શું ખરેખર ભારત “સોનાની ચીડિયા” હતી? તમે વિશ્વના સૌથી શ્રીમંત દેશ હતા તેવો દાવો તમે કેવી રીતે કરી શકો? ભાગ 1

મહાન ભારતનો ગૌરવવંતો અદભુત ઇતિહાસ ના એક એક પર્ત જેમ જેમ ખુલતી જાય છે તેમ તેમ આપણા મ્હોંમાંથી અદભુત અદભુત શબ્દો નીકળતા જાય ! અને આ આપણને ક્યાંથી ખબર પડે છે ? ખબર છે ? રોમન, મધ્યપૂર્વનાં અને પર્શિયન લેખકોનાં પુસ્તકો દ્વારા ! બહુ ઓછા દેશ એવા હશે જ્યાં જે તે દેશના વતનીથી સાચો ઇતિહાસ છુપાવામાં આવે ! પરંતુ આ તદ્દન સત્ય હકીકત છે ! શું આની પાછળ સ્વતંત્ર ભારતનાં શિક્ષણ પ્રધાનો જવાબદાર હશે ? કારણકે ઇતિહાસ છુપાવવાની જરૂરતોજ પડે જો શરમ જનક હોય પણ ભવ્યાતિ ભવ્ય ઇતિહાસને દબાવવા છુપાવવાની જરૂરત કેમ પડી ? કોના હિતમાં ભારતનો ભવ્ય ભૂતકાળ ભારતનાં લોકોથી છુપાવવામાં આવ્યો ? ભારત સોને કી ચીડિયા હતી એ ફક્ત કવિઓની કવિતા સિવાય કેમ ક્યાંય આપણને ભણવામાં નથી આવ્યું ?

ભારત ‘સોનેકી ચીડિયા’ તરીકે ઓળખાતું હતું અને એ ખરેખર હતુજ એવું મારા સતત અભ્યાસ પછી દાવા સાથે કહી શકું !શું આપ જાણો છો કે ભારતમાં સોનાની ખાણમાંથી કેટલું સોનુ પ્રાપ્ત થયું છે ? 1000 ટન સોનુ ભારતની કર્ણાટકમાં આવેલી કોલાર ગોલ્ડ ફિલ્ડની ખાણોમાંથી મળ્યું છે. શું આપને ખબર છે કે ભારતમાં ,હાલમાં ,સ્ત્રીઓ પાસે કેટલું સોનુ છે? અંદાજે 21000 થી 31000 ટન સોનુ ભારતની સ્ત્રીઓ પાસે છે !! વિશ્વનું 18% સોનુ ભારત પાસે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના મેનેજીંગ ડિરેક્ટરનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સ્ત્રીઓ પાસે ,અમેરકૅન ટ્રેઝરીથી બે ઘણું સોનુ છે! હવે પ્રશ્ન એ થાય કે ભારતે કોઈ દેશ પાયે આક્રમણ કરી સોનુ લુંટ્યું નથી તો આ સોનુ આવ્યું ક્યાંથી ? 30000 ટન સોનુ ભારતમાં વેપાર માંર્ગે પ્રવેશું છે. ભારત છેક પહેલી સદીથી રોમન સામ્રાજ્ય સાથે વ્યાપાર કરતુ હતું.રોમન સેનેટરોએ ફરિયાદ કરી હતી કે તેમની મહિલાઓએ ભારતીય મસાલા અને વૈભવી વસ્તુઓનો ઉપયોગ પાછળ રોમન સામ્રાજ્યને સોના જેવી કિંમતી ધાતુ ઘુમાવવી પડેછે. CE 77 સી.ઇ. માં, પ્લેની ધ એલ્ડર, ભારતને “વિશ્વના સોનાનો ગટર ” કહેતા હતા. 16 મી સદીમાં, પોર્ટુગલે વિરોધ કર્યો હતો કે દક્ષિણ અમેરિકાથી તેને મુશ્કેલીથી જીતવામાં આવેલું રજત ભારતમાં ખોવાઈ રહ્યું છે. બ્રિટિશ સંસદ 17 મી સદીમાં આ વિલાપકર્યો હતો. અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીયોને અંગ્રેજી ચીજોમાં રસ લેવાની વિનંતી કરી હતી. સ્ટ્રેબો, ગ્રીક ભૂગોળવેત્તા એ નોંધ્યું છે કે “જ્યારે સી. કોર્નેલિયસ ગેલસ ઇજિપ્તનો મુખ્ય અધિકારી (પ્રીફેક્ટ) હતો, ત્યારે હું તેની સાથે ગયો હતો અને નાઇલ પર છેક સિનો અને ઇથોપિયાના સીમાઓ સુધી પહોંચ્યા હતા, અને ત્યારે મેં જોયું હતું કે માયોસ હોર્મોસથી ભારતમાં લગભગ 120 જેટલા રોમન જહાજો ભારતમાં વ્યાપારિક કારણોસર અવર જવર કરતા હતાં”. ભારતમાંથી મોટા ભાગે , કાપડ, વૂડ્સ સ્ટીલ , મરી મસાલા ( ખાસ કરીને બ્લેક પેપેર), તેજાના, હીરા, મોતી, ઝવેરાત, કિંમતી રત્નો, હાથી દાંત અને તેની બનાવટો, કાચબાની ખાલ, સિંહ અને દીપડાની નિકાસ થતી હતી જયારે રોમન સામ્રાજ્યમાંથી ભારતમાં સોનુ, ચાંદી, ઉચ્ચ કક્ષાનો વાઈન, ગોરી સ્ત્રીઓ ( રાજાને ભેટ આપવા માટે ) અને કાચનાં વાસણો તથા રમકડાંની આયાત થતી હતી. ભારતમાંથી નિકાસ થતાં મરી (પેપર) ના સંગ્રહ માટે રોમમાં હૉરરયા પીપરેટરિયા નામનું સંગ્રહસ્થાન ( વખાર) બનાવવામાં આવ્યું હતું જેમાં 5000 ટન જેટલા મરીનો સંગ્રહ કરી શકાતો હતો અને જાણો છો તેટલા મરી માટે કેટલું સોનુ ભારતને આપવું પડતું હતું ? 15 ટન સોનુ ભારતને આપવું પડતું હતું. આપ જાણૉ છો કે ભારતમાં સોનાની થતી નિકાસથી રોમન સામ્રાજ્ય પાસે સિક્કા ( નાણું ) છાપવાં માટે સોનાની ઘટ પડવા માંડી હતી અને ત્યારની સંસદમાં આના ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને ભારતથી આયાત થતી બધી વસ્તુઓ પર 25% (ટટારટી) કસ્ટમ ડ્યૂટી લાદવામાં આવી હતી.અને આનાથી રોમન સામ્રાજ્યની કુલ આવકમાં લગભગ 25% હિસ્સો ભારતમાંથી થતી આયાત ઉપર લગાવેલ આયાત કરમાંથી મળતો હતો. ફ્રેન્ચ ટ્રાવેલર કે જે ભારતમાં તે સમય ઘણા મહિનાઓ સુધી ભારતમાં રોકાયો હતો તેને નોંધ્યું છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં સોના ચાંદી ની લે વેચ થઇ હોય પણ આખરે તે ઘૂમી ફરીને ભારતમાં પ્રવેશે છે. હવે હું માનું છું કે આપના મનમાં પ્રશ્ન ઉઠાવો સ્વાભાવિક છે કે ભારતનો રોમન સામ્રાજ્ય સાથે વેપાર ક્યારથી અને કઈ રીતે થતો હતો. જોકે ત્યારે ચોક્કસ પ્રશ્ન ઉપસ્થિત થાયકે તો પછી શું શયું મારા, તમારા અને આપણા ભારતને ? કોની નજર લાગી ગઈ ?  1947માં, જયારે ભારત આઝાદ થયો ત્યારે ભારતનો વિશ્વની જી  ડી પી માં  ફાળો માત્રને માત્ર 3% હતો.  સરેરાશ ભારતીયનું આયુષ્ય 27 વર્ષ હતું. 17% લોકો શિક્ષિત હતા એટલેકે 83 % અભણ હતા. 90% વસ્તી ગરીબી રેખા હેઠળ હતી. આવું કેમ ? એક વખત સોને કી ચીડિયા કહેવાતું ભારત આ હદે પાયમાલ કેવી રીતે થઇ ગયું ? કોણ જવાબદાર હતું ? અંગ્રેજો ? મધ્ય પૂર્વથી આવેલા આક્રાંતાઓ ? ભારતની સમાજ રચના ? તત્કાલીન ભારતના હિન્દૂ રાજાઓ? ભારતની વર્ણ વ્યવસ્થા ? ભારતની શિક્ષણ પધ્ધતિ ? કોણ જવાબદાર ? કોઈ એક ? બે કે બધાજ ? આવો આપણે ભારતના ભવ્ય ભૂતકાળને ખંગોળિએ અને શોધવા પ્રયત્ન કરીયે કે સાચી હકીકત શું હતી ? 

જયારે બ્રિટિશરો ભારતમાં પ્રવેશ્યા ત્યારે અથવા તો ત્યાર પહેલા ભારતની પરિસ્થિતિ કેવી હતી ?

  1. 1700માં ભારતનો વિશ્વ જીડીપીમાં હિસ્સો 27 % હતો 
  2. 1800માં  ભારતનો વિશ્વ જીડીપીમાં હિસ્સો 23 % હતો 
  3. જયારે બ્રિટિશ ઇન્ડિયામાં પ્રવેશ્યાં ત્યારે, ઔરંગઝેબ , તત્કાલીન ભારતીય મોગલ રાજાની આવક આખાય  યુરોપના રાજાઓની આવકથી વધારે હતી.
  4. જયારે રોમન સામ્રાજ્યના સમયમાં રોમન એમ્પાયર ભારતીય મસલીન, લીનન , ફાઈન કોટન વિગેરેનું વિશાળ પાયે  આયાત કરતુ હતું અને એક વખત તેના સેનેટમાં ચર્ચા થઇ હતીકે સ્ત્રીઓના કપડાં માટે આપણે ઘણું રોમન ગોલ્ડ ભારતને આપી દેવું પડે છે; જે બતાવે છે કે ભારતીય કાપડની વિશ્વમાં કેવી માંગ હતી. એટલુંજ નહિ 17મી અને 18મી સદીમાં  ઈંગ્લેન્ડમાં , બ્રિટિશ દુકાનદારો યુરોપીઅ કાપડને હિન્દુસ્તાનનું કાપડ કહીને વેંચતા હતા કેમ કે ભારતીય કાપડની માંગ ખુબજ રહેતી। 
  5. વહાણવટના વ્યવસાયમાં, શિપ બિલ્ડીંગ બિઝનેસમાં પણ ભારતીયોની મોનોપોલી હતી. યુરોપીઅન વહાણો  માંડ  5-7 વર્ષ  મધ્ય દરિયે ચાલતા જયારે તેની સામે ભારતીય સાગમાંથી બનેલા ભારતીય વહાણો 20-25 વર્ષ ચાલતા! આથી શરૂઆતમાંતો બ્રિટિશરો ખુશ થઇ ગયા અને તેમને ભારતમાં વહાણો બનાવડાવાનું ચાલુ કર્યું !
  6. 1830માં ભારતના બિહાર અને બંગાળમાં 100000 ( 1 લાખ )ગ્રામ્ય શાળાઓ હતી . મોટા ભાગની શાળાઓમાં શુદ્રો બહુમતીમાં હતા જયારે બ્રાહ્મણ અને વૈશ્ય લઘુમતીમાં હતા. તમિલ બોલતા સાલેમ વિસ્તારમાં 70 %શુદ્રો હતા અને તિરુનેલવેલી વિસ્તારમાં 84% શુદ્રો હતા.મલયાલી બોલતા માલાબાર વિસ્તારમાં 20% બ્રાહ્મણો હતા, 27% મુસ્લિમ હતા અને 54% શુદ્રો હતા.આ શાળાઓમાં બોલતા, લખતા અને વાંચતા શીખવાડવામાં આવતું. આ ઉપરાંત અંક ગણિત અને રામાયણ અને મહાભારત જેવા મહા કાવ્યો વિષે પણ ભણાવવામાં આવતું! આ માત્ર એકજ પ્રકારે શિક્ષણ નહોતું અપાતું આ ઉપરાંત કલા કારીગરી, હસ્તકલા અને ખેતી વિષયક  જ્ઞાન નિષ્ણતો દ્વારા શિખાઉ કે તાલીમી ઉમેદવારને પ્રાયોગિક સાથે વ્યવહારિક જ્ઞાન આપવામાં આવતું આ ઉપરાંત ભારતમાં પેઢી દર પેઢી ધંધા વ્યસાય ચાલતા જેથી ત્યાં પણ વ્યવસાયિક જ્ઞાન મળતું હતું.( આ આંકડા બ્રિટિશરો દ્વારા ઇંગલિશ એજ્યુકેશન સિસ્ટમ દાખલ કરતા પહેલા કરેલ સર્વે રિપોર્ટ ને આધારે લીધા છે )
India Was The Richest Country before British Raj
Top 15 Countries By GDP 1600-2019
Most Populated Countries from 10000 BCE to 2100 AD
Top 15 Countries Military Spending 1830 -2019
List of countries who have largest Military between 1816 2019

ભારતની વિશિષ્ટ શોધો કે જેની વિદેશોમાં ભરપૂર માંગ હતી 

  1. પ્રાચીન ભારતમાં હજારો વર્ષોથી સ્ટીલ (લોહ) એ પ્રાથમિક નિકાસ ઉત્પાદનોમાંનું એક હતું?  વુત્ઝ, ઉક્કુ, હિંદવી સ્ટીલ, હિન્દુવાની સ્ટીલ, ટેલિંગ સ્ટીલ અને સેરિક આયર્ન – આ સ્ટીલ એલોયના જુદા જુદા નામો હતા જે ભારતના દક્ષિણ ભાગોમાંથી નિકાસ કરવામાં આવતા હતા. 
  2. ઇસ 320 થી 550ની વચ્ચે ગુપ્તા શાસનકાળ  દરમ્યાન શેરડીમાંથી સ્ફટિકમય સાકાર બનાવવાની પધ્ધતિ વિકસાવવામાં આવી હતી. ઇ.સ. પૂર્વે 510માં ત્યારના પર્સિયાના સમ્રાટ ડારિયસે ભારત પર આક્રમણ કર્યું જ્યાં તેને “મધમાખીઓ વિના મધ આપે છે તેવું રાડું મળી આવ્યું.” તેમ નોંધ્યું હતું.
  3. સૌ પ્રથમ વખત કાશ્મીરી બકરીની ઉન નો ઉપયોગ કરીને હાથ વણાટની પશ્મિના શાલનો ઉલ્લેખ લગભગ 3સદી પૂર્વેથી લગભગ ઇસ.1100 વચ્ચે શાસ્ત્રો માં ઉલ્લેખ મળે છે.
  4. ઈન્ડિગો ડાઇ ( ગળી- વાદળી રંગનું દ્રવ્ય )ની વ્યવસાયિક ખેતી સૌપ્રથમ ભારતમાં કરવામાં આવી હતી.ભારતમાં વર્ષોથી આનો ઉપયોગ કાપડને રંગવામાં થતો હતો ત્યાર બાદ તેનો ઉપયોગ રોમન અને ગ્રીકો પણ કરવા લાગ્યા હતા.. બ્રિટિશરો ભારતમાં આની વિશેષ ખેતી કરાવી તેની ઉપજ વિદેશોમાં માતબર નફો રળી વેંચતા હતા. 
  5. સિંધુ ખીણમાં આશરે 5000 વર્ષ પહેલા કપાસની ખેતી થતી હતી 
  6. પ્રાચીન કાલથી શણ (jute )ની ખેતી ભારતમાં થતી હતી. બંગાળ પ્રદેશ શણની ખેતીનું મુખ્ય કેન્દ્ર હતું।
  7. ફ્લશ વાળા શૌચાલયના  ઉપયોગના પુરાવા મોહેંજો દરોમાં વ્યાપક પ્રમાણે જોવા મળે છે.
  8. વૂડ્ઝ સ્ટીલ : ભારત આ ક્ષેત્રમાં એક મુખ્ય નવીનતા ધરાવતું હતું, જેમાં બે અત્યંત અદ્યતન પ્રકારના લોખંડનું ઉત્પાદન થયું હતું. લગભગ 300 બીસીઇથી દક્ષિણ ભારતમાં ઉત્પન્ન કરાયેલ પ્રથમ, વૂટઝ સ્ટીલનું નિયંત્રણ, કંટ્રોલની પરિસ્થિતિમાં લોખંડને કાર્બર્જિત કરવામાં આવ્યું હતું. ડેક્કનથી સીરિયા સુધી નિકાસ કરવામાં આવે છે,  આ સ્ટીલનો ઉપયોગ ત્યાં તીક્ષ્ણતા અને કઠોરતા માટે પ્રખ્યાત ‘દમાસ્કસ તલવારો’ તરીકે બનાવવામાં થતો  હતી. આ ભારતીય સ્ટીલને ‘ઓરિએન્ટની અજાયબી સામગ્રી’ કહેવાતું..
  9. ડાયમંડ માઇનિંગ : ભારતમાં પ્રથમ વખત હીરાની પરખ કરવામાં આવી હતી અને ગોદાવરી અને કાવેરી નદી ની આસપાસની જગ્યાએ તેનું ખાણ કામ વ્યવસ્થિત શરુ કરવામાં આવ્યું હતું। ચોક્કસ સમય કહેવો મુશ્કેલ છે પણ હીરા,આશરે 5000 વર્ષ પેહલા મળ્યા હોવાનો અંદાઝ છે. 18મી સદીમાં પહેલી વખત બ્રાઝિલમાંથી હીરા મળ્યા ત્યાં સુધી ભારત એક માત્ર હીરા મેળવવાનો સ્ત્રોત હતો.
  10. ઝીંક માઇનિંગ : ઝીંક ઓર ને ઓગાળીને ઝીંક ધાતુ તૈયાર કરવામાં આવી હતી. ઝીંક ઓર ઉદયપુર રાજસ્થાન પાસેની ખાણો ઇસ પહેલી સદીમાં સક્રિય હતી. ચરક સહિંતામાં ( આશરે 300 ઇસ પૂર્વે ) ઝિંકનો ઉલ્લેખ જોવા મળે છે. પાંચીમી સદીથી 13મી સદીમા રસરતન સમુચ્ય્યામાં બે પ્રકારની ઝીંક ઓરનો ઉલ્લેખ જેમાં મળેછે। એક ધાતુ તરીકે ઉપયોગ થઇ શકે તેવી અને બીજી કે જે દવામાં ઉપયોગ થઇ શકે તેવી।

ભારતવર્ષ ત્યારે દરેક મોરચે વિશ્વમાં આગળ હતું આપ નામ લો અને ત્યાં તમને ભારવર્ષના પગરવ સંભળાશે આયુર્વિદ્યા , શાસ્ત્ર વિદ્યા , અંકગણિત, બીજ ગણિત, ભૂમિતિ, અર્થશાસ્ત્ર, રાજ શાસ્ત્ર , તબીબી શાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, દાંત ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વિગેરે શાસ્ત્રોમાં ભારતવર્ષમાં આવેલી વિદ્યાપીઠોમાંથી અભ્યાસ શક્ય હતો અને તેમની નામના વિશ્વભરમાં ફેલાયેલી હતી. ઈચ્છુકો ચીન, દૂર પૂર્વના દેશો અને મધ્ય એશિયાના દેશોમાંથી જ્ઞાનપિપાસુ,  શિક્ષણ મેળવવા ભારતનું આકર્ષણ રહેતું અને અસંખ્ય મુશ્કેલીઓ વેઠીને ભારત તરફ પ્રયાણ કરતા ? તો પ્રશ્ન થાય કે ભારતમાં શિક્ષણ પ્રથા કેવી હતી ? કઈ રીતે આટલી સુદ્રડ બની અને વટવૃક્ષ સમાન ફેલાઈ ? એટલુંજ નહિ આ જ્ઞાન ભંડારોનો વ્યવહારિક અને વ્યવસાયિક ઉપયોગ કરીને ભારતને શ્રેસ્ટ દેશોની હરોળમાં સૌથી ઉપર રાખી દીધુ હતું। ફ હાઈન,  ચાઇનીસ ભિક્ષુક લખે છે કે જયારે તેને પાટલીપુત્રમાં અશોકનો મહેલ જોયો તો લાગ્યુંકે આવો મહેલ કોઈ માનવીઓંતો ના જ બનાવી શકે ચોક્કસ દેવતાઓએ બનાવ્યો હશે ! આ વાસ્તુકલા ક્યાંથી આવી ? આવા અનેક પ્રશ્નોના મૂળમાં છે આપણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા. બ્રિટિશરોની આધુનિક શિક્ષણ વ્યવસ્થાએ આપણને 88% ભણેલામાંથી 87% અભણમાં ફેરવી દીધા !   

Art & Photos - Vidyaramba Samskara
અક્ષરાભ્યાસમ  

પ્રાચીન ભારતની શિક્ષણ પ્રણાલી

અક્ષરાભ્યાસમ ? સંસ્કૃત નામ છે ? આવું કઈ યાદ છે ? નહિ હોય ! સાંભળ્યું પણ નહિ હોય કેમ કે હવે આ પરમ્પરા હાલમાં ફક્ત દક્ષિણ ભારતમાં ખાસ કરીને આંધ્ર અને તામિલનાડુમાં જોવા મળે છે. હું જયારે સાવ નાનો હતો ત્યારે મને જયારે સ્કૂલમાં પ્રવેશ અપાવવા લઇ ગયા હતા. ત્યારે, તે દિવસે ઘરે લાપસી બની હતી અને કપાળે લાલ કંકુનો ચાંલ્લો કરી હાથમાં શ્રીફળ આપી સ્કૂલે લઇ જવામાં આવ્યો હતો. અને તે દિવસે શિક્ષકને પગે લાગી 11 / 21 / 31 જેવી શક્તિ અને ઈચ્છા તે મુજબ દક્ષિણા આપવામાં આવતી હતી.

આનો અર્થ કઈ સમજાય છે ? આ વૈદિક કાલથી ચાલતી પ્રાચીન પરંપરા હતી. શિક્ષણને ભારતમાં પવિત્ર, શુભ અને કલ્યાણકારી ગણવામાં આવતું. બાળક 5 વર્ષ કે તેથી મોટું થાય ત્યારે ઉપનયન સંસ્કાર થતાં। આજે તો ઉપનયન સંસ્કાર એટલે જનોઈ આપવી ત્યાં સુધીજ સીમિત રહી ગયું છે. વિધિ દરમિયાન, વ્યક્તિને ગુરુના સાનિધ્યમાં  મોકલવામાં આવે છે જેથી તે ગુરુ પાસેથી  જ્ઞાન મેળવી શકે અને દેશ અને સમાજની પ્રગતિ સહિત પોતાનું જીવન યોગ્ય રીતે જીવે. ઉપનયન વિધિની શરૂઆતમાં વેદોનું શિક્ષણ .આપવામાં આવતું  હતું, જેની શરૂઆત ગુરુ દ્વારા ગાયત્રી મંત્ર આપીને થતી. પ્રાચીન ભારતમાં આ ને કર્ણ છેદન પછી 10માં સંસ્કાર તરીકે ઓળખવામાં આવ્યું છે. મધ્યયુગીન ઘણા ભારતીય ગ્રંથોમાં ઉપનયનને સમાજના ચાર વર્ણ (જાતિ)માંથી  – બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જેવા ઉપલા ત્રણ સુધી મર્યાદિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં, બૌધ્ધ્ય ગૃહ્યસુત્ર જેવા વૈદિક કાળના ગ્રંથોએ સમાજના તમામ સભ્યોને પણ ઉપનયન કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. (જાતે કામ કરનારા) શુદ્ર પણ ઉપનયન માટે પ્રોત્સાહન આપ્યું છે. મહિલાઓને વૈદિક અધ્યયન શરૂ કરતા પહેલા અથવા તેમના લગ્ન પહેલાં પ્રાચીન ભારતમાં ઉપનયન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતાં હતાં. ઉપનયન સંસ્કારો માટે મહત્તમ નિર્ધારિત વય સુધી ઉપનયન સંસ્કાર ન થયા હોય અથવા યજ્ઞોપવિત સંસ્કાર કર્યા નથી તેવા વ્યક્તિને અસંસ્કારી, તોફાની કહેવાતાં અને સમાજમાં તે નિંદાત્મક માનવામાં આવતું હતું. અને તેને વૈદિક કાર્યો વગેરે કરવાનો અધિકાર નથી. શાસ્ત્રોમાં આવી વ્યક્તિ માટે તપસ્યાની જોગવાઈ છે. જે સમાજમાં શિક્ષણને 10માં સંસ્કાર તરીકે ઓળખવામાં આવ્યા હોય, તે દેશમાં અંગ્રેજ ગયા ત્યારે 85 થી 87% લોકો અભણ કેમ હતા ? આ પ્રશ્ન વારંવાર મગજમાં ઘુમરાયા  કરે છે. આ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે ? નથી ? છે ચોક્કસ છે અને એટલેજ મને જાણવાની ઈચ્છા થઇ કે ભારતમાં શિક્ષણ પ્રણાલી કેવી હતી ? કયા કારણોસર આપણે અધોગતિ તરફ ધકેલાતા ગયા.  અધોગતિના મૂળ લગભગ 12-13મી સદીમાં નંખાયા અને લગભગ 19મી સદીમાંતો વિકસીને વટવૃક્ષ બની ગયા.

શું આપને ખબર છે કે પ્રાચીન ભારતમાં ( લગભગ 3જી સદી થી લઇ 13મી સદીની વચ્ચે કેટલાં વિશ્વવિદ્યાલય હતા ? યાદ આવે છે કઈ નામ ? નાલંદા, તક્ષશિલા , વલ્લભી અને શારદા વિદ્યાપીઠ. આ સિવાય બીજા કોઈ નામ ? પુરાશપુરા ( વારાણસી),ઉદાંત્તપુરી,વિક્રમશાળા, જગતદાલા  જેવી વિદ્યાપીઠો બિહાર અને બંગાળમાં હતી તો દક્ષિણમાં મઠ પ્રથા હતી. મઠ સાથે સંકળાયેલ વિદ્યાશાળાઓ હતી જેમ કે કર્ણાટકમાં હમ્પી, તામિલનાડુમાં કાંચીપુરમ, કાન્તાલુ શાળા કેરાલામાં હતી કે જે દક્ષિણની નાલંદા વિદ્યાપીઠ કહેવાતી. અહીં નાલંદા કરતા પણ વધારે વિષયો ભણાવવામાં આવતા હતા જેવા કે મંત્ર, યોગ, જ્યોતિસા, રસભંડ, રસાયણ (રસાયણશાસ્ત્ર), ચંદસ, ઇન્દ્રજળા (જાદુ), દંતકર્મ, કૈકર્મ, લેપી કર્મ, સિત્ર, સુવર્ણ કળા, વિસહરતંત્ર, બાળ ચિકિત્સા અને મેલીવિદ્યા. ધનુરવેદ , માર્શલ આર્ટ્સ. ત્યાં એક વિષય તરીકે નાસ્તિકતા પણ શીખવવામાં આવતી હતી. નાલંદામાં ચારવાક ધર્મ નિષેધ હતો.વિગેરે, આઓ આપણે આ મહાન વિદ્યાપીઠો વિષે ટૂંકાણમાં જાણીએ.તેમની સફળતા, નિષ્ફળતા અથવા અંતના કારણો સમજીએ અને તેની કાર્ય પધ્ધતિ તથા તેના વ્યવસાયિક અભિગમ ને સમજીએ 

1 કંથલૂર શાળા વિદ્યાપીઠ:

Documentary on Kanthalloor Shala
Kanthaloor Shala Courtsey: edexlive.com/

કંથલૂર શાળા કેરાલામાં હતી કે જે દક્ષિણની નાલંદા વિદ્યાપીઠ કહેવાતી. અહીં નાલંદા કરતા પણ વધારે વિષયો ભણાવવામાં આવતા હતા જેવા કે મંત્ર, યોગ, જ્યોતિસા, રસભંડ, રસાયણ (રસાયણશાસ્ત્ર), ચંદસ, ઇન્દ્રજળા (જાદુ), દંતકર્મ, કૈકર્મ, લેપી કર્મ, સિત્ર, સુવર્ણ કળા, વિસહરતંત્ર, બાળ ચિકિત્સા અને મેલીવિદ્યા. ધનુરવેદ , માર્શલ આર્ટ્સ. ત્યાં એક વિષય તરીકે નાસ્તિકતા પણ શીખવવામાં આવતી હતી. નાલંદામાં ચારવાક ધર્મ નિષેધ હતો.વિગેરે, નિયમિત ચોલા રાજાઓના હુમલાઓ પછી તે આખરે નાશ પામી 

File:Suchindram inscription of Rajaraja I.jpg
Inscription of Chola emperor Rajaraja from Suchindram, Kanyakumari (15th regnal year)

2 તેલહરા વિદ્યાપીઠ:

Telhara University's ruins older than Nalanda, Vikramshila
તેલ્હરા યુનિવર્સિટી મગધ (બિહાર) ચીની પ્રવાસી હ્યુએન સાંગા 7 મી સદી એડીમાં તેલ્હારાની મુલાકાત લીધી હતી અને તેમણે યુનિવર્સિટીનો ઉલ્લેખ “તેલિયાદાક” તરીકે કર્યો હતો. ક્રેડિટ: આઇ.ઇ. / રવિ એસ સહાની
Telhara University's ruins older than Nalanda, Vikramshila
નાલંદા અને વિક્રમશીલા યુનિવર્સિટીઓને ખોદકામ પછી બિહાર સરકાર તેલ્હારા પ્રોજેક્ટને તેની સૌથી મોટી ગણાવી રહી છે. નિષ્ણાતો કહે છે કે તેલ્હારામાં ખોદકામ અગાઉ થવું જોઈએ, પરંતુ આ સ્થળ વધુ પ્રખ્યાત નાલંદાને હિસાબે મહત્વ ગુમાવી દીધું  [ક્રેડિટ: આઇ.ઇ. / રવિ એસ સહાની]
Clay sealing of the Maukhari dynasty, 6th century. Found at Telhara, Nalanada district, Bihar. photo courtesy: Zenodo.org

તેલ્હારા એ પ્રાચીન ભારતમાં બૌદ્ધ મઠનું સ્થળ હતું. ઇસ4થી સદીમાં તે સ્થળની મુલાકાત લેનારા ચાઇનીઝ પ્રવાસી હ્યુએન સાંગના લેખનમાં તેલાધક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈન-એ-અકબારીમાં તેનો ઉલ્લેખ તિલદાહ તરીકે પણ કરવામાં આવ્યો છે,

બિહાર રાજ્ય સરકારે ડિસેમ્બર, 2009 માં સ્થળનું નવું પુરાતત્વીય ખોદકામ શરૂ કર્યું હતું. આ કાર્યમાં પ્રાચીન માટીકામ, પ્રાચીન વસ્તુઓ અને હ્યુએન સાંગા દ્વારા ઉલ્લેખિત ત્રણ માળની રચનાના અવશેષો મળી આવ્યા હતા. મઠમાં પ્રાર્થના હોલ અને રહેણાંક કોષોના પુરાવા મળ્યા છે. એવું કહેવામાં આવે છે કે ખિલજીના આક્રમણ પછી 11-12 સદી દરમિયાન યુનિવર્સિટીનો નાશ થયો હશે.

3 તક્ષશિલા વિદ્યાપીઠ:

Taxila1.jpg
ધર્મરાજિકા બૌદ્ધ મઠ – તક્ષશિલા પુરાતત્ત્વીય સ્થળ, ધર્મરાજિકા ખાતે ખંડેર. પ્રાચીન .
તક્ષશિલામાં સ્થિત છે – પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં Courtesy : WikiPedia
BhirMound.JPG
Ruins of Achaemenid city of Taxila, Bhir Mound archaeological site. courtesy : Wikipedia

યુનિવર્સિટી ખાસ કરીને , ખાસ કરીને વિજ્ઞાન ,દવા અને કળા માટે પ્રખ્યાત હતું, પરંતુ ધાર્મિક અને બિનસાંપ્રદાયિક બંને વિષયો શીખવવામાં આવતા હતા, અને તે પણ તીરંદાજી અથવા જ્યોતિષ જેવા વિષય હતા. વિદ્યાર્થીઓ ભારતના દૂરના ભાગથી આવે છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યના ઘણા જાટકે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત ચીન, બેબીલોન, સીરિયા અને ગ્રીસના 10,000 થી વધુ વિદ્યાર્થીઓએ ત્યાં અભ્યાસ કર્યો હતો. નીચેના પોતાના કાર્યક્ષેત્રના મહાન વિભૂતિઓ તક્ષશિલા વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા

1 ચરક
ચાર્કા, ભારતીય “ચિકિત્સાના પિતા” અને આયુર્વેદના અગ્રણી અધિકારીઓમાંના એક, પણ ટેક્સિલામાં અભ્યાસ કર્યો હોવાનું અને ત્યાં પ્રેક્ટિસ કરતું હોવાનું કહેવાય છે.

2 પાણીની
પૂર્વે 5th મી સદીના ભારતીય વ્યાકરણકર્તા પāṇનીનો જન્મ ઉત્તર પશ્ચિમમાં, ટાકસીલાથી દૂર, એટક નજીક શલાતુલામાં થયો હતો, તે સમયે સિંધુ ખીણના અચેમિનીડ વિજય પછી અચેમિનીડ સામ્રાજ્યની સંધિવા હતી, પરંતુ વંશીયતા તેમના નામે અથવા તેમના જીવનની રીત બતાવે છે કે તે ભારતીય મૂળનો હતો.

3 કૌટિલ્યા
કૌટિલ્યા (જેને ચાણક્ય પણ કહેવામાં આવે છે), મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના પ્રભાવશાળી વડા પ્રધાન, પણ ટેક્સિલામાં અધ્યાપક હોવાનું કહેવાય છે.

4 ચંદ્રગુપ્ત મૌર્ય
બૌદ્ધ સાહિત્યમાં જણાવાયું છે કે મૌર્ય સામ્રાજ્યના ભાવિ સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, મગધમાં પટના (બિહાર) નજીક જન્મેલા હોવા છતાં, ચાણક્ય દ્વારા તેની તાલીમ અને તક્ષશિલા માટે લેવામાં આવ્યા હતા, અને ત્યાં તેમને વિજ્ઞાન અને લશ્કરી વિજ્ઞાન સહિતની  બધા કળાઓમાં શિક્ષિત બનાવ્યા હતા. ત્યાં તેમણે આઠ વર્ષ અભ્યાસ કર્યો. ગ્રીક અને હિન્દુ ગ્રંથોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કૌટિલ્યા (ચાણક્ય) એ ઉત્તર પશ્ચિમ ભારતીય ઉપખંડનો વતની હતો, અને ચંદ્રગુપ્ત આઠ વર્ષથી તેનો રહેવાસી વિદ્યાર્થી હતો. ભારતની ઉત્તર-પશ્ચિમ સીમાની નજીક હોવાથી, તક્ષશિલાને ઉત્તર અને પશ્ચિમ તરફથી હુમલાઓ અને આક્રમણનો સામનો કરવો પડ્યો. આમ પર્સિયન, ગ્રીક, પાર્થિયન, શક અને કુશનાઓએ આ સંસ્થા પર તેમના વિનાશક નિશાનો મૂક્યા. જોકે, અંતિમ ફટકો મિહિરાકુલા, હન રાજા / હેપ્થલાઇટ્સ (રોમન સામ્રાજ્યના વિનાશક પણ)/ , જેમણે ઉત્તર ભારતના ભાગો પર કબજો કર્યા પછી હિન્દુત્વ સ્વીકાર્યું હતું, જેમણે, એ.ડી. સી .450, સંસ્થાને તોડફોડ કરી. જ્યારે ચીની પ્રવાસી હ્યુએન સંગ (એ.ડી. 630-31) તક્ષશિલાની મુલાકાત લીધી ત્યારે, આ શહેર તેની તમામ ભૂતપૂર્વ ભવ્યતા અને આંતરરાષ્ટ્રીય પાત્ર ગુમાવી ચૂક્યું હતું.

4 વિક્રમશીલા વિદ્યાપીઠ:

The landscape of Vikramashila Ruins, the seating and meditation area courtesy: Gyanpro

પાલ વંશના રાજા ધર્મપાલના શાસન દરમિયાન વિક્રમશીલા યુનિવર્સિટીની સ્થાપના 730 એડી દરમિયાન થઈ હતી. તે બિહારના ભાગલપુરથી 50 કિમી દૂર આવેલું છે. કિંગે યુનિવર્સિટીની સ્થાપના કરી કારણ કે તેમને એવું લાગતું હતુંકે શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે. વધુ વિદ્વાનોને જોવા માંગતો હતો. તે તેના સમયની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક હતી અને વિશ્વભરના વિદ્યાર્થીઓને આકર્ષિત કરતી હતી. તે 800 એડી દરમિયાન ખૂબ પ્રખ્યાત બન્યું અને નાલંદાને સીધી સ્પર્ધા આપી. એક ખૂબ પ્રખ્યાત પંડિત આતિષાને યુનિવર્સિટીમાં શિક્ષક હોવાનું કહેવાતું હતું. યુનિવર્સિટી તંત્ર અને મંત્રને શીખવવામાં વિશેષજ્. છે અને આ યુનિવર્સિટીના સૌથી લોકપ્રિય વિદ્યાર્થીઓમાંની એક આતિસા દીપંકારા હોવાનું કહેવામાં આવે છે જે તેમની તંત્ર અભ્યાસ માટે જાણીતું હતું. 12 મી સદીમાં રાજવંશનો અંત આવ્યો ત્યારે મોહમ્મદ બિન બખ્તિયાર ખિલજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેણે યુનિવર્સિટીને સંપૂર્ણ રીતે નાશ કરી હતી અને યુનિવર્સિટીમાં વિદ્વાનો અને સંતોની હત્યા કરી હતી. તેના માણસો દ્વારા યુનિવર્સિટીની લાઇબ્રેરી સળગાવી દેવામાં આવી હતી અને આ હુમલામાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનાં મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પોતાને પુનર્જીવિત કરી શક્યું નહીં અને છોડી દેવામાં આવ્યું. યુનિવર્સિટી લગભગ 100 એકરમાં ફેલાયેલી હતી અને વિદ્યાર્થી અને શિક્ષકો માટે તમામ સુવિધાઓ હોવાનું જણાવ્યું હતું.

5 સોમપુરા મહાવિહાર:

Somapura Mahavira courtesy: Wikipedia
Somapura Mahavihara 08.jpg
Somapura Mahavira courtesy: Wikipedia

સોમપુરા મહાવિહાર (બંગાળી: સોમপুর মাহাবিহર શોમપુર મહાબીહાર) પૌરપુર, બાદલગાચી જિલ્લા, નૌગાંવ જિલ્લા, બાંગ્લાદેશ ભારતીય ઉપખંડમાં સૌથી જાણીતા બૌદ્ધ વિહારમાં શામેલ છે અને તે દેશના સૌથી મહત્વપૂર્ણ પુરાતત્ત્વીય સ્થળોમાંનું એક છે. તે બંગાળના પ્રારંભિક સ્થળોમાં પણ એક છે, જ્યાં હિંદુ પ્રતિમાઓની નોંધપાત્ર માત્રા મળી હતી. તેને 1985 માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. તે સમાન સમયગાળાથી નજીકના હલુદ વિહાર અને દિનાજપુર જિલ્લાના નવાબગંજ તાલુકાના સીતાકોટ વિહાર સુધીનો છે. પરંતુ આ શહેર પર વાંગા આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને પાછળથી મુસ્લિમ બાદશાહોએ કબજો કર્યો હતો. તેઓએ દરેક ઘર અને વિહાર પર હુમલો કરી યુનિવર્સિટીને બાળી નાખી હતી અને વિદ્વાનોની હત્યા કરી હતી. 11 મી સદીના અંતમાં, વિપુલશ્રીમિત્રાએ યુનિવર્સિટીનું નવીનીકરણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્રમિક મુસ્લિમ શાસકોએ યુનિવર્સિટીનો વિનાશ કરતા રહેતાં તેમના પ્રયત્નોને કોઈ પરિણામ મળ્યું નહીં.

6 ઓડંતપુરી વિદ્યાપીઠ:

Odantapuri University Courtesy :Explore my tour.com

કલાચક્ર તંત્રના તિબેટીયન ઇતિહાસમાં નગકવાંગ કંગા સૈનમ દ્વારા, 27 મી સક્યા ટ્રાઇઝિન (વિલી: નાગ દબંગ કુન દગા ‘બસોડ નામ, 1597–1659) નો ઉલ્લેખ છે કે “સેન્દા- દ્વારા સંચાલિત ઓડંતપુરી પા “, તિબેટીયન શ્રીવાક્યૈન બૌદ્ધ શાળા માટે અલગ છે. તિબેટીયન ઇતિહાસકાર તારાનાથ અનુસાર, રાજા મહાપિલાએ ઓડંતપુરીમાં શ્રાવકસંઘ ભિક્ષુઓને ટેકો આપ્યો હતો. આ મઠના જોડાણ તરીકે, તેમણે ઉરુવાસ નામનો એક આશ્રમ બનાવ્યો, જ્યાં તેમણે 500 સેંધા-પા અથવા સેન્દ્રવા શ્રાવક્ને ટેકો આપ્યો. રાજા રામપલાના શાસન દરમિયાન, એક હજાર સાધુઓ, હિનાયણ અને મહાયાન બંનેના, ઓડંતપુરીમાં રહેતા હતા અને ક્યારેક ક્યારેક ત્યાં પણ બાર હજાર સાધુઓ ત્યાં ભેગા થયા હતા. ફરીથી મોહમ્મદ ખિલજી હતા જેમણે યુનિવર્સિટીનો નાશ કર્યો અને કહ્યું કે આખી જગ્યા બળીને ખાખ થઈ ગઈ. આ તે જ સમય હતો જ્યારે નાલંદા યુનિવર્સિટી પર પણ ખિલજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો

7 જગદદલા મહાવિહાર:

Jagaddala Mahavihara: courtesy : WikiPedia

જગદદલા મહાવિહાર ( 11 મી સદીના અંતમાં – 12 મી સદીના મધ્યમાં) એક બૌદ્ધ મઠ હતો અને બંગલાદેશમાં વર્તમાન ઉત્તર બંગાળમાં ભૌગોલિક એકમ, વરેન્દ્રમાં શીખવાની જગ્યા હતી. તેની સ્થાપના પાલા વંશના પછીના રાજાઓ દ્વારા કરવામાં આવી હતી, રામાપાળ (સી. 1077-120), સંભવત: ભારતની સરહદ પર બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં હાલના જગદલ ગામની નજીકના એક સ્થળે, પહારાપુર નજીક. યુનિવર્સિટી વજ્રયાન બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતમાં વિશેષતા માટે જાણીતી હતી. ઘણા સંસ્કૃત વિરુદ્ધ યુનિવર્સિટીમાં રચના કરવામાં આવી હોવાનું કહેવાય છે. વિદ્યાકાર દ્વારા યુનિવર્સિટીમાં પ્રખ્યાત સુભાસીતરત્નકોસાનું સંકલન કરવામાં આવ્યું હતું. કાશ્મીરી વિદ્વાન સાક્યશ્રીભદ્રએ તેમના લેખનમાં જણાવ્યું છે કે મુસ્લિમ શાસકો દ્વારા શહેર પર હુમલો કરવામાં આવ્યો અને યુનિવર્સિટીનો નાશ થયો પછી તે તિબેટમાં ભાગી ગયો.

8 પુષ્પગીરી યુનિવર્સિટી:

pushpagiri university odisha
Pushpagiri University Courtesy : Gyan Pro

પુષ્પગિરિ યુનિવર્સિટીની સ્થાપના પ્રાચીન કલિંગ રાજ્ય (આધુનિક સમયનાં ઓડિશા) માં કરવામાં આવી હતી અને કટક અને જાજપુર જિલ્લામાં ફેલાયેલી હતી. તે ત્રીજી સદીમાં સ્થપાઇ હતી અને 11 મી સદી સુધીના 800 વર્ષ સુધી તે વિકાસ પામી હતી. લલિતગિરિ, રત્નાગિરી અને ઉદયગિરિ – આજુ બાજુના ત્રણ પર્વતોમાં યુનિવર્સિટી કેમ્પસ ફેલાયેલો હતો. આ તક્ષશિલા, નાલંદા અને વિક્રમશીલા યુનિવર્સિટીઓ સાથે પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણના સૌથી પ્રખ્યાત કેન્દ્રોમાંનું એક હતું. ચિની પ્રવાસી ઝુઆનઝંગ (હ્યુઆન સાંગ) એ આ યુનિવર્સિટીની મુલાકાત 633 CE સીઇમાં કરી હતી. લલિતગીરીને બીજી સદી બીસીઇની શરૂઆતમાં જ સોંપવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તે વિશ્વની સૌથી પ્રાચીન બૌદ્ધ સંસ્થાઓ છે. તાજેતરમાં અહીં સમ્રાટ અશોકની થોડી છબીઓ મળી આવી છે, અને એવું સૂચવવામાં આવ્યું છે કે પુષ્પગિરિ યુનિવર્સિટીની સ્થાપના ખુદ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવી હતી. યુનિવર્સિટી ત્રણ પર્વતોમાં ફેલાયેલી છે, એટલે કે લલિતગીરી, રત્નાગિરી અને ઉદયગિરીએ તેને એક સંપૂર્ણ મનોહર સુંદરતા આપી. પુરાતત્ત્વીય સર્વેક્ષણમાં બ્રહ્મી લિપિમાં મોટા પ્રમાણમાં પુસ્તકો મળી આવ્યા. કુશના વંશમાંથી સોના અને ચાંદીના કલાકૃતિઓ, માનવીની, સાહિત્ય. આ સ્થાપત્ય મથુરા અને ગંધારા કળા જેવું જ છે. યુનિવર્સિટીના એક ભાગને શોધી કાઢવામાં 7 વર્ષ લાગ્યાં છે અને હજી પણ મોટાભાગના ભાગો નીચે જ છે. સ્થળ પરથી બુદ્ધ સહિતના હિન્દુ દેવો અને બૌદ્ધ સાધુઓની વિશાળ મૂર્તિઓ ખોદવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે આ યુનિવર્સિટી ઇસ્લામિક શાસકો દ્વારા 13-14 સદી દરમિયાન નાશ પામી હશે.

9 નાલંદા યુનિવર્સિટી :

nalanda university
Nalanda University. Courtesy : aglasem.com

નાલંદા યુનિવર્સિટીની સ્થાપના 5 મી સદીની શરૂઆતમાં આધુનિક બિહારમાં ગુપ્ત રાજવંશના શક્રાદિત્ય દ્વારા કરવામાં આવી હતી અને 12 મી સદી સુધી 600 વર્ષ સુધી તે વિકાસ પામ્યો. નાલંદા એ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી હતી જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે રહેણાંક ક્વાર્ટર્સ છે. તેમાં મોટા મોટા વ્યાખ્યાન હોલ પણ હતા. આ યુનિવર્સિટીમાં કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, પર્સિયા અને તુર્કી જેવા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા.

આ યુનિવર્સિટીનું પુસ્તકાલય પ્રાચીન વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય હતું અને તેમાં વ્યાકરણ, તર્કશાસ્ત્ર, સાહિત્ય, જ્યોતિષવિદ્યા, ખગોળશાસ્ત્ર અને દવા જેવા વિવિધ વિષયો પર હજારો ગ્રંથોની હસ્તપ્રતો હતી. પુસ્તકાલય સંકુલને ધર્મગંજા કહેવામાં આવતું હતું, અને તેમાં ત્રણ મોટી ઇમારતો હતી: રત્નાસાગર, રત્નાદાધિ અને રત્તરંજક. રત્નાદાધી નવ માળની હતી અને પ્રજ્ઞા પરમિતા સૂત્ર અને સમાજગુહ્યા સહિતના સૌથી પવિત્ર હસ્તપ્રતો સંગ્રહિત કરી હતી. 2010 માં, ભારતની સંસદે અનુસ્નાતક સંશોધન માટે સમર્પિત આધુનિક નાલંદા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે પ્રાચીન નાલંદા યુનિવર્સિટીને પુનર્સ્થાપિત કરવાની યોજનાઓને મંજૂરી આપતું બિલ પસાર કર્યું. ચાઇના, સિંગાપોર અને જાપાન સહિત ઘણા પૂર્વ એશિયન દેશો આ નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણ માટે ભંડોળ આપવા આગળ આવ્યા છે. 11 મી સદીમાં જ્યારે યુનિવર્સિટી સફળતાના સ્તરે હતી ત્યારે મુહમ્મદ બિન બખ્તિયાર ખિલજીએ નાલંદાની મહાન સંસ્થાને નષ્ટ કરવાની કોઈ તક છોડી ન હતી. વર્ષ 1193 માં, ખિલજીની આગેવાની હેઠળના આક્રમણકારોએ 700 વર્ષ જૂની યુનિવર્સિટીને તોડી નાખી અને બળીને ખાખ કરી દીધી. તેણે નિર્દયતાથી હજારો નિર્દોષ સાધુઓ અને ગુરુઓની હત્યા કરી. હિંદુ ધર્મ અને બૌદ્ધ સંસ્કૃતિને જડમૂળથી ઉખેડી નાખવા અને ઇસ્લામને બળજબરીથી રોપવાના ઘણા ગુરુઓને જીવંત સળગાવી દેવામાં આવ્યા અને શિરચ્છેદ કરવામાં આવ્યા. સૌથી ભયાનક એપિસોડ એ નાલંદાની વિશાળ પુસ્તકાલયનો વિનાશ હતો જેમાં સાત સદીઓથી સંગ્રહિત મહાન વિદ્વાનોના સાહિત્યિક કાર્યોના 9 મિલિયનથી વધુ સ્ક્રિપ્ટો, સાહિત્યિક કૃતિઓનું સંગ્રહ કરવામાં આવ્યું હતું.

10 વલ્લભી વિદ્યાપીઠ:

Vallabi University Courtesy : Gyanpro

આધુનિક ગુજરાતના સૌરાષ્ટ્રમાં વલ્લભી યુનિવર્સિટીની સ્થાપના લગભગ 6 ઠ્ઠી સદીમાં થઈ હતી અને તે 12 મી સદી સુધી 600 વર્ષ સુધી પ્રગતિ કરી. બે પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો ગુનામતી અને સ્થિરમતી આ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હોવાનું કહેવાય છે. વલ્લભી યુનિવર્સિટીએ અર્થશાસ્ત્ર, કાયદો, રાજકારણ, તબીબી વિજ્ઞાન , હિસાબી પધ્ધતિ / નામાં પધ્ધતિ , સાહિત્ય, વ્યાકરણ અને હિનાયણ બૌદ્ધ ધર્મ સહિતના ઘણા વિષયો ભણાવતા હતા.. તેમાં એક વિશાલ પુસ્તકાલય હતું.  અહીંના શિક્ષણની ગુણવત્તા શ્રેષ્ઠ હતી.  તે પડોશી દેશો સહિત આર્યવ્રતના દરેક ખૂણાના વિદ્યાર્થીઓને આકર્ષિત કરતું.  જે વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી છે તેઓને દેશભરમાં ઉચ્ચ માન આપવામાં આવતું હતું અને તેમને રાજાઓની અદાલતમાં, વહીવટમાં ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા હતા.  7 મી સદી દરમિયાન નાલંદામાં ભણેલા અને વલ્લભી યુનિવર્સિટીની મુલાકાત લીધેલા ચાઇનીઝ પ્રવાસી ઇસીંગના એક ખાતા અનુસાર, તે શિક્ષણનું એક મહાન કેન્દ્ર હતું.  આ કેન્દ્ર ધાર્મિક સહનશીલતા અને માનસિક સ્વતંત્રતા માટે પ્રખ્યાત હતું.  વલ્લભી યુનિવર્સિટીએ માત્ર શાસકો જ નહીં પરંતુ પ્રદેશના સમૃદ્ધ લોકોનું પણ સમર્થન મેળવ્યું હતું. 11 મી સદી દરમિયાન સફળતાનાં સર્વોચ્ચ શિખર પર હતું ત્યારેજ ઇસ્લામિક શાસકો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું જે આખરે વિનાશક હતું.

11 મીતાવાલી, પદાવલી અને બાતેશ્વર મંદિર યુનિવર્સિટી

મીતાવાલી મંદિર – કોન્સેન્ટ્રિક બાંધકામનો એક સુંદર દૃશ્ય Courtesy : Nirdesh Singh
પડાવલી મંદિર – શિલ્પના તેના ખજાના ને છુપાવી રહ્યું છે Courtesy : Nirdesh Singh
બટેશ્વર – મંદિર સંકુલ Courtesy : Nirdesh Singh

 મૃદિપ્રદેશના ચેમ્બલ વિભાગમાં મોરેના 8 મી સદીથી યુનિવર્સિટીના શિક્ષણનું કેન્દ્ર હતું, જેનો શિલાલેખ મીતાવલી, બાગેશ્વર અને પદાવલીમાં ચોથ યોગીનીમાં મળી આવ્યો હતો.સુવર્ણ ત્રિકોણ તરીકે, જેમાં એક પ્રખ્યાત યુનિવર્સિટી હતી, આ ત્રણ પ્રદેશોમાં મંદિરો 8 થી 12 મી સદીના છે. મંદિરો ગુર્જર પ્રતિહાર દ્વારા બનાવવામાં આવ્યા હતા અને પાછળથી કચ્છપઘાતા શાસકો દ્વારા તેનું વિસ્તૃત અને નવીનીકરણ કરાયું હતું.પદાવલી મંદિર પછીથી નવીનીકરણ કરાયું હતું.  ગોહદના જાટ રાણા શાસકો.મોરેનામાં આ ત્રણ સ્થળોએ વિવિધ પેટા માટેના શિક્ષણ કેન્દ્રોનું આયોજન કર્યું હતું  જેક્ટ્સ.  ચૌન્સથ યોગિની મંદિરમાં જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર શીખવવામાં આવતું હતું.  અમુક ગણતરીઓ માટે શિક્ષકો સૂર્યની કિરણો અને શેડ્સ પર બેંક છે!  સૂર્યની કિરણો ગોળાકાર રચનાને જોતા મંદિરમાં વિવિધ ડિઝાઇન અને તરાહોમાં પડી હતી.  સુવર્ણ ત્રિકોણ યુનિવર્સિટીનું કેન્દ્ર, બટેશ્વર મંદિરોનું કેન્દ્ર હતું.  બર્લિનના સ્વતંત્ર સંશોધનકર્તા, ગેર્ડ મેવિસેન, જે મંદિરોના ઉપસંહારમાં નિષ્ણાત છે, પણ સૂચવે છે કે બટેશ્વર મંદિરોનું સ્થળ ‘એકવાર મંદિર સંબંધિત કલાઓ અને કલાકારોનું કેન્દ્ર હતું’.  મોટાભાગના મંદિરો કે જે વિવિધ બિલ્ડિંગ સ્ટાઇલના સંમિશ્રણનું નિરૂપણ કરે છે તે સૂચવે છે કે કલાકારો અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના મંદિર નિર્માણના વિચારો સાથે ભળેલા અને પ્રયોગો કરે છે.  ગhiી પડાવલી સંકુલનો આધાર વિશાળ છે, જે તે રાખવામાં આવેલા શિક્ષણ કેન્દ્રો વિશે 

12 શારદાપીઠ :

Shardapith University Temple Courtesy : Wikipedia

શારદાપીઠ મંદિર યુનિવર્સિટી આ મંદિર યુનિવર્સિટી એક સમયે પ્રાચીન ભારતમાં શિક્ષણના સૌથી મોટા કેન્દ્રો તરીકે વિકસ્યું હતું.  કાશ્મીરને મંદિરના નામથી શરદા દેશ તરીકે ઓળખવામાં આવે છે.  શારદા લિપિ તેના વિકાસ અને શારદાપીઠ મંદિર યુનિવર્સિટીથી લોકપ્રિય  છે. આ પ્રાચીન શિક્ષણનું કેન્દ્ર હવે પાકિસ્તાનના આઝાદ કાશ્મીર અધિકારક્ષેત્રમાં આવે છે.  ભારત અને પડોશી દેશોના ઘણા પ્રખ્યાત વિદ્વાનોએ આ મંદિર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. શારદાપીઠ મંદિર યુનિવર્સિટી આ મંદિર યુનિવર્સિટી એક સમયે પ્રાચીન ભારતમાં શિક્ષણના સૌથી મોટા કેન્દ્રો તરીકે વિકસ્યું હતું.  કાશ્મીરને મંદિરના નામથી શરદા દેશ તરીકે ઓળખવામાં આવે છે.  શારદા લિપિ તેના વિકાસ અને શારદાપીઠ મંદિર યુનિવર્સિટીથી લોકપ્રિય  છે. આ પ્રાચીન શિક્ષણનું કેન્દ્ર હવે પાકિસ્તાનના આઝાદ કાશ્મીર અધિકારક્ષેત્રમાં આવે છે.  ભારત અને પડોશી દેશોના ઘણા પ્રખ્યાત વિદ્વાનોએ આ મંદિર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. શારદાપીઠે આપણને બહુ ઉલ્લેખનીય વિદ્વાનો આપ્યા છે.જેમકે  વિદ્વાન  કલ્હાના, કે જેમની ગણતરી તજજ્ઞ  ઇતિહાસકાર અને રાજતરંગીનાં લેખક તરીકે છે અને જેમને સંસ્કૃતમાં કાશ્મીરના ઇતિહાસ પર પુસ્તક લખ્યું છે;  તત્વજ્ઞાની  આદિ શંકરા જેમણે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને મજબૂત બનાવ્યો;  વૈરોત્સના, એક તિબેટીયન અનુવાદક;  કુમારજીવ, બૌદ્ધ વિદ્વાન અને અનુવાદક;  થોમ્બી સંભોતા, એક તિબેટીયન વિદ્વાન, જેમણે પરંપરાગત તિબેટીયન સ્ત્રોતો દ્વારા અહેવાલો મુજબ તિબેટી લિપિની શોધ કરી.  શારદાપીઠ મંદિર યુનિવર્સિટીની સ્થાપનાની સમયરેખા અજાણ છે.  અહીં અભ્યાસ કરનારા વિદ્વાનોના રેકોર્ડ્સ પર જતાં, આદિ શંકરા અહીંના વિદ્યાર્થી હતા.  વેદવીર આર્ય દ્વારા પ્રાચીન ભારતના કાલાનુક્રમને  મુજબ, આદિ શંકરા બીસીઇ 6 માં સદીમાં રહેતા હતા.  આ સમયરેખાને ધ્યાનમાં રાખીને, શારદાપીઠ મંદિર યુનિવર્સિટીના અસ્તિત્વના સાહિત્યિક રેકોર્ડ ઓછામાં ઓછા 2500 વત્તા વર્ષના છે.  પરંતુ શિક્ષણ કેન્દ્ર કેટલાક હજારો વર્ષ જૂનું હોવું જોઈએ.  .

ભારતીય યુનિવર્સિટી / વિદ્યાપીઠનો ચિતાર:

કુલ્લે 31 વિશ્વ વિદ્યાલય ભારતમાં હતાં. મધ્ય એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાંથી ઘણા બધાં વિદ્યાઅભ્યાસીઓ ભારતમાં શિક્ષણ મેળવવા ઉત્સુક રહેતા. આપને  ખબર છે હુઆન સંગને ભારત પહોંચતા કેટલા વર્ષ લાગ્યાં  હતા ? ગણીને 4 વર્ષ. હા ઇસ 627માં ચીનથી ભારત આવવાં નીકળ્યો હતો તે ઇસ 631માં નાલંદા વિશ્વવિદ્યાલય પહોંચ્યો હતા.   ઘણી મુશ્કેલીઓ, ટાઢ , તાપ , વરસાદ વિગેરે સહન કરીને ગોબીના રણમાંથી પસાર થવાનું અને હા લુટારાઓ પણ ખરા આ બધી મુશ્કેલીઓ વેઠીને શા માટે ભારત ભણવા માટે આવે ? કઈંક હશેને ભારતમાં ! ખબર છે શું હતું ? ખબર છે? ભારતમાં કેટલા વિષયમાં નિપુર્ણતા કેળવી શકતી હતી ?  વેદો, બુદ્ધિઝમ , જૈનીસ્મ, અર્થશાસ્ત્ર , ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, જ્યોતિષ શાસ્ત્ર , તર્કશાસ્ત્ર આયુર્વેદ, ન્યાયશાસ્ત્ર , રાજશાસ્ત્ર અને  યોગશાસ્ત્ર વિગેરે વિષયોમાં નિપુર્ણતા કેળવી શકતી હતી. અધ્યાપકગણ  અને વિદ્યાર્થીઓ માટે કોઈ સીમા ના હતી તે ક્યાયપણ રહેતા હોય અને ક્યાંયથી પણ અભ્યાસ કરી શકતા. નાલંદા ધર્મશાસ્ત્ર ( બુદ્ધિઝમ , વૈદિક, જૈનિઝમ વિગેરે) માટે પ્રખ્યાત હતી તો વલ્લભી રાજશાસ્ત્ર અને તર્કશાસ્ત્રમાટે પ્રખ્યાત હતી. વલ્લભીમાંથી અભ્યાસ કરનારને કોઈ પણ રાજયમાં ઉંચ્ચ સરકારી પદ મળતું. ન્યૂટન નું નામ કેટલાયે સાંભળ્યું છે ? શું આપ બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય વિષે જાણો છો ? આ બંને ઉજ્જૈની વિદ્યાપીઠની પ્રોડક્ટ હતાં અને ત્યાંજ અધ્યાપક તરીકે સેવા આપતા હતા. ઉજ્જૈની વિદ્યાપીઠ ગણિતજ્ઞ માટે સુપર સ્પેશ્યલિસ્ટ હતી. બ્રહ્મગુપ્ત એ છે કે જેમને શૂન્ય (0) ના ઉપયોગના સિદ્ધાંત બનાવ્યા હતા. શૂન્યને કોઈ રકમમાં બાદબાકી, ઉમેરવા, ગુણવા કે ભાગફળ મેળવવાનાં નિયમ બનાવ્યા હતા. ભાસ્કરાચાર્યે દશાંશ પધ્ધતિની શોધ કરી હતી. આ ઉપરાંત કેટલા સૂત્રો બનાવ્યા હતા. હુઆન સંગની આત્મકથા પ્રમાણે નાલંદાનું પ્રાંગણ, વિસ્તાર ખુબજ મોટો હતો. લગભગ ત્યાં 8000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આશરે 1510 પ્રાધ્યાપકો જુદાંજુદાં વિષયો પર  જ્ઞાન વહેંચતા હતા. ઠેર ઠેર નાના નાના સરોવર હતા જેમાં કમળના ફૂલો ખીલેલા હતાં।  અહીં પ્રવેશ મેળવવામાટે અત્યંત સ્પર્ધા થતી ફક્ત 20 % વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકતા! નાલંદા વિદ્યાપીઠના ચોકીદાર પણ એટલા નિપુર્ણ હતાં કે પ્રથમ પ્રવેશ પરીક્ષા દરવાન લેતા હતા. કદાચ આજ કારણ હતું કે નાલંદાની આસપાસમાં અનેક વિદ્યાપીઠ અસ્તિત્વમાં આવી હતી કે જો કોઈ નાલંદામાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ જાયતો બીજી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી શકે. તમે માનશો નાલંદા વિદ્યાપીઠની પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવવા માટે ત્યાં ખાસ તાલીમ વર્ગ આજુબાજુના ગામોમાં ચાલતા હતા. તમને આશ્ચર્ય થશે કે અહીં યુનિવર્સિટીના ખર્ચને પહોંચી વળવા માટે 100 ગામની આવક આ વિદ્યાપીઠને નામ રાજા તરફથી કરવામાં આવી હતી. હુઆન સંગ જયારે નાલંદા પહોંચ્યા ત્યારે ત્યાં કુલપતિ તરીક અહીં શિલભદ્રા કાર્યરત હતા. તેઓની ઉમર ત્યારે 106 વર્ષની હતી. હુઆન સંગને જમવામાટે 120 ફ્રૂટ,  20 ઈલાયચી, 20 પીકનટ્સ ,1 વાટકો ભરીને ચોખા અને જરૂરિયાત પ્રમાણે રસોઈ માટે તેલ તથા દૂધ અને દૂધના ઉત્પાદનો મળતા હતા. તેમને બે સહાયકો અને સવારી માટે હાથી પૂરો પાડવામાં આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ માં રહેતા વિદ્યાર્થી અને શિક્ષકોને રહેવા, જમવા, કપડાં અને દવાઓ નિઃશુલ્ક મળતાં હતા. હુઆન સંગ નોંધે છે કે અહીં પ્રાધ્યપકો ખુબ લગન પૂર્વક ભણાવતા અને પોતાના કાર્યમાં મગ્ન રહેતા. તેઓનું જીવન ખુબજ સરળ અને ખુબજ ઓછી જરૂરિયાતોથી ચાલતું। તેમના વસ્રો અને દેખાવ બરોબર ના હોય તેવું ઘણી વખત જોયું છે પણ તેમના પ્રત્યેનો સમાજમાં આદર,માન સન્માન ક્યારેય આવા કારણથી ઓછા ન થતાં. અદ્યાપકો અને શિક્ષકોને સમાજમાં ખુબજ આદર સત્કાર થતો. તેમને રાજા પછીનું બીજા નંબરનું સ્થાન મળતું. ઘણી એવી પણ વિદ્યાપીઠો હતી કે જે મઠ સાથે સંલગ્ન હોય ખાસ કરીને દક્ષિણમાની મોટા ભાગની વિદ્યાપીઠો મઠ – મંદિર સાથે સંલગ્ન રહેતી. મઠ એટલે મંદિરની સાથે પૂજારીઓ ને રહેવાની જગ્યા હોય સાથે ત્યાં લગ્ન વિધિ પણ થતી અને ત્યાં રાજા ખુબ ઓછા ભાવે જમીન આપીને શિક્ષકો, બ્રાહ્મણોને ત્યાં વસાવતા જેમને અગ્રહારા તરીકે ઓળખવામાં આવતા. કોઈ પણ શિષ્ય કે વિદ્યાર્થી અગ્રહાર પાસે જઈ તેમની શંકાનું નિરાકરણ મેળવી શકતા. કોઈ વિશેષ જ્ઞાનની આવશ્યકતા હોય તો તે પણ મદદ કરતા. તામિલનાડુમાં અન્નયરામમન શીલા લેખ પરથી ખબર પડે છે કે  ભવ્ય રીતે આપણી શીખવાની પરંપરાને પોષવામાં આવતી હતી. ત્યારે વિદ્યાપીઠ માટે જમીન નિઃશુલ્ક આપવામાં આવતી આ ઉપરાંત શિક્ષકોને વિદ્યાર્થી કરતા 16 ઘણું વધારે ભોજન ભથ્થું મળતું હતું. અને વેદાન્તા અને મીમાંસાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓ કરતા 66% ભોજન ભથ્થુ વધારે મળતું.

હુઆન સંગની ભારત યાત્રાના સંસ્મરણો  
ફહ્યાન – એક ચીની મુસાફર જેણે ભારત અને લંકાનો ચાલીને  પ્રવાસ કર્યો હતો તેના સંસ્મરણો  

ભારતની શિક્ષણ પ્રણાલી :

ભારતની શિક્ષણ પ્રણાલી અદભુત હતી ત્યાં આજની જેમ પ્રાધ્યાપક બોલે અને વિદ્યાર્થી સાંભળે તેવું નહતું પણ વર્ગખંડમાં આંતરિક વાદવિવાદ થતાં અને આ વાદવિવાદ અત્યારે આપણી ચેનલો ઉપર થાય છે તેવા વાહિયાત નહતા. પરંતુ નિયમબધ્ધ રીતે સૈદ્ધાંતિક રીતે થતાં. તમે કોઈ સાથે વાદવિવાદ કરવા ઇચ્છતા હો તો તેના નિયમો જેવાકે સાધ્ય શું છે ? નિષ્કર્ષ શું હોઈ શકે ? વાદવિવાદનો હેતુ શું છે ? કોઈ ઉદાહરણ હોય તો તે આપવા। આ અંગે ખ્યાલ , દ્રષ્ટિ કે સમજ સ્પષ્ટ કરવી  . અનુમાન કરવું અને સાબિતી પુરી પાડવી પડે અને આ બાબતો તમે સામેની વ્યક્તિને જણાવો પછીજ વાદવિવાદ થઇ શકે. કોઈનો વ્યર્થ ટાઈમ ના બગાડી શકો. દરેક વાદવિવાદ વખતે જે તે વિષયના નિષ્ણાત લવાદ અથવા તો મધ્યસ્થે તરીકે રહે અને બંને વચ્ચેના વાદવિવાદ ને ગુણાંક આપવા માટે 22 માપદંડને ધ્યાનમાં લઈને લવાદ  અથવાતો મધ્યસ્થે પોતાનો નિર્ણય જાહેર કરવો પડતો. નીચેના કારણોને લીધે તમે તમારા હરીફ સામે તમારા ગુણ  ઘુમાવી શકો।  જેમનાં 10 મુખ્ય માપદંડો નીચે મુજબ છે, વાદવિવાદ કરવા માટેની નિપુર્ણતા કેળવવા માટે ઘણા પુસ્તકો ઉપલબ્ધ હતા જેમનું એક છે વસુબંધુ નીચેના માપદંડો વસુબંધુ પુસ્તકને આધારે લીધેલ છે 

  1. દરખાસ્ત હર્ટિંગ (પ્રતિજનાહાની )
  2. દરખાસ્ત સ્થળાંતર (પ્રાતિજનાન્તર )
  3. દરખાસ્તનો વિરોધ કરવો (પ્રતિજનાવિરોધ)
  4. દરખાસ્તનો ત્યાગ કરવો (પ્રતિજનસંન્યાસ )
  5. કારણ બદલવું (હેત્વંતર)
  6. વિષયનો અર્થ બદલીને (અર્થતર)
  7. અર્થહીન (નિરર્થક) નો આશરો લેવો
  8. અવિવેકી (અવિજનથાર્થ ) નો આશરો લેવો
  9. અસંગત બનવું (અધીકા)
  10. અસ્પષ્ટ દલીલો કરવી (એપ્રપ્તા-કાલા)
  11. બહુ ઓછું કહેવું (ન્યુનતા)
  12. બહુ કહેવું (અધિકા)
  13. પુનરાવર્તનનો આશરો લેવો (પુનરુક્તા)
  14. મૌનનો આશરો લેવો (આનુ-ભાસણા)
  15. અજ્ઞાન દર્શાવવું (અજ્ઞાન )
  16. બિન-ચાતુર્ય દર્શાવવું (અપ્રાતિભા)
  17. કરચોરીનો આશરો (વિકસેપા)
  18. અભિપ્રાય પ્રવેશ (મતાનુજનાં)
  19. ઉપેક્ષિત (પેર્યાનુયોજ્યોપેક્ષા)
  20. નોન-સેન્સ્યુઅર (નીરાનુયોગનુંયોગ ) ને સેન્સર કરવું
  21. ધર્માધિકાર (અસિદ્ધાંતા ) થી વિચલિત થવું
  22. ખોટી વાતો અથવા કારણનો આશરો લેવો (હેતભાષા)
આદિ સંકરા અને મંડાણ મિશ્રા વરચે ધર્મ ચર્ચા અને મધ્યસ્થતા કરી રહ્યા છે મદન મિશ્રના પત્ની ઉભય ભારતી

Leave a comment

Blog at WordPress.com.

Up ↑