છીએ .અહી આપણે મનગમતા પાસા દ્વારા આપણી પસદગી ને યોગ્ય ઠરાવવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈ પણ શ્રેષ્ટ વ્યક્તિ ને પણ ખરાબ પાસું હોઈ છે અને ખરાબ વ્યક્તિ માં પણ શ્રેષ્ટ પાસું હોય છે . સંબંધો એ વિરોધાભાષી વિકલ્પો નો સરવાળો છે. દરેક સુખ ની પાછળ દુ:ખ જોડાયેલું છે અને દરેક દુ:ખ સાથે સુખ જોડાયેલું છે. સંબંધો એ બે કિનારા વરચે વહેતી નદી જેવા છે. સંબંધો એક કિનારાથી વહી ના શકે! એ અલગ વાત છે કે આપણને બીજો કિનારો ન દેખાય ! અથવા તો આપણે બીજો કિનારો જોવા ન માંગતા હોઈએ પણ એ હકીકત છે કે જયારે તમે એક કિનારા થી કંટાળી જશો ત્યારે બીજા કિનારે આપ ઉભા હશો એ નિશ્ચિત છે . જયારે આપણે સૌન્દર્યને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે આપણે એક કિનારા નો વિકલ્પ સ્વીકારીએ છીએ.એક દિવસ આપણે સૌન્દર્ય થી થાકી જશું. આપનું મન જે મળે તેના થી એક ને એક દિવસ ભરાઈ જાય છે , ધરાય જાય છે .ત્યારે આપણે કંટાળવા માંડીએ છીએ ..અને જે વિકલ્પ આપણે છોડ્યો હોય , જે વિકલ્પ પ્રત્યે આપણે બેધ્યાન હતા , જે વિકલ્પ આપણ ને મુદ્દલ ગમતો ન હતો તે વિકલ્પ હવે આપણ ને પ્રિતીકારક લાગે છે . તે વિકલ્પ ઉપર આપણે પસંદગી નો કળશ ઢોળિયે છીએ . કાલ સુધી જેના માટે આપણું હૃદય તડપતુ હતું તે આજે દુશ્મન લાગવા માંડે છે .કાલ સુધી શ્રદ્ધા અને વિશ્વાસ ના કસમ જેના નામ પર લેતા હતા તેના પ્રતિ શ્રદ્ધા નો છાંટો શોધવો મુશ્કેલ બની જાય છે. કાલે આપણે કહેતા હતા કે તારા વગર મારું જીવન શક્ય નથી ,આજ તેનો અવાજ સંભાળવો પણ મુશ્કેલ બનીજાય છે .
હમણાં મારે શાલીની ( નામ બદલેલું છે ) સાથે વાત થઇ તેને લાગતું હતું કે તેના મિત્રએ તેનો દુરુપયોગ કર્યો છે. વાત વાત માં તેને જણાવ્યું કે તેને છેલ્લા ઘણાય વર્ષો થી સુમધુર સંબંધો હતા . મેં તેને પુછુયુ તકલીફ ક્યાં આવી ? દુ:ખ સાથે તેણે કહ્યું કે “મને લાગે છે કે તેને મન મારી ઉપયોગીતા ખતમ થઇ ગઈ છે” ! “મેં તેને મારું સર્વસ્વ આપ્યું પણ તેણે મારી કદર ના કરી” . વાત નો દોર આગળ ધપાવતા મેં પૂછ્યું આપે શા માટે આપનું સર્વસ્વ આપ્યું ? કોઈ વિશેષ કારણ ? ખરેખર કહું” હું તેને દિલોજાનથી ચાહતી હતી . અને આજે પણ ચાહું છું “. આખરે મેં પૂછીજ નાખ્યું કે જો તમને લાગતું હોય કે તેને તમારા સંબંધ નો દુરુપયોગ કર્યો છે તો આજે ચાહવાનું કોઈ કારણ ? એણે ગળગળા સ્વરે કહ્યું ”અમે સાથે ગાળેલો સમય એ મારા માટે જીવનમૂડી છે અને તે હું ભૂલી નહિ શકું “ તો સૌથી મહત્વ નો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પછી દુરુપયોગ કેવી રીતે ?
અહી મન માં પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે જયારે સાથે હતા ત્યારે જો એ શ્રેષ્ઠ સમય હતો તો છુટા પડતાજ દુરુપયોગ કેવી રીતે થઇ ગયો ? અહી આપણું મેલું મન કામ કરવા લાગે છે . આપણે નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાને બદલે સામા ને જવાબદાર બનાવવા માંગીએ છીએ. અહીથી તકલીફો ની શરૂઆત થાય છે. આપણી વ્યાખ્યાઓં બદલાવા માંડે છે . વ્યક્તિ એજ છે , સંબંધો એજ છે , ઘટના એજ છે પણ ફર્ક જો હોય તો, તે આપણા દ્રષ્ટીકોણ નો છે. દ્રષ્ટીકોણ નું ખુબ મહત્વ છે સંબંધો માં. કોઈપણ સંબંધને જોવા ની આપની દ્રષ્ટિ બદલાય એટલે સ્વાભાવિક છે કે તેની સંબંધ ઉપર અસર દેખાવા માંડે છે . આઓ આપને એક ઉદાહરણથી તેને સમજવાનો પ્રયાસ કરીએ
એક વખત બસ માં પિતા અને તેના બે બાળકો સફર કરી રહ્યા હતા . સવાર નો સમય હતો ઘણા લોકો પોતાની વાત માં મશગુલ હતા તો ઘણા ન્યુઝ પેપર વાંચવા માં ! અચાનક જીદે ચડેલા બાળકે કોઈના હાથમાંથી પેપેર ઝૂટવી લીધું ને ફાડી નાખ્યું ! અને મોટે મોટે થી ઘાટા ઘાટ કરવા માંડ્યો.ઘણા સહપ્રવાસી વિચારવા માંડ્યા કે આ તોફાની બાળકો ને સંસ્કાર જેવું કઈ નથી ! તેના માં બાપે તેને સભ્ય રીતે વર્તન કરતા શીખવાડ્યુંજ નથી ! સહન કરવાની પણ એક હદ હોય ! બીજા સહપ્રવાસી તેના પિતા સમક્ષ આશા ભરી નજરે જોવા લાગ્યા . પિતા ને વાત સમજાઈ ગઈ. તેણે સહ પ્રવાસીયોની માફી માંગી અને જણાવ્યું કે હું ખુબજ દિલગીર છું મારા બાળક ના અસભ્ય વર્તન થી પણ દુર્ભાગ્યે આજ તેમણે તેમની માં ઘુમાવી છે અને અમે તેમની માં ની અંતિમ ક્રિયા પતાવીને ઘરે જઈ રહ્યા છીએ ! જે લોકો તે બાળકોને ધ્રુણા ની નજર થી જોતા હતા તેમની, તેમને મુલવવાની દ્રષ્ટી બદલાઈ ગઈ ! તે હવે હમદર્દી ભરી દ્રષ્ટિ થી તે બાળકો ને જોવા લાગ્યા !!
સંબંધ નો અર્થ સમ +બંધ એટલે કે સરખું બંધન એવો થાય છે જેમ કે વૃક્ષ અને વેલ, જેમ કે મીન અને જળ! સંબંધો લાગણી અને ઉષ્માના ઘૂઘવતા મહાસાગર જેવા હોવા જોઈએ,સંબંધોમાં એક જબ્બર તાકાત રહેલી છે, તે કાળમીંઢ પત્થરને પણ પીગળાવી શકે છે . સંબંધો શક્તિના વરસતા ધોધ જેવા છે. સંબંધ વગરનું માનવ જીવન કલ્પીતો જુઓં ! અરે જે પશુમાં શક્ય નથી તે માનવીમાં કેવી રીતે સંભવી શકે ? પરંતુ એ પણ હકીકત છે કે , જે સંબંધોમાં લાગણીની કુમાશની કમી મહેસૂસ થવા માંડે, જે સંબંધોમાં ઉષ્મા, દૂધમાં આવેલા ઉભરાની જેમ સમવા માંડે, જે સંબંધો દિનપ્રતિદિન શંકાઓ ના વાદળથી સતત ઘેરાતા રહેતા હોય , જેમાં એક બીજા પર હાવી થવાની હોડ લાગી જાય, જયારે સંબંધો સમ હિત ને બદલે સ્વ હિત પર કેન્દ્રિત થઇ જાય ત્યારે તેનું નીતરી જવું સ્વાભાવિક નથી લાગતું ?
સંબંધો માં જયારે અંગત સ્વાર્થ નો લૂણો લાગે ત્યારે સમજવું કે તેના અંત તરફ ના પ્રયાણ ને હવે કોઈ રોકી શકે તેમ નથી ! હવે તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે ! કોઈ તેને રોકી નહિ શકે ..ના કોઈ પણ નહિ , ખુદ ઈશ્વર પણ નહિ ! ! જે સંબંધોમાં આપણે ઘેઘુર વડલાની જેમ ચોમેર પ્રસરીને શીતળતા વરસાવે તેવી પરીકલ્પના માં રાચતા હતા, જે સંબંધોની ભીની ભીની ખુશ્બુ શ્વાસે ભરતા હતા, જે સંબંધો આપણા આખા અસ્તિત્વના રોમે રોમમાં પ્રસરી ગયા હતા તે સંબંધો આજ અસ્તિત્વની આખરી લડાઈ લડતા ભાસે છે , આખરી શ્વાસ લેતા દીસે છે !
આપણે સ્વીકારવું પડશે કે સંબંધોના ગણિત અને વિજ્ઞાનને સમજ્યા વગર, સમગ્ર માનવ જાતનું અસ્તિત્વ જોખમમાં છે ! જો આપણે અર્થસભર જિંદગી વ્યતીત કરવી હોય, જો આપણે રાતરાણી ની જેમ મહેકવું હોય, જો આપને હિમાલય ની જેમ અડીખમ રહેવું હોય તો , જો આપને લાગણી ના ધસમસતા પ્રવાહ માં તરબોળ સ્નાન કરવું હોય, જો આપણે ગમે તેવા ધરતીકંપો થી આપણને સુરક્ષિત રાખવા હોય તો આપણે સંબંધો ની ગાંઠને વધુ મજબૂત બનાવવી પડશે, તો આપણે લાગણી ના તાર ને જંકૃત કરવા પડશે, તો આપણે મોરલાની જેમ ટહેકવું પડશે .. તો આપણે સંબંધોની સુપ્રભાતે કુકડા ની જેમ બાંગ પોકારવી પડશે ! બીજો કોઈ ઉપાય છે જ નહિ ..
એક વખત એક ભાઈ ગાય ને દોરી ને જતા હતા કોઈ સૂફી ફકીરે તેને પૂછયું કે તમે ગાય થી બંધાયા છો કે ગાય તમારાથી બંધાયેલ છે ? પેલા એ કહ્યું કે ભાઈ ગાય થી હું કેવી રીતે બંધાયેલો હોઉં ? ગાયને તો મેં બાંધી છે ! તો એક કામ કરો , જો આપણે ગાય ને છોડી દઈએ તો ગાય તમારી પાછળ ભાગશે કે તમે ગાયની પાછળ ભાગશો ? પેલા એ કહ્યું મારેજ ગાય ની પાછળ ભાગવું પડશે ! તો ફકીરે કહ્યું, તો કોણ કોનાથી બંધાયેલું છે ?
સંબંધો નું પણ કૈક આવું કહી શકાય, એ નક્કી કરવું મુશ્કેલ છે કે સંબંધો થી આપણે બંધાયેલા છીએ કે આપણાથી સંબંધો બંધાયેલ છે !
સંબંધો ની મધુરપ ના જામ માણવા હોય તો સંબંધોના ગણિત ને સમજવું પણ અત્યંત આવશ્યક છે ..સંબંધો ને મૂલવવા હોય તો તેને ચાર રીતે વર્ગીકૃત કરી શકાય :
૧ સ્વાર્થ
૨ પરમાર્થ
૩પરસ્પર સ્વાર્થ
૪ દુશ્મનાવટ
સ્વાર્થ ના સંબંધો એટલે કે જેમાં અંગત હિત ને ધ્યાન માં લઇ ને સંબંધો નો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી અંગત હિત સાધી જાય અને ભલે તે માટે સામા પક્ષે ગમેતેટલો ભોગ કેમ ન આપવો પડે! ક્યારેક તો અંગત હિત સાધવા , સામેના વ્યક્તિ નો ભોગ લેવાની ગણતરીથીજ સંબંધ વિકસાવવામાં આવે છે. આ સંબંધો નું આયુષ્ય હમેશા ભોગ બનનાર વ્યક્તિ ની સહનશક્તિ ઉપર રહેલું હોય છે. આ સંબંધોનું આયુષ્ય હમેશા ટૂંકું જ રહેવાનું અથવા તો કહી શકાય કે આ સંબંધોનું આયુષ્ય મર્યાદિત હોય છે.
પરમાર્થના સંબંધોમાં ભોગ આપનાર સમજદારીપૂર્વક પોતાનો ઉપયોગ થવા દેતા હોય છે . તેને ખબર હોય છે કે આ સંબંધમાં એકજ પક્ષે ફાયદો થવાનો છે, એટલે કે સમા પક્ષે . આ સંબંધોમાં પણ ભોગ આપનાર ની મનસુફી સુધીજ સંબંધો ટકી શકે છે .આ સંબંધો નું આયુષ્ય પણ ટૂંકું જ હોય છે.
પરસ્પર સ્વાર્થના સંબંધો : સંબંધો માં આ સર્વ શ્રેષ્ઠ સંબંધો માનવામાં આવે છે કારણકે આમાં બંનેનું અવલંબન એકબીજા પર હોય છે. જ્યાં સુધી લાંબા ગાળાના લાભ માટે આ પરિસ્થિતિ સર્વોત્તમ છે કેમ કે આ પરિસ્થિતિમાં બંને પક્ષે સમલાભ હોવાથી તે સંબંધો લાંબા ટકવાની આશા રહેલ છે . જ્યાં સુધી સંબંધો આ પરિસ્થિતિ માં હોય છે ત્યારે બંને પક્ષ આનંદ નો ઉત્સવ મનાવતા હોય છે .બીજા શબ્દોમાં આને પરિપક્વ સંબંધ પણ કહી શકાય કે જેમાં કોઈ એક બીજાના ઉપર હાવી થવા નો પ્રયાસ કરતા નથી. પણ એક બીજાના પુરક બનવાની કોશિશ કરે છે . એકબીજાના સુખ અને દુ:ખ સંપીને વહેંચી લે છે અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને હૂફ પૂરી પાડે છે.પણ પરસ્પર સ્વાર્થના સંબંધો અને સ્વાર્થના સંબંધો વરચે ની ભેદ રેખા એટલી પાતળી હોય છે કે ભેળસેળ થતા વાર નથી લાગતી. ઘણીવારે શંકા આવા સંબંધો નું કાસળ કાઢવાને નિમિત બને છે.
દુશ્મનાવટના સંબંધોની પરિસ્થિતિમાં બંને પક્ષ નું વલણ જક્કી અને જીદ્દી હોય છે . બંને પોતાની વાત બીજા ઉપર થોપવાની ઈચ્છા રાખતા હોય છે . બંને એકબીજાનો મહતમ લાભ લેવા તો ઈચ્છતા હોય છે , પણ કઈ પણ ઘુમાવ્યા વગર ! એક હાથ લંબાવવો તો છે પણ બીજો હાથ પાછળ છુપાવી દેવો છે .
બચપણમાં સોનાના ઈંડા આપતી મરઘીની વાત તો આપણે બધાયે સાંભળી છે .જેમાં એક ખેડૂતની મરઘી દરરોજ સોનાના ઈંડા આપતી હોય છે .ખેડૂત દરરોજ સોનાના ઈંડા મેળવે છે અને આનંદથી પોતાનો સમય વ્યતીત કરે છે. એક દિવસ કોઈએં એના કાન ભમ્ભેરે છે કે આ રોજ રોજ રાહ જોવી એના કરતા મરઘીને મારીને તેના પેટમાં જેટલા ઈંડા હોય તે લઇ લે ! ખેડૂતને લોભ અને લાલચ જાગે છે અને તે અંત આપણને બધાને ખબરજ છે!
હવે ઉપરોક્ત વાર્તા ને તાર્કિક રીતે સમજીએ .
જો ખેડૂત સોનાના ઈંડાની ઉપજ વગર અથવાતો કોઈ પણ જાતની અપેક્ષા વગર મરઘી ને ચણ નાખ્યા કરે તો કેટલા દિવસ તે મરઘીને પાળી શકશે ?
તેજ રીતે જો તેને કોઈ પણ જાત નું ચણ આપ્યા વગર ફક્ત સોનાના ઈંડાની અપેક્ષા રાખેતો મરઘી કેટલો સમય ઈંડા આપી શકશે ?
આપણે સોનાના ઈંડા મેળવવા હોય તો બંને પક્ષે તે જોવાનું રહેશે કે બંને એક બીજાના પુરક બને ! નહિ તો , ના રહેગી બાંસ ના બજેગી બાંસુરી !
કોઈ પણ સંબંધમાં સૌથી વિઘાતક અસરવાળા કોઈ પરિબળો હોય તો તે છે ભય ! અને અવિશ્વાસ ! ભય અવિશ્વાસ જગાવે છે અને અવિશ્વાસ ભયને જન્મ આપે છે . ભગવાન મહાવીરે આશરે ૨૦૦૦ વર્ષ પહેલા કહ્યું હતું કે અભય બનો ! અભય એટલે કે ભય રાખવાનું કોઈ કારણ ના રહે તે. અભય અને નિર્ભયના અર્થમાં તાત્વિક ફરક છે . નિર્ભય એટલે ભય વગરનું .સંબંધને અસર કરતુ પરિબળ છે ભય , ડર માનવીને શંકાશીલ બનાવે છે અને શંકા સંબંધની ઘોર ખોદવાનું કામ કરે છે. આ બંને પરિબળો દિવસે ના વધે તેટલા રાત્રે અને રાત્રે ના વધે તેટલા દિવસે વધ્યા કરે છે અને આખરી પરિણામ સંબંધમાં વિચ્છેદ સ્વરૂપે આવે છે : આ વિરછેદને કોઈ આવકારવા માંગતું નથી ! આ વિરછેદનું કોઈને સ્વાગત કરવું ગમતું નથી ! હજી પણ વિકલ્પ છે , હજી મોડું થયું નથી ! જો આપણે સ્વીકારી લઇએ કે નદીને બે કિનારા છે અનેપશ્ચ્યાતાપના પવિત્ર ઝરણાને આપણાં હૃદયમાં વહેવા દઈએ , પ્રાયશ્ચિત રૂપી નદીમાં માથાબોળ સ્નાન કરી નુતન જીવન તરફ આપણે પ્રથમ ડગ માંડીએ. સામાન્ય રીતે આપણે પશ્ચ્યાતાપ અને પ્રાયશ્ચિત ને સમાનર્થી માનતા હોઈએ છીએ પણ બનેમાં તાત્વિક ભેદ છે .પશ્ચ્યાતાપ એટલે કર્મની ભૂલનો સ્વીકાર અને તેમાંથી મુક્તિ માટે તે ભૂલ બદલ માફી માંગવી ! જયારે પ્રાયશ્ચિત એટલે આપણે ભૂલ માટે પોતાને જવાબદાર માનવા , ! જોવું પડશે કે આપણે ક્યાં ઉભા છીએ . આપણે ક્યાંતો આપણાં કર્મો નો દોષ જોઈશું , ક્યાંતો આપણ ને આપણી ભૂલ સમજાય ક્યાંતો બીજાની ભૂલ જોયા કરીશું !
જે પોતાના કર્મનો દોષ જોશે તે પશ્ચ્યાતાપ કરશે ! જે પોતાની ભૂલ જોશે તે પ્રાયશ્ચિત કરશે અને જેને બીજાની ભૂલ દેખાય છે તેની પાસે કોઈ વિકલ્પ નથી ! સિવાય કે વિરછેદ !!
કૈલાશ પંડિતે ખૂબ સરસ લખ્યું છે કે
કોણ ભલાને પૂછ છે અહી કોણ બૂરાને પુછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે અહી કોણ ખરા ને પુછે છે ?
અત્તર ને નિચોવી કોણ પછી ફૂલોની દશા ને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે કે નહિ તો અહી કોણ ખુદા ને પૂછે છે ?
શું આપ જાણો છોકે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયાનાં સર્વેસર્વા જોસેફ સ્ટાલિનની દીકરી, સ્વેત્લાનાનાં લગ્ન ભારતના એક સામ્યવાદી બ્રજેશસિંઘ સાથે થયા હતા ?
શું આપ જાણો છો કે રશિયાના એક વખતનાં ચેરમેનની દીકરી ભારતમાં 3 માસના સમય ગાળા માટે રોકાઈ હતી ? ભારતના લોકોને સહાયરૂપ થવા માટે તેને ભારતમાં હોસ્પિટલ બનાવડાવી હતી ?
19 ડિસેમ્બર 1966ના સમી સાંજે બેઠી દડીની મનમોહક, આકર્ષક અને યુ .એસ .એસ .આર નાં ભલભલા અધિકારી એક વખત જેનું નામ ઉચ્ચારતા ડરતા હતા તેવા પરંતુ સૌમ્ય, અકળ, અને નીલી આંખો વાળી, ઉરચ સત્તા નો દોમ -દોમ સાહિબી જેને સહજતાથી માણી હતી તેવી એક ઉરચ કોટિના સ્ત્રી ઉમંગ, ઉત્સાહ અને પોતાના પતિના કુટુંબીજનો ને મળવાના રોમાંચ અને કેટલા સમય પછી પોતાના પતિના અસ્થિ વિસર્જન માટે ભારત જવાની પરવાનગી મળવાનો આનંદ અને પોતાના પતિનાં સાથ વગર પણ અંશ સાથે ભારત જવા માટે દુઃખ સાથે કંઈક અંશે શાંત અને ઉચાટની મિશ્ર લાગણી સાથે એરોફલોટ એરલાઈન્સના વિમાનમાં પ્રવેશે છે. પોતાની સીટ પર બેસીને આંખ બંધ કરીને બેસવાની સાથે વીતેલી પળો સમુદ્રના ધસમસતા મોજાની જેમ એક આ એક ધસી આવે છે. સારી નરસી દરેક યાદો વાવાજોડું બની તેને હચમચાવે છે . બ્રજેશસિંઘ સાથે ગાળેલ હરેક પળ અત્યારે જીવંત થઇ ઉઠી છે. સોચી રિસોર્ટ નગરી અને સ્ટાલિન જોસેફના પ્રિય શહેરમાં બ્રજેશસિંઘ સાથે વિતાવેલો સમય ફરી જીવંત થઇ ઉઠ્યો. એક બીજાને આપેલ કોલ અને લગ્ન કરવાનું સપનું કે જે અધૂરું પણ મધુરું હતું અને કાયદેસર લગ્ન કરવાનું સપનું એ ફક્ત સ્વપ્નજ બની રહ્યું કેમકે યુ .એસ .એસ .આરના પોલીટ બ્યુરોના અધિકારીએ પરવાનગી ન આપતા કહ્યું કે તારાથી ઘણી મોટી ઉમર અને રોગો જેને ઘેરી વળ્યાં છે તે વ્યક્તિ સાથે લગ્ન કરીને તું શું કરીશ ? હેલો ! માઈક પરની એનાઉન્સમેન્ટથી યાદોના મહાસાગરમાંથી એક એક બહાર આવી અને ફ્લાઈટ ઉપાડતા સમયની જહેરાતથી મનમાં ઉભરતા વમળો કૈક અંશે શાંત થયા અને વિમાનના પ્રસ્થાનની આતુરતાનો અંત આવી રહ્યો હોય તેમ લાગ્યુ. આખરે આજે લગભગ 38 વર્ષે તે યુ .એસ .એસ.આર ની સરહદોની બહાર, પોલીટ બ્યુરોની દખલ વગરની જિંદગી તરફ ગતિમાન થઇ રહી છે, ખુલ્લી હવામાં શ્વાસ ભરી શકશે! ભલે તે થોડા દિવસ માટેજ કેમ ના હોય ? પણ એ આઝાદી ભોગવી શકશે ? પરિચારિકાના પાણી કે વોડકા? પ્રશ્ને ફરી વર્તમાનમાં આવી ગયા અને પાણી, આભાર ના જવાબ સાથે ફરી પાછું બચપણ યાદ આવી ગયું. લગભગ 6 વર્ષે માતાને ઘુમાવી ત્યારથી પરિચારિકાઓ સાથેજ મોટા ભાગનો સમય વીતતો હતો ! માસી માસા સાથે ગાળેલ સમય વરસાદ ના એક ઝાપટાની જેમ પસાર થઇ ગયો. કેવો સુંદર સમય હતો ! કાશ માસી અને માસાનો સાથ લંબાવી શકાયો હોત ! પણ તેના હાથ માં ક્યાં હતું ? અને જેના હાથમાં હતું તેતો .. હા પણ મારી ખાસ મિત્ર યુરિકાના પપ્પાના કેસમાં હું મદદ કરી શકી હતી. જયારે યુરિકાના મમ્મીએ જયારે એક ચિઠ્ઠી તેના પપ્પાને પોલીસ ખોટી રીતે ઉઠાવી ગઈ હતી અને તે માટે પપ્પાની મદદ માટે મોકલી હતી મેં જયારે પપ્પાને ડિનર ટાઈમે વાત કરતા પપ્પાએ ત્યારેજ “આજ પછી આવી કોઈ ભલામણ ચિઠ્ઠી નહિ લાવવાની” ઉગ્ર પણે મને જણાવ્યું અને સાથે કહ્યું કે પોલીસે ક્યારેય ખોટી નથી હોતી . ત્યારે મેં કહ્યું કે તે મારી મિત્ર છે! આ વાર્તાલાપની અસર થઇ! મારી મિત્રના પપ્પા ઘરે આવી ગયા ત્યારે મારા પપ્પાની સત્તાનો મને એહસાસ થયો. પપ્પા ઘરે મારી સાથે ખુબ ઉમદા રીતે વર્તન કરતા ! હું તેમને કહેતી કે આપની પ્રથમ મંત્રી તરીકે હું આપને આદેશ આપું છું કે આજે મને પિક્ચર જોવા લઇ જાવ કે આજે થર્ડ સેક્રેટરી તરીકે આજે આદેશ આપું છું કે નવું મેટ્રો સ્ટેશન જોવા લઇ જાવ. અને તેજ દિવસે તેનો અમલ થઇ જતો ! મને યાદ છે કે એક દિવસ મમ્મીએ મને કોઈ બાબતમાં લાફો મારી દીધો હતો તો પપ્પા દોડીને મમ્મી પાસે જઈને મારો પક્ષ લીધો હતો ! પણ આજ પપ્પાએ મને આર્ટસ & લિટરેચર સાથે અભ્યાસ કરવો હતો ત્યારે મને હિસ્ટોરી સાથે ગ્રેજ્યુએશન કરવાની ફરજ પડી હતી ! આ એજ પપ્પા છે કે જેમને મને મારા મનગમતા પાત્ર સાથે લગ્ન નહોતા કરવા દીધા અને એટલુંજ નહિ પણ તે કે જે તે વખતના સુપ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર હતા , તેમને 5 વર્ષ માટે જેલની સજા કાપવા માટે મજબુર કરી દીધો હતો. “મેડમ આપ જમવામાં શું પસંદ કરશો ?” પરિચારિકા એ ફરી મને જૂની યાદોમાંથી બહાર કાઢિ. મેં તેને મને વેજીટેરીઅન જમવાનું આપવા જણાવ્યું ! તેને આશ્ચર્ય સાથે ફરી કન્ફર્મ કરતા પૂછ્યું વેજિટેરિઅન ? મેં તે ને હા કહી તેનો આભાર માન્યો . થોડું જમીને વિચારતા વિચારતા ક્યારે આંખ મીચાઈ ગઈ તે ખ્યાલ ના રહ્યો. વહેલી પરોઢીએ પરિચારિકાએ વેલકમ ટૂ ઇન્ડિયા કહી બધાને કસ્ટમ ક્લીયરન્સ માટે ફોર્મ આપી ભરવા કહ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારાથી યુ .એસ.એસ.આર ઘણું છેટો થઇ ગયું છે …ઘણુંય છેટું ! ફટાફટ મેં મારો સામાન પેક કરી, મારુ કૅસ્ટમ ક્લીયરન્સ માટેનું ફોર્મ ભરવાનું ચાલુ કર્યુ અને મારુ નામ લખ્યું સ્વેત્લાના સ્ટાલિન જોસેફ , ડોટર ઓફ સ્ટાલિન જોસેફ !
20 ડિસેમ્બર 1966માં એરોફલોટ એરલાઈન્સનાં વિમાનમાં સોવિયત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની એકમાત્ર પુત્રી સ્વેત્લાના સ્ટાલિન જોસેફ ઉર્ફે સ્વેત્લાના અલિલુયેવા સવારની પરોઢમાં દિલ્હી પાલમ હવાઈ અડ્ડા પર પ્રથમ વખત ખુલ્લી હવામાં શ્વાસ લેતા એક અજબ અનુભૂતિ થઇ રહી હતી. બ્રજેશ સિંઘના કુટુંબીજનોના ઉષ્માપૂર્ણ આવકાર અને ભાવભીના સ્વાગતથી અભીભૂત થયેલી સ્વેત્લાનાને પહેલી નજરે ભારત પ્રત્યે નો પ્રેમ ગહેરો થવા લાગ્યો. સ્વેત્લાના ના સ્વાગત માટે જે તે વખતનાં ઇન્દિરા કોંગ્રેસ સરકારમાં મંત્રી શ્રી દિનેશ કુમાર સિંહ કે જે બ્રિજેશ કુમાર સિંઘના ભત્રીજા થતાં હતા તે આવકારવા તેમના ઘરના બીજા સભ્યો સાથે હાજર હતા. એરપોર્ટ ઉપેરથી કાફિલો સીધોજ બ્રજેશકુમારના વતન અલાહાબાદ નજીકના કલાકાંકર ગામ તરફ રવાના થયો. ડિસેમ્બરની સવાર હેમંતના પરોઢની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ ઓર જ હોય છે. ધીમે ધીમે ભળભાંખળું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે ખીલખીલાટ હસ્તી હોય તેવું ભાષે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. જેમ રાતભર કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતી રહેલી વનસ્પતિમાં સવાર થતાં નવચેતનનો સંચાર થાય છે.જેમ વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઊઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. જેમ પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલાં પક્ષીઓ જાગી ઊઠે છે અને મીઠાં ગીતો ગાઈ ઊગતી પરોઢનું સ્વાગત કરે છે. તેટલોજ આનંદ, ઉત્સાહ ,ઉમંગ અને સ્ફુરથીથી છલોછલ સ્વેત્લાના ભારત પ્રવેશ સાથે ઝૂમવા લાગે છે. કલકાંકર પહોંચતાંજ ગાડી સીધી રાજ ભવન ખાતે હંકારી જાય છે જ્યાં ખુબ મોટું ટોળું “યુ .એસ .એસ.આર. કે તાનાશાહ કી બેટી કો દેખને” સ્વેત્લાના ને એક નજરે નિહાળવા ઉમટી પડ્યું હતું. સ્વેત્લાનાએ સહુને પ્રણામ મુદ્રામાં તથા હાથ હલાવી અભિવાદન કરી બ્રજેશસિંઘની સાથે જ્યાં બાકીનું જીવન વિતાવવાના ઑરતા હતા તે જગ્યા જોવા માટે દિલ ધડકતું હતું. આમ જુઓતો બ્રજેશસિંઘના આ ત્રીજા લગ્ન હતાં . સ્વેત્લાનાએ બ્રજેશસિંઘ ને પોતાના પતિ બતાવ્યા હતા) બ્રજેશસિંઘનાં પ્રથમ લગ્ન લક્ષ્મીસાથે થયા હતા અને તેમનાથી તેમને બે પુત્રી જન્મી હતી ( આશા અને ઉષા ) જયારે બીજા લગ્ન ઑસ્ટ્રિયન લીલા સાથે થયા હતાં જેનાથી તેમને એક પુત્ર ( વિક્ટર સિંઘ ) જન્મ્યો હતો. સ્વેત્લાના બેઝિઝક કલાકનકારમાં ઘૂમતી હતી. તે વારંવાર ગંગા ઘાટની અને પોસ્ટ ઓફિસે ની મુલાકાત લેતી રહેતી હતી. તેના 4 મહિનાના કલાકનકારમાં રોકાણ દરમ્યાન હિન્દી શીખવાનો પણ પ્રયાસ કર્યો હતો. મદન મોહન માલવિયા ઇન્ટર કોલેજનાં રિટાયર્ડ સંસ્કૃતના પ્રધ્યાપક અને એચ.ઓ.ડી. જણાવે છે કે તેમણે સ્વેત્લાનાને રોજ 30-45 મિનિટ્સ હિન્દીનું શિક્ષણ આપતા હતા. તેઓ યાદ કરતા જણાવે છે કે સ્વેત્લાના બ્રજેશસિંઘના “પ્રકાશ ગ્રહ” રૂમમાં સમય ગાળવાનો વધુ પસંદ કરતા. એક દિવસ સવારે ગંગા મૈયામાં બ્રજેશસિંઘના અસ્થિ-વિસર્જન માટે તેમના કુટુંબીજનો સાથે વહેલી સવારે ગંગા કિનારે પહોંચી ત્યારે હજારો લોકો હાજર હતા . નૌકામાં બેસી કુટુંબીજનો સાથે ગંગામાં અસ્થિ વિસર્જન કરતી વેળાએ અત્યારસુધી રોકી રાખેલ આંસુઓ નો બંધ તૂટી પડ્યો હતો. કુમારી રત્નાસિંહ, ભૂતપૂર્વ સંસદ અને દિનેશસિંઘના પુત્રી , યાદ કરતા જણાવે છે કે સ્વેત્લાના રશિયાથી આવ્યા ત્યારે અમારા કુટુંબમાં દરેક માટે સુંદર ભેટ સોગાદો લઇ આવ્યા હતા. તેમની પાસે અમારા કુટુંબના બધાજ સદસ્યો વિષે માહિતી હતી અને તેથી તે બધાના માટે ભેટ સોગાદો લાવી શક્ય હતા. આગળ ઉમેરે છે કે સ્વેત્લાના ઇચ્છતા હતા કે બ્રજેશસિંઘ ના નામ પર અમારા ગામમાં એક હોસ્પિટલ બનાવવી અને તે માટે તેમને તનતોડ મહેનત કરી હતી અને પોતાની અંગત કમાણીમાંથી 35 પથારીની બ્રજેશ મેમોરિયલ હોસ્પિટલના નામે હોસ્પિટલ બાંધી આપી હતી જે ઘણા સમય સુધી તેને મોકલેલ દાનમાંથી ચાલતી હતી. ખરેખર તે તો એક મહિનાના ભારતીય વિઝા સાથે ભારતમાં પ્રવેશ્યા હતા. પરંતુ ભારત તેને એટલું ગમી ગયુંકે તે લગભગ 4 મહિના સુધી રોકાઈ તેમને તો હજુ પણ રોકાવું હતું પરંતુ રશિયાના દબાણ હેઠળ ભારતે વિઝા લંબાવી આપવાની ના પાડી. તેમને દિનેશસિંઘ કે જે ઈન્દીરાની સરકારમાં મંત્રી હતા , તેમને પણ કોશિશ કરી જોઈ પરંતુ રશિયાની સરકાર નહોતી ઇચ્છતી કે તે વધારે ભારતમાં રોકાય આથી પરત જવા માટેની તૈયારીના ભાગરૂપે તથા રશિયાની એમ્બસી કે જે દિલ્હી ખાતે આવેલી હતી, તેમને ભારતમાં રહેવા દિવા માટે વિનંતી કરવા પ્રયત્ન કરી જોયો પરંતુ એમ્બેસી એ પોલીટ બ્યુરો તત્કાલ રશિયા જવા જણાવ્યું છે નો સંદેશ મળતા તેઓ એમ્બસીનાં ગેસ્ટ હાઉસમાં રોકાઈ બાકીની વિધિ પુરી કરી રહ્યા હતા અને તેમનું એક મહત્વનું કામ પૂર્ણ કરવાનું હતું જે માટે તેમને ભારતના રશિયા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત માનનીય ટી.એન.કૌલની અંગત મુલાકાત લેવાની હતી કેમકે બ્રજેશસિંઘ અને સ્વેત્લાનાના સહનિવાસ દરમ્યાન તેઓ શ્રી ટી.એન.કૌલને રૂબરૂ મળીને એક સંપેતરું તેમને દિલ્હી પહોચાડવા માટે આપ્યું હતું. કે જેમાંથી લગભગ 1.5 મિલિયન ડોલરની આવક થવાની હતી. શું હતું તે સંપેતરામાં ? શા માટે એ રશિયાની બહાર મોકલવા માટે ભારતીય રાજદૂતની મિત્રતાનો ઉપયોગ કરવો પડ્યો ? (વધુ આવતા લેખમાં )
પ્રખ્યાત મોગલ બાદશાહ અકબરે તેમના રાજ્યમાંથી નવ મહાન માણસોની પસંદગી કરી હતી, જેમણે તેમના દરબારમાં તેમના સલાહકારો અને ઉચ્ચ અધિકારીઓ તરીકે કામ કર્યું હતું.
“નવ રત્ન”, મોગલ બાદશાહ અકબરના દરબારમાં 9 સભ્યોનો સંદર્ભ આપે છે. સમ્રાટ અકબરને કળા અને શિક્ષણવિદ્યા પ્રત્યે વિશેષ લગાવ હતો, જેણે શાહી દરબાર માટેની તેમની પસંદગીઓને પ્રભાવિત કરી હતી. નવ રત્ન કલાકારો, સંગીતકારો, લેખકો, નાણાં પ્રધાનો, યોદ્ધાઓ અને કવિઓથી બનેલા હતા.
9.રાજા માન સિંઘ પહેલો –
રાજા માનસિંહ પહેલા મોઘલ આર્મીના ચીફ ઓફ સ્ટાફ હતા. તેમનો જન્મ ડિસેમ્બર 1550માં થયો હતો, તે સમ્રાટ અકબર કરતા 8 વર્ષ નાના હતો. અકબરે સિંઘની બહેન સાથે લગ્ન કર્યા હતા, જેને કેટલાક લોકો માને છે કે તે એક કારણ છે જેમને કોર્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 1589 સુધીમાં, સિંઘ 5000 સૈનિકોનો હવાલો સંભાળી રહ્યા હતા. આ જવાબદારી 1605 માં વધારીને 7,000 સૈનિકો કરવામાં આવી હતી, પહેલા મોઘલ આર્મીના ચીફ ઓફ સ્ટાફ હતા. આ એક એવી રેન્ક હતી કે જે અકબરનાંપુત્ર ના લેવલ પછીની સૌથી ઊંચી રેન્ક હતી. અને તેનો પ્રિય પૌત્ર ખુસરો( જહાંગીરનો પુત્ર)ના પાલક( વાલી ) તરીકેની વિશેષ જવાબદારી સોંપી હતી. રસપ્રદ વાત એ છે કે, સમ્રાટ અકબરે રાજા માન સિંહને “પુત્ર” તરીકે ઓળખાવ્યો હતો. તેમણે 1576 ના હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપ સામે મોગલ આર્મીનું નેતૃત્વ કર્યું.
માન સિંઘ પહેલો 1549 માં ઝારખંડ, બંગાળ, ઓડિશા અને બિહાર રાજ્યોના રાજ્યપાલ બન્યા. તેમણે. કાર્યકાળ માટે સેવા આપી, જે દરમિયાન તેમણે મહેલ, મસ્જિદ અને કિલ્લાનું નિર્માણ સોંપ્યું. રાજા માનસિંહ શ્રી કૃષ્ણના ભક્ત હતા. તેમણે વૃંદાવનમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય શ્રીલા રૂપા ગોસ્વામી માટે કૃષ્ણનું સાત માળનું મંદિર બનાવ્યું હતું. તે સમયે બાંધકામનો ખર્ચ એક કરોડ રૂપિયા હતો. વૃંદાવન ખાતે આજે પણ ચાર માળનું મંદિર આવેલું છે. તેમણે તેમની રાજધાની, અંબર ખાતે કૃષ્ણનું મંદિર પણ બનાવ્યું. આ સ્થાન હવે જયપુરના અંબર ઘાટી પાસે “કનક વૃંદાવન” તરીકે ઓળખાય છે. તેમણે અંબર કિલ્લા પર શીલા દેવીનું મંદિર બનાવ્યું. તેમણે બનારસ, અલ્હાબાદ અને અન્ય ઘણા સ્થળોએ ઘણા મંદિરો બનાવ્યા અને સમારકામ પણ કર્યા. તેણે અંબર ખાતેના તેના મહેલમાં વધુ બ્યુટિફિકેશન ઉમેર્યું. જ્યારે અકબરે ફતેહપુર સીકરી ખાતે દીન-એ-ઇલાહીની ચર્ચા કરવા માટે,તેમના ઉમરાઓની બેઠક બોલાવી, ત્યારે રાજા ભગવંતદાસ આ ધર્મનો વિરોધ કરનાર એકમાત્ર વ્યક્તિ હતા. બાદમાં માન સિંહે પણ દીન-એ-ઇલાહીમાં ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરી દીધો. એવું માનવામાં આવે છે કે તેમનો પુત્ર જગતસિંહ ,ગોસ્વામી તુલસીદાસ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું અને માનસિંહ પોતે તેમના ધાર્મિક પ્રવચનોમાં આવતા હતા. તુલસીદાસ અકબરના સમકાલીન અને રામચરિત માનસના લેખક હતા, જેને તુલસી રામાયણ તરીકે ઓળખવામાં આવે છે, અને અન્ય ઘણી પ્રખ્યાત કવિતાઓ રામ અને હનુમાનને સમર્પિત છે.
8. તાનસેન –
તાનસેન મોગલ સામ્રાજ્યના સંસ્કૃતિ પ્રધાન અને પ્રખ્યાત ગાયક હતા. ગ્વાલિયરના હિન્દુ રાજા રામચંદના દરબારમાં તેમની સેવાને કારણે સમ્રાટ અકબર દ્વારા તેમની નજર પડી. સમ્રાટ અકબરે 1562 માં તેની હાજરીની વિનંતી કરી અને રાજા ચંદે તાનસેનને વધારાની ભેટો સાથે મોકલ્યો. તાનસેન 60 વર્ષનો હતો. તેમને “મિયાં” નામનો ખિતાબ અપાયો, જેનો અર્થ છે “વિદ્વાન માણસ”
તન્સેનને હિન્દુસ્તાની, ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત માટેના યોગદાન માટે યાદ કરવામાં આવે છે. તેમની રચનાઓથી ઉત્તર ભારતમાં ઘણી પ્રાદેશિક સંગીત શાળાઓની સ્થાપના થઈ, જેને ઘરાના તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં, તેમણે શાસ્ત્રીય સંગીત વિશે 2 પુસ્તકો લખ્યા: સંગીતા સારા અને શ્રી ગણેશ સ્તોત્રા.
7. ફકીર અઝિયાઓ-દીન –
ફકીર અઝિયાઓ-દિન અકબરના દરબાર માટે ધાર્મિક પ્રધાન હતા. તેમણે સમ્રાટને વિવિધ વિષયો પર ધાર્મિક સલાહ પૂરી પાડી હતી. હકીકતમાં, ઉર્દૂમાં “ફકીર” નો અર્થ “ageષિ” છે. તેના જન્મ, જીવન અને મૃત્યુ વિશે ઘણા રેકોર્ડ્સ અસ્તિત્વમાં નથી.
6. ફૈઝી –
ફૈઝી શિક્ષણ પ્રધાન અને સમ્રાટ અકબરના પુત્રોના માર્ગદર્શક હતા. તે અકબરના દરબારના અન્ય સભ્ય અબુગલ ફઝલ ઇબ્ને મુબારક (નીચે જણાવેલ) નો ભાઈ પણ હતો. ફૈઝીનો જન્મ 1547 માં આગ્રામાં થયો હતો અને તેમના પિતા, ઇસ્લામિક ધર્મશાસ્ત્ર અને ગ્રીક સાહિત્ય અને ફિલસૂફીના વિદ્વાન દ્વારા શિક્ષિત હતા. તેઓ એક પ્રખ્યાત કવિ અને વિદ્વાન બન્યા. અકબરે તેમને શાહી પુત્રોને ભણાવવા માટે 1566 માં ભરતી કરી. પાછળથી તે આગ્રા, કાલિંજર અને કલ્પી રાજ્યો માટે સદ (ધાર્મિક અધિકારી) બન્યો અને 1588 માં, તે કોર્ટના કવિ વિજેતા બન્યા. ફૈઝીને તેમની કવિતાઓના કાર્યો માટે યાદ કરવામાં આવે છે, જેની સંખ્યા સેંકડો છે. તેમનું એક ખૂબ જાણીતું પુસ્તક તાબાશિર અલ-સુભ, કવિતાઓનો સંગ્રહ છે.
5. મુલ્લા દો-પિયાઝા –
મુલ્લા દો-પિયાઝાને ઘણીવાર અકબરની કોર્ટના ગૃહ પ્રધાન તરીકે ટાંકવામાં આવે છે. આ પદ પરની વ્યક્તિ દેશની આંતરિક સુરક્ષા, એટલે કે પોલીસ દળનો હવાલો સંભાળે છે. જો કે, ઘણા વિદ્વાનોનું માનવું છે કે ડુ-પિયાઝા એક કાલ્પનિક પાત્ર છે. તે ઘણી લોક વાર્તાઓમાં ભાગ લે છે. અકબરના દરબારના વિદેશ પ્રધાન બીરબલ સામે મુલ્લા દો-પિયાઝા હંમેશાં વિનોદી પાત્ર હોય છે. 19 મી સદીના અંતમાં આ લોક વાર્તાઓમાં તેનો પ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
4.રાજા બીરબલ –
રાજા બીરબલ અકબરના દરબારમાં વિદેશ પ્રધાન હતા. તેનો જન્મ કવિતા અને સાહિત્યના અનુભવ સાથે હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં 1528 માં થયો હતો. બીરબલ મોટો થયો અને સંગીત અને કવિતા લખીને પ્રખ્યાત થયો. અકબરના દરબારમાં સેવા આપતા પહેલા, તે રાજા રામચંદના દરબાર પર હતા. અકબરે તેમને 1556 થી 1562 ની વચ્ચે કવિ વિજેતા તરીકે નિયુક્ત કર્યા. તેમણે લગભગ 30 વર્ષ સુધી અકબરની ધાર્મિક અને લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી. તે અને અકબર ખૂબ નજીક આવી ગયા, આ હકીકત બીરબલ અને તેના સાથી દરબારીઓ વચ્ચે હરીફાઈનું કારણ બની. બીરબલ એકમાત્ર હિન્દુ બન્યો કે જેણે ધર્મ-અકબર દ્વારા રચિત ધર્મ-દીન-ઇલાહીને ધર્મમાં ફેરવ્યો. 1586 માં, બીરબલે ઉત્તર-પશ્ચિમ ભારતમાં લશ્કરી અભિયાનનું નેતૃત્વ કર્યું, જ્યાં તે જીવલેણ ઘાયલ થયો. અકબરના શાસનના અંત સુધીમાં બીરબલ વિશે લોકવાર્તાઓ ઉદ્ભવી. આ વાર્તાઓમાં, બીરબલને હોંશિયાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો, તેણે કોર્ટના અન્ય સભ્યો અને સમ્રાટને પોતાને આગળ રાખતા હતા. 20 મી સદી દરમિયાન તેઓ પુસ્તકો, નાટકો અને મૂવીઝમાં અમર થયા છે.
3. અબ્દુલ રહીમ ખાન-એ-ખાના –
અબ્દુલ રહીમ ખાન-આઇ-ખાના સમ્રાટ અકબરના દરબારમાં સંરક્ષણ પ્રધાન હતા. તેનો જન્મ 1556 માં અકબરના વાલી અને માર્ગદર્શક બેરામ ખાનમાં થયો હતો. બાદમાં તેના પિતાની હત્યા કરવામાં આવી હતી અને અકબરે અબ્દુલ અને તેની માતા બંનેને શાહી દરબારમાં લાવ્યા હતા અને મુગલ ખાનદાની સભ્યની પુત્રી સાથે તેના લગ્નની ગોઠવણ કરી હતી. આ પછી, અબ્દુલના પિતાની બીજી પત્નીએ અકબર સાથે લગ્ન કર્યા, જેણે અબ્દુલને તેનો સાવજો બનાવ્યો. જ્યારે અકબરના પુત્ર, જહાંગીરએ સિંહાસન સંભાળ્યું, ત્યારે અબ્દુલે પણ તેમના દરબારમાં સેવા આપી. અબ્દુલ રહીમને અનેક સિદ્ધિઓ માટે યાદ કરવામાં આવે છે, જેમાં શામેલ છે: જ્યોતિષવિદ્યા પરના 2 પુસ્તકો, બાબરના સંસ્મરણોનું ભાષાંતર અને અસંખ્ય દોહા (કવિતાની શૈલી). તેમની સમાધિ નવી દિલ્હીમાં સ્થિત છે; તેમણે મૂળમાં તે તેની પત્ની માટે બનાવ્યું હતું.
2. રાજા ટોડર મલ –
રાજા ટોડાર માલ અકબરના દરબારના નાણાં પ્રધાન હતા. જ્યારે તે ખૂબ નાનો હતો, ત્યારે તેણે તેના પિતાને ગુમાવી દીધા જેના કારણે તેને બચવા માટે ઘણા ઓછા સાધનો મળ્યા. તેણે યુવાવસ્થામાં જ લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછીના જીવનમાં, શેર શાહ સૂરીએ તેમને પંજાબમાં એક કિલ્લો બનાવવાની જવાબદારી આપી. સમ્રાટ અકબરે સૂરીને સત્તા પરથી ઉથલાવી દીધો અને રાજા ટોડર માલને આગ્રાનો હવાલો આપ્યો. તેઓ ગુજરાતના રાજ્યપાલ બન્યા. મુદર સામ્રાજ્યની આર્થિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે મધરને યાદ કરવામાં આવે છે. તેમણે જમીન સર્વેક્ષણ સિસ્ટમ, પ્રમાણભૂત વજન અને માપન અને મહેસૂલ જિલ્લાઓને લાગુ કરીને આ કર્યું. તેની સિસ્ટમો આજે પણ ઉપયોગમાં છે.
1. અબુલ-ફઝલ ઇબ્ને મુબારક –
અબુગલ ફઝલ ઇબ્ને મુબારક તે વડા પ્રધાન હતા, જેને અકબરના દરબારના ગ્રાન્ડ વિઝિયર તરીકે ઓળખવામાં આવે છે. તેનો જન્મ ફૈઝી (અકબરના દરબાર પર પણ) ના ભાઈ, 1551 માં થયો હતો. તેમણે પ્રારંભિક ઉંમરે અરબી અને ઇસ્લામિક ઉપદેશો શીખવાનું શરૂ કર્યું. અકબરે તેને 1575 માં કોર્ટમાં નિમણૂક કરી હતી અને અબુગલ ફઝલ ઇબ્ને મુબારક અકબરની ધાર્મિક માન્યતાઓ પર નોંધપાત્ર પ્રભાવ પાડતો હતો. મુબારકના માર્ગદર્શન હેઠળ અકબર વધુ વૈચારિક ઉદાર બની ગયા.
તેમને તેમના પુસ્તક અકબરનામ માટે યાદ કરવામાં આવે છે, જે સમ્રાટ અકબરના શાસનનો એક અહેવાલ છે.
અકબર, મહાન મુગલ સમ્રાટ, ના નવ રત્નો કોણ હતા?
દરજ્જો
નામ
અકબરના રાજ્યમાં ભૂમિકા
1
અબુલ-ફઝલ ઇબ્ને મુબારક
Grand Vizier or Prime Minister of Akbar
2
રાજા ટોડર મલ
Finance Minister of Akbar
3
અબ્દુલ રહીમ ખાન-એ-ખાના
Defence Minister of Akbar
4
રાજા બીરબલ
Foreign Minister of Akbar
5
મુલ્લા દો-પિયાઝા
Home Minister of Akbar
6
ફૈઝી
Education Minister of Akbar and Mentor of Shahzadas
સિનાઉલીના રહસ્યો: બાગપત-ઉત્તરપ્રદેશમાં દિલ્હીથી 67 કિલોમીટર દૂર આવેલા સિનાઉલી દફન સ્થળ પર તાજેતરમાં 2018 ખોદકામથી પુરાતત્ત્વીય વિશ્વમાં અને 3 ની શોધને કારણે ઇતિહાસના ઉત્સાહીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. 4000 વર્ષથી વધુ જૂનો રથ (2500-1900 બીસીઇ). ભારતીય ઇતિહાસના સંદર્ભમાં રથની શોધ કેમ એટલી મહત્વપૂર્ણ હતી? પ્રથમ: તે પહેલીવાર હતું જ્યારે ભારત મેસોપોટેમીઅન અને સુમેરિયન સંસ્કૃતિના સમકાલીન એવા રથ જોવા મળ્યો હતો. બીજું: તે સિદ્ધાંત પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે કે પશ્ચિમી અને મધ્ય એશિયાથી ‘આક્રમણકારો’ / ઇમિગ્રન્ટ્સ દ્વારા ભારતને ઘોડાની ભેટ આપવામાં આવી હતી.
રથની શોધ ઉપરાંત સિનાઉલી દફન સ્થળ અન્ય કેટલીક શોધો માટે (ફક્ત ભારતીય સંદર્ભમાં જ નહીં પરંતુ એસ.ઇ. એશિયન સંદર્ભમાં પણ) ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે 2005-2006 માં પ્રથમ વખત સાઇટ ખોદવામાં આવી હતી, ત્યારે તેને 116 દફનવિધિ મળી હતી; તે આખા એશિયામાં મળેલી સૌથી મોટૂ દફન સ્થળ બનાવ્યું, પરંતુ ખોદકામ “અજાણ્યા કારણોસર” બંધ કરાયું. 2018 માં જ્યારે સાઇટ ફરીથી ખોલવામાં આવી, ત્યારે તેને કોપર કોતરવામાં આવેલી ઢાલ અને (કોપરની) મૂઠવાળી તલવારો જેવી કેટલીક રસપ્રદ કલાકૃતિઓ મળી, જેમ કે કોપર વાયર્ડ લાકડાના ઇશારો. સ્ત્રીઓના હાડપિંજર પાસે મળેલા શસ્ત્રોના અવશેષો ધરાવતા દફનવિધિના શોધથી એવી સંભાવના ઉભી થઈ છે કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ પણ યુદ્ધમાં ભાગ લેતી હતી. પ્રાચીન ભારતની મહિલા યોદ્ધાઓના પુરાતત્ત્વીય પુરાવા પ્રથમ વખત જોવા મળ્યાં છે.
આજ સુધી આર્યો યુરોપથી કે મધ્ય અશિયાથી ભારતમાં આવીને ભારતના મૂળ નિવાસીઓને ઉત્તરમાંથી દક્ષિણ તરફ ધકેલી દીધા વાળી થિયરી નો અંત આવી જાય છે અને આનાથી આર્ય અને દ્રવિડ વાળી પશ્ચિમી માન્યતાનો પણ સંપૂર્ણ છેદ ઉડી જાય છે.
સિનાઉલી સમાચારમાં કેમ છે? * સિનૌલી તાજેતરમાં આ નાના પુરાતત્ત્વીય સ્થળના આધારે ડિસ્કવરી ચેનલ દ્વારા એક નવી દસ્તાવેજી પ્રસારણ કરવામાં આવી હોવાના કારણે ચર્ચામાં છે. આ સ્થળે મળી આવેલા 2000 બીસીઇની આસપાસ યોદ્ધા વર્ગના અસ્તિત્વ હોવાના પુરાવા મળ્યા છે.
સિનાઉલી ક્યાં છે? * સિનાઉલી ભારતના ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં આવેલું છે. તે નવી દિલ્હીથી 70 કિલોમીટર દૂર ગંગા અને યમુના નદીઓના દોબ પર સ્થિત છે. 2005 માં સિનાઉલી ખોદકામ 1.0: * ખોદકામ પ્રથમવાર 2005 માં શરૂ થયું હતું અને એક જ વર્ષમાં 116 દફનવિધિની સાઇટ્સ મળી આવી હતી. આને કારણે, તેને ચલકોલિથિક (તામ્ર-પાષાણ યુગ ) સમયગાળામાં ભારતની સૌથી મોટી જાણીતી નેક્રોપોલિસ ( કબ્રસ્તાન) તરીકે ઓળખવામાં આવે છે. સ્મશાન સ્થળો સિંધુ ખીણની સંસ્કૃતિથી અલગ છે. શબપેટીઓ 4 પગવાળો છે અને કબરો ભૂગર્ભની ઓરડાઓ ધરાવે છે. કબરોમાં શરીરની નજીક ગોઠવાયેલા વાઝ, બાઉલ અને કુંભ (ઘડા) મળી આવે છે. સૈનિકોના મૃતદેહ સાથે દફનાવવામાં આવેલા તે પોટ્સમાં ચોખા મળી આવે છે ખોદકામ ઉપરના એક શબપેટીમાં, 8 માનવશાસ્ત્ર આકૃતિઓ (જે કંઈક મનુષ્ય જેવું લાગે છે) તેના પર મળી. એક વાત જે અસાધારણ છે તે છે કે દફનવિધિ વેદિક સંસ્કૃતિ જેવી જ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિની જેવી નહીં મૃતદેહોને લપેટવા માટે કાપડની છાપ આજે હિન્દુ રિવાજોમાં ચાલેલી લાશોની જેમ શુદ્ધિકરણ સૂચવે છે. 2018 માં સિનાઉલી ખોદકામ 2.0: 2005-06 પછી ખોદકામ અજ્ઞાત કારણોસર રોકવામાં આવ્યું હતું. તે ફરી એકવાર 2018 માં પ્રકાશમાં આવ્યો જ્યારે એક ખેડૂતે ખેતરમાં વાવણી કરતી વખતે જમીનમાં પ્રાચીન વસ્તુઓ મળી હોવાનો અહેવાલ આપ્યો. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ખેડૂતને જમીનમાં તાંબાના ટુકડાઓ મળી આવ્યા બાદ એએસઆઈ હરકતમાં આવ્યાં હતા.
2018 માં ખોદકામ 2.0 માં શું મળ્યું? * તાંબાની પ્રાચીન વસ્તુઓનો માલ્યાનાં અહેવાલ આવ્યાં બાદ એએસઆઇએ ખોદકામ શરૂ કર્યું હતું. તેઓને ઘોડાથી દોરી શકાય તેવો રથો મળ્યા જે લગભગ 5000 વર્ષ જૂનાં છે. મળેલા રથમાં લાંબી ધ્રુવ દ્વારા નાના જુવાળ સાથે જોડાયેલ એક પગની ઘૂંટી હોય છે. આ પગની ઘૂંટી, ચેસિસ અને ચક્ર આધુનિક રથની સમાનતા દર્શાવે છે. માનવામાં આવે છે કે આ રથ પ્રાણીઓ, પ્રાધાન્ય ઘોડા દ્વારા દોરવામાં આવ્યા હશે. ત્રામ્બાની મુઠ વાળી તલવારો, યુદ્ધમાં ઉપયોગ થઇ શકે તેવી ઢાલ જેવા ઘણા શસ્ત્રો મળી આવ્યા હતા તેમને માટીકામની સાથે આ સમયે ચાર પગવાળા લાકડાનાં શબપેટીઓ પણ મળ્યા પ્રાણીઓને દોરવા કે કાબુમાં રાખવામાટેની એક ચાબુક પણ મળી આવી છે, જેનો અર્થ છે કે અહીં રહેતી આદિજાતિ પ્રાણીઓને કાબૂમાં રાખે છે પુરુષ યોદ્ધાઓની સાથે સ્ત્રી યોદ્ધાઓ પણ તેમની તલવારો સાથે દફનાવેલી મળી છે. જો કે સ્ત્રીઓનાં પગ, ઘૂંટીની આસપાસથી દૂર કરીને દફનાવવામાં આવ્યા હતા. આ ક્ષેત્ર ફળદ્રુપ અને કૃષિ માટે અનુકૂળ હોવાની અપેક્ષા છે. ખોદકામ અહીંના વિશાળ રાજ્યના અસ્તિત્વ તરફ સંકેત આપે છે.
મળી માટીકામ વિશે: * અહીં મળેલા માટીકામ એ ઓચર કલર્ડ પોટરી (ઓસીપી) સંસ્કૃતિ છે. આ હડપ્પન સંસ્કૃતિ જેવું જ છે પરંતુ તે અન્ય ઘણા પાસાંથી જુદા છે. અંતમાં પરિપક્વ હડપ્પન સંસ્કૃતિમાં ઓસીપી સંસ્કૃતિ મળી છે
સબ્જેક્ટસનું કાર્બન ડેટિંગ: * સબ્જેક્ટસના કાર્બન ડેટિંગથી તેઓ 3800 વર્ષ જુના હોવાનું જાણવા મળ્યું. આનો અર્થ એ થાય કે સંસ્કૃતિ 1800 બીસીમાં જીવંત હતી. કાર્બન ડેટિંગની પ્રક્રિયા લખનઉની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ Palaફ પેલેઓસિન્સમાં કરવામાં આવી હતી. વપરાયેલી તકનીક સી -14 ડેટિંગ તકનીક હતી. પુણેની ડેક્કન કોલેજ દ્વારા માનવ અવશેષોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હૈદરાબાદની એક પ્રયોગશાળાએ ડીએનએ સંશોધન કર્યું હતું.
ભારતના પુરાતત્ત્વીય સર્વેની ભૂમિકા: * 2018 માં કરવામાં આવેલી શોધખોળ પછી, એએસઆઈએ તેના સૌરક્ષણ હેઠળ લીધું હતું અને તે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સાઇટ્સ અને અવશેષ અધિનિયમ 1958 હેઠળ આવ્યું હતું. 28.67 હેક્ટર સ્થળ કેન્દ્ર સરકારના સંરક્ષણ હેઠળ છે અને રાષ્ટ્રીય મહત્વના સ્થળ તરીકે ઓળખાય છે એએસઆઈનું વિકાસ કામ હવે અહીં કેન્દ્ર સરકારના નિયમોને આધિન છે તમામ શોધેલી વસ્તુઓને હવે પુરાતત્ત્વીયતાના એએસઆઈ સંસ્થામાં રાખવામાં આવશે.
ખોદકામનું મહત્વ: * કલાકૃતિઓ અંતમાં પરિપક્વ હડપ્પન યુગની સમાન વયની હોવાથી, તે સિંધુ ખીણની સંસ્કૃતિના પતનનો સંકેત આપી શકે છે. અંતમાં હડપ્પન યુગ અને ચેલકોલિથિક (તામ્રપાષાણ યુગ) અને વૈદિક યુગ વચ્ચે હજી ખૂબ ઓછી સ્પષ્ટ કડી છે. ઇ.સ.પૂ. 2000 થી 1800 ની વચ્ચે યોદ્ધા વર્ગના અસ્તિત્વનો વિચાર ઇતિહાસકારોની રુચિ અને પ્રારંભિક હિન્દુ સંસ્કૃતિ તરફ ધ્યાન આપે છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે સિંધુ ખીણની સંસ્કૃતિનાં વિનાશથવાથી ત્યારે નાગરિકો ગંગા યમુના દોઆબ તરફ વળ્યા હતા, પરંતુ સિનાઉલી ખોદકામથી સ્પષ્ટ થયું છે કે આ સ્થળ હડપ્પન સંસ્કૃતિ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. આ સંસ્કૃતિના ઇતિહાસની ઘણી શંકાઓ નો અંત આણે છે સાથે સાથે ઘણી શક્યતાઓની શંકાને જન્માવે છે.
કુમારાજીવને આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ માનવામાં આવે છે કારણ કે તેના પિતા પ્રાચીન ભારતના કાશ્મીરી બ્રાહ્મણ હતા અને તેની માતા કુચાની રાજકુમારી હતી. કુમારાજીવ માત્ર સાતવર્ષનાંજ હતા પરંતુ એવું કહેવામાં આવે છે કે તેઓ પહેલાથી જ ઘણા ગ્રંથો અને સૂત્રોને સ્મૃતિબધ્ધ કરી લીધા હતા. તેમણે અભિધર્મ શીખવાનું આગળ ધપાવ્યું, અને બે વર્ષ પછી, નવ વર્ષની ઉંમરે, તેની માતા દ્વારા તેમને બંધુદત્ત ના માર્ગદર્શન હેઠળ વધુ સારી રીતે શિક્ષિત થવા માટે કાશ્મીર લઈ જવામાં આવ્યા. ત્યાં તેમણે ત્રણ વર્ષ પછી તેની માતા સાથે પાછા ફરતા પહેલા, દીર્ઘ આગમ માધ્યમ આગમ અને કુદ્રકનો અભ્યાસ કર્યો. ટોખારસ્તાન અને કાશગર મારફત પરત ફરતા, એક અરહાતે આગાહી કરી કે તેમનું ઉજ્જવળ ભવિષ્ય છે અને તે ઘણા લોકોને બૌદ્ધ ધર્મમાં રજૂ કરશે.ભારત-ચીનના સંબંધોમાં કુમારાજીવના યોગદાનને ધ્યાનમાં લઈને જોઈએ તો પૂર્વ એશિયામાં બૌદ્ધ ધર્મનો પ્રસાર કરનારા 250 થી વધુ ભારતીય અને 100 જેટલા ચિની વિદ્વાન હતા. તેમાંથી ધર્મરક્ષા, કુમારાજીવ અને હુઆન સંગની મહાન ત્રિપુટી કે જેઓ બૌદ્ધ ધર્મની સૂક્ષ્મ દાર્શનિક પ્રણાલીને લોકોને સહજ રીતે સમજી શકે તેવી રીતે ચીનના પ્રદેશોમાં ફેલાવી છે. કુમારજીવા જેવા બૌદ્ધ વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો અને તેમના પ્રયત્નોને કારણે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત વિશ્વનો સાંસ્કૃતિક નેતા હતું. દુર્ભાગ્યે ભારતમાં કુમારજીવનું જીવન અને વારસો સ્મૃતિ ભ્રંશમાં ગયો છે પરંતુ પૂર્વ એશિયન દેશોમાં આદરપૂર્વક જીવંત રાખવામાં આવ્યો છે. (ઉપર ના ફોટોગ્રાફ્સમાં જે પ્રતિમા દેખાય છે તે કુમારજીવાની ચાઈનાના કુચા પ્રાંતમાં કિઝિલની ગુફા સામે તેમની યાદમાં મુકવામાં આવ્યું છે) ચાઇનામાં મુખ્યત્વે ચાંગ’આન અને શીઆન શહેરોમાં તેમની છાપ હજી પણ સારી રીતે સચવાય છે.
હવે કેટલીકબીજી મહાન હસ્તીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે મિશનરીઓ તરીકે ચીન ગયા હતા. તેઓ પરમાર્થ બોધિરુચિ, બોધિધર્મ, વજ્રાબોધિ, આમોગવજ્ર અને તેમના જેવા.અન્યો પણ હતા.કુમાઇજીવા અને પરમાર્થ અને બોધિરુચિ એ ભારતમાંથી જનાર બૌદ્ધ પાઠના ત્રણ મુખ્ય અનુવાદકો હતા. તેઓ મહાન શિક્ષકો પણ હતા. આખા ચાઇનામાંથી હજારો વિદ્યાર્થીઓ તેમની પાસે બૌદ્ધ ધર્મની સૂક્ષ્મતા સમજવા આવતા હતા. જો કે બોધિધર્મ ભિન્ન.હતા તેઓ ચૈન સ્કૂલના પ્રથમ સ્થાપક હતા કે જે ધ્યાન પર ભાર મૂકતી શાળાહોય. ચાઇનાની ક્રમિક ઇતિહાસ માં આમોગવજ્રા એક અલગ પ્રકારનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેણે ગુપ્ત અને વિશિષ્ટ વિદ્યાના ઉપયોગ વડે, આક્રમણખોરોને ભગાડવામાં તેના આશ્રયદાતા રાજાને મદદ કરી. તેમણે અન્ય બે દિગ્ગજ જ્ઞાતા સાથે મળીને ચીનમાં વિશિષ્ટ બૌદ્ધ ધર્મ અને મંત્રરાયણ રજૂ કર્યા. પ્રથમ સદીની શરૂઆતમાં એ.ડી.કશ્યપ માતંગા અને તેના સાથી ત્યાં ભગવાન બુદ્ધની ઉપદેશોના પ્રસાર માટે ચીન પહોંચ્યા હતા. તેઓએ બૌદ્ધ ધર્મગ્રંથોના ચિનીમાં અનુવાદિત કરવા માટે સમર્પિત કર્યું. ત્યારબાદ મધ્ય એશિયા અને ભારતના મિશનરીઓના જૂથો બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવાના ઉદ્દેશથી ચીન પહોંચ્યા. સદીઓથી ભારતથી ચીન વાયા મધ્ય એશિયા, અફગનીસ્તાન, બેકટ્રિયા જવાનો રસ્તો અવરોધ અને મુશ્કેલીઓથી ભરેલો હતો. તેઓએ વિશાળ સેન્ડસ્કેપ્સને પાર કરવી પડી હતી. તેઓએ વિશાળ પર્વતમાળાઓ ઓળંગી હતી. તેમને અજાણ્યા લોકોના ઘણા દેશોમાંથી પસાર થવું પડ્યું. પરંતુ તેમને આવી કોઈ તકલીફ અટકાવી શકી નહીં. એક ધ્યેય અને એક ઇચ્છા સાથે સેંકડો બૌદ્ધ મિશનરીઓ અને વિદ્વાનોની અજાણ્યા દેશ, ચાઇના સુધીની બૌદ્ધ ધર્મના પ્રચાર માટેની મુસાફરી એક અજોડ અને અનન્ય છે. અને અસંખ્ય સદીઓથી તેઓએ બૌદ્ધ શાસ્ત્રના અનુવાદોમાં પોતાને સમર્પિત કર્યા. અહીં સ્રોત ભાષા સંસ્કૃત, પાલી અથવા ભારતમાં કેટલીક પ્રાદેશિક ભાષાઓ હતી જે નું લક્ષ્ય ચિની ભાષામાં ભાષાંતર હતું, તેનાથી ગુણાત્મક રીતે અલગ હતી. તેથી, ચિની ભાષામાં બૌદ્ધ ધર્મગ્રંથોનું ભાષાંતર ખરેખર ખુબ કઠિન કાર્ય હતું. ભારતીય ભાષાથી લઈને ચાઇનીઝ સુધીના અનુવાદનું વિશાળ કાર્ય વિશ્વના ઇતિહાસમાં અજોડ અને વિશિષ્ટ છે. એ એટલુંજ સાચું છે કે કશ્યપ માતંગા અને તેના સાથી આ દિશામાં માર્ગદર્શક હતા. પરંતુ ચોથી સદીમાં જ કુમારજીવની આકૃતિમાં અનુવાદની પ્રવૃત્તિ સીમાચિહ્ન પર પહોંચી.
આ પ્રખ્યાત યાત્રાળુઓની સાથે અન્ય યાત્રાળુઓનો પણ ઉલ્લેખ નીચે પ્રમાણે છે:
Indian Name
Chinese Name
Duration in China
વૈરોકના
પીલુઝાન’એ અથવા પીલુઝેએના
50 બી.સી.
કશ્યપ માતંગા
તે મો તેંગ
ઇસ. 68
ધર્મરત્ન
ઝૂ ફા સુ
ઇસ. 67 થી 70 સુધી
પાર્થમસિરિસ
એન શી ગાઓ
148 થી
બુધ્યાસસ
ઝુ ફો સુ
2 જી સદીનો બીજો ભાગ
લોકારકસા
ઝીકન અથવા લૂ જિયા
170 ના દાયકાથી
પ્રભા
ઝી યાઓ
185 થી આગળ
ધર્મફલા
તન ગુઓ સ્વ
2 મી સદી
મહાબલા
ઝુ દા લિ
બીજી સદી
મિલિન્દ
ઝી લિઆંગ
બીજાથી અંતમાં ત્રીજી સદીની શરૂઆતમાં
સુરતા પરિપ્રીચા
ઝી ક્વાઇન અથવા ઝી ગોંગ મિંગ
220/224 આગળ
વિઘ્ન
વી ઝી નાન
224 થી આગળ
વિદ્યાલોકા
ઝુ જિયાંગ યાન અથવા ઝુ ચી યાન અથવા ઝુ લુ યાન
224 થી
ધર્મરક્ષા (બી)
ઝુ ફા હુ અથવા ઝુ તન મો લુઓ ચા
236 થી 313 સુધી
સંઘભદ્ર
કાંગ સંગ હુઈ
246-7 થી 280 સુધી
કુમારબોધિ
જીયુ મો લુઓ ફો ટી
382
ધર્મપિયા
ફ’સી અથવા તન મો પિ
370-380
બુધ્ધરક્ષા
ફો ટુ લુઓ ચા
late 4th
ધર્મનંદી
ફા ક્ષી અથવા તન નુન ટી
380
સંઘરક્ષ
સેંગ ક્યુ લ્યુઓ ચા
late 4th
કુમારાજીવા
જીયુ મો લુઓ શી
385-403
બુદ્ધસંત
જુઈ ડિંગ અથવા ફા તુઓ-શાન ડ્યૂઓ
આશરે 508 થી આગળ
બોધિરુસિ (એ)
ડાઓ ક્ષી અથવા પૂ ટી લિઉઝિ
580 થી 530 સુધી
રત્નામતી
રત્નામતી બાઓ યી અથવા લે ના મો તી
508 થી
શિક્ષણાનંદ
ઇલે મ્યુ અથવા શી ચા નન તુઓ
695 થી 710 સુધી
ગુપ્તા
જુએ જોડી
આઠમી સદીની શરૂઆતમાં
સાધુ
શા તુઓ
આઠમી સદીની શરૂઆતમાં
પનામિતી
જિલીઆન અથવા બાનલામીદી
705 થી 706 સુધી
આરબ અને યુરોપમાં ભારતીય વિજ્ઞાન અને તકનીકી ગ્રંથોની માંગ
પૂર્વથી પશ્ચિમમાં ગ્રંથોને ભાષાંતરીત કરવામાં એલેક્ઝાન્ડ્રિયાના પુસ્તકાલયની મુખ્ય ભૂમિકા હતી.પુસ્તકાલયના સંચાલકો”સૌથી વધુ મૂળ, સૌથી વધુ અધિકૃત નકલો” મેળવવા માટે કોઈપણ હદ સુધી ગયા છે (“ખરીદો, ઉધાર અથવા ચોરી કરો”) . ઇસ.50 થી ઇસ.70 દરમ્યાન ગ્રીક ચિકિત્સક ડાયસોસિરાઇડ્સ દ્વારા તૈયાર કરાયેલ મેટેરિયા મેડિકા ગ્રંથ કે જેમાં ભારતીય ઔષધિઓ મોટી સંખ્યામાં સમાવે છે, નો ઉપયોગ 16ની સદીમાં યુરોપમાં કરવામાં આવતો હતો. પાંચમી સદીમાં ખ્રિસ્તી ચર્ચના દમનથી બચવા માટે નેસ્ટરિઅન્સ પર્સિયા અને પર્શિયાથી કેરળ, ભારતમાં ભાગી ગયો હતો અને ત્યાંથી ભારતના તબીબી જાણકારીને સીરિયામાં લઇ ગયો હતો. પાંચમા ખલીફા ,અબ્બાસીદ હાર્ઉન અલ રશીદ પાસે તેમના દરબારમાં ભારતીય ચિકિત્સક મેનકા હતા, જેમણે પ્રાચીન ભારતના અનિવાર્ય તબીબી લખાણ – સુશ્રુત સંહિતાને પર્શિયનમાં ભાષાંતર કર્યું હતું. માત્ર તબીબી સારવારજ નહીં પણ, ઇસ્લામિક વિજ્ઞાન પર ભારતીય વિદ્વાનોની ઊંડી છાપ જોવા મળે છે , તેને સારી રીતે સ્વીકારવામાં આવી છે. ભારતીય વિદ્વાનોને બગદાદમાં વારંવાર આમંત્રણ આપવામાં આવતું હતું. ગણિત, ચિકિત્સા અને ઔષધીય ક્ષેત્રમાં ભારતીય જ્ઞાનને પૂર્વમાંથી પશ્ચિમમાં લઇ જવામાં અલ કિંડી, અલ ફરાબી, અલ ફરગની, અલ તાબારી અને અલ ખુવારિઝ્મી જેવા મુસ્લિમ બૌદ્ધિકોની રચનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતની વિશિષ્ટ શોધો કે જેની વિદેશોમાં ભરપૂર માંગ હતી
ભારતીયોનાં તમામ આવિષ્કારો અને શોધોને એકીકૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે આપણે પ્રાચીન ભારતીયો દ્વારા કરવામાં આવેલ કેટલાક મહત્વપૂર્ણ આવિષ્કારો અને શોધો ખોવાઈ ગયા છે અને અમે તેના માટે દિલગીરપણે માફી માંગીએ છીએ આધુનિક ભારત દર વર્ષે નવા લક્ષ્યોને હાંસલ કરી રહ્યું છે. ભારત લાંબી નિંદ્રામાંથી જાગી રહ્યું છે. વિશ્વ ફરી ભારતને ઉભરતી શક્તિ તરીકે જોશે
વિશ્વના ટેક્સટાઇલ બિઝનેસમાં 30% હિસ્સો ભારતના ટેક્સટાઇલનો હતો.
ભારતીય વહાણવટા ઉદ્યોગમાં પણ અવ્વલ નંબર પર હતું। ભારતીય વહાણો 25-26 વર્ષ મધદરિયે ચાલતા જયારે આની સામે યુરોપના વાહનો ફક્ત 6થી 7 વર્ષ
પ્રાચીન ભારતમાં હજારો વર્ષોથી સ્ટીલ (લોહ) એ પ્રાથમિક નિકાસ ઉત્પાદનોમાંનું એક હતું? વુત્ઝ, ઉક્કુ, હિંદવી સ્ટીલ, હિન્દુવાની સ્ટીલ, ટેલિંગ સ્ટીલ અને સેરિક આયર્ન – આ સ્ટીલ એલોયના જુદા જુદા નામો હતા જે ભારતના દક્ષિણ ભાગોમાંથી નિકાસ કરવામાં આવતા હતા.
ઇસ 320 થી 550ની વચ્ચે ગુપ્તા શાસનકાળ દરમ્યાન શેરડીમાંથી સ્ફટિકમય સાકાર બનાવવાની પધ્ધતિ વિકસાવવામાં આવી હતી.
સૌ પ્રથમ વખત કાશ્મીરી બકરીની ઉન નો ઉપયોગ કરીને હાથ વણાટની પશ્મિના શાલનો ઉલ્લેખ લગભગ 3સદી પૂર્વેથી લગભગ ઇસ.1100 વચ્ચે શાહસ્ત્રો માં ઉલ્લેખ મળે છે.
ઈન્ડિગો ડાઇ ( ગળી- વાદળી રંગનું દ્રવ્ય )ની વ્યવસાયિક ખેતી સૌપ્રથમ ભારતમાં કરવામાં આવી હતી.ભારતમાં વર્ષોથી આનો ઉપયોગ કાપડને રંગવામાં થતો હતો ત્યાર બાદ તેનો ઉપયોગ રોમન અને ગ્રીકો પણ કરવા લાગ્યા હતા.. બ્રિટિશરો ભારતમાં આની વિશેષ ખેતી કરાવી તેની ઉપજ વિદેશોમાં માતબર નફો રળી વેંચતા હતા.
સિંધુ ખીણમાં આશરે 5000 વર્ષ પહેલા કપાસની ખેતી થતી હતી
પ્રાચીન કાલથી શણ (jute )ની ખેતી ભારતમાં થતી હતી. બંગાળ પ્રદેશ શણની ખેતીનું મુખ્ય કેન્દ્ર હતું।
ફ્લશ વાળા શૌચાલયના ઉપયોગના પુરાવા મોહેંજો દરોમાં વ્યાપક પ્રમાણે જોવા મળે છે.
વૂડ્ઝ સ્ટીલ : ભારત આ ક્ષેત્રમાં એક મુખ્ય નવીનતા ધરાવતું હતું, જેમાં બે અત્યંત અદ્યતન પ્રકારના લોખંડનું ઉત્પાદન થયું હતું. લગભગ 300 બીસીઇથી દક્ષિણ ભારતમાં ઉત્પન્ન કરાયેલ પ્રથમ, વૂટઝ સ્ટીલનું નિયંત્રણ, કંટ્રોલની પરિસ્થિતિમાં લોખંડને કાર્બર્જિત કરવામાં આવ્યું હતું. ડેક્કનથી સીરિયા સુધી નિકાસ કરવામાં આવે છે, આ સ્ટીલનો ઉપયોગ ત્યાં તીક્ષ્ણતા અને કઠોરતા માટે પ્રખ્યાત ‘દમાસ્કસ તલવારો’ તરીકે બનાવવામાં થતો હતી. આ ભારતીય સ્ટીલને ‘ઓરિએન્ટની અજાયબી સામગ્રી’ કહેવાતું..
ડાયમંડ માઇનિંગ : ભારતમાં પ્રથમ વખત હીરાની પરખ કરવામાં આવી હતી અને ગોદાવરી અને કાવેરી નદી ની આસપાસની જગ્યાએ તેનું ખાણ કામ વ્યવસ્થિત શરુ કરવામાં આવ્યું હતું। ચોક્કસ સમય કહેવો મુશ્કેલ છે પણ આશરે 5000 વર્ષ પેહલા મળ્યા હોવાનો અંદાઝ છે. 18મી સદીમાં પહેલી વખત બ્રાઝિલમાંથી હીરા મળ્યા ત્યાં સુધી ભારત એક માત્ર હીરા મેળવવાનો સ્ત્રોત હતો.
ઝીંક માઇનિંગ : ઝીંક ઓર ને ઓગાળીને ઝીંક ધાતુ તૈયાર કરવામાં આવી હતી. ઝીંક ઓર ઉદયપુર રાજસ્થાન પાસેની ખાણો ઇસ પહેલી સદીમાં સક્રિય હતી. ચરક સહિંતામાં ( આશરે 300 ઇસ પૂર્વે ) ઝિંકનો ઉલ્લેખ જોવા મળે છે. પાંચીમી સદીથી 13મી સદીમા રસરતન સમુચ્ય્યામાં બે પ્રકારની ઝીંક ઓરનો ઉલ્લેખ જેમાં મળેછે. એક ધાતુ તરીકે ઉપયોગ થઇ શકે તેવી અને બીજી કે જે દવામાં ઉપયોગ થઇ શકે તેવી.
પ્રિફેબ્રિકેટેડ ઘર અથવા જંગમ માળખું : મોગલ ભારતમાં , અકબરના શાસન હેઠળ સૌપ્રથમ પૂર્વનિર્ધારિત અને જંગમ બાંધકામની શરૂઆત થઇ હતી. આ બાંધકામની જાણ ઇસ 1579માં આરીફ કંધારીએ કરી હતી.
સ્તૂપ: સ્તૂપની ઉત્પત્તિ લગભગ ઇસ પૂર્વે 3જી સદી માં જોઈ શકાય છે આનો ઉપયોગ વિશેષ અવશેષો સાંચવવા માટેના સ્મારક તરીકે થતો હતો. આનો ઉપયોગ દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં ખાસ વધારે જોવા મળે છે. જેને પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્ટેપવેલ (વાવ) : વાવના સ્પષ્ટ પુરાવા છેક સિંધુ સંસ્કૃતિનાં પુરાતત્વીય સ્થળે જોવા મળે છે. આનો ઉપયોગ વટેમાર્ગુઓને રસ્તે જરૂરી પાણી પૂરું પાડવા થતો હતો. આઉપરાંત તેનું સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છે.
રમતો : શતરંજ , ચેસ, જેવી રમતોનું ઉદગમ સ્થળ ભારતમાં છે તેવું આરબો અને ઈરાનીઓ પણ સ્વીકારે છે. આ ઉપરાંત સાપસીડી, લુડો, કબ્બડી ઉપરાંત પત્તા ની રમતો ( ક્રીડા પત્રમ ) ભારતમાં ખુબ પ્રચલિત હતી.
કેલિકો : કેલિકો એટલે કે કપાસનાં રૂ માંથી કલર કર્યા વગરનું રફ પ્રકારનું કાપડ બનાવવાની શરૂઆત પણ ભારતમાં થઇ હતી.
મસલીન : આ કાપડની પ્રથમ વખત ઓળખ યુરોપીઅન ને મોસુલમાં થઇ હતી પરંતુ આ કાપડ તે સમયના ભારતના બંગાળ પ્રાંતમાં ઢાકામાં બનતું હતું।
બટન: બટનનો ઉપયોગ સૌ પ્રથમ સિંધુ સંસ્કૃતિમાં થતો હોવાના પુરાવા હરપ્પન સંસ્કૃતિના ભગ્ન અવશેષોમાંથી મળે છે.
તબીબી સારવાર અને દવા: ભારતમાં શૈલ્ય ચિકિત્સા પદ્ધતિ સૌ પ્રથમ ઇસ પૂર્વે 6થી સદીમાં ચરક દ્વારા વિગતવાર પુસ્તક લખી “ચરક સંહિતા” દુનિયા સમક્ષ મૂક્યું હતું। એજ રીતે આયુર્વેદ, મોતિયાની શૈલ્ય ચિકિત્સા, નાકનું પુનઃ નિર્માણ જેવી ચિકિત્સા સૌ પ્રથમ ભારતમાં થઇ હોવાના દસ્તાવેજી પુરાવા આપણી પાસે છે. આજ રીતે રક્તપિત્તની સારવાર , પ્લાસ્ટિક સર્જરી , હૃદય શૂળ વિગેરેની ચિકિત્સા ભારતમાં ઉપલબ્ધ હતી.
ભારતના પતનના કારણોની મીમાંસા
1835 માં, લોર્ડ મકાઉલેની શિક્ષણ નીતિ “ભારતીય શિક્ષણ પર મિનિટ” શીર્ષક પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં તેમણે અંગ્રેજી દ્વારા ભારતીયોને શિક્ષિત કરવાની અને ભારતીય ભાષાઓને સમૃદ્ધ બનાવવા માટેની હિમાયત કરી હતી જેથી તેઓ યુરોપિયન જ્ઞાન વિજ્ઞાન, ઇતિહાસિક અને સાહિત્યિક અભિવ્યક્તિના વાહનો બની શકે. છઠ્ઠા ધોરણથી ઇંગલિશને ભણતરના માધ્યમ તરીકે રજૂ કરવામાં આવી. લોર્ડ મકાઉલેએ વ્યક્ત કર્યું કે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે, તેના મર્યાદિત માધ્યમથી જનતાને શિક્ષિત કરવાના પ્રયત્નો અશક્ય છે. તેમનો વિચાર એવો વર્ગ રચવાનો હતો કે જે બ્રિટિશ લોકો અને બ્રિટિશ શાસન હેઠળનાં લાખો લોકો વચ્ચે દુભાષિયા બની શકે. તે એવા વ્યક્તિઓનો વર્ગ હશે કે જે, લોહી અને રંગમાં ભારતીય હોય, પરંતુ રૂચિમાં, મંતવ્યોમાં, નૈતિકતાઓમાં અને બુદ્ધિમાં અંગ્રેજ હોય. આ વિશિષ્ટ વર્ગને દેશની સ્થાનિક બોલીઓને પશ્ચિમીના વિજ્ઞાનથી સમૃદ્ધ કરવાનો અને તેમને ,બાકી બધા લોકો સુધી આ પશ્ચિમના જ્ઞાનને પહોંચાડવા માટે ઉપયોગ કરવાનો હતો. આનું પરિણામ એ આવ્યુંકે દિવસે દિવસે ભારતીય એજ્યુકેશન ના હાલ બત્તર થવા મંડ્યા 100 વર્ષમાં ભણેલા કરતા અભણની સંખ્યા વધી ગઈ.1931માં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે “બ્રિટિશરોએ 100 વર્ષ પહેલાં કરતાં ભારતને વધુ અભણ બનાવી છોડી દીધું હતું”
આ ઉપરાંત અંગ્રેજ શાસકોની જડ અને ધુતારા વૃત્તિએ ભારતને પાયમાલ કરી દીધો હતો 1770માં પડેલ દુષ્કાળ વખતે લોકોને રાહત આપવાની જગ્યાએ ટેક્ષ વસુલવાનાં હૃદય દ્રાવક પ્રસંગોથી કંપારી છૂટી જાય છે. વરરેન્ટ હેસ્ટિંગ્સના અહેવાલ પ્રમાણે ત્રીજા ભાગની વસ્તી દુઃખકાળના લીધે મૃત્યુ પામી હતી. અંદાજે 1000000 ( 1 કરોડ ) લોકો ભય અને ભૂખને હિસાબે મૃત્યુ પામ્યા હતા. નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને તેને માનવસર્જિત દુષ્કાળ તરીકે વર્ણવ્યું છે. જે ગ્રામ શાળાઓમાં બાળકો ભણતા હતા તે ગામ શાળાઓ મૃતઃપાય થઇ ચુકી હતી કેમકે હવે તેનો બોજ ઉપાડવાની શક્તિ સમાજે ઘુમાવી દીધી હતી. પેહલા જે કૃષિ અને અન્ય ઉત્પાદનો ઉપર 10થી 20 % વચ્ચે ટેક્સ હતો તે વધીને 59 % થઇ ગયો હતો અને ટેક્સ વસૂલવા માટે બેહરહેમીથી માર મારવાની। સરેઆમ જાહેરમાં બેઈજ્જત કરવામાં આવતા હતા. એક એવો સમય આવ્યો કે લોકો ટેક્સ ભારવા માટે અને પોતાનું ગુજરાન કરવા માટે પોતાના બાળકોને વેચવા મંડ્યા. આવા વિષમ સમયે બ્રિટિશ પોલિસી સૂચવે છે કે 1 દાન ન આપવું કેમકે દાન કરવાથી લોકો આળસુ થઇ જાય છે. 2 બજાર મુક્ત હોવું જોઈએ મતલબકે બજાર જાવક અને આપૂર્તિને હિસાબીજ ચાલવું જોઈએ। 3 જે જમીન લોકોને પોષણ નકરી શકતી હોય તો તે લોકોએ મરવું જોઈએ કેમ કે આ વસ્તી બેલેન્સ થવાનો કુદરતી રસ્તો છે. અને 4 જે કઈ ખર્ચ કરો તે અંદાજપત્રની મર્યાદામાં રહીને કરવાનો મતલબકે જો અંદાજપત્રમાં દુષ્કાળ માટે કોઈ ફંડની જોગવાઈના કરી હોયતો ગમે તેવો ભયંકર દુષ્કાળ કેમ ના હોય પણ ખર્ચ નહિ કરવાનો ! આજ ઘટનાનું ફરીથી પુનરાવર્તન થયું 1943ના ભયંકર દુષ્કાળ સમયે ! આ દુષ્કાળને પણ આપણે માનવસર્જિત કહી શકીએ . જયારે ભારતમાં દુષ્કાળ હતો ત્યારે વિન્સ્ટન ચર્ચિલે યુરોપમાં સંભવિત આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા ભારતમાંથી અનાજની પ્રાપ્તિમાટે ખરીદી ચાલુ કરી જેનાથી ભારતમાં અનાજના ભાવ આસમાને પહોંચ્યા. બીજી તરફ લોકો ભૂખને માર્યા મારી રહ્યા હતા. ભારતમાંના બ્રિટિશ ઓફિસર, ભારતના રાજ્ય સચિવ, લીઓ અમેરીએ કૈક કરવા માટે સરકારને વિનંતી કરી પણ ચર્ચિલે કહું કે હું આ હિંદુઓને ધુત્કારુ છું તેઓ ખુબ ગંદા અને ગોબર છે અને તેઓ સસલાની જેમ બાળકો પેદા કરેછે. બ્રિટિશ ઇન્ડિયન ઓફિસરે જયારે વિન્સ્ટન ચર્ચિલને ભારતમાં ઘઉં મોકલવા વિનંતી કરી અને જયારે ઑસ્ટ્રેલિયાથી ઘઉંના વહાણો ભરીને કલકત્તાના બારે લાન્ગરાયેલા હતા ત્યારે ચર્ચિલે તે ઘઉં ભારતના લોકોને આપવાની જગ્યાએ યુરોપમાં બફર સ્ટોક માટે મોકલી આપવાનો ઓર્ડર કર્યો ત્યારે 1943 ના પહેલા ભાગમાં વાઇસરોય લિલિથગો ચેતવણી સૂર વધુ તીવ્ર બન્યો અને એમેરીને તુરંત પગલાં લેવા કહ્યું આથી શ્રી અમેરીએ યુદ્ધ કેબિનેટને 4થી ઓગસ્ટ 1943ના રોજ ફરી વિનંતી કરી; બ્રિટિશ ઓફિસરે નોધ કરીને મોકલ્યું કે લોકો ભૂખથી મરી રહ્યા છે ત્યારે ચર્ચિલે ફાઈલ ઉપર નોંધ મૂકી કે તો પછી હજી સુધી ગાંધી મરતો કેમ નથી.? ચર્ચિલની લાગણી શુન્યતા અને બેરહેમી ને કારણે 4300000 ( 43 લાખ ) લોકોએ ભૂખથી તડપીને જાન ઘુમાવી! એમાં કોઈ આશ્ચર્ય નથી કે કહેવાય છે કે બ્રિટિશ રાજનો સૂર્ય ક્યારેય આથમતો નથી કારણકે કદાચ ભગવાનને પણ બ્રિટિશરો ઉપર ભરોસો નહોતો કે આ અંધારામાં શુંનું શુંઈ કરશે ? જયારે 1867માં 42 વર્ષની ઉંમરે રોબર્ટ કલાઈવ ભારતને લૂંટીને ઇંગ્લેન્ડ પરત ફર્યો ત્યારે તેની પાસે 400000 ( 4 લાખ ) પાઉન્ડની (ગેર કાયદેસર) સંપત્તિનો મલિક હતો.
જયારે બ્રિટિશ ઇન્ડિયામાં પ્રવેશ્યાં ત્યારે ઔરંગઝેબ , તત્કાલીન ભારતીય મોગલ રાજાની આવક આખાય યુરોપના રાજાઓની આવકથી વધારે હતી.. પરંતુ ઇસ 1800માં નાદિરશાહે ભારતના મુઘલ રાજા પર હુમલો કરી લગભગ 500 મીલીઅન રૂપિયાની લૂંટ ચલાવી હતી એને કેટલાય દિવસ સુધી દિલ્હી સળગતું રહ્યું હતું। લગભગ 50000 લોકોની લાશો દિલ્હીમાં રઝળતી હતી. આમ મોગલ સામ્રાજ્ય નબળું પડતા બ્રિટિશેરોએ કેન્દ્રીય સરકાર સાથે લડવાનું રહ્યું નહતું પણ તેના સુબેદાર કે જેમને પોતાને સ્વતંત્ર ઘોષિત કરી દીધા હતા તેમની સાથે એક પછી એક લડવાનું આવ્યું। જયારે રોમન સામ્રાજ્યના સમયમાં રોમન એમ્પાયર ભારતીય માંસલીન, લીનન , ફાઈન કોટ્ટન વિગેરેનું વિશાળ પાયે આયાત કરતુ હતું અને એક વખત તેના સેનેટમાં ચર્ચા થઇ હતીકે સ્ત્રીઓના કપડાં માટે આપણે ઘણું રોમન ગોલ્ડ ભારતને આપી દેવું પડ઼ેચ્ચે જે બતાવે છે કે ભારતીય કાપડની વિશ્વમાં કેવી માંગ હતી. એટલુંજ નહિ 17મી અને 18મી સદીમાં ઈંગ્લેન્ડમાં , બ્રિટિશ દુકાનદારો યુરોપીઅન કાપડને હિન્દુસ્તાનનું કાપડ કહીને વેંચતા હતા કેમ કે ભારતીય કાપડ ની માંગ ખુબજ રહેતી। બ્રિટિશરોએ ભારતીય કાપડ ઉદ્યોગનો નાશ કરી દીધો હતો અને એની અસરથી ઢાકા અને મુશિરદાબાદ શહેરોની વસ્તી એક એક ઘટી ગઈ હતી.વહાણવટના વ્યવસાયમાં, શિપ બિલ્ડીંગ બિઝનેસમાં પણ ભારતીયોની મોનોપોલી હતી. યુરોપીઅન વહાણો માંડ 5-7 વર્ષ મધ્ય દરિયે ચાલતા જયારે તેની સામે ભારતીય સાગમાંથી બનેલા ભારતીય વહાણો 20-25 વર્ષ ચાલતા। આથી શરૂઆતમાંતો બ્રિટિશરો ખુશ થઇ ગયા અને તેમને ભારતમાં વાહનો બનાવડાવાનું ચાલુ કર્યું પરંતુ તેની અસર તે થઇ કે ઇંગ્લેન્ડના સુથાર અને વહાણો બનાવનારાએ નોકરી ધાંધા ઘુમાવ્યા તેની અસર એવી થઇ કે ઇંગ્લેન્ડના સંસદ માં કાયદો પસાર કર્યો અને ભારતીય વહાણોને ઇંગ્લેન્ડ અને આંતરાષ્ટ્રીય જળ સીમામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો જેથી ભારતીય વહાણવટી બિઝનેસ ને મોટો ધક્કો પહોંચ્યો। 1930માં અમેરિકન ટ્રાવેલર વિલ ડુરાંતના કહેવા પ્રમાણે બ્રિટિશ ઇન્ડિયાનું એડયુકેશન પાછળનું બજેટ ન્યૂ યોર્ક સ્ટેટના બુજેટના 50% હતું। એવું કહેવામાં આવે છે કે ભારત ઔદ્યોગિકરણની બસ ચુકી ગયું એટલે ગરીબ થઇ ગયું પણ શશી થરુર ના કહેવા પ્રમાણે “અમે બસ ચુકી નથી ગયા પણ અમને બસ નીચે નાખી દેવામાં આવ્યા હતા”.બ્રિટિશ આર્મી એ અમારી શાળો , લુમ્સ તોડી નાખી, મુક્ત વ્યાપારને નામે બ્રિટિશ ઇન્ડિયામાં પ્રવેશ્યા પણ તેમને ભારતમાંથી નિકાસ થતી ટેક્સટાઇલ પ્રોડક્ટ પર ભારે ટેક્સ નાખ્યો અને આયાત પરથી ટેક્સ હટાવી દીધો ! વિશ્વના ટેક્સટાઇલ બિઝનેસમાં 30% હિસ્સો ભારતનો હતો. ઈંગ્લેન્ડમાં ભારતીય મસલીન કાપડની ડિમાન્ડ જબરજસ્ત હતી. ત્યારે ભારતીય કાપડ ઉપર 70% જેટલો ટેક્સ નાખી અને ખુબજ મોંઘુ કરી દેવામાં આવ્યું। આમ છતાં સાઉથ ઈસ્ટ એશિયામાં અને યુરોપમાં ભારતના કાપડની નિકાસ ચાલુ હતી.. બ્રિટિશની નીતિઓને કારણે એક વખતના મસ્લિન, હવા કરતા વજનમાં હલકા કાપડના ઉત્પાદકો ભિખારી બની ગયા. બ્રિટિશેરો માટે ઇન્ડિયા દુજણી ગાય હતી. 1770માં, મુર્શિદાબાદમાં શીતળાનો રોગચાળો ફેલાયો અને તેના 63 000 રહેવાસીઓને માર્યા ગયા, તેમાંના એક પોતેનવાબ નાઝિમ સૈફ-ઉદ-દોલાહ નજાબત અલી ખાન બહાદુર હતા. 10 માર્ચ, 1770 ના રોજ તેમનું અવસાન થયું. તેમના પછી તેમના ભાઇ અશરફ અલી ખાને તેમનો રાજ્ય સંભાળ લીધો, જેઓ રાજ્યાભિષેકના બે અઠવાડિયા પછી તે પણ શીતળાનાં રોગથી મરી ગયા.જયારે ઇન્ડિયામાં લોકો ભુખથી ટળવળતા હતા.
જયારે બીજા વિશ્વયુદ્ધમાં લાખો ભારતીય સૈનિકો ( બીજા વિશ્વ યુદ્ધમાં લડેલા બ્રિટિશ સૈન્યમાં 17% હિન્દુસ્તાનના સૈનિકો હતા.) સૈનિકો બ્રિટિશ આર્મી વતી યુદ્ધ લડી રહ્યા હતા ( યુદ્ધ બ્રિટિશ વતી લડતા હતા પણ તેમનો પગાર ભારતના લોકોના લોહી પાણી એક કરીને ચુકવતા હતા ) જેમાંથી 54000 સૈનિકોએ તેમની જાન ઘુમાવી હતી., 65000 સૈનિકો ઘાયલ થયા હતા અને 4000 સૈનિકો ક્યાંતો મિસિંગ હતા અથવા યુદ્ધકેદી તરીકે કેદ થયેલા હતા. સૌથી અગત્યની વાત ! ભારતીય સૈનિકોએ ને પ્રથમ વિશ્વ યુદ્ધમાં શૌર્ય પૂર્વક લાડવા માટે બ્રિટિશ સૈનિકો કરતા વધારે વિક્ટોરિયા ક્રોસ ગેલેનટ્રી એવોર્ડ મળ્યા હતા. છતાં પણ તમને સન્માન માટે ક્યાંય એક બાવલું પણ મુકવામાં આવ્યું નથી. 1943માં ફરી એક વખત બંગાળ ભયાનક દુષ્કાળના ખપ્પર માં હોમાયું હતું। હવે લૂંટનો બીજો પ્રકાર જોઈએ જેમકે રેલ્વે , ભારતમાં રેલવેનું નેટવર્ક બનાવવા પાછળનો બ્રિટિશરોનો ઇન્ટરેસ્ટ ફક્ત અને ફક્ત તેમનાં એટલેકે બ્રિટિશરોના હિતો જાળવવાનોજ હતો. તમને ખબર છે કે ભારતમાં રેલવેનું નેટવર્ક ઉભું કરવાનો કે બાંધવાનો ખર્ચ કેનેડા કે અમેરિકા કરતાં 9 ઘણો હતો ? અને આ બધુજ પ્રાઇવેટ કંપનીના લાભાર્થે ! બ્રિટિશ ઈન્વેસ્ટરોને 200% રીટર્નની ખાતરી ઇન્ડિયન બ્રિટિશ સરકારે આપી હતી ! ભારતીય લોકો ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરવા માટે વિશ્વમાં સૌથી વધારે ભાડું ચુકવતા હતા જયારે બ્રિટિશ કંપનીઓ તેમના માલ પરિવહન માટે વિશ્વમાં સૌથી ઓછો દર ચૂકવતી હતી ! તમે કહો આ રેલવે કોના ભલા માટે હતી ? તેમના બે મુખ્ય ઉદ્દેશ પૂર્ણ કરવા માટે રેલવે હતી 1 દૂર પ્રદેશમાંથી માલ ઉઠાવી નજીકના બંદર ઉપર પહોંચાડવા માટે અને ક્યાંય પણ છમકલું થાય તો ફૌઝને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે !
ઔરંગઝેબ કે જે ને વિશ્વનું સર્વોચ્ચ રાષ્ટ્રનું શાસન વારસામાં મળ્યું હતું તે ને મૂર્ખતા પૂર્ણ ધર્માન્ધતાથી તેને પોતેજ પોતાની સલ્તનતના પગ ઢીલા કરી નાખ્યા ! એના દાદા અકબરે બે કોમ વચ્ચે સંવાદિતતા વડે જે મેળવેલું હતું તે તેને ધર્માન્ધતા ભરેલી મૂર્ખતા પૂર્ણ વ્યવહારથી ઘુમાવી દીધું ! આ ઉંમર તે ડેક્કન અને દક્ષિણ ભારત પર ફતેહ મેળવવા માં ઘુમાવ્યા અને આખરે તેને રોપેલા બીજનું ફળ તેના વારસદારોએ ભોગવ્યું .અકાળે એક મહાન રાજ વંશ તેના આખરી દિવસો ગણવા તરફ આગળ વધ્યો। મંદિરો અને શૈક્ષણિક સંસ્થાઓનો વિનાશ, વિદ્વાન સાધુઓની અને વિદ્યાર્થીઓના હત્યાને કારણે હિન્દુ શિક્ષણમાં વ્યાપક ઘટાડો થયો. હિન્દુ રાજાઓના પતન સાથે, શૈક્ષણિક સંસ્થાઓને મળતા ભંડોળ અટકી ગયા, શાહી ટેકો તૂટી પડ્યો અને ખુલ્લા વાતાવરણના અભાવને કારણે વિજ્ઞાન, સંશોધન અને ફિલસૂફીને આંચકોનો સામનો કરવો પડ્યો. મુસ્લિમ શાસન હેઠળ ફારસી અને અરબી ભાષાઓ . તરફ તરફેણકારી વર્તન હોવા છતાં, હિન્દૂ શિક્ષણ પધ્ધતિથી ચાલતી પાયાનું શિક્ષણ આપતી શિક્ષણિક સંસ્થાઓ ચાલુ રહી. અકબર અને અન્ય શાસકો દ્વારા પણ તેને રક્ષણ આપવામાં આવ્યું હતું. વિજયનગર સામ્રાજ્યના સ્થાપકોમાંના એક, બુક્કા રાયે એ હિન્દુ ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના પુનર્વસન માટે પગલાં લીધાં હતાં, જેને મુસ્લિમ શાસન હેઠળ ગંભીર આંચકો મળ્યો હતો. બૌદ્ધ ધર્મનાં ભંડોળનાં કેન્દ્રો ક્ષીણ થઈ ગયાં, જેને કારણે હિન્દૂ સંસ્થાઓની પ્રગતિ થઈ.. અસંખ્ય મંદિરોમાં મૂર્તિઓના હાથ પગને તોડી પાડવામાં આવ્યા હતા અને એ રીતે મંદિરને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ઉત્તર ભારતમાં મોટાભાગના મહાન મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો અને અકબર શાસન હેઠળ વૃંદાવન મંદિરો સિવાય મુસ્લિમ શાસકો હેઠળ કોઈ મહાન મંદિરો બનાવવામાં આવ્યા ન હતા, અને આ મંદિરો પણ સાદગી પૂર્ણ અને સુશોભન રહિત હતાં . મુસ્લિમ શાસકો હેઠળ હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલા બદલાઈ ગઈ અને ઇસ્લામિક પ્રભાવોનો સમાવેશ થયો.
જ્યારે સંસ્કૃત ભાષા અને વેદાંતિક ફિલસૂફી પર સંશોધન સંઘર્ષના સમયગાળાનો સામનો કરી રહ્યો હતો, મુસ્લિમ શાસકો ઘણીવાર સારી રીતે સ્થાપિત અને જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવતા હતા જેમ કે અલ્લાઉદીન બખત્યાર ખીલજીએ નાલંદા, વિક્રમશીલા અને તેલ્હાર વિદ્યાપીઠનો નાશ કર્યો હતો અને ત્યાર પછી આ સ્તરની કોઈ નવી વિદ્યાપીઠ ઉભી ના થઇ શકી ગામોમાં પરંપરાગત શૈક્ષણિક સંસ્થાઓ પહેલાની જેમ ચાલુ રહી હતી, સંસ્કૃતને સ્થાને સંસ્કૃત પર આધારીત સ્થાનિક કે પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. 12 થી 15 મી સદીની વચ્ચે આ ભાષાઓમાં ઘણાં વેદાંતિક સાહિત્યનું ભાષાંતર થયું છે.
ગઝનીના મહમૂદ, ગઝનીના મહમૂદ,ગઝનવી સામ્રાજ્યના સુલતાને, 11 મી સદીની શરૂઆતમાં ભારતીય ઉપખંડ પર આક્રમણ કર્યું. ગંગાના મેદાનોમાં તેમના અભિયાનો ઉદ્દેશ મૂર્તિપૂજા કરનારની કત્લેઆમ કરવી, લૂંટફાટ અને મંદિરોના વિનાશ કરવાનો હતો. મહમૂદના અદાલતના ઇતિહાસકાર અલ-ઉત્બીએ મહમૂદના અભિયાનોને ઇસ્લામનો પ્રચાર અને મૂર્તિપૂજા કરનારને સંહારવાની જેહાદ તરીકે જોયા છે. મથુરામાં કરેલી લૂંટફાટમાં તેને 30 મિલિયન રૂપિયા અને 5 હજારથી વધુ ગુલામો મેળવ્યા હતા.
કુત્બુદ્દીન ઐબક(1206-1287 એડી) મુસ્લિમ ઇતિહાસકાર મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હાય દ્વારા સંકલિત ઐતિહાસિક રેકોર્ડ મમલુક વંશના શાસક કુતુબ-ઉદિન દૈબક દરમિયાન થયેલી ધાર્મિક હિંસાની પુષ્ટિ આપે છે. દિલ્હીમાં બનેલી પહેલી મસ્જિદ, “ક્વાવાત અલ-ઇસ્લામ” 20 હિન્દુ અને જૈન મંદિરોના તોડી નાંખેલા ભાગો સાથે બનાવવામાં આવી હતી. તેમના શાસનકાળ દરમિયાન મૂર્તિપૂજા વિરોધની આ પદ્ધતિ સામાન્ય હતી
ખલજી રાજવંશ (1290-1320 એડી)
ખાલજી રાજવંશ દરમિયાન ભારતમાં ધાર્મિક હિંસા ચાલુ રહી. હિંસા, અપમાન અને અપમાનનો અભિયાન ફક્ત મુસ્લિમ સૈન્યના કાર્યો જ નહોતા, અલ્લાઉદ્દીનના કાઝીઓ, મુફ્તિઓ અને અદાલતના અધિકારીઓએ તેને આમ કરવાં ધાર્મિક આધારો પર ભલામણ કરી હતી. બાયનાના કાઝી મુગીસુદ્દીનએ અલ્લાઉદ્દીને સલાહ આપી હતી કે “હિંદુઓને આધીન રહેવા ફરજ પાડવી , ધાર્મિક ફરજ રૂપે અપમાનિત કરવાં, કારણ કે તેઓ પયગંબરના ધર્મના દુશ્મનો છે અને તેમના ધર્મના મૂળ ખુબ ઊંડા છે, અને આવા નાસ્તિકોની હત્યા કરવા, લૂંટ ચલાવવા અને બંધક બનાવવાનો પયગમ્બરે આદેશ આપેલો છે. તે આગળ કહે છે કે તેમને ઇસ્લામમાં રૂપાંતરિત કરો અથવા તેમની હત્યા કરો, તેમને ગુલામ બનાવો અને તેમની સંપત્તિની તોડફોડ કરો અથવા બરબાદ કરો.
મલિક કફુરની આગેવાની હેઠળની મુસ્લિમ સૈન્યએ દિયોગિરી (મહારાષ્ટ્ર), વારંગલ (તેલંગણા) અને મદુરાઇ (તમિલનાડુ) ના ત્રણ હિન્દુ સામ્રાજ્યોની વિરુદ્ધ, 1309 અને 1311 ની વચ્ચે, દક્ષિણ ભારતમાં બે હિંસક ઝુંબેશ ચલાવી હતી. હજારોની કતલ કરવામાં આવી હતી. હલેબીડ મંદિરનો નાશ કરાયો હતો. મંદિરો, શહેરો અને ગામો લૂંટી લીધા હતા. દક્ષિણ ભારતમાંથી લૂંટ એટલી મોટી હતી કે, તે સમયના ઇતિહાસકારોએ તેને દિલ્હી લઇ જવા માટે એક હજાર ઊંટોની જરૂર પડી હતી। વારંગલની લૂંટમાં કોહ-એ-નૂર હીરા પણ લુંટાયો હતો.
1311 માં, મલિક કાફુરએ શ્રીરંગમ મંદિરમાં પ્રવેશ કર્યો, ત્રણ દિવસ સુધી આક્રમણનો પ્રતિકાર કરનારા મંદિરના બ્રાહ્મણ પૂજારીઓની હત્યા કરી, મંદિરની તિજોરી અને ભંડારને લૂંટી લીધાં અને અસંખ્ય ધાર્મિક ચિહ્નો, મૂર્તિઓનું અપમાન અને નાશ કર્યો। આ ઉપરાંત 11મી સદીમાં બિહાર અને બંગાળમાં અનેક ભવ્ય વિદ્યાપીઠોનો વિનાશ કર્યો।
મદુરાઇ સલ્તનત (1335–1378)
મોરોક્કનના પ્રવાસી ઇબન બતુતાએ તેની યાદોમાં મદુરાઇ સુલતાન ગિયાસ-ઉદ-દિન મહંમદ દમઘાનીના ક્રૂર વર્તનનું વર્ણન કર્યું છે. તેમની સેનાએ નિયમિતપણે આડેધડ રીતે સ્થાનિક હિન્દુ ગ્રામજનો તથા તેમની સ્ત્રીઓ અને બાળકોનો તીક્ષ્ણ હથિયારથી ધડથી માથું અલગ કરતો હતો. ઇબન બતુંતાએ આઘાત અને નફરત સાથે પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું છે કે ” તે અને તેના કૃત્યો ઘૃણાસ્પદ હતા, મેં બીજા કોઈ રાજા ને આવું જુગુપ્સા પ્રેરક કૃત્યો કરતા જોયો કે જાણ્યો નથી. તેથી જ ભગવાને તેમનું ઝડપી મૃત્યુ આપ્યું.” વિજયનગર રાજકુમારી ગંગાદેવીએ પણ મદુરાઇ સલ્તનતના સ્ત્રીઓ અને બાળકો પર અસહનીય અત્યાચાર અંગે વર્ણવ્યું છે.
તુગલક વંશ (1321-1394)
તુગલક વહીવટ, જેને તુગલુક અથવા તુગલુક રાજવંશ પણ કહેવામાં આવે છે, તે તુર્કીની મુસ્લિમ લાઇન હતી જેણે મધ્યયુગીન ભારતમાં દિલ્હી સલ્તનત પર સંચાલન કર્યું હતું. તેના શાસનની શરૂઆત દિલ્હીમાં 1320 માં થઈ હતી. ગિયાસુદ્દીન તુગલક આ વંશનો પ્રથમ શાસક હતો. ખિલજી પ્રશાસનના છેલ્લા શાસક ખુસરાઉ ખાનને ગઝની મલિકે ફાંસી આપી હતી, જેમણે ગિયાસુદ્દીન તુગલકની પદવી સ્વીકારીને સિંહાસન પર બેઠા હતા. તેમનું એક દુર્ઘટનામાં અવસાન થયું હતું અને તેમના સોને જૌના (ઉલુગ ખાન) એ તેઓની જગ્યાએ મહંમદ-બિન-તુગલકની શીર્ષક હેઠળ 1325 માં આવી હતી. તેમણે 1325 થી 1351 સુધી દિલ્હી પર શાસન કર્યું હતું. મુહમ્મદ-બિન-તુગલકનો જન્મ મુલતાનમાં કોટલામાં થયો હતો અને લગ્ન કર્યાં હતાં. દિપાલપુરની રાજા પુત્રીને. તે તર્ક, દર્શન, ખગોળશાસ્ત્ર, ગણિત, સુલેખન અને શારીરિક વિજ્ઞાન ના જ્ઞાતા હતા. તેમને તુર્કી, સંસ્કૃત, પર્શિયન અને અરબી જેવી વિવિધ ભાષાઓનું સારું જ્ઞાન હતું. પ્રખ્યાત પ્રવાસી ઇબન બટુતાએ તેમના શાસનકાળ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તે સમાનતામાં માનતા ઉદાર રાજા હતા. તેમણે હિન્દુ તેમજ જૈનોને સ્વતંત્રતા આપી.
મોહમ્મદ-બિન-તુગલાકને એક શાસક તરીકે સારી રીતે ઓળખવામાં આવે છે, જેણે વિવિધ આકરા પ્રયોગોનો પ્રયાસ કર્યો, અને ખેતીમાં એક અલગ મોહ દર્શાવ્યો. તેમને ધર્મ અને તર્કમાં ગહન સમજણ હતી અને તેનો ભેદભાવપૂર્ણ અને ગ્રહણશીલ દૃષ્ટિકોણ હતો. તેમને તર્કસંગતતા, અવકાશ વિજ્ઞાન , તર્કસંગત અને અંકગણિત માટે ગહન ઉત્સાહ હતો. તેમણે મુસ્લિમ અધ્યાત્મવાદીઓ, તેમજ હિન્દુ યોગીઓ અને જૈનસંતો સાથે વાત કરી, ઉદાહરણ તરીકે, જુનાપ્રભા સુરી.
ફિરુઝ શાહ તુગલુક દિલ્હી સલ્તનતના તુગલક વંશનો ત્રીજો શાસક હતો. “તારિખ-એ-ફિરુઝ શાહ” તેમના શાસનકાળ દરમિયાન લખાયેલો ઐતિહાસિક રેકોર્ડ છે જે તેમના શાસન હેઠળ હિન્દુઓના પ્રણાલીગત સતાવણીની સાબિતી આપે છે.
ભારત પર તૈમૂર આક્રમણ (1398-1399) ભારત પર તુર્કો-મોંગોલ શાસક તૈમુરના હુમલો પર મોટા પ્રમાણમાં વ્યવસ્થિત કત્લેઆમ અને અન્ય અત્યાચાર થયા હતા, જેનો મુખ્યત્વે ઉપખંડની હિંદુ વસ્તી પર અપરાધ કરવામાં આવ્યો હતો. તેની સેનાએ દિલ્હીની લૂંટ ચલાવી અને કત્લેઆમ કરી અથવાતો હિંદુઓને ગુલામ બનાવ્યાં હતાં, ફક્ત શહેરના મુસ્લિમ પડોશીઓને છોડી દીધા હતાં. બળવોના ડરથી દિલ્હી પર હુમલો કરે તે પહેલાં તેની સેના દ્વારા એક લાખ હિંદુ કેદીઓની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘણા વધુ માર્યા ગયા હતા
સિકંદર (1399-1416) તૈમૂર ચાલ્યા ગયા પછી, જુદી જુદી મુસ્લિમ સુલ્તાનોએ દિલ્હી સલ્તનતની નીતિ રીતિ પ્રમાણે તેમની શક્તિ લાગુ કરી. સુલતાન સિકંદરરે કાશ્મીરમાં, પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા લાગ્યો, અને તેને અહીંયા, કાશ્મીરમાં હિન્દુ મંદિરો,અને બૌદ્ધ મંદિરો, આશ્રમો, સંસ્કારો અને અન્ય પવિત્ર સ્થળોનો વિનાશ કર્યો અને ધાર્મિક હિંસાએ તેને ‘બુત શીકન’ એટલેકે મૂર્તિ તોડનારનાં નામથી ઓળખાવા લાગ્યો.સિકંદર, બુતશીકને પ્રાચીન હિન્દુ અને બૌદ્ધ પુસ્તકોનો નાશ કર્યો અને ધાર્મિક ધર્મોના અનુયાયીઓને પ્રાર્થના, નૃત્ય, સંગીત, દારૂનો વપરાશ અને તેમના ધાર્મિક તહેવારોના ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો. તેમના શાસનકાળ દરમિયાન ધાર્મિક હિંસાથી બચવા માટે, ઘણા હિંદુઓએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને ઘણાએ કાશ્મીર છોડી દીધું તો ઘણા લોકો માર્યા ગયા.
લોધી રાજવંશ (1451-1526) બે નોંધપાત્ર લોધી રાજવંશ શાસકો બહલુલખાન લોધી અને સિકંદર લોધીના શાસન દરમિયાન ધાર્મિક હિંસા અને સતાવણી ચાલુ રહી. બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં, દિલ્હી સલ્તનત, જેની પહોંચ ઉત્તર અને પૂર્વી ભારત તરફ સંકોચાઈ ગઈ હતી, હિન્દુઓને તેમના ધર્મ માટે સળગાવી અને હત્યા કરી હતી. 1499માં, બંગાળના બ્રાહ્મણની ધરપકડ કરવામાં આવી, કારણ કે તેણે નીચેના ઉપદેશ સાથે મુસ્લિમો અને હિન્દુઓ બંને વચ્ચે મોટો અનુયાય આકર્ષ્યો: “મુસ્લિમ અને હિન્દુ ધર્મ બંને સાચા છે જે એક ઈશ્વર તરફ લઇ જતા બે માર્ગ છે,” સિકંદર, તેમના બિહારના રાજ્યપાલ આઝમ હુમાયુ સાથે, ઇસ્લામિક વિદ્વાનો અને તેમના સમયના શરિયા નિષ્ણાતોને પૂછ્યું કે શું આવા બહુમતી અને શાંતિપૂર્ણ સંદેશા ઇસ્લામિક સલ્તનતમાં માન્ય છે કે નહીં. વિદ્વાનોએ સલાહ આપી હતી કે તે નથી, અને બ્રાહ્મણને કાં તો ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો, અથવા તેની હત્યા કરવાનો વિકલ્પ આપવો જોઈએ. સિકંદરે સલાહ સ્વીકારી અને બ્રાહ્મણને અલ્ટીમેટમ આપ્યું. હિંદુએ તેમનો મત બદલવાનો ઇનકાર કર્યો અને તેને મારી નાખ્યો.
મોગલ સામ્રાજ્ય : ઔરંગઝેબ (1658–1707) ઔરંગઝેબના શાસનમાં, મોગલ સામ્રાજ્યના ઇતિહાસમાં ધાર્મિક હિંસાના સૌથી મજબૂત અભિયાનમાંનો એક સાક્ષી હતો. ઔરંગઝેબે બિન-મુસ્લિમો પર જીઝ્યા કરની ફરીથી રજૂઆત કરી, બિન-મુસ્લિમો વિરુદ્ધના અનેક હુમલાઓનું નેતૃત્વ કર્યું, હિંદુઓને બળજબરીથી ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કર્યું અને હિન્દુ મંદિરોનો નાશ કર્યો.જો કે, તેમણે ઘણા મંદિરો પણ બનાવ્યા.
ઔરંગઝેબે 1669 માં તેના તમામ પ્રાંતના રાજ્યપાલોને “કાફીરોની શાળાઓ અને મંદિરો પુરી તાકાતથી નાશ કરવાનો આદેશ આપ્યો હતો, અને મૂર્તિપૂજક સ્વરૂપોના ઉપદેશ અને અભ્યાસને સંપૂર્ણ રીતે રોકવાનો તેઓને આદેશ આપ્યો હતો”. આ આદેશો અને તેમને લાગુ કરવામાં તેમની પોતાની પહેલથી અસંખ્ય મંદિરોનો નાશ થયો, જેના કારણે ભારતના ઇસ્લામિક શાસન દરમિયાન નાશ પામેલા મંદિરોની સૂચિમાં ફાળો આપ્યો. કેટલાક મંદિરો સંપૂર્ણ નાશ પામ્યા હતા; અન્ય કિસ્સાઓમાં મંદિરોમાં મૂર્તિઓ તોડવામાં આવી હતી અને કેટલીકવાર તે જ પત્થરોનો ઉપયોગ કરીને, મસ્જિદો તેમના પાયા પર બનાવવામાં આવી હતી, મથુરા શહેરને સ્થાનિક સત્તાવાર દસ્તાવેજોમાં કેટલીક વાર ઇસ્લામાબાદ નામ આપવામાં આવ્યું હતું।
ટીપુ સુલતાન
આ પણ જુઓ: કેરળ પર મૈસુર આક્રમણ ટીપુ સુલતાને મપ્પીલા મુસ્લિમો સાથે હિંદુઓ, ખ્રિસ્તીઓ પર સતાવણી કરી અને હિંદુઓ અને ખ્રિસ્તીઓના બળજબરીથી ધર્મ પરિવર્તન કર્યું. સી. કે. કરીમ અનુસાર, ટીપુ સુલતાને કેરળમાં 1788 માં, તેનાં કાલિકટના રાજ્યપાલ શેરખાનને હિંદુઓને ઈસ્લામમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા શરૂ કરવા અને હિન્દુ મંદિરોના વિનાશ માટે આદેશ આપ્યો હતો. ધાર્મિક કટ્ટરપંથી તરીકે ટીપુ સુલતાનના ચિત્રાંકણાને કેટલાક સ્રોતો દ્વારા વિવાદી માને છે અને સૂચવે છે કે તેઓ ખરેખર બીજી ધાર્મિકમાન્યતોઓને સ્વીકારે છે. ભારતના પુરાતત્ત્વીય સર્વેમાં ત્રણ મંદિરોની સૂચિ છે જે ટીપુ સુલતાનના શાસન દરમિયાન નાશ પામ્યા હતા. આ હરિહર ખાતેનું હરિહરેશ્વર મંદિર હતું જે મસ્જિદમાં ફેરવાયું હતું, શ્રીરાંગપટ્ટનમમાં વરાહસ્વામી મંદિર અને હોસ્પેટમાં ઓડકારય મંદિર.
ઉપસંહારઃ
નાલંદા,તક્ષશિલા, સોમનાથ, રામ મંદિર, વૈદિક ગ્રંથો વગેરે .. મુસ્લિમ આક્રમણકારો દ્વારા નાશ પામેલી લાખો વસ્તુઓ છે. પણ શું આપણે અફસોસ, ગ્લાનિની પીડા ભોગવતા રહીશું ? શું આપણે આ અંગે આક્રોશ કે જનૂન શબ્દો કે કાર્યો દ્વારા વ્યક્ત કરી હાલના મુસ્લિમોને કોસતા રહીશું ? ના અફસોસ, પીડા અને આક્રોશ કે જનૂનનો અહીં કોઈ અર્થજ નથી. આપણે જરૂર છે કે આપણે ભૂતકાળમાંથી કંઈક પ્રેરણા લઈએ। આપણો સાચો ઇતિહાસ આપણી આવતી પેઢીને સમજાવીએ અને આપણા પૂર્વજોનાં ગૌરવવંતા ઇતિહાસ માટે ગૌરવ અનુભવીએ। આપણી આવનાર પેઢીને અભૂતપૂર્વ , ગૌરવશાળી ઇતિહાસથી રુબરુ કરાવીએ સાથે એમને કરેલી ભૂલોને ન આપણે ફરીથી દોહરાવીએ કે ન આપણી આવતી પેઢી ફરીથી દોહરાવે તે જોઈએ ! આપણે આપણા પૂર્વજોએ કરેલી ભૂલમાંથી તો શીખવાનું છેજ પણ આપણા દુશ્મનોએ કરેલી ભૂલોમાંથી પણ આપણે શીખવાનું છે ! આપણે અંદરો અંદર એટલા માટે લડતા રહ્યા કે આપણે એક – બીજાનું આધિપત્ય નહોતું સ્વીકારવું પણ ઇતિહાસ ગવાહ છે કે આપણે 1000 વર્ષથી વધારે બીજાના આધિપત્ય નીચેજ રહ્યા ! આપણે 19મી સદીના અંત સુધી એક મજબૂત ઈકોનોમી હતા, વિસ્તારમાં અને વસ્તીમાં આપણે ટોપ ઉપર હતા. આપણે એક એકથી ચડે તેવી યુનિવર્સિટી બનાવી એક જુઓને એક ભૂલો તેવાં મંદિરો બનાવ્યાં,પણ તેના સૌરક્ષણ માટે આપણે કોઈજ વ્યવસ્થા વિચારી નહિ. આપની પાસે શ્રેસ્ટ ટેક્નોલોજી હતી. અસ્ત શસ્ત્રમાં પણ આપણે નિપુર્ણ હતા. આપણા પૂર્વજો શૌર્યવાન હતાં। દેશ માટે મરી ફીટવાની ભાવના પણ ફૂટી ફૂટી ને ભરી હતી પણ જે કમી હતી તે એકજ વસ્તુની કે કિલિંગ ઇન્સ્ટિક્ટ નો અભાવ હતો. આથી આપણું લશ્કર એક ખોબા જેવડા દેશથી પણ નાનું હતું। આપણો સંરક્ષણ પાછળનો ખર્ચ તદ્દન નહિવત કે ઓછો હતો.. આપણા ભવ્ય મંદિરો કે યુનિવર્સિટીઓ સૌ રેઢા પડ્યા હતા. જો તમનેલાગતું હોય કે ભારતીય મુસ્લિમોએ આક્રાંતાઓએ આપેલ પીડા દુઃખ દર્દ માટે માફી માંગવી જોઈએ તો તમે ખોટા છો કારણ કે 99% ભારતીય મુસ્લિમોનાં પૂર્વજો આપણા જેવા હિન્દુ હતા જેમણે ઇસ્લામિક આક્રમણકારો દ્વારા બળપૂર્વક પરિવર્તિત કરાયાં હતા. ભારતીય મુસ્લિમો, હિન્દુઓ જેવા લાગે છે નહીં કે અરબ જેવાં. બીજુકે આપણી સંસ્કૃતિ એક છે. જો આપણે તેમના ભૂતકાળનો વિચાર કરીએ તોતકનીકી રીતે કહીએ તો હાલના મુસ્લિમો દોષી નથી પણ ભોગ બનેલ છે. આ માટે આપણે હાલમાં આપણી આંખ સામે ઇરાકમાં બનેલી ઘટનાઓ વિષે વિચારીએ તો વધારે સારી રીતે સમજાશે. હવે 21 મી સદીમાં આઇએસઆઇએસ (ISIS) એ જ રીતે ઇરાકમાં પ્રાચીન યઝીદી ઐતિહાસિક સ્થળોનો નાશ કરે છે અને ઇરાકમાં યાઝિદિઓના સ્ત્રી બાળકો પર બળજબરી કરી ધર્મ પરિવર્તન કરાવે છે અથવા હત્યા અથવા બળાત્કારમાં ફેરવે છે. 100 વર્ષ પછી રૂપાંતરિત યઝીદી બાળકો ઇસ્લામ માટે લડશે અને અત્યંત ધાર્મિક મુસ્લિમ રહેશે. તેથી તે સમયે તેઓએ શું આજકાલના વિક્ષેપ માટે માફી માંગવી જોઈએ? મને લાગે છે કે મારો મતલબ તમે સમજી ગયા છો ! તો આપણે કરવાનું શું ?
મહાન ભારતનો ગૌરવવંતો અદભુત ઇતિહાસ ના એક એક પર્ત જેમ જેમ ખુલતી જાય છે તેમ તેમ આપણા મ્હોંમાંથી અદભુત અદભુત શબ્દો નીકળતા જાય ! અને આ આપણને ક્યાંથી ખબર પડે છે ? ખબર છે ? રોમન, મધ્યપૂર્વનાં અને પર્શિયન લેખકોનાં પુસ્તકો દ્વારા ! બહુ ઓછા દેશ એવા હશે જ્યાં જે તે દેશના વતનીથી સાચો ઇતિહાસ છુપાવામાં આવે ! પરંતુ આ તદ્દન સત્ય હકીકત છે ! શું આની પાછળ સ્વતંત્ર ભારતનાં શિક્ષણ પ્રધાનો જવાબદાર હશે ? કારણકે ઇતિહાસ છુપાવવાની જરૂરતોજ પડે જો શરમ જનક હોય પણ ભવ્યાતિ ભવ્ય ઇતિહાસને દબાવવા છુપાવવાની જરૂરત કેમ પડી ? કોના હિતમાં ભારતનો ભવ્ય ભૂતકાળ ભારતનાં લોકોથી છુપાવવામાં આવ્યો ? ભારત સોને કી ચીડિયા હતી એ ફક્ત કવિઓની કવિતા સિવાય કેમ ક્યાંય આપણને ભણવામાં નથી આવ્યું ?
ભારત ‘સોનેકી ચીડિયા’ તરીકે ઓળખાતું હતું અને એ ખરેખર હતુજ એવું મારા સતત અભ્યાસ પછી દાવા સાથે કહી શકું !શું આપ જાણો છો કે ભારતમાં સોનાની ખાણમાંથી કેટલું સોનુ પ્રાપ્ત થયું છે ? 1000 ટન સોનુ ભારતની કર્ણાટકમાં આવેલી કોલાર ગોલ્ડ ફિલ્ડની ખાણોમાંથી મળ્યું છે. શું આપને ખબર છે કે ભારતમાં ,હાલમાં ,સ્ત્રીઓ પાસે કેટલું સોનુ છે? અંદાજે 21000 થી 31000 ટન સોનુ ભારતની સ્ત્રીઓ પાસે છે !! વિશ્વનું 18% સોનુ ભારત પાસે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના મેનેજીંગ ડિરેક્ટરનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સ્ત્રીઓ પાસે ,અમેરકૅન ટ્રેઝરીથી બે ઘણું સોનુ છે! હવે પ્રશ્ન એ થાય કે ભારતે કોઈ દેશ પાયે આક્રમણ કરી સોનુ લુંટ્યું નથી તો આ સોનુ આવ્યું ક્યાંથી ? 30000 ટન સોનુ ભારતમાં વેપાર માંર્ગે પ્રવેશું છે. ભારત છેક પહેલી સદીથી રોમન સામ્રાજ્ય સાથે વ્યાપાર કરતુ હતું.રોમન સેનેટરોએ ફરિયાદ કરી હતી કે તેમની મહિલાઓએ ભારતીય મસાલા અને વૈભવી વસ્તુઓનો ઉપયોગ પાછળ રોમન સામ્રાજ્યને સોના જેવી કિંમતી ધાતુ ઘુમાવવી પડેછે. CE 77 સી.ઇ. માં, પ્લેની ધ એલ્ડર, ભારતને “વિશ્વના સોનાનો ગટર ” કહેતા હતા. 16 મી સદીમાં, પોર્ટુગલે વિરોધ કર્યો હતો કે દક્ષિણ અમેરિકાથી તેને મુશ્કેલીથી જીતવામાં આવેલું રજત ભારતમાં ખોવાઈ રહ્યું છે. બ્રિટિશ સંસદ 17 મી સદીમાં આ વિલાપકર્યો હતો. અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીયોને અંગ્રેજી ચીજોમાં રસ લેવાની વિનંતી કરી હતી. સ્ટ્રેબો, ગ્રીક ભૂગોળવેત્તા એ નોંધ્યું છે કે “જ્યારે સી. કોર્નેલિયસ ગેલસ ઇજિપ્તનો મુખ્ય અધિકારી (પ્રીફેક્ટ) હતો, ત્યારે હું તેની સાથે ગયો હતો અને નાઇલ પર છેક સિનો અને ઇથોપિયાના સીમાઓ સુધી પહોંચ્યા હતા, અને ત્યારે મેં જોયું હતું કે માયોસ હોર્મોસથી ભારતમાં લગભગ 120 જેટલા રોમન જહાજો ભારતમાં વ્યાપારિક કારણોસર અવર જવર કરતા હતાં”. ભારતમાંથી મોટા ભાગે , કાપડ, વૂડ્સ સ્ટીલ , મરી મસાલા ( ખાસ કરીને બ્લેક પેપેર), તેજાના, હીરા, મોતી, ઝવેરાત, કિંમતી રત્નો, હાથી દાંત અને તેની બનાવટો, કાચબાની ખાલ, સિંહ અને દીપડાની નિકાસ થતી હતી જયારે રોમન સામ્રાજ્યમાંથી ભારતમાં સોનુ, ચાંદી, ઉચ્ચ કક્ષાનો વાઈન, ગોરી સ્ત્રીઓ ( રાજાને ભેટ આપવા માટે ) અને કાચનાં વાસણો તથા રમકડાંની આયાત થતી હતી. ભારતમાંથી નિકાસ થતાં મરી (પેપર) ના સંગ્રહ માટે રોમમાં હૉરરયા પીપરેટરિયા નામનું સંગ્રહસ્થાન ( વખાર) બનાવવામાં આવ્યું હતું જેમાં 5000 ટન જેટલા મરીનો સંગ્રહ કરી શકાતો હતો અને જાણો છો તેટલા મરી માટે કેટલું સોનુ ભારતને આપવું પડતું હતું ? 15 ટન સોનુ ભારતને આપવું પડતું હતું. આપ જાણૉ છો કે ભારતમાં સોનાની થતી નિકાસથી રોમન સામ્રાજ્ય પાસે સિક્કા ( નાણું ) છાપવાં માટે સોનાની ઘટ પડવા માંડી હતી અને ત્યારની સંસદમાં આના ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને ભારતથી આયાત થતી બધી વસ્તુઓ પર 25% (ટટારટી) કસ્ટમ ડ્યૂટી લાદવામાં આવી હતી.અને આનાથી રોમન સામ્રાજ્યની કુલ આવકમાં લગભગ 25% હિસ્સો ભારતમાંથી થતી આયાત ઉપર લગાવેલ આયાત કરમાંથી મળતો હતો. ફ્રેન્ચ ટ્રાવેલર કે જે ભારતમાં તે સમય ઘણા મહિનાઓ સુધી ભારતમાં રોકાયો હતો તેને નોંધ્યું છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં સોના ચાંદી ની લે વેચ થઇ હોય પણ આખરે તે ઘૂમી ફરીને ભારતમાં પ્રવેશે છે. હવે હું માનું છું કે આપના મનમાં પ્રશ્ન ઉઠાવો સ્વાભાવિક છે કે ભારતનો રોમન સામ્રાજ્ય સાથે વેપાર ક્યારથી અને કઈ રીતે થતો હતો. જોકે ત્યારે ચોક્કસ પ્રશ્ન ઉપસ્થિત થાયકે તો પછી શું શયું મારા, તમારા અને આપણા ભારતને ? કોની નજર લાગી ગઈ ? 1947માં, જયારે ભારત આઝાદ થયો ત્યારે ભારતનો વિશ્વની જી ડી પી માં ફાળો માત્રને માત્ર 3% હતો. સરેરાશ ભારતીયનું આયુષ્ય 27 વર્ષ હતું. 17% લોકો શિક્ષિત હતા એટલેકે 83 % અભણ હતા. 90% વસ્તી ગરીબી રેખા હેઠળ હતી. આવું કેમ ? એક વખત સોને કી ચીડિયા કહેવાતું ભારત આ હદે પાયમાલ કેવી રીતે થઇ ગયું ? કોણ જવાબદાર હતું ? અંગ્રેજો ? મધ્ય પૂર્વથી આવેલા આક્રાંતાઓ ? ભારતની સમાજ રચના ? તત્કાલીન ભારતના હિન્દૂ રાજાઓ? ભારતની વર્ણ વ્યવસ્થા ? ભારતની શિક્ષણ પધ્ધતિ ? કોણ જવાબદાર ? કોઈ એક ? બે કે બધાજ ? આવો આપણે ભારતના ભવ્ય ભૂતકાળને ખંગોળિએ અને શોધવા પ્રયત્ન કરીયે કે સાચી હકીકત શું હતી ?
જયારે બ્રિટિશરો ભારતમાં પ્રવેશ્યા ત્યારે અથવા તો ત્યાર પહેલા ભારતની પરિસ્થિતિ કેવી હતી ?
1700માં ભારતનો વિશ્વ જીડીપીમાં હિસ્સો 27 % હતો
1800માં ભારતનો વિશ્વ જીડીપીમાં હિસ્સો 23 % હતો
જયારે બ્રિટિશ ઇન્ડિયામાં પ્રવેશ્યાં ત્યારે, ઔરંગઝેબ , તત્કાલીન ભારતીય મોગલ રાજાની આવક આખાય યુરોપના રાજાઓની આવકથી વધારે હતી.
જયારે રોમન સામ્રાજ્યના સમયમાં રોમન એમ્પાયર ભારતીય મસલીન, લીનન , ફાઈન કોટન વિગેરેનું વિશાળ પાયે આયાત કરતુ હતું અને એક વખત તેના સેનેટમાં ચર્ચા થઇ હતીકે સ્ત્રીઓના કપડાં માટે આપણે ઘણું રોમન ગોલ્ડ ભારતને આપી દેવું પડે છે; જે બતાવે છે કે ભારતીય કાપડની વિશ્વમાં કેવી માંગ હતી. એટલુંજ નહિ 17મી અને 18મી સદીમાં ઈંગ્લેન્ડમાં , બ્રિટિશ દુકાનદારો યુરોપીઅ કાપડને હિન્દુસ્તાનનું કાપડ કહીને વેંચતા હતા કેમ કે ભારતીય કાપડની માંગ ખુબજ રહેતી।
વહાણવટના વ્યવસાયમાં, શિપ બિલ્ડીંગ બિઝનેસમાં પણ ભારતીયોની મોનોપોલી હતી. યુરોપીઅન વહાણો માંડ 5-7 વર્ષ મધ્ય દરિયે ચાલતા જયારે તેની સામે ભારતીય સાગમાંથી બનેલા ભારતીય વહાણો 20-25 વર્ષ ચાલતા! આથી શરૂઆતમાંતો બ્રિટિશરો ખુશ થઇ ગયા અને તેમને ભારતમાં વહાણો બનાવડાવાનું ચાલુ કર્યું !
1830માં ભારતના બિહાર અને બંગાળમાં 100000 ( 1 લાખ )ગ્રામ્ય શાળાઓ હતી . મોટા ભાગની શાળાઓમાં શુદ્રો બહુમતીમાં હતા જયારે બ્રાહ્મણ અને વૈશ્ય લઘુમતીમાં હતા. તમિલ બોલતા સાલેમ વિસ્તારમાં 70 %શુદ્રો હતા અને તિરુનેલવેલી વિસ્તારમાં 84% શુદ્રો હતા.મલયાલી બોલતા માલાબાર વિસ્તારમાં 20% બ્રાહ્મણો હતા, 27% મુસ્લિમ હતા અને 54% શુદ્રો હતા.આ શાળાઓમાં બોલતા, લખતા અને વાંચતા શીખવાડવામાં આવતું. આ ઉપરાંત અંક ગણિત અને રામાયણ અને મહાભારત જેવા મહા કાવ્યો વિષે પણ ભણાવવામાં આવતું! આ માત્ર એકજ પ્રકારે શિક્ષણ નહોતું અપાતું આ ઉપરાંત કલા કારીગરી, હસ્તકલા અને ખેતી વિષયક જ્ઞાન નિષ્ણતો દ્વારા શિખાઉ કે તાલીમી ઉમેદવારને પ્રાયોગિક સાથે વ્યવહારિક જ્ઞાન આપવામાં આવતું આ ઉપરાંત ભારતમાં પેઢી દર પેઢી ધંધા વ્યસાય ચાલતા જેથી ત્યાં પણ વ્યવસાયિક જ્ઞાન મળતું હતું.( આ આંકડા બ્રિટિશરો દ્વારા ઇંગલિશ એજ્યુકેશન સિસ્ટમ દાખલ કરતા પહેલા કરેલ સર્વે રિપોર્ટ ને આધારે લીધા છે )
ભારતની વિશિષ્ટ શોધો કે જેની વિદેશોમાં ભરપૂર માંગ હતી
પ્રાચીન ભારતમાં હજારો વર્ષોથી સ્ટીલ (લોહ) એ પ્રાથમિક નિકાસ ઉત્પાદનોમાંનું એક હતું? વુત્ઝ, ઉક્કુ, હિંદવી સ્ટીલ, હિન્દુવાની સ્ટીલ, ટેલિંગ સ્ટીલ અને સેરિક આયર્ન – આ સ્ટીલ એલોયના જુદા જુદા નામો હતા જે ભારતના દક્ષિણ ભાગોમાંથી નિકાસ કરવામાં આવતા હતા.
ઇસ 320 થી 550ની વચ્ચે ગુપ્તા શાસનકાળ દરમ્યાન શેરડીમાંથી સ્ફટિકમય સાકાર બનાવવાની પધ્ધતિ વિકસાવવામાં આવી હતી. ઇ.સ. પૂર્વે 510માં ત્યારના પર્સિયાના સમ્રાટ ડારિયસે ભારત પર આક્રમણ કર્યું જ્યાં તેને “મધમાખીઓ વિના મધ આપે છે તેવું રાડું મળી આવ્યું.” તેમ નોંધ્યું હતું.
સૌ પ્રથમ વખત કાશ્મીરી બકરીની ઉન નો ઉપયોગ કરીને હાથ વણાટની પશ્મિના શાલનો ઉલ્લેખ લગભગ 3સદી પૂર્વેથી લગભગ ઇસ.1100 વચ્ચે શાસ્ત્રો માં ઉલ્લેખ મળે છે.
ઈન્ડિગો ડાઇ ( ગળી- વાદળી રંગનું દ્રવ્ય )ની વ્યવસાયિક ખેતી સૌપ્રથમ ભારતમાં કરવામાં આવી હતી.ભારતમાં વર્ષોથી આનો ઉપયોગ કાપડને રંગવામાં થતો હતો ત્યાર બાદ તેનો ઉપયોગ રોમન અને ગ્રીકો પણ કરવા લાગ્યા હતા.. બ્રિટિશરો ભારતમાં આની વિશેષ ખેતી કરાવી તેની ઉપજ વિદેશોમાં માતબર નફો રળી વેંચતા હતા.
સિંધુ ખીણમાં આશરે 5000 વર્ષ પહેલા કપાસની ખેતી થતી હતી
પ્રાચીન કાલથી શણ (jute )ની ખેતી ભારતમાં થતી હતી. બંગાળ પ્રદેશ શણની ખેતીનું મુખ્ય કેન્દ્ર હતું।
ફ્લશ વાળા શૌચાલયના ઉપયોગના પુરાવા મોહેંજો દરોમાં વ્યાપક પ્રમાણે જોવા મળે છે.
વૂડ્ઝ સ્ટીલ : ભારત આ ક્ષેત્રમાં એક મુખ્ય નવીનતા ધરાવતું હતું, જેમાં બે અત્યંત અદ્યતન પ્રકારના લોખંડનું ઉત્પાદન થયું હતું. લગભગ 300 બીસીઇથી દક્ષિણ ભારતમાં ઉત્પન્ન કરાયેલ પ્રથમ, વૂટઝ સ્ટીલનું નિયંત્રણ, કંટ્રોલની પરિસ્થિતિમાં લોખંડને કાર્બર્જિત કરવામાં આવ્યું હતું. ડેક્કનથી સીરિયા સુધી નિકાસ કરવામાં આવે છે, આ સ્ટીલનો ઉપયોગ ત્યાં તીક્ષ્ણતા અને કઠોરતા માટે પ્રખ્યાત ‘દમાસ્કસ તલવારો’ તરીકે બનાવવામાં થતો હતી. આ ભારતીય સ્ટીલને ‘ઓરિએન્ટની અજાયબી સામગ્રી’ કહેવાતું..
ડાયમંડ માઇનિંગ : ભારતમાં પ્રથમ વખત હીરાની પરખ કરવામાં આવી હતી અને ગોદાવરી અને કાવેરી નદી ની આસપાસની જગ્યાએ તેનું ખાણ કામ વ્યવસ્થિત શરુ કરવામાં આવ્યું હતું। ચોક્કસ સમય કહેવો મુશ્કેલ છે પણ હીરા,આશરે 5000 વર્ષ પેહલા મળ્યા હોવાનો અંદાઝ છે. 18મી સદીમાં પહેલી વખત બ્રાઝિલમાંથી હીરા મળ્યા ત્યાં સુધી ભારત એક માત્ર હીરા મેળવવાનો સ્ત્રોત હતો.
ઝીંક માઇનિંગ : ઝીંક ઓર ને ઓગાળીને ઝીંક ધાતુ તૈયાર કરવામાં આવી હતી. ઝીંક ઓર ઉદયપુર રાજસ્થાન પાસેની ખાણો ઇસ પહેલી સદીમાં સક્રિય હતી. ચરક સહિંતામાં ( આશરે 300 ઇસ પૂર્વે ) ઝિંકનો ઉલ્લેખ જોવા મળે છે. પાંચીમી સદીથી 13મી સદીમા રસરતન સમુચ્ય્યામાં બે પ્રકારની ઝીંક ઓરનો ઉલ્લેખ જેમાં મળેછે। એક ધાતુ તરીકે ઉપયોગ થઇ શકે તેવી અને બીજી કે જે દવામાં ઉપયોગ થઇ શકે તેવી।
ભારતવર્ષ ત્યારે દરેક મોરચે વિશ્વમાં આગળ હતું આપ નામ લો અને ત્યાં તમને ભારવર્ષના પગરવ સંભળાશે આયુર્વિદ્યા , શાસ્ત્ર વિદ્યા , અંકગણિત, બીજ ગણિત, ભૂમિતિ, અર્થશાસ્ત્ર, રાજ શાસ્ત્ર , તબીબી શાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, દાંત ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વિગેરે શાસ્ત્રોમાં ભારતવર્ષમાં આવેલી વિદ્યાપીઠોમાંથી અભ્યાસ શક્ય હતો અને તેમની નામના વિશ્વભરમાં ફેલાયેલી હતી. ઈચ્છુકો ચીન, દૂર પૂર્વના દેશો અને મધ્ય એશિયાના દેશોમાંથી જ્ઞાનપિપાસુ, શિક્ષણ મેળવવા ભારતનું આકર્ષણ રહેતું અને અસંખ્ય મુશ્કેલીઓ વેઠીને ભારત તરફ પ્રયાણ કરતા ? તો પ્રશ્ન થાય કે ભારતમાં શિક્ષણ પ્રથા કેવી હતી ? કઈ રીતે આટલી સુદ્રડ બની અને વટવૃક્ષ સમાન ફેલાઈ ? એટલુંજ નહિ આ જ્ઞાન ભંડારોનો વ્યવહારિક અને વ્યવસાયિક ઉપયોગ કરીને ભારતને શ્રેસ્ટ દેશોની હરોળમાં સૌથી ઉપર રાખી દીધુ હતું। ફ હાઈન, ચાઇનીસ ભિક્ષુક લખે છે કે જયારે તેને પાટલીપુત્રમાં અશોકનો મહેલ જોયો તો લાગ્યુંકે આવો મહેલ કોઈ માનવીઓંતો ના જ બનાવી શકે ચોક્કસ દેવતાઓએ બનાવ્યો હશે ! આ વાસ્તુકલા ક્યાંથી આવી ? આવા અનેક પ્રશ્નોના મૂળમાં છે આપણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા. બ્રિટિશરોની આધુનિક શિક્ષણ વ્યવસ્થાએ આપણને 88% ભણેલામાંથી 87% અભણમાં ફેરવી દીધા !
પ્રાચીન ભારતની શિક્ષણ પ્રણાલી
અક્ષરાભ્યાસમ ? સંસ્કૃત નામ છે ? આવું કઈ યાદ છે ? નહિ હોય ! સાંભળ્યું પણ નહિ હોય કેમ કે હવે આ પરમ્પરા હાલમાં ફક્ત દક્ષિણ ભારતમાં ખાસ કરીને આંધ્ર અને તામિલનાડુમાં જોવા મળે છે. હું જયારે સાવ નાનો હતો ત્યારે મને જયારે સ્કૂલમાં પ્રવેશ અપાવવા લઇ ગયા હતા. ત્યારે, તે દિવસે ઘરે લાપસી બની હતી અને કપાળે લાલ કંકુનો ચાંલ્લો કરી હાથમાં શ્રીફળ આપી સ્કૂલે લઇ જવામાં આવ્યો હતો. અને તે દિવસે શિક્ષકને પગે લાગી 11 / 21 / 31 જેવી શક્તિ અને ઈચ્છા તે મુજબ દક્ષિણા આપવામાં આવતી હતી.
આનો અર્થ કઈ સમજાય છે ? આ વૈદિક કાલથી ચાલતી પ્રાચીન પરંપરા હતી. શિક્ષણને ભારતમાં પવિત્ર, શુભ અને કલ્યાણકારી ગણવામાં આવતું. બાળક 5 વર્ષ કે તેથી મોટું થાય ત્યારે ઉપનયન સંસ્કાર થતાં। આજે તો ઉપનયન સંસ્કાર એટલે જનોઈ આપવી ત્યાં સુધીજ સીમિત રહી ગયું છે. વિધિ દરમિયાન, વ્યક્તિને ગુરુના સાનિધ્યમાં મોકલવામાં આવે છે જેથી તે ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે અને દેશ અને સમાજની પ્રગતિ સહિત પોતાનું જીવન યોગ્ય રીતે જીવે. ઉપનયન વિધિની શરૂઆતમાં વેદોનું શિક્ષણ .આપવામાં આવતું હતું, જેની શરૂઆત ગુરુ દ્વારા ગાયત્રી મંત્ર આપીને થતી. પ્રાચીન ભારતમાં આ ને કર્ણ છેદન પછી 10માં સંસ્કાર તરીકે ઓળખવામાં આવ્યું છે. મધ્યયુગીન ઘણા ભારતીય ગ્રંથોમાં ઉપનયનને સમાજના ચાર વર્ણ (જાતિ)માંથી – બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જેવા ઉપલા ત્રણ સુધી મર્યાદિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં, બૌધ્ધ્ય ગૃહ્યસુત્ર જેવા વૈદિક કાળના ગ્રંથોએ સમાજના તમામ સભ્યોને પણ ઉપનયન કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. (જાતે કામ કરનારા) શુદ્ર પણ ઉપનયન માટે પ્રોત્સાહન આપ્યું છે. મહિલાઓને વૈદિક અધ્યયન શરૂ કરતા પહેલા અથવા તેમના લગ્ન પહેલાં પ્રાચીન ભારતમાં ઉપનયન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતાં હતાં. ઉપનયન સંસ્કારો માટે મહત્તમ નિર્ધારિત વય સુધી ઉપનયન સંસ્કાર ન થયા હોય અથવા યજ્ઞોપવિત સંસ્કાર કર્યા નથી તેવા વ્યક્તિને અસંસ્કારી, તોફાની કહેવાતાં અને સમાજમાં તે નિંદાત્મક માનવામાં આવતું હતું. અને તેને વૈદિક કાર્યો વગેરે કરવાનો અધિકાર નથી. શાસ્ત્રોમાં આવી વ્યક્તિ માટે તપસ્યાની જોગવાઈ છે. જે સમાજમાં શિક્ષણને 10માં સંસ્કાર તરીકે ઓળખવામાં આવ્યા હોય, તે દેશમાં અંગ્રેજ ગયા ત્યારે 85 થી 87% લોકો અભણ કેમ હતા ? આ પ્રશ્ન વારંવાર મગજમાં ઘુમરાયા કરે છે. આ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે ? નથી ? છે ચોક્કસ છે અને એટલેજ મને જાણવાની ઈચ્છા થઇ કે ભારતમાં શિક્ષણ પ્રણાલી કેવી હતી ? કયા કારણોસર આપણે અધોગતિ તરફ ધકેલાતા ગયા. અધોગતિના મૂળ લગભગ 12-13મી સદીમાં નંખાયાઅને લગભગ 19મી સદીમાંતો વિકસીને વટવૃક્ષ બની ગયા.
શું આપને ખબર છે કે પ્રાચીન ભારતમાં ( લગભગ 3જી સદી થી લઇ 13મી સદીની વચ્ચે કેટલાં વિશ્વવિદ્યાલય હતા ? યાદ આવે છે કઈ નામ ? નાલંદા, તક્ષશિલા , વલ્લભી અને શારદા વિદ્યાપીઠ. આ સિવાય બીજા કોઈ નામ ? પુરાશપુરા ( વારાણસી),ઉદાંત્તપુરી,વિક્રમશાળા, જગતદાલા જેવી વિદ્યાપીઠો બિહાર અને બંગાળમાં હતી તો દક્ષિણમાં મઠ પ્રથા હતી. મઠ સાથે સંકળાયેલ વિદ્યાશાળાઓ હતી જેમ કે કર્ણાટકમાં હમ્પી, તામિલનાડુમાં કાંચીપુરમ, કાન્તાલુ શાળા કેરાલામાં હતી કે જે દક્ષિણની નાલંદા વિદ્યાપીઠ કહેવાતી. અહીં નાલંદા કરતા પણ વધારે વિષયો ભણાવવામાં આવતા હતા જેવા કે મંત્ર, યોગ, જ્યોતિસા, રસભંડ, રસાયણ (રસાયણશાસ્ત્ર), ચંદસ, ઇન્દ્રજળા (જાદુ), દંતકર્મ, કૈકર્મ, લેપી કર્મ, સિત્ર, સુવર્ણ કળા, વિસહરતંત્ર, બાળ ચિકિત્સા અને મેલીવિદ્યા. ધનુરવેદ , માર્શલ આર્ટ્સ. ત્યાં એક વિષય તરીકે નાસ્તિકતા પણ શીખવવામાં આવતી હતી. નાલંદામાં ચારવાક ધર્મ નિષેધ હતો.વિગેરે, આઓ આપણે આ મહાન વિદ્યાપીઠો વિષે ટૂંકાણમાં જાણીએ.તેમની સફળતા, નિષ્ફળતા અથવા અંતના કારણો સમજીએ અને તેની કાર્ય પધ્ધતિ તથા તેના વ્યવસાયિક અભિગમ ને સમજીએ
1 કંથલૂર શાળા વિદ્યાપીઠ:
કંથલૂર શાળા કેરાલામાં હતી કે જે દક્ષિણની નાલંદા વિદ્યાપીઠ કહેવાતી. અહીં નાલંદા કરતા પણ વધારે વિષયો ભણાવવામાં આવતા હતા જેવા કે મંત્ર, યોગ, જ્યોતિસા, રસભંડ, રસાયણ (રસાયણશાસ્ત્ર), ચંદસ, ઇન્દ્રજળા (જાદુ), દંતકર્મ, કૈકર્મ, લેપી કર્મ, સિત્ર, સુવર્ણ કળા, વિસહરતંત્ર, બાળ ચિકિત્સા અને મેલીવિદ્યા. ધનુરવેદ , માર્શલ આર્ટ્સ. ત્યાં એક વિષય તરીકે નાસ્તિકતા પણ શીખવવામાં આવતી હતી. નાલંદામાં ચારવાક ધર્મ નિષેધ હતો.વિગેરે, નિયમિત ચોલા રાજાઓના હુમલાઓ પછી તે આખરે નાશ પામી
2 તેલહરા વિદ્યાપીઠ:
તેલ્હારા એ પ્રાચીન ભારતમાં બૌદ્ધ મઠનું સ્થળ હતું. ઇસ4થી સદીમાં તે સ્થળની મુલાકાત લેનારા ચાઇનીઝ પ્રવાસી હ્યુએન સાંગના લેખનમાં તેલાધક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈન-એ-અકબારીમાં તેનો ઉલ્લેખ તિલદાહ તરીકે પણ કરવામાં આવ્યો છે,
બિહાર રાજ્ય સરકારે ડિસેમ્બર, 2009 માં સ્થળનું નવું પુરાતત્વીય ખોદકામ શરૂ કર્યું હતું. આ કાર્યમાં પ્રાચીન માટીકામ, પ્રાચીન વસ્તુઓ અને હ્યુએન સાંગા દ્વારા ઉલ્લેખિત ત્રણ માળની રચનાના અવશેષો મળી આવ્યા હતા. મઠમાં પ્રાર્થના હોલ અને રહેણાંક કોષોના પુરાવા મળ્યા છે. એવું કહેવામાં આવે છે કે ખિલજીના આક્રમણ પછી 11-12 સદી દરમિયાન યુનિવર્સિટીનો નાશ થયો હશે.
3 તક્ષશિલા વિદ્યાપીઠ:
યુનિવર્સિટી ખાસ કરીને , ખાસ કરીને વિજ્ઞાન ,દવા અને કળા માટે પ્રખ્યાત હતું, પરંતુ ધાર્મિક અને બિનસાંપ્રદાયિક બંને વિષયો શીખવવામાં આવતા હતા, અને તે પણ તીરંદાજી અથવા જ્યોતિષ જેવા વિષય હતા. વિદ્યાર્થીઓ ભારતના દૂરના ભાગથી આવે છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યના ઘણા જાટકે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત ચીન, બેબીલોન, સીરિયા અને ગ્રીસના 10,000 થી વધુ વિદ્યાર્થીઓએ ત્યાં અભ્યાસ કર્યો હતો. નીચેના પોતાના કાર્યક્ષેત્રના મહાન વિભૂતિઓ તક્ષશિલા વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા
1 ચરક ચાર્કા, ભારતીય “ચિકિત્સાના પિતા” અને આયુર્વેદના અગ્રણી અધિકારીઓમાંના એક, પણ ટેક્સિલામાં અભ્યાસ કર્યો હોવાનું અને ત્યાં પ્રેક્ટિસ કરતું હોવાનું કહેવાય છે.
2 પાણીની પૂર્વે 5th મી સદીના ભારતીય વ્યાકરણકર્તા પāṇનીનો જન્મ ઉત્તર પશ્ચિમમાં, ટાકસીલાથી દૂર, એટક નજીક શલાતુલામાં થયો હતો, તે સમયે સિંધુ ખીણના અચેમિનીડ વિજય પછી અચેમિનીડ સામ્રાજ્યની સંધિવા હતી, પરંતુ વંશીયતા તેમના નામે અથવા તેમના જીવનની રીત બતાવે છે કે તે ભારતીય મૂળનો હતો.
3 કૌટિલ્યા કૌટિલ્યા (જેને ચાણક્ય પણ કહેવામાં આવે છે), મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના પ્રભાવશાળી વડા પ્રધાન, પણ ટેક્સિલામાં અધ્યાપક હોવાનું કહેવાય છે.
4 ચંદ્રગુપ્ત મૌર્ય બૌદ્ધ સાહિત્યમાં જણાવાયું છે કે મૌર્ય સામ્રાજ્યના ભાવિ સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, મગધમાં પટના (બિહાર) નજીક જન્મેલા હોવા છતાં, ચાણક્ય દ્વારા તેની તાલીમ અને તક્ષશિલા માટે લેવામાં આવ્યા હતા, અને ત્યાં તેમને વિજ્ઞાન અને લશ્કરી વિજ્ઞાન સહિતની બધા કળાઓમાં શિક્ષિત બનાવ્યા હતા. ત્યાં તેમણે આઠ વર્ષ અભ્યાસ કર્યો. ગ્રીક અને હિન્દુ ગ્રંથોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કૌટિલ્યા (ચાણક્ય) એ ઉત્તર પશ્ચિમ ભારતીય ઉપખંડનો વતની હતો, અને ચંદ્રગુપ્ત આઠ વર્ષથી તેનો રહેવાસી વિદ્યાર્થી હતો. ભારતની ઉત્તર-પશ્ચિમ સીમાની નજીક હોવાથી, તક્ષશિલાને ઉત્તર અને પશ્ચિમ તરફથી હુમલાઓ અને આક્રમણનો સામનો કરવો પડ્યો. આમ પર્સિયન, ગ્રીક, પાર્થિયન, શક અને કુશનાઓએ આ સંસ્થા પર તેમના વિનાશક નિશાનો મૂક્યા. જોકે, અંતિમ ફટકો મિહિરાકુલા, હન રાજા / હેપ્થલાઇટ્સ(રોમન સામ્રાજ્યના વિનાશક પણ)/ , જેમણે ઉત્તર ભારતના ભાગો પર કબજો કર્યા પછી હિન્દુત્વ સ્વીકાર્યું હતું, જેમણે, એ.ડી. સી .450, સંસ્થાને તોડફોડ કરી. જ્યારે ચીની પ્રવાસી હ્યુએન સંગ (એ.ડી. 630-31) તક્ષશિલાની મુલાકાત લીધી ત્યારે, આ શહેર તેની તમામ ભૂતપૂર્વ ભવ્યતા અને આંતરરાષ્ટ્રીય પાત્ર ગુમાવી ચૂક્યું હતું.
4 વિક્રમશીલા વિદ્યાપીઠ:
પાલ વંશના રાજા ધર્મપાલના શાસન દરમિયાન વિક્રમશીલા યુનિવર્સિટીની સ્થાપના 730 એડી દરમિયાન થઈ હતી. તે બિહારના ભાગલપુરથી 50 કિમી દૂર આવેલું છે. કિંગે યુનિવર્સિટીની સ્થાપના કરી કારણ કે તેમને એવું લાગતું હતુંકે શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે. વધુ વિદ્વાનોને જોવા માંગતો હતો. તે તેના સમયની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક હતી અને વિશ્વભરના વિદ્યાર્થીઓને આકર્ષિત કરતી હતી. તે 800 એડી દરમિયાન ખૂબ પ્રખ્યાત બન્યું અને નાલંદાને સીધી સ્પર્ધા આપી. એક ખૂબ પ્રખ્યાત પંડિત આતિષાને યુનિવર્સિટીમાં શિક્ષક હોવાનું કહેવાતું હતું. યુનિવર્સિટી તંત્ર અને મંત્રને શીખવવામાં વિશેષજ્. છે અને આ યુનિવર્સિટીના સૌથી લોકપ્રિય વિદ્યાર્થીઓમાંની એક આતિસા દીપંકારા હોવાનું કહેવામાં આવે છે જે તેમની તંત્ર અભ્યાસ માટે જાણીતું હતું. 12 મી સદીમાં રાજવંશનો અંત આવ્યો ત્યારે મોહમ્મદ બિન બખ્તિયાર ખિલજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેણે યુનિવર્સિટીને સંપૂર્ણ રીતે નાશ કરી હતી અને યુનિવર્સિટીમાં વિદ્વાનો અને સંતોની હત્યા કરી હતી. તેના માણસો દ્વારા યુનિવર્સિટીની લાઇબ્રેરી સળગાવી દેવામાં આવી હતી અને આ હુમલામાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનાં મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પોતાને પુનર્જીવિત કરી શક્યું નહીં અને છોડી દેવામાં આવ્યું. યુનિવર્સિટી લગભગ 100 એકરમાં ફેલાયેલી હતી અને વિદ્યાર્થી અને શિક્ષકો માટે તમામ સુવિધાઓ હોવાનું જણાવ્યું હતું.
5 સોમપુરા મહાવિહાર:
સોમપુરા મહાવિહાર (બંગાળી: સોમপুর মাহাবিহર શોમપુર મહાબીહાર) પૌરપુર, બાદલગાચી જિલ્લા, નૌગાંવ જિલ્લા, બાંગ્લાદેશ ભારતીય ઉપખંડમાં સૌથી જાણીતા બૌદ્ધ વિહારમાં શામેલ છે અને તે દેશના સૌથી મહત્વપૂર્ણ પુરાતત્ત્વીય સ્થળોમાંનું એક છે. તે બંગાળના પ્રારંભિક સ્થળોમાં પણ એક છે, જ્યાં હિંદુ પ્રતિમાઓની નોંધપાત્ર માત્રા મળી હતી. તેને 1985 માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. તે સમાન સમયગાળાથી નજીકના હલુદ વિહાર અને દિનાજપુર જિલ્લાના નવાબગંજ તાલુકાના સીતાકોટ વિહાર સુધીનો છે. પરંતુ આ શહેર પર વાંગા આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને પાછળથી મુસ્લિમ બાદશાહોએ કબજો કર્યો હતો. તેઓએ દરેક ઘર અને વિહાર પર હુમલો કરી યુનિવર્સિટીને બાળી નાખી હતી અને વિદ્વાનોની હત્યા કરી હતી. 11 મી સદીના અંતમાં, વિપુલશ્રીમિત્રાએ યુનિવર્સિટીનું નવીનીકરણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્રમિક મુસ્લિમ શાસકોએ યુનિવર્સિટીનો વિનાશ કરતા રહેતાં તેમના પ્રયત્નોને કોઈ પરિણામ મળ્યું નહીં.
6 ઓડંતપુરી વિદ્યાપીઠ:
કલાચક્ર તંત્રના તિબેટીયન ઇતિહાસમાં નગકવાંગ કંગા સૈનમ દ્વારા, 27 મી સક્યા ટ્રાઇઝિન (વિલી: નાગ દબંગ કુન દગા ‘બસોડ નામ, 1597–1659) નો ઉલ્લેખ છે કે “સેન્દા- દ્વારા સંચાલિત ઓડંતપુરી પા “, તિબેટીયન શ્રીવાક્યૈન બૌદ્ધ શાળા માટે અલગ છે. તિબેટીયન ઇતિહાસકાર તારાનાથ અનુસાર, રાજા મહાપિલાએ ઓડંતપુરીમાં શ્રાવકસંઘ ભિક્ષુઓને ટેકો આપ્યો હતો. આ મઠના જોડાણ તરીકે, તેમણે ઉરુવાસ નામનો એક આશ્રમ બનાવ્યો, જ્યાં તેમણે 500 સેંધા-પા અથવા સેન્દ્રવા શ્રાવક્ને ટેકો આપ્યો. રાજા રામપલાના શાસન દરમિયાન, એક હજાર સાધુઓ, હિનાયણ અને મહાયાન બંનેના, ઓડંતપુરીમાં રહેતા હતા અને ક્યારેક ક્યારેક ત્યાં પણ બાર હજાર સાધુઓ ત્યાં ભેગા થયા હતા. ફરીથી મોહમ્મદ ખિલજી હતા જેમણે યુનિવર્સિટીનો નાશ કર્યો અને કહ્યું કે આખી જગ્યા બળીને ખાખ થઈ ગઈ. આ તે જ સમય હતો જ્યારે નાલંદા યુનિવર્સિટી પર પણ ખિલજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
7 જગદદલા મહાવિહાર:
જગદદલા મહાવિહાર ( 11 મી સદીના અંતમાં – 12 મી સદીના મધ્યમાં) એક બૌદ્ધ મઠ હતો અને બંગલાદેશમાં વર્તમાન ઉત્તર બંગાળમાં ભૌગોલિક એકમ, વરેન્દ્રમાં શીખવાની જગ્યા હતી. તેની સ્થાપના પાલા વંશના પછીના રાજાઓ દ્વારા કરવામાં આવી હતી, રામાપાળ (સી. 1077-120), સંભવત: ભારતની સરહદ પર બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં હાલના જગદલ ગામની નજીકના એક સ્થળે, પહારાપુર નજીક. યુનિવર્સિટી વજ્રયાન બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતમાં વિશેષતા માટે જાણીતી હતી. ઘણા સંસ્કૃત વિરુદ્ધ યુનિવર્સિટીમાં રચના કરવામાં આવી હોવાનું કહેવાય છે. વિદ્યાકાર દ્વારા યુનિવર્સિટીમાં પ્રખ્યાત સુભાસીતરત્નકોસાનું સંકલન કરવામાં આવ્યું હતું. કાશ્મીરી વિદ્વાન સાક્યશ્રીભદ્રએ તેમના લેખનમાં જણાવ્યું છે કે મુસ્લિમ શાસકો દ્વારા શહેર પર હુમલો કરવામાં આવ્યો અને યુનિવર્સિટીનો નાશ થયો પછી તે તિબેટમાં ભાગી ગયો.
8 પુષ્પગીરી યુનિવર્સિટી:
પુષ્પગિરિ યુનિવર્સિટીની સ્થાપના પ્રાચીન કલિંગ રાજ્ય (આધુનિક સમયનાં ઓડિશા) માં કરવામાં આવી હતી અને કટક અને જાજપુર જિલ્લામાં ફેલાયેલી હતી. તે ત્રીજી સદીમાં સ્થપાઇ હતી અને 11 મી સદી સુધીના 800 વર્ષ સુધી તે વિકાસ પામી હતી. લલિતગિરિ, રત્નાગિરી અને ઉદયગિરિ – આજુ બાજુના ત્રણ પર્વતોમાં યુનિવર્સિટી કેમ્પસ ફેલાયેલો હતો. આ તક્ષશિલા, નાલંદા અને વિક્રમશીલા યુનિવર્સિટીઓ સાથે પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણના સૌથી પ્રખ્યાત કેન્દ્રોમાંનું એક હતું. ચિની પ્રવાસી ઝુઆનઝંગ (હ્યુઆન સાંગ) એ આ યુનિવર્સિટીની મુલાકાત 633 CE સીઇમાં કરી હતી. લલિતગીરીને બીજી સદી બીસીઇની શરૂઆતમાં જ સોંપવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તે વિશ્વની સૌથી પ્રાચીન બૌદ્ધ સંસ્થાઓ છે. તાજેતરમાં અહીં સમ્રાટ અશોકની થોડી છબીઓ મળી આવી છે, અને એવું સૂચવવામાં આવ્યું છે કે પુષ્પગિરિ યુનિવર્સિટીની સ્થાપના ખુદ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવી હતી. યુનિવર્સિટી ત્રણ પર્વતોમાં ફેલાયેલી છે, એટલે કે લલિતગીરી, રત્નાગિરી અને ઉદયગિરીએ તેને એક સંપૂર્ણ મનોહર સુંદરતા આપી. પુરાતત્ત્વીય સર્વેક્ષણમાં બ્રહ્મી લિપિમાં મોટા પ્રમાણમાં પુસ્તકો મળી આવ્યા. કુશના વંશમાંથી સોના અને ચાંદીના કલાકૃતિઓ, માનવીની, સાહિત્ય. આ સ્થાપત્ય મથુરા અને ગંધારા કળા જેવું જ છે. યુનિવર્સિટીના એક ભાગને શોધી કાઢવામાં 7 વર્ષ લાગ્યાં છે અને હજી પણ મોટાભાગના ભાગો નીચે જ છે. સ્થળ પરથી બુદ્ધ સહિતના હિન્દુ દેવો અને બૌદ્ધ સાધુઓની વિશાળ મૂર્તિઓ ખોદવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે આ યુનિવર્સિટી ઇસ્લામિક શાસકો દ્વારા 13-14 સદી દરમિયાન નાશ પામી હશે.
9 નાલંદા યુનિવર્સિટી :
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના 5 મી સદીની શરૂઆતમાં આધુનિક બિહારમાં ગુપ્ત રાજવંશના શક્રાદિત્ય દ્વારા કરવામાં આવી હતી અને 12 મી સદી સુધી 600 વર્ષ સુધી તે વિકાસ પામ્યો. નાલંદા એ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી હતી જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે રહેણાંક ક્વાર્ટર્સ છે. તેમાં મોટા મોટા વ્યાખ્યાન હોલ પણ હતા. આ યુનિવર્સિટીમાં કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, પર્સિયા અને તુર્કી જેવા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા.
આ યુનિવર્સિટીનું પુસ્તકાલય પ્રાચીન વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય હતું અને તેમાં વ્યાકરણ, તર્કશાસ્ત્ર, સાહિત્ય, જ્યોતિષવિદ્યા, ખગોળશાસ્ત્ર અને દવા જેવા વિવિધ વિષયો પર હજારો ગ્રંથોની હસ્તપ્રતો હતી. પુસ્તકાલય સંકુલને ધર્મગંજા કહેવામાં આવતું હતું, અને તેમાં ત્રણ મોટી ઇમારતો હતી: રત્નાસાગર, રત્નાદાધિ અને રત્તરંજક. રત્નાદાધી નવ માળની હતી અને પ્રજ્ઞા પરમિતા સૂત્ર અને સમાજગુહ્યા સહિતના સૌથી પવિત્ર હસ્તપ્રતો સંગ્રહિત કરી હતી. 2010 માં, ભારતની સંસદે અનુસ્નાતક સંશોધન માટે સમર્પિત આધુનિક નાલંદા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે પ્રાચીન નાલંદા યુનિવર્સિટીને પુનર્સ્થાપિત કરવાની યોજનાઓને મંજૂરી આપતું બિલ પસાર કર્યું. ચાઇના, સિંગાપોર અને જાપાન સહિત ઘણા પૂર્વ એશિયન દેશો આ નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણ માટે ભંડોળ આપવા આગળ આવ્યા છે. 11 મી સદીમાં જ્યારે યુનિવર્સિટી સફળતાના સ્તરે હતી ત્યારે મુહમ્મદ બિન બખ્તિયાર ખિલજીએ નાલંદાની મહાન સંસ્થાને નષ્ટ કરવાની કોઈ તક છોડી ન હતી. વર્ષ 1193 માં, ખિલજીની આગેવાની હેઠળના આક્રમણકારોએ 700 વર્ષ જૂની યુનિવર્સિટીને તોડી નાખી અને બળીને ખાખ કરી દીધી. તેણે નિર્દયતાથી હજારો નિર્દોષ સાધુઓ અને ગુરુઓની હત્યા કરી. હિંદુ ધર્મ અને બૌદ્ધ સંસ્કૃતિને જડમૂળથી ઉખેડી નાખવા અને ઇસ્લામને બળજબરીથી રોપવાના ઘણા ગુરુઓને જીવંત સળગાવી દેવામાં આવ્યા અને શિરચ્છેદ કરવામાં આવ્યા. સૌથી ભયાનક એપિસોડ એ નાલંદાની વિશાળ પુસ્તકાલયનો વિનાશ હતો જેમાં સાત સદીઓથી સંગ્રહિત મહાન વિદ્વાનોના સાહિત્યિક કાર્યોના 9 મિલિયનથી વધુ સ્ક્રિપ્ટો, સાહિત્યિક કૃતિઓનું સંગ્રહ કરવામાં આવ્યું હતું.
10 વલ્લભી વિદ્યાપીઠ:
આધુનિક ગુજરાતના સૌરાષ્ટ્રમાં વલ્લભી યુનિવર્સિટીની સ્થાપના લગભગ 6 ઠ્ઠી સદીમાં થઈ હતી અને તે 12 મી સદી સુધી 600 વર્ષ સુધી પ્રગતિ કરી. બે પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો ગુનામતી અને સ્થિરમતી આ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હોવાનું કહેવાય છે. વલ્લભી યુનિવર્સિટીએ અર્થશાસ્ત્ર, કાયદો, રાજકારણ, તબીબી વિજ્ઞાન , હિસાબી પધ્ધતિ / નામાં પધ્ધતિ , સાહિત્ય, વ્યાકરણ અને હિનાયણ બૌદ્ધ ધર્મ સહિતના ઘણા વિષયો ભણાવતા હતા.. તેમાં એક વિશાલ પુસ્તકાલય હતું. અહીંના શિક્ષણની ગુણવત્તા શ્રેષ્ઠ હતી. તે પડોશી દેશો સહિત આર્યવ્રતના દરેક ખૂણાના વિદ્યાર્થીઓને આકર્ષિત કરતું. જે વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી છે તેઓને દેશભરમાં ઉચ્ચ માન આપવામાં આવતું હતું અને તેમને રાજાઓની અદાલતમાં, વહીવટમાં ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા હતા. 7 મી સદી દરમિયાન નાલંદામાં ભણેલા અને વલ્લભી યુનિવર્સિટીની મુલાકાત લીધેલા ચાઇનીઝ પ્રવાસી ઇસીંગના એક ખાતા અનુસાર, તે શિક્ષણનું એક મહાન કેન્દ્ર હતું. આ કેન્દ્ર ધાર્મિક સહનશીલતા અને માનસિક સ્વતંત્રતા માટે પ્રખ્યાત હતું. વલ્લભી યુનિવર્સિટીએ માત્ર શાસકો જ નહીં પરંતુ પ્રદેશના સમૃદ્ધ લોકોનું પણ સમર્થન મેળવ્યું હતું. 11 મી સદી દરમિયાન સફળતાનાં સર્વોચ્ચ શિખર પર હતું ત્યારેજ ઇસ્લામિક શાસકો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું જે આખરે વિનાશક હતું.
11 મીતાવાલી, પદાવલી અને બાતેશ્વર મંદિર યુનિવર્સિટી
મૃદિપ્રદેશના ચેમ્બલ વિભાગમાં મોરેના 8 મી સદીથી યુનિવર્સિટીના શિક્ષણનું કેન્દ્ર હતું, જેનો શિલાલેખ મીતાવલી, બાગેશ્વર અને પદાવલીમાં ચોથ યોગીનીમાં મળી આવ્યો હતો.સુવર્ણ ત્રિકોણ તરીકે, જેમાં એક પ્રખ્યાત યુનિવર્સિટી હતી, આ ત્રણ પ્રદેશોમાં મંદિરો 8 થી 12 મી સદીના છે. મંદિરો ગુર્જર પ્રતિહાર દ્વારા બનાવવામાં આવ્યા હતા અને પાછળથી કચ્છપઘાતા શાસકો દ્વારા તેનું વિસ્તૃત અને નવીનીકરણ કરાયું હતું.પદાવલી મંદિર પછીથી નવીનીકરણ કરાયું હતું. ગોહદના જાટ રાણા શાસકો.મોરેનામાં આ ત્રણ સ્થળોએ વિવિધ પેટા માટેના શિક્ષણ કેન્દ્રોનું આયોજન કર્યું હતું જેક્ટ્સ. ચૌન્સથ યોગિની મંદિરમાં જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર શીખવવામાં આવતું હતું. અમુક ગણતરીઓ માટે શિક્ષકો સૂર્યની કિરણો અને શેડ્સ પર બેંક છે! સૂર્યની કિરણો ગોળાકાર રચનાને જોતા મંદિરમાં વિવિધ ડિઝાઇન અને તરાહોમાં પડી હતી. સુવર્ણ ત્રિકોણ યુનિવર્સિટીનું કેન્દ્ર, બટેશ્વર મંદિરોનું કેન્દ્ર હતું. બર્લિનના સ્વતંત્ર સંશોધનકર્તા, ગેર્ડ મેવિસેન, જે મંદિરોના ઉપસંહારમાં નિષ્ણાત છે, પણ સૂચવે છે કે બટેશ્વર મંદિરોનું સ્થળ ‘એકવાર મંદિર સંબંધિત કલાઓ અને કલાકારોનું કેન્દ્ર હતું’. મોટાભાગના મંદિરો કે જે વિવિધ બિલ્ડિંગ સ્ટાઇલના સંમિશ્રણનું નિરૂપણ કરે છે તે સૂચવે છે કે કલાકારો અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના મંદિર નિર્માણના વિચારો સાથે ભળેલા અને પ્રયોગો કરે છે. ગhiી પડાવલી સંકુલનો આધાર વિશાળ છે, જે તે રાખવામાં આવેલા શિક્ષણ કેન્દ્રો વિશે
12 શારદાપીઠ :
શારદાપીઠ મંદિર યુનિવર્સિટી આ મંદિર યુનિવર્સિટી એક સમયે પ્રાચીન ભારતમાં શિક્ષણના સૌથી મોટા કેન્દ્રો તરીકે વિકસ્યું હતું. કાશ્મીરને મંદિરના નામથી શરદા દેશ તરીકે ઓળખવામાં આવે છે. શારદા લિપિ તેના વિકાસ અને શારદાપીઠ મંદિર યુનિવર્સિટીથી લોકપ્રિય છે. આ પ્રાચીન શિક્ષણનું કેન્દ્ર હવે પાકિસ્તાનના આઝાદ કાશ્મીર અધિકારક્ષેત્રમાં આવે છે. ભારત અને પડોશી દેશોના ઘણા પ્રખ્યાત વિદ્વાનોએ આ મંદિર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. શારદાપીઠ મંદિર યુનિવર્સિટી આ મંદિર યુનિવર્સિટી એક સમયે પ્રાચીન ભારતમાં શિક્ષણના સૌથી મોટા કેન્દ્રો તરીકે વિકસ્યું હતું. કાશ્મીરને મંદિરના નામથી શરદા દેશ તરીકે ઓળખવામાં આવે છે. શારદા લિપિ તેના વિકાસ અને શારદાપીઠ મંદિર યુનિવર્સિટીથી લોકપ્રિય છે. આ પ્રાચીન શિક્ષણનું કેન્દ્ર હવે પાકિસ્તાનના આઝાદ કાશ્મીર અધિકારક્ષેત્રમાં આવે છે. ભારત અને પડોશી દેશોના ઘણા પ્રખ્યાત વિદ્વાનોએ આ મંદિર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. શારદાપીઠે આપણને બહુ ઉલ્લેખનીય વિદ્વાનો આપ્યા છે.જેમકે વિદ્વાન કલ્હાના, કે જેમની ગણતરી તજજ્ઞ ઇતિહાસકાર અને રાજતરંગીનાં લેખક તરીકે છે અને જેમને સંસ્કૃતમાં કાશ્મીરના ઇતિહાસ પર પુસ્તક લખ્યું છે; તત્વજ્ઞાની આદિ શંકરા જેમણે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને મજબૂત બનાવ્યો; વૈરોત્સના, એક તિબેટીયન અનુવાદક; કુમારજીવ, બૌદ્ધ વિદ્વાન અને અનુવાદક; થોમ્બી સંભોતા, એક તિબેટીયન વિદ્વાન, જેમણે પરંપરાગત તિબેટીયન સ્ત્રોતો દ્વારા અહેવાલો મુજબ તિબેટી લિપિની શોધ કરી. શારદાપીઠ મંદિર યુનિવર્સિટીની સ્થાપનાની સમયરેખા અજાણ છે. અહીં અભ્યાસ કરનારા વિદ્વાનોના રેકોર્ડ્સ પર જતાં, આદિ શંકરા અહીંના વિદ્યાર્થી હતા. વેદવીર આર્ય દ્વારા પ્રાચીન ભારતના કાલાનુક્રમને મુજબ, આદિ શંકરા બીસીઇ 6 માં સદીમાં રહેતા હતા. આ સમયરેખાને ધ્યાનમાં રાખીને, શારદાપીઠ મંદિર યુનિવર્સિટીના અસ્તિત્વના સાહિત્યિક રેકોર્ડ ઓછામાં ઓછા 2500 વત્તા વર્ષના છે. પરંતુ શિક્ષણ કેન્દ્ર કેટલાક હજારો વર્ષ જૂનું હોવું જોઈએ. .
ભારતીય યુનિવર્સિટી / વિદ્યાપીઠનો ચિતાર:
કુલ્લે 31 વિશ્વ વિદ્યાલય ભારતમાં હતાં. મધ્ય એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાંથી ઘણા બધાં વિદ્યાઅભ્યાસીઓ ભારતમાં શિક્ષણ મેળવવા ઉત્સુક રહેતા. આપને ખબર છે હુઆન સંગને ભારત પહોંચતા કેટલા વર્ષ લાગ્યાં હતા ? ગણીને 4 વર્ષ. હા ઇસ 627માં ચીનથી ભારત આવવાં નીકળ્યો હતો તે ઇસ 631માં નાલંદા વિશ્વવિદ્યાલય પહોંચ્યો હતા. ઘણી મુશ્કેલીઓ, ટાઢ , તાપ , વરસાદ વિગેરે સહન કરીને ગોબીના રણમાંથી પસાર થવાનું અને હા લુટારાઓ પણ ખરા આ બધી મુશ્કેલીઓ વેઠીને શા માટે ભારત ભણવા માટે આવે ? કઈંક હશેને ભારતમાં ! ખબર છે શું હતું ? ખબર છે? ભારતમાં કેટલા વિષયમાં નિપુર્ણતા કેળવી શકતી હતી ? વેદો, બુદ્ધિઝમ , જૈનીસ્મ, અર્થશાસ્ત્ર , ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, જ્યોતિષ શાસ્ત્ર , તર્કશાસ્ત્ર આયુર્વેદ, ન્યાયશાસ્ત્ર , રાજશાસ્ત્ર અને યોગશાસ્ત્ર વિગેરે વિષયોમાં નિપુર્ણતા કેળવી શકતી હતી. અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ માટે કોઈ સીમા ના હતી તે ક્યાયપણ રહેતા હોય અને ક્યાંયથી પણ અભ્યાસ કરી શકતા. નાલંદા ધર્મશાસ્ત્ર ( બુદ્ધિઝમ , વૈદિક, જૈનિઝમ વિગેરે) માટે પ્રખ્યાત હતી તો વલ્લભી રાજશાસ્ત્ર અને તર્કશાસ્ત્રમાટે પ્રખ્યાત હતી. વલ્લભીમાંથી અભ્યાસ કરનારને કોઈ પણ રાજયમાં ઉંચ્ચ સરકારી પદ મળતું. ન્યૂટન નું નામ કેટલાયે સાંભળ્યું છે ? શું આપ બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય વિષે જાણો છો ? આ બંને ઉજ્જૈની વિદ્યાપીઠની પ્રોડક્ટ હતાં અને ત્યાંજ અધ્યાપક તરીકે સેવા આપતા હતા. ઉજ્જૈની વિદ્યાપીઠ ગણિતજ્ઞ માટે સુપર સ્પેશ્યલિસ્ટ હતી. બ્રહ્મગુપ્ત એ છે કે જેમને શૂન્ય (0) ના ઉપયોગના સિદ્ધાંત બનાવ્યા હતા. શૂન્યને કોઈ રકમમાં બાદબાકી, ઉમેરવા, ગુણવા કે ભાગફળ મેળવવાનાં નિયમ બનાવ્યા હતા. ભાસ્કરાચાર્યે દશાંશ પધ્ધતિની શોધ કરી હતી. આ ઉપરાંત કેટલા સૂત્રો બનાવ્યા હતા. હુઆન સંગની આત્મકથા પ્રમાણે નાલંદાનું પ્રાંગણ, વિસ્તાર ખુબજ મોટો હતો. લગભગ ત્યાં 8000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આશરે 1510 પ્રાધ્યાપકો જુદાંજુદાં વિષયો પર જ્ઞાન વહેંચતા હતા. ઠેર ઠેર નાના નાના સરોવર હતા જેમાં કમળના ફૂલો ખીલેલા હતાં। અહીં પ્રવેશ મેળવવામાટે અત્યંત સ્પર્ધા થતી ફક્ત 20 % વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકતા! નાલંદા વિદ્યાપીઠના ચોકીદાર પણ એટલા નિપુર્ણ હતાં કે પ્રથમ પ્રવેશ પરીક્ષા દરવાન લેતા હતા. કદાચ આજ કારણ હતું કે નાલંદાની આસપાસમાં અનેક વિદ્યાપીઠ અસ્તિત્વમાં આવી હતી કે જો કોઈ નાલંદામાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ જાયતો બીજી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી શકે. તમે માનશો નાલંદા વિદ્યાપીઠની પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવવા માટે ત્યાં ખાસ તાલીમ વર્ગ આજુબાજુના ગામોમાં ચાલતા હતા. તમને આશ્ચર્ય થશે કે અહીં યુનિવર્સિટીના ખર્ચને પહોંચી વળવા માટે 100 ગામની આવક આ વિદ્યાપીઠને નામ રાજા તરફથી કરવામાં આવી હતી. હુઆન સંગ જયારે નાલંદા પહોંચ્યા ત્યારે ત્યાં કુલપતિ તરીક અહીં શિલભદ્રા કાર્યરત હતા. તેઓની ઉમર ત્યારે 106 વર્ષની હતી. હુઆન સંગને જમવામાટે 120 ફ્રૂટ, 20 ઈલાયચી, 20 પીકનટ્સ ,1 વાટકો ભરીને ચોખા અને જરૂરિયાત પ્રમાણે રસોઈ માટે તેલ તથા દૂધ અને દૂધના ઉત્પાદનો મળતા હતા. તેમને બે સહાયકો અને સવારી માટે હાથી પૂરો પાડવામાં આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ માં રહેતા વિદ્યાર્થી અને શિક્ષકોને રહેવા, જમવા, કપડાં અને દવાઓ નિઃશુલ્ક મળતાં હતા. હુઆન સંગ નોંધે છે કે અહીં પ્રાધ્યપકો ખુબ લગન પૂર્વક ભણાવતા અને પોતાના કાર્યમાં મગ્ન રહેતા. તેઓનું જીવન ખુબજ સરળ અને ખુબજ ઓછી જરૂરિયાતોથી ચાલતું। તેમના વસ્રો અને દેખાવ બરોબર ના હોય તેવું ઘણી વખત જોયું છે પણ તેમના પ્રત્યેનો સમાજમાં આદર,માન સન્માન ક્યારેય આવા કારણથી ઓછા ન થતાં. અદ્યાપકો અને શિક્ષકોને સમાજમાં ખુબજ આદર સત્કાર થતો. તેમને રાજા પછીનું બીજા નંબરનું સ્થાન મળતું. ઘણી એવી પણ વિદ્યાપીઠો હતી કે જે મઠ સાથે સંલગ્ન હોય ખાસ કરીને દક્ષિણમાની મોટા ભાગની વિદ્યાપીઠો મઠ – મંદિર સાથે સંલગ્ન રહેતી. મઠ એટલે મંદિરની સાથે પૂજારીઓ ને રહેવાની જગ્યા હોય સાથે ત્યાં લગ્ન વિધિ પણ થતી અને ત્યાં રાજા ખુબ ઓછા ભાવે જમીન આપીને શિક્ષકો, બ્રાહ્મણોને ત્યાં વસાવતા જેમને અગ્રહારા તરીકે ઓળખવામાં આવતા. કોઈ પણ શિષ્ય કે વિદ્યાર્થી અગ્રહાર પાસે જઈ તેમની શંકાનું નિરાકરણ મેળવી શકતા. કોઈ વિશેષ જ્ઞાનની આવશ્યકતા હોય તો તે પણ મદદ કરતા. તામિલનાડુમાં અન્નયરામમન શીલા લેખ પરથી ખબર પડે છે કે ભવ્ય રીતે આપણી શીખવાની પરંપરાને પોષવામાં આવતી હતી. ત્યારે વિદ્યાપીઠ માટે જમીન નિઃશુલ્ક આપવામાં આવતી આ ઉપરાંત શિક્ષકોને વિદ્યાર્થી કરતા 16 ઘણું વધારે ભોજન ભથ્થું મળતું હતું. અને વેદાન્તા અને મીમાંસાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓ કરતા 66% ભોજન ભથ્થુ વધારે મળતું.
ભારતની શિક્ષણ પ્રણાલી :
ભારતની શિક્ષણ પ્રણાલી અદભુત હતી ત્યાં આજની જેમ પ્રાધ્યાપક બોલે અને વિદ્યાર્થી સાંભળે તેવું નહતું પણ વર્ગખંડમાં આંતરિક વાદવિવાદ થતાં અને આ વાદવિવાદ અત્યારે આપણી ચેનલો ઉપર થાય છે તેવા વાહિયાત નહતા. પરંતુ નિયમબધ્ધ રીતે સૈદ્ધાંતિક રીતે થતાં. તમે કોઈ સાથે વાદવિવાદ કરવા ઇચ્છતા હો તો તેના નિયમો જેવાકે સાધ્ય શું છે ? નિષ્કર્ષ શું હોઈ શકે ? વાદવિવાદનો હેતુ શું છે ? કોઈ ઉદાહરણ હોય તો તે આપવા। આ અંગે ખ્યાલ , દ્રષ્ટિ કે સમજ સ્પષ્ટ કરવી . અનુમાન કરવું અને સાબિતી પુરી પાડવી પડે અને આ બાબતો તમે સામેની વ્યક્તિને જણાવો પછીજ વાદવિવાદ થઇ શકે. કોઈનો વ્યર્થ ટાઈમ ના બગાડી શકો. દરેક વાદવિવાદ વખતે જે તે વિષયના નિષ્ણાત લવાદ અથવા તો મધ્યસ્થે તરીકે રહે અને બંને વચ્ચેના વાદવિવાદ ને ગુણાંક આપવા માટે 22 માપદંડને ધ્યાનમાં લઈને લવાદ અથવાતો મધ્યસ્થે પોતાનો નિર્ણય જાહેર કરવો પડતો. નીચેના કારણોને લીધે તમે તમારા હરીફ સામે તમારા ગુણ ઘુમાવી શકો। જેમનાં 10 મુખ્ય માપદંડો નીચે મુજબ છે, વાદવિવાદ કરવા માટેની નિપુર્ણતા કેળવવા માટે ઘણા પુસ્તકો ઉપલબ્ધ હતા જેમનું એક છે વસુબંધુ નીચેના માપદંડો વસુબંધુ પુસ્તકને આધારે લીધેલ છે
આજે આપણે એ વાત પર નજર નાખશું કે એક વખત તદ્દન અશક્ય લાગતી બાબત કેબાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનવાની શક્યતા કેવી રીતેધીરે ધીરેવધતી ગઈ અને વાસ્તવિક રૂપ ધારણ કર્યું. આજે વર્ણવેલી એક એક ઘટનાએ રામ જન્મભૂમિના સ્વપ્નને સાકાર કરવા માટે ખુબ સખત અને મજબૂત કારણો આપેલા છે આજે આપણે તે દરેક કારણ ને વિગતવાર જોઈ શું.
1949માં બનેલીઘટનાના સંદર્ભમાંફૈઝાબાદ સિટી મેજિસ્ટ્રેટે શ્રીગુરૂદત્ત સિંઘનો રોલ પણ સમજવા જેવો છે. તેઓવિવાદિત બાબરીમસ્જિદમાંરામ લલ્લાની પ્રતિમા પધરાવનાર સાધુઓનાંસંપર્કમાં હતાઅને આડકતરી રીતે સાધુઓને મદદ કરી રહ્યા હતાં .આ અંગે વધુમાંજણાવતાતેમનાપુત્ર શ્રી બસંતસિંઘ કહે છે કેજયારેરામ લલ્લાની પ્રતિમા પધરાવાની વિવાદિત મસ્જિદમાંતૈયારીઓ ચાલતી હતી ત્યારે તેમના પિતાશ્રી ગુરૂદત્ત સિંહજીતેઓના ઘરેભગવાનનીમૂર્તિ સામે ઉભા રહીપ્રાર્થના કરી રહ્યા હતા કે ભગવાન જે થઇ રહ્યું છે તેને થઇ જવા દો.
કે.કે. નાયર ઉર્ફે કંદંગલાથિલ કરૂણાકરણ નાયર એ નામ છે જે અયોધ્યા આંદોલનના ઇતિહાસમાં સદા માટેઅમરથઇ ગયું અને લોકોના દિલો દિમાગ પરનાયર સાહેબ બની છવાઈ ગયું.ભારતના બંધારણીય પ્રજાસત્તાક રાજ્ય બને તે પહેલાં રામ જન્મભૂમિમાં હિન્દુઓની પૂજાના મૂળભૂત અધિકારને ફરીથી સ્થાપિત કરવામાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યના વતની, બહાદુર અને બાહોશઆઈસીએસ અધિકારીએ એક અવિષમરણીયભૂમિકા ભજવી હતી.ફૈઝાબાદના કલેકટરશ્રી કે કે નાયરેશકયહોય તેટલી બધીજમદદ કરી હતી આના હિસાબે 1950માં તેઓ હિંદુત્વના પોસ્ટર બોય તરીકે ઉભરીઆવ્યા હતા. આ ઉપરાંત તેઓના પત્ની પણ ત્રણ વખત જનસંઘની ટિકિટ પર લોકસભામાં ચૂંટાઈઆવ્યા હતા. હિન્દુત્વની લહેરનો લાભ તેમના ડ્રાઈવરને પણ ફળ્યો હતો તેઓ પણ વિધાનસભાની સીટ જીતવામાં સફળ રહ્યા હતાં. .
11 સપ્ટેમ્બર, 1907ના રોજ જન્મેલા કે.કે. નાયરે કેરળના અલાપ્પુઝાનું એક નાનકડું ગામ કુટનાદથી તેમના જીવનની શરૂઆત કરી. કેરળમાં શિક્ષણ પૂરું કર્યા પછી, તે ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયાઅને 21 વર્ષની ઉંમરે આઈસીએસ બન્યાંતે 1945માં ઉત્તર પ્રદેશમાં સિવિલ સેવક તરીકે જોડાયા અને1 જૂન, 1949ના રોજ ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનર-કમ-જિલ્લા મેજિસ્ટ્રેટ બન્યાં હતાં.
1931દરમિયાન બાબરી મસ્જિદ શ્રી રામજન્મભૂમિના નામે અયોધ્યામાં ઉભી હતી તે વિસ્તારમાં તાજો વિવાદ થયો હતો. બ્રિટીશ સરકારે વિવાદિત જગ્યાએ હિન્દુઓને પૂજા અર્ચન કરવાની છૂટ આપી ન હતી. કે.કે.નાયર, જે તે સમયે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ હતા, તેમણે હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપ્યો.
જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે, નાયરે તેમના સહાયક ગુરુ દત્ત સિંહને રાજ્ય સરકાર તરફથી એક પત્ર મળ્યા પછી અયોધ્યા મુદ્દે ગ્રાઉન્ડ રિપોર્ટ ફાઇલ કરવાની કામગીરીનીસોંપણી કરી હતી. 10 ઓક્ટોબર 1949 ના રોજ નાયરને મોકલવામાં આવેલા પોતાના અહેવાલમાં, ગુરુ દત્તસિંહે આ સ્થળે ભવ્ય રામ મંદિર નિર્માણની સ્પષ્ટપણે ભલામણ કરી.
“તમારા આદેશો મુજબ, હું સ્થળ પર ગયો અને સ્થળનું નિરીક્ષણ કર્યું અને તેના વિશે વિગતવાર પૂછપરછ કરી. મસ્જિદ અને મંદિર બંને બાજુમાં આવેલા છે અને હિન્દુ અને મુસ્લિમ બંને તેમના ધાર્મિક વિધિઓ અને ધાર્મિક સમારોહ કરે છે. હિન્દુ જનતાએ હાલમાં આ અસ્તિત્વમાં છે તેવા નાના મંદિરને બદલે યોગ્ય અને વિશાલ મંદિર ઉભું કરવાના વિચાર સાથે આ એપ્લિકેશન લગાવી છે. માર્ગમાં કંઈ નથી અને મંજૂરી આપી શકાશે કારણ કે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો હતો ત્યાં હિન્દુઓની વસ્તી એક સરસ મંદિર મેળવવા માટે ખૂબ ઉત્સુક છે. સિંહે નાયરને આપેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જે જમીન પર મંદિર બનાવવાનું છે તે નઝુલ [સરકારી જમીન] ની છે. 22 ડિસેમ્બર, 1949 માં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ગોવિંદવલ્લભ પંતે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુના કહેવા પર, હિન્દુઓને તથા રામ લલ્લાની પ્રતિમાનેમંદિરમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો.
પી.એમ. નહેરુએ અયોધ્યા વિવાદ પર જીબી પંતને એક તાર કરી કહ્યું, “હું અયોધ્યામાં થયેલ ઘટનાક્રમથીવ્યગ્ર છું. હું આશા રાખું છું કે આપ પૂર્ણનિષ્ઠાપૂર્વક આ અંગે કડક પગલાં લઇ ઉદાહરણરૂપ કાર્યવાહી કરશો..નહીતો આ ખુબ ખતરનાક ઉદાહરણ બની રહેશે અને એના દેશે ખુબ ભયંકર પરિણામો ભગાવવા તૈયાર રહેવું પડશે.”
નહેરુએ ભારતના તત્કાલીન ગવર્નર-જનરલ સી રાજગોપાલાચારીને7મીજાન્યુઆરી 1950નારોજ લખેલ પત્રમાં તેમની ચિંતા પુનરાવર્તિત કરી હતી. “મેં ગઈરાત્રે પંતજીને અયોધ્યા વિશે પત્ર લખ્યો હતો અને લખનૌ જઇ રહેલા એક વ્યક્તિ સાથે આ પત્ર મોકલ્યો હતો. પંતજીએ મને પછી ટેલિફોન કર્યો. તેમણે કહ્યું કે તેઓ ખૂબ જ ચિંતિત છે અને તેઓ આ મામલે વ્યક્તિગત રૂપે તપાસ કરી રહ્યા છે.”
5મી માર્ચ 1950નારોજ ફરીથી પત્ર લખી ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે જેમનેઆદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યોહતો, તેમનાંઉપર યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. આ ઘટના બાદ ગોવિંદ વલ્લભ પંતે કે.કે. નાયરને સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ શ્રી નાયરે કોર્ટમાં કોંગ્રેસ સરકાર સામે લડત ચલાવી હતી અને તેની તરફેણમાં આદેશ મેળવવામાં સફળ રહ્યા હતા.સેવામાં ફરી જોડા્યા પછી, તેમણે આઈએએસ અધિકારી તરીકે ચાલુ નહીં રહેવાનું નક્કી કર્યું, કારણ કે તે સમય સુધીમાં, તેઓ નહેરુનેઆંખના કાણાની જેમ ખૂંચતા હતા. તેઓએ પોતાની નોકરીમાંથી રાજીનામુ મૂકી જનસંઘની ટિકિટ પર વિધાયકનીચૂંટણી લડ્યા અને વિજયી બન્યા.
શ્રીનાયર 7મીસપ્ટેમ્બર, 1977. એટલેકે તેમના મૃત્યુ સુધી, જનસંઘના કાર્યકર તરીકે રહ્યા, તે દિવસોમાં ઉત્તરપ્રદેશમાં તેઓ આદરણીય અને ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ હતા, પણતેઓને કેરળમાં યોગ્ય માનસન્માન મળ્યું નહતુંહવે રાજ્યના રાષ્ટ્રવાદીઓનું એક જૂથ કેકે નાયર મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તેમના વતનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દાન કરવામાં આવેલી જમીન પર એક સ્મારક બનાવી રહ્યું છે. અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે, ટ્રસ્ટનો હેતુ સિવિલ સર્વિસના ઉમેદવારોને તાલીમ આપવા અને પાત્ર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવાનો છે.
ઇસ 1950 જાન્યુઆરી માં, બાબરી મસ્જિદના સ્થળ ઉપર અયોધ્યાના હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે દાયકાઓથી ચાલેલી કાનૂની લડત શરૂ થઈ. પહેલો કેસ હિંદુ ગોપાલસિંહ વિશારદ કે જેઓ હિન્દૂ શાસ્ત્રોના જ્ઞાતા હતા અનેહિન્દુ મહાસભાના અયોધ્યા ખાતેનાંસચિવ હતા.તેમના દાવામાં, શ્રીસિંહે“કોઈ પણ અવરોધ વિના”બિલ્ડિંગમાં દેવની પૂજા કરવાનો અધિકારનો દાવો કર્યો હતો અને સરકારી અધિકારીઓને મૂર્તિઓ હટાવતાં અટકાવવા માટે “હંગામી મનાઈ હુકમ” માંગ્યો હતો.. ન્યાયાધીશે મનાઈ હુકમ આપ્યો પરંતુ તેના પૂજાના અધિકારના પ્રશ્નેકોઈ આદેશ કે રૂલિંગ આપ્યુંનહીં.બીજા દિવસે, આશરે 30 વર્ષનાંમુસ્લિમ અનીસુર રહેમાને આ વિવાદમાંમુસ્લિમ તરફથી પ્રથમ કાનૂની મુકદ્દમો અદાલતમાં દાખલ કર્યો..તેમણે દાવો કર્યો હતો કે “બંને સમુદાયો અને જિલ્લા અધિકારીઓના સાંપ્રદાયિક પક્ષપાતથી મુક્ત નથી, વચ્ચેના અત્યંત તંગ સંબંધોને ધ્યાનમાં રાખીને, અયોધ્યાની આસપાસ સુનાવણીની સંભાવના નથી. તેથી કેસ બીજી અદાલતમાં ચલાવવામાં આવે.તેમણે સોગંદનામામાં એ પણ નોંધ્યું છે કે મૂર્તિ સ્થાપિત થયા પછી મુસ્લિમોને તેમની મસ્જિદ પાછી અપાવવામાટે જિલ્લા અધિકારીઓએ કંઈ જ કર્યું નથી. તેના બદલે, તેઓએ અમારી મસ્જીદકબજે કરી લીધી.શ્રી રહેમાનના પ્રયત્નોનો અયોધ્યાના આશરે 20 મુસ્લિમોએ વિરોધકર્યો હતો, જેમણે સ્થાનિક કોર્ટરૂમમાં એક સોગંદનામામાં પર સહી કરી હતી.તેઓએ કહ્યું કે જો હિન્દુઓ બાબરી મસ્જિદનો કબજો જારી રાખે તો તેમને કોઈ વાંધો નથી. “બાબરી મસ્જિદ રામ જન્મસ્થળ મંદિરને તોડીને બનાવવામાં આવી છે.“ત્યાં પ્રાર્થના કરવી ઇસ્લામિક કાયદાની વિરુદ્ધ છે,” આથીશ્રી રહેમાનની અરજી રદ કરવામાં આવી હતી. મુસ્લિમ વકીલો આજે મુસ્લિમોના સોગંદનામાની પ્રામાણિકતા પર શંકા કરે છે.ઇસ 1959નિર્મોહી અખાડાના મહંતશ્રીએ બીજો મુકદમો દાખલ કરેલ અને જણાવેલ કે આ જગ્યા પર રામમંદિરસદીઓથી અસ્તિત્વમાં હતું. અહીં મસ્જિદ હતીજ નહિઆ રામ મંદિરજ છે અને આના પર નિર્મોહી અખાડાનો અધિકાર છે.તેમને વિવાદિત જગ્યા પર એક મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કોર્ટે નિષ્ફળ બનાવ્યો હતો. આ અંગે1961માંલોકલ મુસ્લિમોના સમૂહે પ્રતિક્રિયા રૂપે સુન્ની વકફ બોર્ડ કે જે ભારતીય કાયદા દ્વારા બનાવેલ એક જૂથ છે કે જેમની જવાબદારી મુસ્લિમોના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોનું રક્ષણ અનેજતન કરવું છે. 1964માં કોર્ટે ચારેય કેસ નીકે જે 1) ગોપાલસિંહ વિશારદ દ્વારા 2) દિગંબર અખાડાના સાધુ દ્વારા 3) નિર્મોહી અખાડાનાંસાધુદ્વારા4) વકફ બોર્ડ દ્વારા કરેલ કેસોને એકત્રિત કરીને એક સાથે સાંભળવાનું નક્કી કર્યું.1980ના દાયકામાં દાયકાઓથી ટકરાતા રાજકીય હિતો અનેહિન્દૂ મુસ્લિમોના હિતઓએઅયોધ્યા વિવાદનેસ્થાનિક મુદ્દામાંથીરાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો.દરેકપક્ષને લાગ્યું કે ભારતમાંતેનો ધર્મ અને દરજ્જો જોખમમાં છે અને બંને પક્ષોએ રાજકીય દબાણ અને બળ પ્રદર્શનનો ભરપૂર ઉપયોગ કરીનેપ્રતિક્રિયા આપી. જેમાં 1981માં તામિલનાડુનાં મિનાક્ષીપુરમ ગામની 400 પરિવારનીસામુહિક ધર્મ પરિવર્તનની ઘટનાએ બળતામાં ઘી હોમવાનુંકામ કર્યું. 1984માં વિશ્વ હિન્દૂ પરિષદના સંયુક્ત મહામંત્રીશ્રી અશોક સિંઘલદ્વારા દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં બેઠક બોલાવી હતી જેમાં 500થી વધારે સંતો અને મહંતો એકઠા થેયલા હતા. એકઠા થેયલ સંતોએ શંખ ફૂંકીને પ્રવચનની શરૂઆત કરી.ધાર્મિક પરિષદમાં શ્રી સિંહે વ્યક્તિગત જીવન અને રાજકારણને હિન્દુ ધર્મના સિધ્ધાંતો સાથે જોડવાની અને દહેજ પ્રણાલી અને સમાજને નીચા-જાતિના હિન્દુઓને “અસ્પૃશ્યતા”ની કલંકથી છુટકારો આપવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. સંતો અને મહંતોના સમૂહેવ્યક્તિઓ, પરિવારો અને સમાજ માટે આચારસંહિતા બહાર પાડી હતી.સાથે દેશના તંત્રને હિન્દુઓનાત્રણ મહત્વપૂર્ણ પવિત્ર સ્થળો હિંદુ સમાજને પાછા આપવાની માંગકરી.તેમણે આ હકીકત પર પણ દલીલ કરી હતી કે હિન્દુ પવિત્ર સ્થળોની અવગણના કરવામાં આવી છે.વિશ્વ હિન્દુ પરિષદ, કરણ સિંઘ ( એક વખતના ઇન્દિરા ગાંધીની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા અને ત્યારના સ્વતંત્ર સંસદે , 1984 ધર્મ સંસદ દરમિયાન.તેમણે સાધુઓને કહ્યું કે“આપણે અયોધ્યામાં રામના જન્મસ્થળ પર કોઈ પવિત્ર દીવો પણ પ્રગટાવી શકતા નથી.” “આ દેશના 80% રહેવાસીઓ પોતાને હિન્દુ કહે છે તે કેટલું શરમજનક છે?” બાબરી મસ્જિદ, અયોધ્યાની મસ્જિદ જેનો ઘણા હિન્દુઓએ દાવો કર્યો હતો કે ભગવાન રામનું જન્મસ્થાન, આ યાદીમાં ટોચ પર હતું તેનું એક કારણ એ પણ હોઈ શકે કેરામ તમામ જાતિના હિન્દુઓને એક સરખીઅપીલ કરી શકે છે કેમ કેરામાયણમાંના એક પ્રસંગમાં, શબરી કે જે નીચલા વર્ગમાંથી આવેછે, ના એંઠા બોર ભગવાન રામે ખુશી ખુશી ખાધા હતા.
3જી ફેબ્રુઆરી, 1981 ના રોજ, સુપ્રીમે કોર્ટના ન્યાયાધીશ મુર્તઝા ફઝલ અલી અને એ. વરદરાજનની બનેલી બે ન્યાયાધીશ બેંચે મોહમ્મદ અહેમદ ખાન વર્સીસ શાહબાનો કેસની સુનાવણી કોર્ટના અગાઉના નિર્ણયોને ધ્યાનમાં લઈને કરી હતી, જેમાં સંહિતાની કલમ 125 મુસ્લિમોને પણ લાગુ પડે છે. ત્યાર બાદ આ કેસમાં મુસ્લિમ સંસ્થાઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિઆત ઉલેમા-એ-હિંદ વચ્ચે પડતાં, આ કેસમાં જોડાયા હતા. અને આ કેસ મોટી બેંચ ને રીફર કરવામાં આવ્યો ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ, રંગનાથ મિશ્રા, ડી. એ. દેસાઇ, ઓ. ચિન્નાપ્પા રેડ્ડી અને ઇ.એસ. વેંકટારામિઆની બનેલી પાંચ જજોની બેંચ દ્વારા આ મામલો સુનાવણી કરવામાં આવ્યો હતો. 23 એપ્રિલ 1985 ના રોજ સુપ્રીમ કોર્ટે સર્વસંમત નિર્ણયમાં અપીલ નામંજૂર કરી અને હાઇકોર્ટના ચુકાદાની પુષ્ટિ કરી શાહબાનોને પણ ભરણપોષણ મેળવવાનો હક્ક છે તે સ્વીકાર્યું. સુપ્રીમ કોર્ટે નિષ્કર્ષ કાઢ્યો કે “પોતાનું ભરણપોષણ જાતેકરવા અસમર્થ એવી છૂટાછેડાવાળી પત્નીનું ભરણપોષણકરવાની મુસ્લિમ પતિની જવાબદારી અંગેના સવાલ પર કલમ 125ની જોગવાઈઓ અને મુસ્લિમ પર્સનલ લોની વચ્ચે કોઈ વિરોધાભાસ નથી.”જેથી મુસ્લિમ પક્ષે નારાજ થઇ શાહ બાનોચુકાદો, દાવા મુજબ, તે રેગિંગ વિવાદનું કેન્દ્ર બન્યો, અને પ્રેસ તેને મુખ્ય રાષ્ટ્રીય મુદ્દામાં ફેરવી દીધો. શાહ બાનોના ચુકાદામાં મુસ્લિમોના ઘણા વર્ગ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, તેઓએ ચુકાદાને તેમના ધર્મ અને તેમના પોતાના ધાર્મિક વ્યક્તિગત કાયદાઓના અધિકાર પર હુમલા તરીકે લીધો હતો 1984માં રાજકારણમાં પ્રવેશેલા રાજકીયરીતેઅપરિપક્વશ્રીરાજીવ ગાંધીએપહેલા શાહબાનો કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું હતું. મુસ્લિમ અને શ્રીરાજીવગાંધીની સરકારમાં પ્રધાન આરીફ મોહમ્મદખાને ચુકાદાની પ્રશંસામાં સંસદમાં લાંબુભાષણ કર્યું હતું.પણ પછી મુસ્લિમોના વિરોધ સામે રાજીવ સરકાર ઝૂકીઅને શાહબાનો કેસમાં પરોઠના પગલાં ભરવા કેટલાક કોંગ્રેસીઓએ સલાહ આપી અને રાજીવે તેના પર અમલ કરીને સમગ્ર હિન્દૂ સમાજને તથા શિક્ષિત અને જાગૃત સમાજનેઆહતપહોંચાડી હતી હવે તે અસરને દૂર કરવા અને હિન્દૂ સમાજની નારાજગી દૂર કરવા શ્રીરાજીવ ગાંધીને કોઈએ સલાહ આપી કે રામ જન્મભૂમિના તાળાં ખોલી નાખવામાં આવે તો હિન્દૂ સમાજ ખુશ થઇ જશે અને તેમની નારાજગી દૂર પણ થઇ જશે. શ્રીરાજીવ ગાંધીએઆના અનુસંધાનમાં તેમના રાજકીય સલાહકાર શ્રીઅરુણ નહેરુ સાથે મસલત કરી અને શક્યતા તપાસીશ્રીઅરુણ નહેરુએ સહમતી આપી કે તુરતજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મસલત કરવામાં આવી. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના અધ્યક્ષ અને શ્રી રાજીવ ગાંધી વરચે છુપી ડિલ થઇ હતી.આ ડીલ થઇ હોવાની એક સાબિતી એ છે કે 3 ફેબ્રુઆરી 1986ના રોજ લખનૌમાંથીબહાર પડતુંદૈનિક ‘કોમી આવાઝ‘ માં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ શ્રી અલી મિયાનુંએક નિવેદન આવે છે કે“મુસ્લિમોએ તાળા ખોલવાની ઘટનાને બહુ મહત્વ આપવાની જરૂરજ નથી કારણકે આવીતો કેટલીયે મસ્જિદો ઉપર બીજાનો કબ્જો છે. “અલી મિયાંઅને રાજીવ ગાંધી વરચે ડિલ થઇ હોવાનોબીજો પુરાવો એ છે કે અલી મિયાંએ કે મુસ્લિમ લો બોર્ડએક્યારેય પણ બાબરી મસ્જિદ નું તાળું તોડવા બાબતે કોઈ નિવેદન સુદ્ધા કર્યું નથી. ત્રીજુ કે 3 ફેબ્રુઆરી 1986ના રોજ તાળું ખુલતાંજ 5 ફેબ્રુઆરી 1986ના રોજ લોક સભામાં મુસ્લિમ વુમન એક્ટ અંગેનું બિલ રજુ કરવામાં આવ્યું ! 1986ના જાન્યુઆરી મહિનામાંશ્રી ઉમેશચંદ્ર પાંડે પૂર્ણ સમય વકીલ અને ખંડ સમય પત્રકારે બાબરી મસ્જિદ / રામજન્મ ભૂમિના દરવાજા સામાન્યજનો માટે ખોલવા કોર્ટમાં અરજી કરી હતી. તેમનું કહેવું હતુંકે તેઓએ ઘણીવાર વિશ્વ હિન્દૂ પરિષદના નેતાઓ પાસે સાંભળ્યું હતુંકે બાબરી મસ્જિદના દરવાજાને તાળું મારવાનો કાયદેસરનો કોઈ હુકમ થયો નથી. આ પછી તેમને કોર્ટના હુકમોનો અભ્યાસ કર્યો અને તેમને લાગ્યુંકે આવો કોઈ હુકમ થયેલ નથી. શ્રી પાંડેએ તેમની અરજી દાખલ કર્યા પછી તરતજ તેની એક નકલ રાજ્ય સુરક્ષા એજન્સીને કે જે આંતરિક સુરક્ષાનો પ્રભાર સાંભળતી હતી, ને મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જયારે અરુણ નહેરુને આ વાત ધ્યાનમાં આવી કે તરતજ તેમને શ્રી રાજીવ ગાંધીને જણાવી અને રાજીવ ગાંધીએ તેમને રાજ્યસરકારને વિશ્વાસમાં લઈને તત્કાલ ઘટતું કરવા કહ્યું. રાજ્ય સરકારેખાતરી આપી કે બે વરિષ્ઠ સ્થાનિક અધિકારીઓ એફિડેવિટ રજૂ કરવાને બદલે ન્યાયાધીશ સમક્ષ – અસામાન્ય રીતે હાજર થઇ તેઓએ જુબાની આપી હતી કે જો તાળું ખોલીનાખવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ શકે છે,
1 ફેબ્રુઆરી, 1986 ના રોજમધ્યાહને શ્રીકૃષ્ણમોહન પાંડે, ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે મસ્જિદના દરવાજા પર તાળું લગાવવાનોકોઈ સત્તાવાર આદેશનથી. સાક્ષીઓના જણાવ્યા મુજબકૃષ્ણમોહન પાંડે, ફૈઝાબાદ જિલ્લાન્યાયાધીશે બાબરી મસ્જિદના દરવાજાને હિંદુ પક્ષકારોની તરફેણમાં 37 વર્ષ પછી ખોલવાનો આદેશ આપ્યો, અને પૂજાની મંજૂરી આપી.કોર્ટનો હુકમ થયાને ફક્ત30 મિનિટમાં જ અયોધ્યામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તાળું તોડ્યું. સરકાર દ્વારા સંચાલિત ટેલિવિઝન ચેનલ દૂરદર્શનની ટીમ કેમેરા સાથે હાજર હતીઅને તુરંતજઆ પ્રસંગ રાષ્ટ્રમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.
1989 રાજીવ ગાંધી સરકારે સ્થળ પર શિલાન્યાસની મંજૂરી આપી હતી. વીએચપીએ બાબરી મસ્જિદની બાજુની જમીનમાં રામ મંદિરનો પાયો નાખ્યો.
11 જૂને 1989ના રોજ સંસદમાં 2 સભ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતી ભારતીય જનતા પાર્ટી કે જે ઇલેકશન માટે કોઈ મુદ્દાની શોધમાં હતી તેને તેની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકમાં પ્રથમ વખત રામ જન્મ મંદિરનો મુદ્દો એજન્ડા પર લીધો.
1990માંરામ મંદિરનું શરણું સ્વીકારી 2 સીટ થી 85 સીટ પર પહોંચેલીભારતીય જનતા પાર્ટીના સહયોગથી વિશ્વનાથ પ્રતાપસિંહ ભારતના પ્રધાનમંત્રી બની ગયા પરંતુ પોતાનીમુસ્લિમમતબેન્કનેબચાવવામાટે જાહેરમાં રામ મંદિરના મુદ્દે દૂરરહેતા હતા પરંતુ અંગત રીતેરામ જન્મ ભૂમિના બી જે પીના એજન્ડા સામે તેમને કોઈ વાંધો નહોતા. તેજ રીતે તે સમય (ઇસ 1990માં)યુ પી ના મુખ્ય મંત્રી શ્રી મુલાયમસિંહ યાદવ અને ભારતના પ્રધાનમંત્રીવી પી સિંઘ વચ્ચે બરોબરની યાદવાસ્થળી જામેલી હતી. બેમાંથી કોઈને એક બીજા પર લેશ માત્ર ભરોસો નહતો. અને એક બીજાને પછાડવાની એક પણ તક ચુકતા નહતા. મુલાયમસિંહને ડરહતોકે વી એચ પી બાબરી મસ્જિદનોઢાંચો તોડવા માંગે છે અને વિશ્વનાથ પ્રતપસિંહ આનો આધાર બનાવી તેમની ( મુલાયમસિંહ યાદવની) સરકાર ગબડાવવામાગેછે. આથી બંને એક બીજાને ચેક એન્ડ મેટ કરતા રહેતા હતા.વી પી સિંહ સ્વરૂપાનંદજી સાથે સવારે વાત કરેતો તેજ દિવસે સાંજે મુલાયસિન્હ તેમની( સ્વરૂપાનંદજી) કરી લેતા.બી જે પી પોતે બનાવેલી બાજી વિશ્વનાથ પ્રતાપસિંહના જીતી જાયમાટે શ્રીઅડવાણીજી, સોમનાથથી અયોધ્યા સુધીનીરામ રથ યાત્રાનુંઆયોજનકરે છે.મુલાયમસિંહ યાદવ અડવાણીજીની ધરપકડ કરી પોતાની મતબેન્ક મજબૂત બનાવવાના તાકમાં હતાં પરંતુ વી પી સિંહ કંઈક અલગ વિચારતા હતા. વી પી સિંહ નહોતા ઇચ્છતા હતાકેરામ રથ યાત્રા પર સવાર થઇ અડવાણીજી તેમની ખુરશી ખેંચી લે અને મુલાયમસિંહ અડવાણીજીની ધરપકડ કરી મુસ્લિમ મતબેન્ક અંકે ના કરીલે તેમાટે, લાલુ પ્રસાદ યાદવનેઅડવાણીજીની ધરપકડ કરવા જણાવે છે. લાલુપ્રસાદ યાદવે 23 ઓક્ટોબર 1990ના રોજઅડવાણીજીની સુધીરકુમાર, જિલ્લા મેજિસ્ટ્રેટે, દુમકા દ્વારાધરપકડ કરી હીરો બની ગયા પરંતુ તેનું પરિણામ ભયાનક આવ્યું આખા દેશમા તોફાનો ફાટી નીકળ્યા અને ઘણા લોકોએ જાન-માલથી હાથ ધોવા પડ્યા.બીજી બાજુ રોષે ભરાયેલા કારસેવકોને અયોધ્યામાં પ્રવેશવા પર મુલાયમસિંહ યાદવે પ્રતિબંધ ફરમાવી દીધો અને ચારેય તરફ કડક બંધોબસ્ત કરી કારસેવકોને અટકાવવાનો પ્રયત્ન કર્યો. 30 ઓક્ટોબર 1990, ઉત્સાહ, ઉન્માદ અને આક્રોશથી ભરેલા કારસેવકો યેનકેન પ્રકારેઅયોઘ્યામાં પ્રવેશી ગયા. લોકલ પ્રશાસને કર્ફયુ જાહેર કરી સંપૂર્ણ અયોધ્યાને બેરીકેટ લગાવી કોર્ડન કરી દીધું. બીજી તરફ સંતો , વી એચ પી અનેબી જે પીનાંકાર્યકરો તથા 40000 કારસેવકોનુંહુજૂમ બાબરી મસ્જીદ તરફ આગળ વધી રહ્યું હતું.બે ભાઈ રામ અને શરદ કોઠારી સેક્યુરીટી ફોર્સની નજર ચૂકવી બાબરી મસ્જિદ પર ચડી કેસરિયો ધ્વજ લહેરાવ્યો જેનું પરિણામ બન્ને ભાઈઓએ 2 નવેમ્બર 1990નારોજ પોતાની જાનથીહાથધોઈભોગવવું પડ્યું.અને અશોક સિંઘલ , વી. એચ. પી. ના વડાલાઠી ચાર્જમાં ઘાયલ થયા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાંથી બીજા દિવસે ફરાર થઇ ગયા અને તેમને 2 નવેમ્બર 1990ના રોજ ફરી કારસેવાની ઘોષણા કરી દીધી. 30 ઓક્ટોબર અને 2 નવેમ્બર 1990 ના રોજ મુલાયમ સરકારના આદેશ પર થયેલ ગોળીબાર કાંડ એ ભારતના ઇતિહાસનું કલંકિત પાનું કહેવાશે. તે દિવસે દિગમ્બર અખાડાવાળી ગલીમાં સુરક્ષા બળોની ગોળીથી ઘાયલ થયેલયુવાને પોતાના રક્તથી સીતારામ જમીન પર લખીને પોતાની આખરી મહત્વકાંક્ષા છતી કરી.કહેવાય છેકેનિઃશસ્ત્ર કારસેવકો પર ગોળીબારના આદેશને ઘણા અધિકારીઓએ ઠુકરાવ્યોહતોતો કેટલાંકે આંખમાં આંસુ સાથે પોતાની ફરજ બજાવી હતી આમછતાં સરકારી આંકડા પ્રમાણે 28 કારસેવકોએજાનઘુમાવી.જેની પ્રતિક્રિયા પુરા દેશમાં જોવા મળી. અત્યારસુધી સીમિત માત્રામાં નારીશક્તિ નું યોગદાન 3 નવેમ્બર 1990ના રોજ હજારો નારીઓનાંહુજૂમમાં બદલાઈ ગયું. તેઓએફૈઝાબાદનાંકમિશનરશ્રી મધુકર ગુપ્તાનો ઘેરાવ કર્યો કે જે અશોક સિંઘલના સગા મામાના પુત્ર હતા. 7 દિવસમાંજ વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર પડી ગઈ
1992માં યુ પી માં બી જે પીની કલ્યાણસિંઘની સરકાર હતી. કારસેવામાટે સુપ્રીમે કોર્ટે શરતી મંજૂરી આપી હતી કે જેમાં બાબરી મસ્જીદનના ઢાંચાને કોઈ નુકશાન નહિ થાય તેની બાયેંધારી પણ એક હતી. કારસેવકોનું હુજૂમ ચરમ સીમા પર હતું. પોલીસ શસ્ત્રો મ્યાન કરીને કાર સેવકો દ્વારા થતા કાર્યોને મૂકસાક્ષીબની નિહાળી રહી હતી. હજુ સુધી કોઈ પણ ગુંબજને નુકશાન થયું નહતું. જિલ્લા અધિકારી, શ્રી આર એન શ્રીવાસ્તવએ કેન્દ્રીય બળ ડી. આઈ. જી. માલિકને 50 કંપની તત્કાલ ક્ષણે જગ્યાપર પહોંચાડવા લેખિત વિનંતી કરી તેના પ્રત્યુત્તરમાંશ્રી મલિકે જણાવ્યું કે “અમે તૈયાર છીએ પણ કેન્દ્રીય બળના સરંક્ષણ માટે બંને તરફ એક એક પી એ સી ના જવાન તથા એક મિજિસ્ટ્રેટે સાથે રહે ” આવી બેહૂદી માંગણીથી ખિન્ન થઇ એસ. એસ. પી. શ્રીડી બી રાયે કહ્યું કે આવી બેહૂદી માંગણી મારી સમજમાં નથી આવતી. જો અમારી પાસે તેમની સુરક્ષા માટે બળ હોત તો અમે તેમની પાસે શા માટે કેન્દ્રીય બળની માંગણી કરીએ ? વિવાદિત ઢાંચાનેરક્ષણ પૂરું પાડવાની જવાબદારી જેમના માથાપર થી તેવા પ્રધાનમંત્રી શ્રી પી વી નરસિંહમરાઓતથા મુખ્યમંત્રી કલ્યાણસિંઘનો તત્કાલ રોલ પણ જાણવો જોઈએ. પ્રધાનમંત્રી પાસે પળ પળની તમામ માહિતી પહોંચી રહી હતી. તેઓ વારંવાર વિનય કટિયારને ફોન કરી રહ્યા હતા પરંતુ તેઓ ફોન ઉપાડી રહ્યા નહતા. બીજી બાજુ કલ્યાણસિંહ સરકારી આવાસ પર તડકો ખાઈ રહ્યા હતા. માખનલાલ ફોતેદાર તેમના પુસ્તક ચિનાર લીવ્સમાં લખે છેકે “મેં પ્રધાનમંત્રીને ફોન કરીને કહુકે તેઓ સુરક્ષા બળોને ફોન કરીને કહેકે ત્યાં ફૈઝાબાદમાં તૈનાતવાયુદળના હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને આંસુગેસના ગોળા કારસેવકો પર વર્ષાવે જેથી ત્યાં રહેલ કારસેવકોને ખદેડી શકાય ત્યારે પ્રધાન મંત્રીએ કહ્યુકે હું કેવી રીતે તે કરી શકું ? એતો રાજ્ય સરકારના તાબા હેઠળ આવે છે આખરે મેં કહ્યુકે કમ સે કમએક ગુબંજતો બચાવીલો કે જેથી આપણે લોકોને કહી શકીએ કે અમે મસ્જિદ બચાવવાની પુરી કોશિશ કરી ” આ સાંભળી નર્સિંહમારાઓ થોડી વાર ખામોશ રહ્યા અને મને કહ્યુકે હું તમને પછી ફોન કરું છું જે ક્યારેય આવ્યો નહિ. પ્રભાષ જોષીજી, જનસત્તાના સંપાદક અને બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વિવાદનાં વિષ્ટિકાર હતા તેમને નરસિંહમરાઓને પુચ્છયુકે આપના તે દિવસના અભિગમથી બાબરી મસ્જિદનેના બચાવી શકાઈ તેના જવાબમાં નરસિંહમરાઓ એ જે કહું તે ચોંકાવનારું, આશ્ચર્યકારક અને આઘાતજનક હતું તેમણે કહ્યુકે “શું તમને લાગે છે કે મને રાજનીતિ નથી આવડતી ?” ” મેં જે કઈ કર્યું છે તે સમજી વિચારીને કર્યું છે મારે બી જે પીની મંદિર રાજનીતિ ખતમ કરવી હતી, તે કરી!”
બીજી તરફ બીજેપી ના સિનિયર લીડરો અને વી એચ પી ના લીડરો તથા રામજન્મ ભૂમિ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓના વચન પર ભરોસો કરી કલ્યાણસિંહ આશ્વસ્થ હતાં કેફક્ત પ્રતીકાત્મક કારસેવા થવાની છે પરંતુ વાસ્તવિકતા એ હતી કે લગભગ 100000 જેટલા કારસેવકોનું હુજૂમ બેકાબુ અને બેનિયંત્રિત થઇ ગયું હતું. તેમના પર અડવાણીજી કે અશોક સિંઘલજીના વચનો, આદેશ કે વિનંતીની કોઈ અસર થતી નહતી. અડવાણીજીએ તેમને રોકવાની ઘણી કોશિશ કરી પણ બધી વ્યર્થ રહી ત્યાર પછી અશોક સિંઘલ અને મુરલી મનોહર જોશીએ બાજી સાંભળી અને તેમને મસ્જિદને કોઈ પણ નુકશાનન પહોંચાડવા વિનંતી કરી તેમને એટલે સુધી કહ્યુકે આ બાબરી મસ્જિદ નથી આ તો રામલલ્લાનું મંદિર છે પણ તેમના બધા પ્રયત્ન વ્યર્થ રહ્યા. આખરે તેઓ પ્લેટફોર્મ છોડીનીચે ઉતરી ગયા. બીજી બાજુ આચાર્ય ધર્મેન્દ્ર, સાધ્વીઋતુમભરા , ઉમા ભારતીજીએ કાર સેવકને બે નારા આપ્યા। “એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો” “રામ નામ સત્યહે બાબરી મસ્જિદ ધ્વંશ હે” સાંજે લગભગ 7ના સુમારે રામ જન્મભૂમિનેસમથળ કરી ત્યાં કામ ચલાઉ રામલલ્લાનું મંદિર બનાવી પ્રતિમા પધરાવવામાટે ગયા ત્યારે ખબર પડી કે પ્રતિમા ગાયબ છે.ઘણી શોધખોળ કરી પણ પરિણામ શૂન્ય આવ્યું આખરે કેન્દ્રીય મંત્રી કુમારમંગલમેંરસ્તો કાઢવા રાજા વિમલેન્દ્રપ્રતાપ મિશ્રને પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરી રામલલ્લાની મૂર્તિની ગોઠવણી કરવા કહું.રાજાજીએ પોતાના ઘરેથી રામ લલ્લાનીપ્રતિમાલાવી કામચલાઉ મંદિર માં પધરાવી.
6થી ડિસેમ્બર 1992ના રોજ ઘટેલી ઘટનાં: સવારે 10.30 વાગે બી જે પીના સીનીઅર નેતાઓ તથા વી એચ પીના નેતાઓ પ્રતિકાત્મક કારસેવા માટે વિવાદિત જગ્યાની બાજુમાંપ્લેટફોર્મ પર પહોંચી ગયાં.
આગળ આપણે જોયું કે અબુલ ફઝલ કે જે ને આઈને અકબરી અને અક્બરનામાં જેવા પુસ્તકો ફારસી ભાષામાં લખ્યા છે અને એમને પણ અયોધ્યાનો રામજન્મ ભૂમિ તરીકે ઉલ્લેખ કર્યો છે. આપણી પાસે બે યુરોપિયનોએ વર્ણવેલા પ્રવાસ વર્ણનો ના સંદર્ભો છે જે આપણને રામજન્મ ભૂમિ / બાબરી મસ્જિદની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થશે. પ્રથમ વિલિયમ ફિંચ , જે મંદિર તોડી પાડ્યાના 80 વર્ષની અંદર અયોધ્યા આવ્યા હતા અને વિલિયમ ફિંચ કહે છે કે, અવધમાં હિન્દુઓ, બ્રાહ્મણો આવે છે, તેઓ સરયુ નદીમાં જાય છે, ડૂબકી લગાવે છે અને રામલલ્લાના દર્શન અવશ્ય કરે છે. તેઓ જે યાત્રાળુ આવ્યા છે તેમના નામો નોંધે છે. વિલિયમ ફિંચ ત્યાં મુસ્લિમની હાજરી વિશે વાત નથી કરતા, ત્યાં નમાઝ વિશે વાત કરતા નથી, તે ત્યાંના હિન્દુઓની વાત કરે છે. બીજા જેસુઈટ ફાધર છે, (એક રોમન કેથોલિક પાદરી જે જીસસ સોસાયટી ના સભ્ય છે આ એક ધાર્મિક જૂથ 1540 માં શરૂ થયું હતું ) જોસેફ ટિફિન થેલા એ એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો પાદરી હતો જે 40 વર્ષ સુધી ભારતમાં રહ્યો, તેણે ભારતના મોટા ભાગોમાં પ્રવાસ કર્યો અને તેણે ભૂગોળ પર ખૂબ જ મૂલ્યવાન સંદર્ભો લખ્યા અને બીજી ઘણી વસ્તુઓ ભારત વિશે લખી છે . તેઓ લગભગ –8 વર્ષ સુધી અવધમાં (અયોધ્યામાં) રહ્યા અને તેમના પુસ્તકમાં અયોધ્યામાં જોયેલી ઇમારતોના વિગતવાર ચિત્રો પણ મળી આવ્યા છે. તે રામજન્મ ભૂમિ / બાબરી મસ્જિદ માટે લખે છે કે , હું આ સ્થાન પર રહ્યો છું. આ સંકુલમાં જ્યાં હું ગયો છું, હિન્દુઓએ એક વેદી ( પારણું ) બનાવી છે અને તેઓ તેની ફરતે પરિક્રમા કરે છે અને રામ નવમીનાં દિવસે ઘણા લોકો રામનો જન્મ ઉજવવા આવે છે. પરંતુ આ જોસેફ ટિફિન થેલા પણ ત્યાંના કોઈ પણ મુસ્લિમોનો ઉલ્લેખ કરતા નથી અને નમાઝનો ઉલ્લેખ કરતા નથી, મને લાગે છે કે , સંભવ છે કે બાબરે મસજિદ તો બનાવી દીધી પરંતુ ત્યાં મુસ્લિમ વસ્તી નહિ હોવાથી મુસ્લિમોની ત્યાં અવાર જવર રહેતી નહિ હોય તેથી, તે શક્ય છે કે બન્ને આંખે દેખ્યા અહેવાલ માં ત્યાંના હિન્દુઓનો સંદર્ભ આપે છે પરંતુ તેઓ તે દૃષ્ટિએ મુસ્લિમોનો સંદર્ભ લેતા નથી. . આ એક સંભાવના છે. હવે, 1822માં અયોધ્યા ખાતે જિલ્લા અદાલતોમાં કોર્ટના અધિકારી હાફિઝુલ્લાહ દ્વારા એક વિવાદ રજૂ કરવામાં આવે છે, તે સંદર્ભમાં કહે છે કે બાબરી મસ્જિદ રામ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી અને તે સીતા કી રસોઇની બાજુમાં બનાવવામાં આવી છે, તેથી તે રામ મંદિરનો અને તેમાં સીતા કી રસોઇનોઉલ્લેખ કરે છે.
હવે, 1855 માં કંઈક ખૂબ જ રસપ્રદ બને છે. બ્રિટિશ રેસિડેન્ટ ઓફિસર, તે અવધના નવાબ, વાજિદ અલી શાહને એક પત્ર લખે છે કે તમે જાણો છો, ત્યાં એક સુન્ની નેતા, ગુલામ હુસેન છે જેને એક દળ એકત્રિત કર્યું છે અને તે હનુમાન ગઢી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે અને તે અવધના નવાબને કહે છે, કૃપા કરીને તેને રોકો, કેટલાકને મોકલો મજબૂતીકરણો, જેથી હનુમાન ગઢી પરનો તેમનો હુમલો અટકાવી શકાય. પરંતુ નવાબ કંઇ કરતા નથી અને એક નાનકડી લડત થાય છે, ત્યારબાદ જુલાઈમાં વધુ ગંભીર ઝઘડો થાય છે. ગુલામ હુસેન અને તેના જૂથ, તેઓ હનુમાન ગઢી અને હનુમાન ગઢી પર હિન્દુઓ પર હુમલો કરે છે, હિંદુઓ હનુમાન ગઢી પર હુમલો અટકાવવા લડત આપે છે અને તે હુમલામાં 70 મુસ્લિમો માર્યા જાય છે. હવે પ્રશ્ન એ થાય કે, મુસ્લિમો હનુમાન ગઢી પર કેમ હુમલો કરે છે? કારણ કે તેઓ કહે છે કે અંદર એક મસ્જિદ છે, હનુમાન ગઢીમાં એક મસ્જિદ છે, અને તેમને હનુમાન ગઢી સોંપવી જોઈએ, આજ સંધર્ભમાં બ્રિટિશ રહેવાસી, તે અવધ નવાબને બે બોન્ડ મોકલે છે. હવે, તેમને મળેલા આ બે બોન્ડ્સ મહંત બૈરાગી ,જેઓ હનુમાન ગઢી નું નિયંત્રણ કરે છે, પ્રથમ બોન્ડમાં, લખી આપે છે કે , મુસ્લિમો સાથે આપણને કોઈ દુશ્મની નથી, અમે તેમની પ્રત્યે મિત્રતાની લાગણી અનુભવીએ છીએ અને અમારા પર થયેલા હુમલાને ભૂલીને ભૂતકાળની જેમ મૈત્રીપૂર્ણ રીતે રહીશું,બીજા બોન્ડમાં, તેઓ કહે છે કે જો એક સ્વતંત્ર જૂથ દ્વારા તપાસ કરવા દેવામાં કોઈ આપત્તિ નથી અને તપાસ બતાવે કે હનુમાન ગઢી ની અંદર કોઈ મસ્જિદ છે તો અમે તરત જ આખા પરિસરને તેમના હવાલે કરીશું અને તેના વિશે ભવિષ્યમાં લડીશું નહિ તેઓ અગાઉના નવાબ્સે આપેલ દસ્તાવેજની નકલો જોડે છે. અને અવધના નવાબ ને જણાવે છે કે તમારા પૂર્વજોએ અમને હનુમાન ગઢી માં જમીન આપી હતી, તેમણે ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો કે આ જમીન ઉપર મસ્જિદ છે અને અહીં જો કોઈ મસ્જિદ હોય તો તેમણે તે ક્યારેય આપી ન હોત અને , હવે અવધના નવાબ, સમાધાન સૂચવે છે કે આપણે હનુમાન ગઢીની બાજુમાં મસ્જિદ બનાવીએ, તેથી, હનુમાન ગઢીના મહંતો કહે છે કે આ અમને સ્વીકાર્ય નથી આથી ત્રણ સભ્યોની ( હિન્દૂ,મુસ્લિમ અને બ્રિટિશર ) એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે છે તે પણ આ તારણ પર આવે છે કે હનુમાન ગઢીમાં ક્યારેય મસ્જિદ નહોતી. હવે, જ્યારે સ્વતંત્ર સમિતિના આ અહેવાલને જાહેર કરવામાં આવે છે, જેહાદીઓ, જેહાદી સૈન્ય, ખૂબ ગુસ્સે થાય છે અને એક નવો નેતા, અમીર અલી સામે આવે છે, તે હનુમાન ગઢી પર હુમલો કરવા માટે મોટી સંખ્યામાં લોકોને એકત્રીત કરે છે, તે તેની માન્યતામાં એટલો મક્કમ હતો કે તેને બ્રિટિશેરોની વાત સાથે સહમત થયો નહિ અને બ્રિટીશરોએ ખૂબ પ્રયાસ કર્યો તેને હુમલો કરતા અટકાવવા માટે પણ પરિણામનું શૂન્ય આવ્યું તેથી, અમીર અલી અયોધ્યા પર હુમલો કરે તે પહેલાં, બ્રિટિશરોએ તેમની હત્યા કરી દીધી હતી. તો, અયોધ્યા શહેરનો આ પહેલો સશસ્ત્ર સંઘર્ષ છે જે 1855 માં નોંધાયેલો છે.
લગભગ બે દાયકા પછી, બ્રિટીશ લોકોએ સંપૂર્ણ વર્ચસ્વ મેળવી લીધું હતું. અને અયોધ્યા ઉપર બ્રિટિશરોનું સંપૂર્ણ નિયંત્રણ હતું , તેથી પ્રથમ સેટલમેન્ટ ઓફિસર, તે પેટ્રિક કાર્નેગી નામનો વ્યક્તિ છે, પેટ્રિક કાર્નેગી એક અહેવાલ લખે છે જેમાં તેઓ કહે છે કે 1855 માં વિવાદ ઉત્પન્ન થયો ત્યાં સુધી હિંદુઓ મુક્ત રીતે પ્રવેશ કરી હરીફરી શકતા હતા. મસ્જિદમાં વિવાદ શરૂ થયા પછી, બ્રિટિશરોએ રેલિંગની રચના કરી અને મુસ્લિમોને મસ્જિદની અંદર પ્રાર્થના કરવાની છૂટ આપવામાં આવી અને હિન્દુઓને સંકુલની અંદર પરંતુ મસ્જિદની બહાર ખુલ્લી જગ્યા આપવામાં આવી અને ત્યારબાદ તમામ બ્રિટીશ સંચાલકોએ આ સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો, તેથી, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટ આ કેસની સુનાવણી કરી રહ્યો હતો, ત્યારે તેણે કહ્યું કે આનો અર્થ છે કે 1855 સુધી હિંદુઓને મસ્જિદમાં મુક્ત પ્રવેશ મળતો હતો, તેઓ મસ્જિદની અંદર પ્રાર્થના કરી શકતા હતા અને તેઓ સંકુલમાં પ્રાર્થના કરી શકતા હતા, જયારે તેઓ પાસે પહેલેથી જ રામ ચબુતરો હતો. અથવા જેને વેદી, સીતા કી રાસોઇ કહેવામાં આવે છે.
હવે પછી જનમસ્થાનના મહંતો અને બાબરી મસ્જિદના અધિક્ષક વચ્ચે બનતી બધી ઘટનાઓ, સંઘર્ષના દરેક તબક્કાઓ ફૈઝાબાદ કોર્ટના દફતરે નોંધાયેલા છે. આ બધા કાગળો ફૈઝાબાદમાં છે અને જ્યારે અલ્હાબાદ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી હતી, ત્યારે આ બધા દસ્તાવેજો અલ્હાબાદ હાઈકોર્ટને સોંપવામાં આવ્યા હતા. પ્રથમ 28 નવેમ્બર, 1858 ના રોજનો અહેવાલ છે, આ એફઆઈઆર છે જે અવધના થાણેદાર દ્વારા દાખલ કરવામાં આવી છે. અવધના થાણેદાર એક અહેવાલ આપ્યો છે કે 25 શીખ, નિહંગ શિખ બાબરી મસ્જિદમાં પ્રવેશ્યા છે અને તેઓએ ત્યાંથી હવન અને પૂજા શરૂ કરી દીધી છે અને કોયલા વડે મસ્જિદની દીવાલો પર રામ રામ લખી દીધું તે કહે છે કે મસ્જિદની બહાર પણ સંકુલની અંદર જ, જનમસ્થાન છે અને હિન્દુઓ ઘણા લાંબા સમયથી આવીને જનમસ્થાનમાં પૂજા-અર્ચના કરે છે, પરંતુ હવે મસ્જિદમાં પ્રવેશ કર્યો અને તેઓ ઉપાસના કરી રહ્યા છે, આ દસ્તાવેજને સંધર્ભ તરીકે સ્વીકારી અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે આ એક ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ કારણ કે તે પહેલો વ્યક્તિગત અવાજ છે જે આપણે અયોધ્યાથી સાંભળી રહ્યા છીએ, અને આ અવાજ કહે છે કે હિન્દુ સંકુલની અંદર છે, મસ્જિદની અંદર છે અને તે એમ કહે છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં બહાર હતા. તેથી, તેનો અર્થ એ છે કે એક સમયે, હિન્દુઓની મુક્ત હેરફેર બાબરી મસ્જિદમાં હતી જ્યાં સુધી તે થાણેદારે બાબરી મસ્જિદની અંદરથી શીખોને બહાર કાઢી ન મુક્યા. હું ફક્ત કેટલાક અન્ય કેસોનો સંદર્ભ આપીશ જે ખૂબ મહત્વના છે, અધીક્ષક દ્વારા 1860 માં એક અરજી આવી છે અને આ અરજીમાં તે કહે છે કે તમે જાણો છો કે બાબરી મસ્જિદની અંદર બનાવવામાં આવેલ ચબુત્રાને તોડી નાખવો જોઈએ, તે બ્રિટિશરોને પૂછે છે, તેનો અર્થ એ કે જ્યારે પણ તેઓ બાંધવાનું ઇચ્છે ત્યારે તેઓ મકાન બનાવતા હતા અને પછી તે કહે છે કે તમે જાણો છો, જ્યારે પણ મૌલવી નમાઝ, અઝાનને માટે બોલાવે છે, ત્યારે વિરોધી લોકો શંખ ફૂંકવાનું શરૂ કરે છે, જેથી તમે તણાવ જોઈ શકો અને આ મહત્વનું છે જાણો કારણ કે ડાબેરી ઇતિહાસકારોએ કહ્યું છે કે અયોધ્યા ખાતેના હિન્દુ મુસ્લિમ તનાવને બ્રિટિશરોએ તેમની વિભાજન અને શાસનની નીતિના ભાગરૂપે ઇજનેર કર્યા હતા, પરંતુ અહીં આપણે સામેલ વાસ્તવિક લોકોના અવાજો સાંભળી રહ્યા છીએ, ત્યાં કોઈ બ્રિટીશ નથી. તે બાબરી મસ્જિદના સુપરિન્ટેન્ડન્ટ્સ અને મહંતો વચ્ચેની લડત છે, તેથી, તે કહે છે કે તેઓ શંખ ફૂંકવાનું શરૂ કરે છે, એટલે કે, તેઓ આ ઇચ્છા પ્રત્યે એટલા સભાન હતા કે આપણે આ સ્થાન પાછું મેળવવું જોઈએ, તમે જાણો છો.તેથી, આ તમારો અવાજ વ્યક્ત કરવાની એક રીત છે, તમે જાણો છો, તમે આથી વધુ કંઇ કરી શકતા નથી, તેથી જ્યારે તેઓ અઝાન શરૂ કરે છે ત્યારે તમે શંખને ફૂંકી દો છો જે તમે કરી શકો છો.
પછી 1866 માં, એક બીજી ફરિયાદ કરે છે જેમાં બાબરી મસ્જિદના અધિક્ષક કહે છે કે તમે જાણો છો કે, આ મહંતોએ ખૂબ જ ગેરકાયદેસર રીતે સંકુલની અંદર કોટડી બનાવી છે કારણ કે તેઓ અંદર મૂર્તિઓ અંદર મુકવા માગે છે, તેથી, તે બ્રિટિશરોને કહે છે કે તમારે કૃપા કરીને અમારી સહાય માટે કંઈક કરવું જોઈએ, કારણ કે તે કહે છે, અમે ફક્ત તમારી સહાયને લીધે અહીં રહેવા માટે સમર્થ છીએ કારણ કે જનમસ્થાનના પુજારીઓ દ્વારા અમને પરેશાન કરવામાં આવી રહ્યા છે પછી 1877 માં, બાબરી મસ્જિદના અધિક્ષક કહે છે કે 5 વર્ષ પહેલાં, અમે તમને ફરિયાદ કરી હતી, તેઓ ત્યાં ગેરકાયદેસર રીતે ચરણ પાદુકા મૂકવામાં આવ્યા છે, કૃપા કરીને તેમને દૂર કરો તેથી તેઓ કહે છે કે તમે જાણો કે વર્ષથી તેમના પર આ હુકમ કરવામાં આવ્યો નથી અને આ ઉપાસના ચાલુ છે અને તે કહે છે કે હવે તમે જાણો છો કે તેઓએ સંકુલની અંદર, ત્યાં એક નાનો ચૂલ્હા હતો પણ હવે તેઓ એક મોટો ચૂલ્હા બનાવ્યો છે.
આમ જુઓ હિંદુઓ પાસે , આ, ચુલ્હા, ચબુત્રા, કોથરીના પુરાવા છે, તમે જાણો છો, એનો અર્થ એ છે કે ત્યાં સતત ઝઘડો થતો હતો, તે સ્થળે ક્યારેય શાંતિ નથી હોતી અને તે બતાવે છે કે હિંદુઓના ધ્યેય કેટલા નિર્ધારિત છે. હિન્દૂ સમુદાયની જન્મભૂમિ પ્રત્યેની પ્રતિબદ્ધતા એટલી અડગ હતી કે કોઈ પણ સંજોગોમાં તેઓ તેમના દાવાઓ અંગે શરણાગતિ સ્વીકારવા તૈયાર ન હતા. આ એવી વસ્તુઓ છે જે સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પ્રસ્તુત થતા પ્રવચનમાં સાંભળવા અથવા જાણવા મળતી નથી, કારણ કે આપણી પાસેના બધા પુરાવા ખરેખર એક પક્ષની તરફેણમાં છે.
1877 માં, ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનરે કોર્ટને કહ્યું કે બીજો એક માર્ગ બનાવવામાં આવ્યો છે કારણ કે રામ નવમીના સમયે, યાત્રિકોનો ધસારો એટલો છે કે યાત્રાળુઓનો ધસારો સમાવવા માટે અમારે એક વધારાનો દરવાજો હોવો જરૂરી છે, તેથી, તેનો અર્થ એ કે હિન્દુ સમુદાય રામલલ્લાની પરિક્રમાં કરી , પૂજા અર્ચન કરી સતત એ દર્શાવવા માંગતા હતા કે કોઈ પણ સંજોગોમાં રામજન્મ ભૂમિ બાબતે શાંત રહેવા અથવા પાછા પાડવા માટે તૈયાર ન હતા અને કોઈ પણ ભોગે રામજન્મ ભૂમિ ઉપરનો કબ્જો છોડવા તૈયાર ન હતા. તેઓ કોઈપણ જોખમ લેવા તૈયાર હતા. આગળની ફરિયાદ ખૂબ જ રસપ્રદ છે, તે 1882 ની છે, તે ફરીથી બાબરી મસ્જિદના અધિક્ષક છે જેણે બ્રિટિશરોને ફરિયાદ કરી છે તેઓ કહે છે કે રામ નવમી અને કાર્તિક મેળા સમયે, તે પ્રથા છે કે અમે જગ્યાની અંદર દુકાનો ઉભી કરવાની મંજૂરી આપીએ છીએ જે પ્રસાદ, ફૂલો વગેરે વેચશે, તમે જાણો છો અને નિયમ છે કે જે પણ વેચાણ થાય છે , અમે મહંતો અને બાબરી મસ્જિદના અધિક્ષક વચ્ચે 50-50 વસ્તુ વહેંચીશું પણ પરંતુ આ વખતે, તે કહે છે કે મહંતોએ ગુણોત્તરમાં ફેરફાર કર્યો છે, તમે આગળની વહેંચણી જાણો છો અને કૃપા કરીને જૂનો ગુણોત્તર પુન .સ્થાપિત કરો. તેથી, ફૈઝાબાદ જિલ્લા અદાલત, તેઓ કહે છે કે અમે ગુણોત્તર બદલી શકતા નથી કારણ કે તમે સ્વીકાર્યું છે કે આખું સંકુલ તમારું નથી, તમારી સ્થિતિમાં નથી.
આનો અર્થ એ પણ છે કે તમે રામનો જન્મદિવસનો મેળો અને ઉજવણી જાણો છો, એનો અર્થ તે દિવસોમાં કોઈ નમાઝ અદા કરવામાં આવતી ન હતી.
પછી, 1855 માં, જનમસ્થાનના મહંતોમાંથી એક, તેમણે એક બ્રિટીશને પત્ર લખ્યો કે આ રામ ચબુત્રા જે મારી પાસે છે, તે 21 ફૂટ બાય 17 ફૂટ માપે છે અને તમે જાણો છો, તેના ઉપર કોઈ શેડ નથી. માત્ર ખુલ્લું છે અને ઉનાળામાં, વરસાદની ઋતુમાં અને શિયાળામાં, હું અને મારા સાથી મહંતો, ખૂબ મુશ્કેલીઓ વેઠીએ છીએ , જો એક નાનું મંદિર બનાવવા રજા મંજૂરી મળી શકે તો અમને ન્યાય મળશે કેમ કે જે તે જગ્યાનો હક ભોગવટો અમારી પાસેજ છે , આ કિસ્સામાં, મહંતોની આ અપીલ બ્રિટિશ ન્યાયપાલિકાના ત્રણ સ્તર દ્વારા સાંભળવામાં આવે છે, તે બધા કહે છે કે મહંતોનો ખૂબ જ મજબૂત કેસ છે, ક્ષેત્ર તેની માલિકી હક્ક વાળી છે પરંતુ તેઓ કહે છે કે અમે આ ક્ષેત્રમાં કંઈપણ બાંધકામની મંજૂરી આપી શકતા નથી કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને આપણે યથાવત્ સ્થિતિમાં ખલેલ પહોંચાડી શકીએ નહીં.
હવે, 1885 માં, અમીન કમિશનની સ્થાપના કરવામાં આવી, અને આ પંચે બતાવ્યું કે સીતા રસોઇ, ચબુત્રા, જનમસ્થાન, છપ્પર બધા બાબરી મસ્જિદની બાઉન્ડ્રી વોલમાં હતા, પરંતુ બાઉન્ડ્રી દિવાલની બહાર હિન્દૂ ભક્તો અને યાત્રાળઓ દ્વારા થતી પરિક્રમાને લીધે એક પગ દંડી બની ગઈ હતી આ પરિક્રમા સદીઓથી થતી હતી , તેથી, પરિક્રમા, એટલે કે આ સમગ્ર સંકુલ હિન્દુઓ માટે પવિત્ર ભૂમિ હતું. હવે, 1912 માં, ગાયના કતલના મુદ્દે અયોધ્યા અને ફૈઝાબાદમાં તોફાનો ફાટી નીકળ્યા, તેથી મુખ્ય સચિવ ફૈઝાબાદ, ભારત સરકારના સચિવને પત્રમાં તેઓ લખે છે કે બે સમુદાયો વચ્ચેની અંટસનું એક કારણ બાબર એ અયોધ્યા ખાતે બંધાવેલ મસ્જિદ છે.
1915 માં ફૈઝાબાદની લેફ્ટનન્ટ ગવર્નર, મુલાકાત લે છે અને તેઓ અહેવાલ આપે છે કે, તે અહેવાલ રાષ્ટ્રીય આર્કાઇવ્સમાં છે, તે કહે છે કે બહારના વ્યક્તિ માટે હિંદુઓ ની ભાવનાની ઊંડાઈ સમજવી ખૂબ મુશ્કેલ છે.
1934 માં, શાહજહાંપુરમાં ગૌહત્યાના મુદ્દાને કારણે ફરીથી રમખાણો ફાટી નીકળ્યાં અને આ 1934 ના રમખાણોમાં, બાબરી મસ્જિદને ખુબ નુકશાન થયું હતું અને બ્રિટિશરોએ પોતે ન્યાયિક પગલાલે છે તે બતાવવા માટે હિન્દૂ સમુદાય પર 85,000 નો દંડ લાદ્યો. બાબરી મસ્જિદને થયેલા નુકસાનની કિંમત ચૂકવી હવે, 1943 માં, બાબરી મસ્જિદના અધિક્ષક સુન્ની વકફ બોર્ડને પત્રમાં લખે છે હવે બાબરી મસ્જિદમાં નમાઝ આપવાનું ખૂબ મુશ્કેલ છે અને હકીકતમાં બાબરી મસ્જિદ આપણે ખોલીએ છીએ. તે માત્ર શુક્રવારે જ, શુક્રવારના નમાઝ પહેલા જ સાફ કરવામાં આવે છે. અમે સાદડીને બહારથી લાવીએ છીએ કારણ કે ત્યાં કંઇપણ સલામત નથી અને જ્યારે નમાઝ સમાપ્ત થાય છે ત્યારે અમે તે જગ્યાને તાળુ મારીને ચાલ્યા જઇએ છીએ, તેથી, આ 1943 છે જ્યાં બાબરી મસ્જિદના અધિક્ષક સુન્ની વકફ બોર્ડના પવિત્રને લખે છે અને તે પછી, વકફના નિરીક્ષક, 1948 માં 2 અહેવાલો તૈયાર કર્યા, તે બંને અહેવાલોમાં તે કહે છે કે મુસ્લિમો બાબરી મસ્જિદ જવાથી ડરતા હતા કારણ કે બાબરી મસ્જિદની આસપાસના લોકો પથ્થરો મારે છે, પગરખાં ફેંકી દે છે અને તેમને પજવે છે. તેથી, અઠવાડિયામાં ફક્ત એક નમાઝ મુશ્કેલીથી અદા કરવામાં આવે છે. આ ઉપરાંત એક મજબૂત પુરાવો આપણા ધ્યાન ઉપર લાવવાનું ગમશે . બ્રિટિશરો એક મહેસુલ આવક અહેવાલ તૈયાર કરતા તે સામાન્યરીતે દર 10 -15 વર્ષે જરૂરિયાત પ્રમાણે તૈયાર કરતા જેમાં કેટલી મહેસૂલની આવક થશે ? મહેસુલ ભરવાની જવાબદારી કોની રહેશે વિગેરે અને બાબરી મસ્જિદ મિલકત અંગેનો સૌ પ્રથમ રિપોર્ટ 1861 માં તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના આધારે જોઈએ તો આ જમીનની માલિકી સરકારની હતી અને મહંતને સરકાર હેઠળનાં માલિક / કબ્જેદાર બતાવવામાં આવ્યા હતા અને આશ્ચર્ય જનક વાત એ છે કે કોઈ વ્યક્તિએ સરકારી દફતરમાં રહેલ પેપરમાં છેડછાડ કરી મહંતની સાથે બાબરી મસ્જિદ નું સહ મલિક તરીકે નામ દાખલ કરી દીધું ? આ કેવી રીતે ખબર પડી ? જેને નામ દાખલ કર્યું હતું તેની સાહીનો કલર અને અક્ષરની જાડાઈ માં ફર્ક હતો અને હા ! આજ રેકોર્ડ બીજા સરકારી દફ્તરમાં કોઈ પણ ફેરફાર વગર ઉપલબ્ધ છે ! 1944 માં, યુનાઇટેડ પ્રાંતની સરકારે, યુનાઇટેડ પ્રાંતોમાં બધી મસ્જિદોની યાદી પ્રકાશિત કરી. આ સૂચિમાં ચાર કોલમ હતી. પ્રથમ કોલમમાં આ બિલ્ડિંગના નામની સૂચિ, બીજી કોલમમાં કયા વર્ષમાં નિર્માણ થયું તેની વિગત , ત્રીજી કોલમમાં કોના દ્વારા નિર્માણ થયું તેની વિગત અને છેલ્લી કોલમ વકફની હતી, વકફ એટલેકે તેની સાર સંભાર કે જાળવણી માટે આવકનો સ્ત્રોત , તેથી, હંમેશાં એવું બને છે કે તમે વકફ બનાવો છો, તે મકાન જાળવવા માટે વક્ફની આવકનો ઉપયોગ થઈ શકે છે. બાબરી મસ્જિદના કિસ્સામાં, કોલમ ચાર ખાલી રહી હતી, શાસકનું નામ આપવામાં આવ્યું છે, બાબર, વર્ષ 1528 આપવામાં આવ્યું હતું, પરંતુ વકફ ક્યાં છે, તે આપવામાં આવ્યું નથી, તેથી, અલ્હાબાદ હાઈકોર્ટે બાબરી પક્ષ તરફી પક્ષોને પૂછ્યું કે તમે કેવી રીતે સમજાવી શકો છો કે આ કોલમ ખાલી છે અને બાબરી તરફી પક્ષો આ કોલમ કેમ ખાલી છે તે અંગે કોઈ સમજૂતી આપી શક્યા નથી, તેથી, અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે આ તમારી દલીલમાં મુખ્ય નબળાઇ છે જ્યાં તમે બતાવી શકતા નથી વકફ જે આ બિલ્ડિંગ માટે બનાવવામાં આવ્યો છે, તેથી, ફરીથી આ પ્રશ્નો ઉભા થાય છે કે શું તે ફક્ત મંદિરને તોડી પાડવામાં આવ્યું, મસ્જિદ બનાવી, તે સમયે બાબર દ્વારા બાંધવામાં આવેલ મસ્જિદ થી 1822 જ્યારે અમને પહેલી વાર ખબર પડી ત્યાં સુધી વરચેના સમયમાં શું થયું ? ત્યાં કોઈ પુરાવા નથી, તેથી, આ કેટલીક બાબતો છે જેની આપણી ખરેખર નોંધ લેવાની જરૂર છે
1947માં ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી તુર્તજ લોકોની માંગ ઉઠી હતી કે અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવામાં આવે
22 અને 23 ડિસેમ્બર 1949 :
5 હિન્દૂ સંત સાધુ 1બાબા રાઘાવ દાસ ( પુણે ના ચિત્ત પવન બ્રાહ્મણ અને કોંગ્રેસી પણ હતા.) 2 પરમહંસ રામચંદ્ર દાસ ( 1930થી રામ જન્મભૂમિ આંદોલન ના પુરસ્કર્તા ) 3 અભિરામદાસ ( હનુમાનજીના પ્રખર ભક્ત અને એનેકો વખત હનુમાનજી નો સાક્ષાત્કાર થયો હતો) 4 હનુમાન પ્રસાદ પોદ્દાર ( ગીતા પ્રેસનાં સંસ્થાપક) અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને સંસ્થાપના અંગેની તમામ વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારીના વાહક) 5 મહંત દિગ્વિજયનાથ ( જે તે સમયના ગોરખનાથ પીઠ ના મહંત અને બાપ્પા રાવલ અને રાણા પ્રતાપ ના વંશજ )
સરયૂ નદીમાં સ્નાન કરી પાંચેય સંત માથે ટોપલી મૂકી અને તેમાં રામલલ્લાને મૂકી બાબરી મસ્જિદ તરફ પ્રયાણ આદર્યું . આજે તેઓ એક ખાસ પ્રયોજનને ખાસ અંજામ આપવા નીકળ્યા હતા . તેઓ જગતના નાથને સ્વગૃહે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશને સિદ્ધ કરવા નીકળી પડ્યા હતા તે ત્યાં પહોંચીને તેમનો પેહલો સામનો ઇસ્માઇલ કે જે બાબરી મસ્જિદનો રખેવાળ હતો તેને ધાકધમકી આપી ભગાવી દીધો ત્યાર પછી ગોઠવણ મુજબ શેરશિંહ કે જે રામજન્મ ભૂમિ પર ઇન્ચાર્જ સિપાઈએ દરવાજા ખોલી દીધા અને પાંચે મસ્જિદમાં પ્રવેશ કરી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. 2 ) બરક્ત અલીએ કોર્ટને 22-23 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતુંકે રાત્રે લગભગ 12 વાગે ના સુમારે તેની ડ્યૂટી બાબરી મસ્જિદ પર હતી અને તેનું કામ બાબરી મસ્જિદની નિગરાની કરવાનું હતું. અચાનક રાત્રે 12 નાં સુમારે જોયું કે બાબરી મસ્જિદમાં પ્રકાશનો પુંજ દેખાયો અને જઈને જોયુ તો ચાર પાંચ વર્ષની ઉંમરના સાક્ષાત રામ લલ્લા વાંકડિયા વાળ વાળા બિરાજમાન હતા .પ્રકાશ ચાંદી જેવો સફેદ હતો તે ધીમે ધીમે સોનેરી થઈ ગયો. અને હું આ જોઈ મારી સાન ભાન ઘૂમાવી બેઠો જયારે મને ભાન આવ્યું ત્યારે મેં જોયું કે તાળું તૂટેલું હતું અને રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં બિરાજમાન હતી અને ઘણા લોકો / ભક્તો તેમની સમક્ષ આરતી પૂજા પાઠ કરતા હતા. કરી દીધી હતી અને 3 ) રામ લલ્લાના પ્રાગટ્યની વાત ચોમેર ફેલાતાં લોકો ના ધાડે ધાડા દર્શન કરવા ઉમટી પડ્યા.બીજી તરફ કેન્દ્રીય સરકારે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે બાબરી મસ્જિદમાંથી મૂર્તિ હટાવામાં આવે. રાજ્ય સરકાર હરકતમાં આવી અને તેમને લગતા વળગતા અધિકારીને સૂચના આપી કે રામલલ્લાની મૂર્તિ બાબરી મસ્જિદમાંથી હટાવામાં આવે. 3) ત્યારે ત્યાં સિટી મેજિસ્ટ્રેટ ફૈઝાબાદ ના હોદ્દા પર બિરાજમાન શ્રી ગુરુદત્ત સિંહે જિલ્લા કલેક્ટર શ્રી કે કે નાયર સાથે વાત કરી અને નક્કી કર્યુંકે ભલે કેન્દ્રીય અને રાજ્ય સરકાર દબાણ કરે, રામલલ્લાની મૂર્તિ કોઈપણ સંજોગોમાં હટાવવી નથી. બન્નેએ મળીને નક્કી કર્યુંકે કેન્દ્ર અને રાજ્ય સરકારને અહેવાલ મોકલવો કે જો મૂર્તિ હટાવીશું તો રમખાણ થશે. સ્ટેટ્સ કવોં જાળવી રાખવું અને બન્ને પક્ષને પ્રતિબંધિત કરી દેવા ફક્ત પૂજારી આરતી સેવા પૂજા માટે જય શકે અને જો સરકાર આમ છતાં દબાણ કરે તો રાજીનામુ આપી દેવું. શ્રી કે કે નાયર સાહેબે 27 ડિસેમ્બર 1949ના રોજ મુખ્ય સચિવ ને પત્ર મોકલ્યો અને સ્પષ્ટ જણાવી દીધુકે તેઓ અને કોઈ પણ હિન્દૂ કોંગ્રેસી નેતા મૂર્તિ હટાવવાના પક્ષમાં નથી અને બાબરી મસ્જિદ ને સરકારના તાબા હેઠળ લૈલેવામાં આવે તથા હિન્દૂ અને મુસ્લિમ બંને પક્ષને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે સિવાયકે પૂજારી ! ફક્ત પૂજારી સેવા પૂજા અને ભોગ ધરાવી શકશે અને આમ છતાં સરકાર મૂર્તિ હટાવવા પર કૃતનિશ્ચય છે, તો મારી સરકાર ને વિનંતી છે કે મને સરકાર કાર્યમુક્ત કરે. આખરે સરકારે મૂર્તિ હટાવવાની જીદ પડતી મૂકી. એવું કહેવાય છે કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જે બી પંત સાહેબ પણ નોહતા ઇચ્છતા કે મૂર્તિ ત્યાંથી હટાવાય. 4) 22 ડિસેમ્બરના રોજ પ્રસ્થાપિત થયેલી રામ લલ્લાની મૂર્તિ 6 ડિસેમ્બર 1992 સુધી રહી . શું આપ જાણો છો કે 6 ડિસેમ્બર 1992ના રોજથી મૂર્તિ ગાયબ છે ? આપ જાણોજ છો કે 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ કારસેવકો એ ધ્વંશ કરી દીધી હતી અને ત્યારે કારસેવકોનું એક ગ્રુપ મૂર્તિ લઈને ભાગી ગયું હતું જે આજ સુધી મળી નથી. તો તે મૂર્તિનું શું થયું ? અત્યારે મુકેલી મૂર્તિ ક્યાંથી આવી ? કેવી રીતે આવી ? ઇંતેજાર કરો કલ તક (ક્રમશઃ)
અહીં એક આડ વાત નોંધવી જોઈએ કે અને જયારે બૈરાગીઓએ સમાધાનના ભાગ રૂપે હનુમાનગઢીની બાજુમાં મસ્જિદ બાંધવાની વાજિદ અલી શાહની ઓફર ઠુકરાવી ત્યારે વાજિદ અલી શાહ, અવધના તે સમયના તત્કાલીન નવાબ, કે જેઓએ ધાર્યું હોત તો પોતાના લશ્કરનો ઉપયોગ કરી બાકીના રાજાઓની જેમ બળજબરી કરી શક્યા હોત પરંતુ તેની જગ્યાએ તેમનો અભિગમ લોકતાંત્રિક હતો સહુને સાથે લઈને ચાલવાનો હતો. તેઓ એક કવિ હૃદય માણસ હતા. તેઓ કથક નૃત્યના ચાહક હતા, એટલુંજ નહીં કથક નૃત્યના લખનૌ ઘરાણાનાં તે પુરસ્કૃતા હતા. તેમને આપેલ કથકને આપેલ રાજ્યાશ્રયથી ભારતને કથકનાં શ્રેસ્ટ શાસ્ત્રીય ગુરુ જેવાકે બિન્દાદિનમહારાજ, અચ્છન મહારાજ , લચ્છુ મહારાજ ,શંભુ મહારાજ અને બિરજુ મહારાજ જેવા મહાન ગુરુ પ્રાપ્ય થયા છે. અને કથક નૃત્ય તેમના રાજયાશ્રય હેઠળ લોકપ્રિયતા અને ગૌરવની નવી ઊંચાઈએ પહોંચે છે. વાજિદ અલી શાહને ભારતરત્ન ઓફ લખનૌ કથક પણ કહેવામાં આવે છે. તેઓ ઘણી વખત કૃષ્ણનો રોલ અદા કરી ચુક્યા છે. તેમને કથક ઉપર બે પુસ્તક નજજો અને બન્ની લખ્યા છે. અને તેઓએ લખેલ ઠુમરી આજે પણ એટલીજ લોકપ્રિય છે.
बाबुल मोरा, नैहर छूटो ही जाए बाबुल मोरा, नैहर छूटो ही जाए
चार कहार मिल, मोरी डोलिया सजावें मोरा अपना बेग़ाना छूटो जाए | बाबुल मोरा …
अंगना तो पर्बत भया और देहरी भयी बिदेस जाए बाबुल घर आपनो मैं चली पिया के देस | बाबुल मोरा …
તેમના બીજા પત્ની બેગમ હજરત મહેલે 1857ના ભારતનાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામમાં હિસ્સો લીધો હતો અને ભારત સરકારે તેમના માનમાં બે ( ડાક ટીકીટ ) પોસ્ટલ સ્ટમ્પ્સ બહાર પાડેલ છે.
શું તમે જાણો છો કે 1990 માં ડાબેરી ઇતિહાસકારે રામ અને વાલ્મીકિ રામાયણની કેન્દ્રિયતાને નકારી હતી? તેઓએ કહ્યું હતું કે વાલ્મિકી રામાયણ જે ભારત અને ભારતની બહાર ઉપલબ્ધ કોઈપણ રામાયણ કે જેનો બેઝ વાલ્મિકી રામાયણપર આધારિત છે તે મહત્વપૂર્ણ રામાયણ નથી અને તેમના મતે જૈન અને બૌદ્ધ રામાયણ વધુ અધિકૃત છે.
ભારતના એક ઇતિહાસકાર શ્રી ઈરફાન હબીબે 76મી ભારતીય ઇતિહાસ ના અધ્યક્ષ સ્થાનેથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને સંબોધતા તા 28 ડિસેમ્બર 2015 નારોજ કહ્યું હતું કે “જેમણે રામાયણ અથવા મહાભારત લખ્યાં છે તેઓએ ક્યારેય પોતાનો દાવો કર્યો ન હતો કે તેઓ ઇતિહાસ લખે છે. આ દંતકથાઓ હતી. તેથી, માન્યતાનું ઇતિહાસ તરીકે અર્થઘટન કરવું તે ખતરનાક છે. આમ તેમને રામાયણ સાથે શ્રી રામ પાર પણ પ્રશ્ન ચિન્હ લગાવી દીધું
સંસ્કૃતના વિદ્વાન દ્વારા સંશોધનનાં આધારે તેમના દ્વારા કરવામાં આવેલા દાવાઓને નકારી શકાય છે
સદીઓથી ભારતમાં રામ કથાનું પઠન કરવામાં આવતું હતું. વાલ્મીકીએ કોમન યુગની ઘણી સદીઓ પહેલા રામાયણ લખ્યું છે. વાલ્મીકીએ એવું લખ્યું છે કે રામના પુત્રો દ્વારા પણ તેમના રામાયણનું પઠણ કરવામાં આવ્યું હતું.
શું તમે જાણો છો કે ફક્ત સંસ્કૃતમાં 25 અલગ અલગ રામાયણ પ્રસ્તુતિ છે જ્યારે સ્થાનિક ભાષામાં 300 કરતા વધારે રામાયણો ઉપલબ્ધ છે પરંતુ વાલ્મિકી રામાયણ સૌથી પ્રાચીન અને સૌથી અધિકૃત છે.સૌથી વધુ રસપ્રદ માહિતી એ છે કે અન્ય તમામ સંસ્કરણો વાલ્મિકી રામાયણમાંથી લેવામાં આવ્યા છે . ખૂદ મહાન અકબરે ઇસ 1580માં વાલ્મિકી રામાયણનું ફારસી ભાષામાં અનુવાદ ‘અકબરની રામાયણ’ ના નામથી કરાવ્યો હતો { અનુવાદક : તેના Ā’ન-એ-અકબરīમાં, અબ અલ-ફૈલ ઇબન મુબારક નામના સહ-અનુવાદકોના નામ ત્રણ માણસો છે: નકબ હન (અદાલતનો ઇતિહાસકાર), સુલતાન થયનસારિ (એક રાજકીય વહીવટકર્તા) અને બદદીની (એક સેક્રેટરી અને પ્રખ્યાત અનુવાદક).}
એક સંસ્કૃત વિદ્વાન વી એસ સુકતાનકર છે જેમણે મહાભારતની આવૃત્તિની મુલવણી કરી સંકલન કર્યું છે. તેમના મત અનુસાર મહાભારત કાળમાં પણ રામાયણ નું પઠન થતું હતું.
બીજી સદીમાં બૌદ્ધ સાધુ કુમાર લતા એ નોંધ્યું છે કે ત્યારે પણ રામાયણ નું પઠન થતું હતું.
૧૮૯૯ શ્રી આર સી દત્ત રામાયણનો ઇંગલિશ અનુવાદ કરતી વખતે લખ્યું છે કે રામાયણ એ હિંદુ આસ્થા નું સમૃધ્ધ પ્રતીક છે. રામાયણ એ ભારતના લોકોના હૃદયમાં ધબકે છે એટલુંજ નહિ પરંતુ લોકોને અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. શ્રી સી. રાજાગોપાલાચારી એ પણ રામાયણનો ઇંગલિશ અનુવાદ કર્યો હતો અને ફક્ત 6 મહિનામાં બે આવૃત્તિ બહાર પડી હતી તેમને આમુખ માં નોંધ્યું છે કે રામાયણ ના પાત્રો જેવાકે રામ લક્ષ્મણ, સીતા, ભરત ,હનુમાન અને કુમ્ભકર્ણને સમજ્યા વગર હિન્દૂ ધર્મને સમજી શકો નહિ. દરેક યુવાને રામાયણ અને મહાભારત અવશ્ય વાંચવું જોઈએ કેમકે તેમાં એક પણ પાનું એવું નથી કે જે તમને આદર્શ જીવન માટે બોધ પૂરો પાડતું ના હોય. તેમણે કહ્યું કે રામાયણ એ મન અને આપણા પૂર્વજોની ભાવનાનો રેકોર્ડ છે, જેમણે આનંદની તુલનામાં હંમેશાં સારાની સંભાળ રાખી. શ્રી ઓરબીંદો જણાવ્યું હતું કે, વાલ્મિકીનું કાર્ય ભારતના સાંસ્કૃતિક માનસને ingાળવા માટે અગમ્ય એજન્ટ રહ્યું છે. મહાત્મા ગાંધી, આપણે બધા જાણીએ છીએ, મહાત્મા ગાંધી માટે, સ્વરાજ એટલે રામ રાજ.
આપણે જાણી ને આશ્ચર્ય થશે ઇસ. પૂર્વે બીજી સદીમાં પણ રામાયણના પ્રસંગોને ટેરાકોટા પર અંકિત કરવામાં આવતા હતા. પુરાતત્વીય ઉત્ખન્નમાં મળેલ એક ટેરા કોટા પર રામાયણનું એક ચિત્ર અંકિત છે કે જેમાં રાવણ સીતાજીને ઉપાડી જાય છે અને સીતાજી પોતાના આભૂષણો નીચે ફેંકે છે. આપ સમજી શકો છો કે જો રામાયણ પ્રસિદ્ધ ના હોય, તો તે સમય માં તો સીતાજીનો ટેરાકોટા પર આંકન સંભવિજના શકે ! એટલુંજ નહિ ઇસ બીજી ત્રીજી સદીમાં કાશ્મીર માંથી મળેલ એક મહોર પર બ્રાહ્મી લિપિમાં રામ સિયા લખેલ છે. બીજો સૌથી મહત્વ નો પુરાવો કે જે ટેરાકોટા પર રામનું ધનુષ બાણ સાથે નું ચિત્ર અંકિત થયેલ છે અને નીચે રામ લખેલ પણ છે કે જે આજે અમેરિકાના મ્યુઝિયમમાં સચવાઈને પડેલ છે. ઉપરના પુરાવા સિદ્ધ કરે છે કે શ્રી રામ, ઈશુક્રિસ્ટ પૂર્વેની સદીઓથી ભારત વર્ષમાં પ્રસિધ્ધ હતા. ઇસ બારમી સદીમાં ત્રણ ભવ્યાતિભવ્ય મંદિર ફક્ત અને ફક્ત શ્રી રામનાં જ બનાવવામાં આવ્યા હતા.
એક મંદિર અયોધ્યામાં બનાવવામાં આવ્યું હતું.
બીજું મંદિર હાલના મધ્યપ્રદેશના રાજીમ ડિસ્ટ્રિક્ટમાં
ત્રીજું મંદિર પણ હાલના મધ્યપ્રદેશનાં કલચુરીસ ઓફ ત્રિપુરીઓના સામંત દ્વારા 12 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.
રામને સમર્પિત આ ત્રણેય મંદિરોમાં તેમના પર શિલાલેખો હતા. અયોધ્યા શિલાલેખો હું પછી ચર્ચા કરીશ, રાયપુર મંદિર અને મલય સિંહે બનાવેલા બીજા મંદિરમાં શિલાલેખો હજી પણ છે પરંતુ ડાબેરી ઇતિહાસકારો દ્વારા કોઈ ચર્ચામાં આ બંને શિલાલેખોનો ઉલ્લેખ નથી, કેમ? કારણ કે તેઓ કહે છે કે રામની ઉપાસના ફક્ત 18 મી અને 19 મી સદીની ઘટના છે, તેથી, દરેક પુરાવાઓ જે તેમના મંતવ્યનો વિરોધ કરે છે, તેઓ અવગણે છે, તેથી, મેં રામાયણની થીમનો પ્રારંભિક નિરૂપણ, ખ્રિસ્ત પહેલાની બીજી સદી અને 12 મી સદીમાં ત્રણ મંદિરોનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં તેમના શિલાલેખો સાથે.
હવે, હું સીધા અયોધ્યાના મંદિરે આવીશ. આપણે બધા જાણીએ છીએ કે બાબર દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો, આ એકમાત્ર મંદિર નહોતું, બાબર ભારતમાં બાંધેલી આ એકમાત્ર મસ્જિદ નહોતી. બાબરે ભારતમાં ત્રણ મસ્જિદો બનાવી અને તે ત્રણેય મસ્જિદોનું સ્થાન ખૂબ નોંધપાત્ર હતું. તેમણે બનાવેલી પહેલી મસ્જિદ પાણીપતમાં હતી. તેણે પાણીપતમાં કેમ બાંધ્યું? કારણ કે તે સ્થળ હતું કે જેણે લોધી રાજવંશ પર તેની જીત નોંધાવી હતી અને તેમને ઉત્તર ભારતના મોટા ભાગનો મુખ્ય બનાવ્યો હતો. તેથી, પાણીપત ખાતેની મસ્જિદ, તે હજી ત્યાં છે. તેમણે બનાવેલી બીજી મસ્જિદ સંભાલ ખાતે હતી. હવે સંભાલમાં કેમ? ત્યાં સંભલ ખાતે પહેલેથી જ એક મંદિર હતું અને સંભલ, હિન્દુ પરંપરા મુજબ વિષ્ણુનો અંતિમ અવતાર, કલ્કી અવતાર જન્મ લેશે તે સ્થળ છે. તેથી, હિન્દુઓ માને છે કે કલ્કી અવતાર સંભલ નામના સ્થળે જન્મે છે અને સંભલમાં એક મંદિર હતું. બાબરે તેના સેનાપતિને તે મંદિરનો નાશ કરવાનો આદેશ આપ્યો અને ત્યાં, તેના આદેશ પર મસ્જિદ બનાવવામાં આવી. મસ્જિદ પરના શિલાલેખો સ્પષ્ટ કહે છે કે તે બાબરના હુકમ પર બનાવવામાં આવ્યું હતું અને મંદિરના ટુકડાઓ મસ્જિદના સ્થળે મળી શકે છે. હવે, મુદ્દો એ છે કે બાબરે તે ઉલ્લેખ કર્યો નથી કે તેણે આ મંદિરનો નાશ કર્યો હતો, તેથી, જો તે અયોધ્યા મંદિરનો ઉલ્લેખ ન કરે તો તેનો કોઈ અર્થ નથી, કારણ કે તે સંભાલ ખાતેના મંદિરનો ઉલ્લેખ નથી કરતો અને મસ્જિદની રચના પછી તેમણે સંભલની મુલાકાત લીધી હતી, પરંતુ તો પણ તેમની આત્મકથા અથવા બાબરનામામાં તેઓ તેનો ઉલ્લેખ કરતા નથી અને તે ખૂબ જ રસપ્રદ છે કે અકબરના સત્તાવાર ઇતિહાસકાર અબુલ ફઝલ. તેઓ લખે છે કે સંભલ હિન્દુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ હતું પરંતુ તે બાબતનો ઉલ્લેખ કરતા નથી કે બાબર દ્વારા મંદિરનો નાશ કરાયો હતો. સમાનતા, અબુલ ફઝલ લખે છે કે સોમનાથ હિન્દુઓ માટે ખૂબ જ પ્રિય સ્થળ હતું પરંતુ તેઓ ઉલ્લેખ કરતા નથી કે સોમનાથ મંદિર પણ તુર્કો દ્વારા નાશ પામ્યું હતું. તો, આ ત્રણ મસ્જિદો છે જે બાબરે બનાવેલી હતી. રાજા ગોવિંદચંદ્ર 12 મી સદીમાં ‘સાકેત મંડલા’ના શાસક હતા અને આ સમયગાળા દરમિયાન’ વિષ્ણુ હરિ’નું એક વિશાળ મંદિર અસ્તિત્વમાં હતું તે બતાવવાના ઐતિહાસિક પૂરાવા છે
હવે, આપણી પાસે કેવા પુરાવા છે, અયોધ્યામાં મંદિર નષ્ટ થયું હોવાના, સાહિત્યિક પુરાવા છે, ત્યાં મોટી સંખ્યામાં ઇતિહાસ છે જે 18 મી અને 19 મી સદીમાં લખાયેલા હતા. અરબી, ફારસી અને છેલ્લે ઉર્દૂમાં, આમાંથી એક પણ ઇતિહાસકાર કહેતો નથી કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી હતી. 18 મી અને 19 મી સદીમાં લખેલી બધી ફારસી, અરબી, ઉર્દૂ ઇતિહાસ સ્પષ્ટપણે કહે છે કે બાબરે રામ મંદિરના વિનાશનો આદેશ આપ્યો અને પછી તે જગ્યામાં બનાવવાનો આદેશ આપ્યો, એક પણ પુસ્તક એવું કહેતું નથી. હું અરબી, ફારસી અને ઉર્દૂ સ્ત્રોતો વિશે વાત કરું છું અને ઘણા વિદ્વાનોએ આ સ્રોતની સૂચિબદ્ધ કરી છે. એક ખાસ પુસ્તક છે જેનો હું સંદર્ભ લેવા માંગુ છું, તેને તારિ-એ-અવધિ કહેવામાં આવે છે, તે 1869 માં લખાયું હતું, પરંતુ લગભગ 100 વર્ષ પછી, 1969 માં પ્રકાશિત થયું. જે વ્યક્તિએ આ પુસ્તક લખ્યું તે ખુદ ગવાહ હતો , તે અવધના છેલ્લા નવાબના શાસનકાળમાં રહેતો હતો અને ત્યાં થયેલા અનેક વિકાસની નજર સાક્ષી હતો અને તે લખે છે કે તમે જાણો છો, હવે હિન્દુઓએ લાંચ આપવાનું શરૂ કર્યું છે બાબરી મસ્જિદના પ્રભારી લોકો અને મસ્જિદની અંદર પૂજા કરવાનું પણ શરૂ કરી દીધું છે, તેથી, આપણી પાસેના બધા પુરાવા, અરબી, પર્સિયનના સાહિત્યિક અહેવાલો અને અરબી, ફારસી અને ઉર્દૂમાં લખાયેલા કહે છે કે તે મંદિર હતું જેનો નાશ થયો હતો અને તેના પર મસ્જિદ બનાવવામાં આવી હતી અને આ છેલ્લા ખાસ લખાણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હિન્દુઓ અધિકારીઓ, સરકારી અધિકારીઓ, મુસ્લિમ સરકારી અધિકારીઓને લાંચ આપે છે અને હવે તેણે બાબરી મસ્જિદમાં પણ પૂજા શરૂ કરી દીધી છે. તો પછી ફારસીમાં આપણો અન્ય સંદર્ભો શું છે, આપણી પાસે અકબરના સત્તાવાર ઇતિહાસકાર અબુલ ફઝલ છે. તેઓ કહે છે કે અયોધ્યા ખૂબ પવિત્ર ભૂમિ છે કારણ કે ભગવાન રામનો જન્મ ત્યાં થયો હતો અને રામ નવમી ના દિવસે ઘણા બધા લોકો અયોધ્યામાં તેમની જન્મજયંતિ નિમિતે દર્શન કરવા જાય છે, તેથી, આ પર્શિયનમાં લખાયેલું બીજું સ્ત્રોત છે. એક વધુ રસપ્રદ પુરાવા છે, 1600 માં, અકબરે કેટલાક બાંધકામ કામ માટે હનુમાન ટીલાને 6 બીઘા જમીન આપી હતી. સો વર્ષ પછી અકબરની ગ્રાન્ટનું નવીકરણ કરવું પડ્યું, તેથી, 1723 માં, બધા દસ્તાવેજો તપાસ્યા અને તે સમયે મોગલ શાસકે કહ્યું કે ગ્રાંટનું નવીકરણ કરવું જોઈએ, તેથી, લેખકનો અર્થ એ છે કે કોઈએ નવીકરણ લખવું પડશે અનુદાન, તેથી, તે લેખક કહે છે કે આ અનુદાન જે અકબર દ્વારા 1600 માં આપવામાં આવ્યું હતું તે હવે 1723 માં નવીકરણ કરવામાં આવી રહ્યું છે અને હું, લેખક, હું આ રામની જન્મભૂમિ પાસેથી લખી રહ્યો છું, તેથી, આ લેખક જે પર્સિયનમાં લખે છે 1723 માં એમ પણ કહે છે કે હું આ રામની જન્મભૂમિ પરથી લખી રહ્યો છું, તેથી, હું અત્યાર સુધી જે કહ્યું છે તે એ છે કે અરબી, ફારસી અથવા ઉર્દૂમાં કોઈ કામ એવું નથી કહેતું કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી હતી અને આપણી પાસે અબુલ ફઝલ જેવા પર્સિયન અધિકારીઓ છે અને લેખકે કહ્યું કે અયોધ્યા પવિત્ર છે કારણ કે તે રામનું જન્મસ્થળ છે તેથી તે સ્વીકારવામાં આવી રહ્યું છે (ક્રમશઃ – વધુ નવા લેખમાં)